Breaking News : ગેસ સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, LPG માટે eKYC ની માથાકૂટ નહીં, જાણો A ટુ Z માહિતી
LPG ગ્રાહકો માટે eKYC અંગેની ગેરસમજો દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે બાયોમેટ્રિક પ્રમાણીકરણ બધા માટે ફરજિયાત નથી. આ સાથે કોને કોને KYC કરાવવું જરૂરી છે તે અંગે પણ માહિત આપી છે.

LPG ગ્રાહકો માટે eKYC અંગે હવે કોઈ મૂંઝવણ રહેવાની નથી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ LPG ગ્રાહકો માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાયોમેટ્રિક આધાર આધારિત eKYC ફક્ત તેવા LPG ગ્રાહકો માટે જ જરૂરી છે જેમણે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. દરેક ગ્રાહકે આ પ્રક્રિયા કરવી જરૂરી નથી. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓથી લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી, જેને દૂર કરવા માટે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ કોઈ નવો નિયમ નથી. તાજેતરમાં કરવામાં આવેલી પોસ્ટ્સનો હેતુ માત્ર વધુ LPG ગ્રાહકોને eKYC પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે ગ્રાહકો પહેલેથી જ eKYC પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને ફરીથી તે કરવાની જરૂર નથી.

આ નિયમ ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે લાગુ પડે છે. મંત્રાલય મુજબ, PMUY ગ્રાહકોને વર્ષમાં ફક્ત એક જ વાર eKYC પૂર્ણ કરવાની જરૂર રહે છે. ખાસ કરીને 7 સિલિન્ડર ખરીદ્યા પછી, એટલે કે 8મી અને 9મી રિફિલ પર સબસિડી મેળવવા માટે eKYC જરૂરી બને છે.

સરકારે એ પણ જણાવ્યું છે કે eKYC પ્રક્રિયા સરળ છે અને તેને ઘરેથી જ મફતમાં પૂર્ણ કરી શકાય છે. LPG ડીલર પાસે જવાની જરૂર નથી. વધુમાં, આ પ્રક્રિયા LPG સપ્લાય પર કોઈ અસર કરતી નથી, એટલે કે સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલુ રહેશે.

સરકારના જણાવ્યા અનુસાર, આધાર આધારિત eKYCથી LPG સિસ્ટમમાં પારદર્શિતા વધે છે, યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચે છે, નકલી લાભાર્થીઓ દૂર થાય છે અને સિલિન્ડરના દુરુપયોગને રોકવામાં મદદ મળે છે. (All Photos - Getty Images)
કતારથી ગુજરાત આવેલા 46,000 મેટ્રિક ટન LPGથી કેટલા ગેસ સિલિન્ડર ભરાશે?
