AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેસનો વપરાશ ઘટાડવા પાવાગઢ ભોજનાલયમાં મેનું કરાયો ફેરફાર- Video

ગેસ સિલિન્ડરની અછત વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં ભોજનાલયના મેનુમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢ ભોજનાલય ખાતે મંદિર ટ્રસ્ટે આગોતરુ આયોજન કર્યુ છે. ગેસ સિલિન્ડરના અભાવથી અન્નક્ષેત્રને અસર ન થાય તે માટે મંદિર ટ્ર્સ્ટે તકેદારીના પગલા લેવાનું શરૂ કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2026 | 3:32 PM
Share

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી દેતા LPGના ટેન્કર આવવાનું બંધ થયુ છે. જેના કારણે દેશભરમાં LPGની અછત વર્તાઈ છે. જેમા સરકારે પણ કોમર્શિયલ સિલિન્ડર પર કાપ મુકતા અછત વર્તાઈ રહી છે. ત્યારે યાત્રાધામ પાવાગઢમાં પણ ભોજનાલયના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે વસ્તુ બનાવવામાં વધુ ગેસ વપરાતો હોય તેને હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે જલદી તૈયાર થઈ જતી વસ્તુઓ શ્રદ્ધાળુઓને પિરસવામાં આવી રહી છે.

પાવાગઢ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ત્યારે હાલ ભોજનમાં દાળ-ભાત- શાક-રોટલી ચારેય વસ્તુના બદલે બે બે વસ્તુ બનાવવામાં આવે છએ અને ગેસ બચાવવા માટે તકેદારીના પગલા લેવાઈ રહ્યયા છે. ગેસનો વપરાશ ઘટાડવા માટે સ્ટીમ્ડ વસ્તુઓ બનાવવાની બંધ કરાઈ છે. તેના સ્થાને પૌહા, ઉપમા, આપવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના અન્નક્ષેત્રમાં દરરોજ બે હજારથી વધુ માઈભક્તો ભોજન પ્રસાદીનો લાભ લે છે.

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

g clip-path="url(#clip0_868_265)">