AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આવેલી મુકેશ અંબાણીની Reliance રિફાઇનરીમાં એક દિવસમાં કેટલો LPG ગેસ બનાવવાની ક્ષમતા છે ?

જામનગર રિફાઇનરી વિશ્વની સૌથી મોટી છે, જે ભારતીય ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. દરરોજ 1.4 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરીને, તે પેટ્રોલ, ડીઝલ અને ખાસ કરીને LPG જેવા આવશ્યક ઉત્પાદનો પૂરા પાડે છે.

| Updated on: Mar 17, 2026 | 6:58 PM
Share
જામનગર (ગુજરાત) ખાતે આવેલ Reliance Industries Limited ની રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે. આ રિફાઇનરીમાં દરરોજ આશરે 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે, જેના કારણે ભારતના ઊર્જા ક્ષેત્રમાં તેનો મહત્વનો ફાળો છે. અહીંથી પેટ્રોલ, ડીઝલ, ATF અને LPG જેવા અનેક પેટ્રોલિયમ ઉત્પાદનો બનાવવામાં આવે છે.

જામનગર (ગુજરાત) ખાતે આવેલ Reliance Industries Limited ની રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે. આ રિફાઇનરીમાં દરરોજ આશરે 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે, જેના કારણે ભારતના ઊર્જા ક્ષેત્રમાં તેનો મહત્વનો ફાળો છે. અહીંથી પેટ્રોલ, ડીઝલ, ATF અને LPG જેવા અનેક પેટ્રોલિયમ ઉત્પાદનો બનાવવામાં આવે છે.

1 / 5
LPG (Liquefied Petroleum Gas) એ આ રિફાઇનરીનું મહત્વનું ઉત્પાદન છે, જે ઘરેલું ગેસ સિલિન્ડર અને ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગમાં લેવાય છે. રિફાઇનિંગ પ્રક્રિયામાંથી સામાન્ય રીતે કુલ ક્રૂડમાંથી આશરે 3% થી 6% જેટલું LPG ઉત્પન્ન થાય છે. આ પ્રમાણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ઇન્ડસ્ટ્રી એવરેજ મુજબનું છે. જોકે આમાં ફેરફાર પણ હોય શકે છે.

LPG (Liquefied Petroleum Gas) એ આ રિફાઇનરીનું મહત્વનું ઉત્પાદન છે, જે ઘરેલું ગેસ સિલિન્ડર અને ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગમાં લેવાય છે. રિફાઇનિંગ પ્રક્રિયામાંથી સામાન્ય રીતે કુલ ક્રૂડમાંથી આશરે 3% થી 6% જેટલું LPG ઉત્પન્ન થાય છે. આ પ્રમાણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ઇન્ડસ્ટ્રી એવરેજ મુજબનું છે. જોકે આમાં ફેરફાર પણ હોય શકે છે.

2 / 5
આ આધારે જો જામનગર રિફાઇનરીના ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવે તો મીડિયા અહેવાલ અનુસાર દરરોજ લગભગ 42,000 થી 84,000 બેરલ LPG બનાવવામાં આવે છે. આ આંકડો માર્કેટની માંગ અને રિફાઇનરીની ઓપરેશનલ સ્ટ્રેટેજી મુજબ થોડો બદલાઈ શકે છે, કારણ કે કંપની સમયાંતરે LPGનું ઉત્પાદન વધઘટ કરતી રહે છે.

આ આધારે જો જામનગર રિફાઇનરીના ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવે તો મીડિયા અહેવાલ અનુસાર દરરોજ લગભગ 42,000 થી 84,000 બેરલ LPG બનાવવામાં આવે છે. આ આંકડો માર્કેટની માંગ અને રિફાઇનરીની ઓપરેશનલ સ્ટ્રેટેજી મુજબ થોડો બદલાઈ શકે છે, કારણ કે કંપની સમયાંતરે LPGનું ઉત્પાદન વધઘટ કરતી રહે છે.

3 / 5
મહિના મુજબ ગણતરી કરીએ તો જામનગર રિફાઇનરી દર મહિને આશરે 12 લાખ થી 25 લાખ બેરલ LPGનું ઉત્પાદન કરી શકે છે. જો તેને મેટ્રિક ટનમાં રૂપાંતર કરીએ તો આ લગભગ 2 લાખ થી 4 લાખ મેટ્રિક ટન LPG પ્રતિ મહિના જેટલું થાય છે, જે એક મોટો આંકડો માનવામાં આવે છે.

મહિના મુજબ ગણતરી કરીએ તો જામનગર રિફાઇનરી દર મહિને આશરે 12 લાખ થી 25 લાખ બેરલ LPGનું ઉત્પાદન કરી શકે છે. જો તેને મેટ્રિક ટનમાં રૂપાંતર કરીએ તો આ લગભગ 2 લાખ થી 4 લાખ મેટ્રિક ટન LPG પ્રતિ મહિના જેટલું થાય છે, જે એક મોટો આંકડો માનવામાં આવે છે.

4 / 5
આથી સ્પષ્ટ થાય છે કે જામનગર રિફાઇનરી માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક ઊર્જા બજારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. LPGના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને Reliance Industries Limited સતત તેના ઉત્પાદનને ઑપ્ટિમાઇઝ કરે છે, જેથી દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરી શકાય. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) 

આથી સ્પષ્ટ થાય છે કે જામનગર રિફાઇનરી માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક ઊર્જા બજારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. LPGના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને Reliance Industries Limited સતત તેના ઉત્પાદનને ઑપ્ટિમાઇઝ કરે છે, જેથી દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરી શકાય. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) 

5 / 5

LPG માટે KYC ની માથાકૂટ નહીં, જાણો A ટુ Z માહિતી

Follow Us
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">