AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા, પરિવારને આપી કાયદાની સમજ

Breaking News: મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા, પરિવારને આપી કાયદાની સમજ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2026 | 2:01 PM
Share

મહીસાગર જિલ્લામાં તંત્રની સતર્ક કામગીરીને કારણે ફરી એકવાર બે બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. કડાણા તાલુકામાં 13 અને 14 વર્ષની બે સગીર બાળકીના લગ્ન થવાના હતા, પરંતુ સમયસર મળેલી માહિતીના આધારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી લગ્ન રોકી દીધા.

મહીસાગર જિલ્લામાં તંત્રની સતર્ક કામગીરીને કારણે ફરી એકવાર બે બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. કડાણા તાલુકામાં 13 અને 14 વર્ષની બે સગીર બાળકીના લગ્ન થવાના હતા, પરંતુ સમયસર મળેલી માહિતીના આધારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી લગ્ન રોકી દીધા.

કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપી

માહિતી મુજબ, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારીની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાલીઓ સાથે વાતચીત કરી અને તેમને કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપી. અધિકારીઓએ બાળલગ્નના ગંભીર પરિણામો અને કાનૂની પગલાં વિશે પણ વાલીઓને ચેતવ્યા.

તંત્ર દ્વારા માત્ર લગ્ન અટકાવવામાં જ નહીં, પરંતુ પરિવારનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું, જેથી તેઓ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે. અંતે વાલીઓ પાસેથી લેખિતમાં બાંયધરી લેવામાં આવી કે તેઓ બાળકોના લગ્ન કાયદેસર ઉંમર પહેલાં નહીં કરે.

બાળલગ્ન સામે કડક કાયદો લાગુ

મહીસાગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કુલ 8 બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે, જે તંત્રની સક્રિયતા અને જાગૃતિ અભિયાનનું પરિણામ માનવામાં આવે છે. સરકાર દ્વારા બાળલગ્ન સામે કડક કાયદો લાગુ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં જાગૃતિ વધારવાની સાથે તંત્રની સમયસર કાર્યવાહીથી બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય છે.

Breaking News: જામનગરમાં વેરો ન ભરનાર સામે મનપાની લાલ આંખ, 450 નળ ક્નેક્શન કાપી નાખ્યા

g clip-path="url(#clip0_868_265)">