AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નામના ધરાવે છે. આ પ્રતિમા બાદ બીજા ક્રમે 128 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 90 મીટર ઉંચી અમેરિકા સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ ન્યુયોર્કનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પાંચ વર્ષ એટલે કે 60 મહિના જેટલો સમય લાગ્યો હતો. વિશ્વની આ પહેલી ઊંચી પ્રતિમા છે, જે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની પણ તેના પર કોઈ અસર આવશે નહીં.

આ પ્રતિમા સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન કલાથી બનાવવામાં આવી છે. તેમાં ચાર ધાતુઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો સુધી તેને કાટ લાગશે નહીં. પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read More

Breaking News : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, 133.39 મીટરે પહોંચી સપાટી, હજુ પણ વધશે જળરાશિ

હાલમાં સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતાની સરખામણીએ 82.58 ટકા જળસ્તર ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 28 સેમી પાણી વધ્યું, 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ

સરદાર સરોવર ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 7,498.80 MCM નોંધાયું છે, જે કુલ ક્ષમતાના 79.27 ટકા જેટલું છે. રાજ્યમાં વરસાદ અને ઉપરવાસમાંથી મળી રહેલી પાણીની આવકને કારણે ડેમમાં જળસંગ્રહ સતત વધી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ- જુઓ Video

એકતા નગર ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝ લોન્ચ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે આ સેવા શરૂ કરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

નર્મદા: જંગલ સફારીમાં ગરમીથી બચવા 1500 વન્યજીવો માટે એસી, કુલર અને ખાસ ફ્રુટ પોપ્સિકલ્સની સુવિધા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી જંગલ સફારીમાં ઉનાળાની લૂ અને ગરમીથી વન્યજીવોને બચાવવા માટે તંત્ર સજ્જ થયું છે. 100 પ્રજાતિના 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓ માટે એસી, સ્પ્રિંકલર અને ખાસ ફ્રોઝન ફૂડ ડાયેટની અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે.

Breaking News : ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી ! જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ચાલી રહેલા મધ્ય પૂર્વના સંકટ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને આગામી એક વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને વિદેશમાં લગ્ન કરવાને બદલે ભારતના સુંદર સ્થળોની મુલાકાત લેવાની અપીલ કરી છે તેથી હવે તેમની આ વાતની અસર રાજ્યમાં જોવા મળી રહી છે.

Breaking News : “વિદેશમાં નહીં, દેશમાં લગ્ન કરો,” પીએમ મોદીએ ડેસ્ટિનેશન વેડિંગ્સ અંગે ખાસ અપીલ કરી, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેસ્ટિનેશન વેડિંગને લઈ દેશવાસીઓને અપીલ કરી છે કે, દેશમાં લગ્ન કરો. તેમણે કહ્યું કે, વિદેશમાં લગ્ન કરવાના ચલણથી દેશનો મોટાભાગના પૈસા બહાર જઈ રહ્યો છે.

Breaking News : સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જિલ્લામાં છે ત્યાં આમ આદમી પાર્ટીની મોટી જીત, જુઓ Video

નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. જિલ્લા પંચાયતમાં AAP 14 બેઠકો સાથે આગળ, ભાજપને 8 બેઠકો મળી.

Breaking News : ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો, ખેડૂતોને મળશે વધુ લાભ !

સરદાર સરોવરના ઉપરવાસમાંથી અંદાજે 45,884 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં હાઈડ્રો વીજ ઉત્પાદન કરવા માટે, ડેમોનુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે.

ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ, જુઓ Video

નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે.

Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો

તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ હતી. ભાઈઓ માટે 100 કિમી અને બહેનો માટે 60 કિમીની સાઈકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ બાળક સાથે કર્યો નિખાલસતા ભર્યો સંવાદ, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા. ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.તેમણે પોતાના પ્રવાસ દરમિયાન એક દિવ્યાંગ બાળકને પોતાન પાસે બોલાવીને બેસાડ્યો હતો, એટલુ જ નહીં તેની સાથે નિખાલસતાભર્યો સંવાદ પણ સાધ્યો હતો.

Sardar Patel Jayanti : એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર માટે સર્વોપરી હતો, કોંગ્રેસે સરદાર પટેલના વિઝનને ભૂલ્યુ – PM મોદી

સરદાર પટેલ અમર રહે…અમર રહે..ના નારાથી PM મોદીએ એકતાનગરમાં સંબોધનની શરુઆત કરી. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મૃતિ સિક્કા અને વિશેષ ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે.

Sardar Vallabhbhai Patel Jayanti : કેવડિયામાં એકતા પરેડનો શંખનાદ ! PM મોદીએ લોકોને અખંડિતતાની લેવડાવી શપથ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં છે.

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
g clip-path="url(#clip0_868_265)">