AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નામના ધરાવે છે. આ પ્રતિમા બાદ બીજા ક્રમે 128 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 90 મીટર ઉંચી અમેરિકા સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ ન્યુયોર્કનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પાંચ વર્ષ એટલે કે 60 મહિના જેટલો સમય લાગ્યો હતો. વિશ્વની આ પહેલી ઊંચી પ્રતિમા છે, જે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની પણ તેના પર કોઈ અસર આવશે નહીં.

આ પ્રતિમા સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન કલાથી બનાવવામાં આવી છે. તેમાં ચાર ધાતુઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો સુધી તેને કાટ લાગશે નહીં. પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read More

Travel Tips : ચોમાસામાં બાળકોને ફરવા લઈ જવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ અદ્ભુત છે. તમે ગુજરાતના આ ફરવા લાયક અદ્ભુત સ્થળો જોઈને તમે દિવાના થઈ શકો છો.ચોમાસામાં બાળકો માટે ફરવા માટે બેસ્ટ સ્થળો વિશે જાણીએ.

Narmada : SOU સામે ગેરકાયદેસર રીતે બનેલી 34 દુકાન તોડી પડાઈ, પોલીસે 10 લોકોની કરી અટકાયત, જુઓ Video

ગુજરાતના નર્મદામાં SOU સામે આવેલી ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા વાગડીયા ચેક પોસ્ટ ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો છે. ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. હોબાળો કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ પાસે મોબાઈલ ટાવર પર ચઢી સરકાર વિરુદ્ધ આક્રોશ, જુઓ Video

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલા ગોરા ગામ પાસે ત્રણ વ્યક્તિઓએ મોબાઈલ ટાવર પર ચઢીને સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Travel Tips : ગુજરાતમાં બાળકોને વેકેશનમાં ફરવા લઈ જવા માટે બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં પોરબંદર, ગાંધીનગર, સોમનાથ મંદિર, કચ્છ, દ્વારકા મંદિર, વડોદરા અને અક્ષરધામ મંદિરનો સમાવેશ થાય છે. ગુજરાતને એશિયાઈ સિંહોનું ઘર કહેવામાં આવે છે. તો આજે આપણે વેકેશનમાં બાળકોને ફરવા માટે લઈ જવા માટે બેસ્ટ સ્થળો છે.

Travel tips : દિલ તો બચ્ચા હૈ જી, ઉનાળાના વેકેશનમાં બાળકોને ફરવા માટે આ સ્થળે લઈ જાવ

ઉનાળાના વેકેશનમાં મોટાભાગના બાળકો મોબાઈલ અને કોમ્પયુટર પર પોતાનો સમય વધારે પસંદ કરે છે.પરંતુ કેટલાક એવા સ્થળો છે. જ્યાં તમે ઉનાળામાં બાળકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. બાળકોને આ સ્થળ ખુબ મજા પણ આવશે.

Travel with tv9 : વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ, ગુજરાતનું આ સ્થળ છે સૌથી સુરક્ષિત

દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.

Travel tips : વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, ઓછા બજેટમાં ટ્રિપ યાદગાર બનાવો

જો તમે પણ વર્લ્ડ વુમન્સ ડે પર કોઈ ખાસ પ્લાન કરવા માંગો છો. તો તમે તમારી ફ્રેન્ડ સાથે ગુજરાતમાં કેટલીક એવી સુંદર જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે વર્લ્ડ વુમન્સ ડે પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળો મહિલા માટે પરફેક્ટ છે.

અમદાવાદમાં 11 થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે

ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

દિવાળીની રજાઓમાં દેશ-વિદેશના 61.70 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો

દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે.દિવાળીની રજાઓમાં દેશ-વિદેશના 61.70 લાખથી વધુ, પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો છે.

Travel Tips : ન્યુયર સેલિબ્રેટ કરવા માટે પહોંચી જાવ ગુજરાતના આ સ્થળે, દર વર્ષે લાખો પ્રવાસી આ સ્થળની લે છે મુલાકાત

નવા વર્ષનું સ્વાગત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં જશ્નનો માહોલ હોય છે. મોટા શહેરોમાં તો લોકો પાર્ટીઓ, ડાન્સ અને આતાશબાજી કરતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, ગુજરાતમાં આ સ્થળે પરિવાર સાથે ન્યુયર સેલિબ્રેટ કરી શકો છે.

31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અતિવૃષ્ટિના સર્વેથી વંચિત રહેલ ખેડૂતો 11 નવેમ્બર પહેલા અરજી કરી શકશેઃ કૃષિપ્રધાન રાઘવજી

News Update : આજે 31 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

દિવાળી પહેલા PMની સોગાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રૂ.284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસથી રૂપિયા 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે, કરોડોની આપશે ભેટ

પીએમ મોદી દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. બે દિવસ પહેલા પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં હતા.  પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતુ. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી.

Rashtriya Ekta Diwas 2024 : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદી રૂ. 284 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનુ કરશે લોકાર્પણ-શિલાન્યાસ

આગામી 31 ઓક્ટોબરે પ્રકાશના મહાપર્વ એવા દિવાળી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો પાવન સંયોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરને વિવિધ વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપીને આ અવસરને યાદગાર બનાવશે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને રૂ. 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

WeddingTips : તમે પણ ગુજરાતમાં જ ડેસ્ટિનેશન વેડિંગનું સપનું પૂર્ણ કરી શકો છો, આ સ્થળે આવશે રોયલ ફીલિંગ

થોડા સમય બાદ લગ્નની સિઝન શરુ થશે. ત્યારે દરેક લોકોનું સપનું હોય છે કે, તે કોઈ ખાસ સ્થળ પર લગ્નના બંધનમાં બંધાય, જેનાથી આ દિવસ તેમના માટે જીંદગીભર યાદ રહે, લોકો હવે ડેસ્ટિનેશન વેડિંગને વધુ મહત્વ આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">