સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નામના ધરાવે છે. આ પ્રતિમા બાદ બીજા ક્રમે 128 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 90 મીટર ઉંચી અમેરિકા સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ ન્યુયોર્કનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પાંચ વર્ષ એટલે કે 60 મહિના જેટલો સમય લાગ્યો હતો. વિશ્વની આ પહેલી ઊંચી પ્રતિમા છે, જે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની પણ તેના પર કોઈ અસર આવશે નહીં.

આ પ્રતિમા સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન કલાથી બનાવવામાં આવી છે. તેમાં ચાર ધાતુઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો સુધી તેને કાટ લાગશે નહીં. પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read More

IRCTC Tour Package : બાળકોને લઈ જાવ ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા જોવા, આ સ્થળેથી ઉપડશે ટ્રેન

પ્રવાસીઓ માટે એવી કોઈ સિઝન બાકી રહી નથી. જેમાં પ્રવાસીઓ ફરવા ન જાય ઉનાળો હોય કે શિયાળી કે પછી વરસાદ કેમ ન હોય, લોકો બેગ પેક કરી પરિવાર સાથે ફરવા નીકળી જાય છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છીએ આઈઆરસીટીસીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું ટુર પેકેજ.

ગુજરાતમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

ગુજરાતમાં આગામી સમયમાં પ્રવાસી ક્ષેત્રે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે ક્રુઝ સેવા શરુ કરવામાં આવશે. જેના પગલે મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર સાથે કરાર થયા છે.

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ ડાયરેક્ટરે બનાવી ડોક્યુમેન્ટ્રી, અક્ષય કુમાર કરશે પ્રેઝેન્ટ, જાણો ક્યારે થશે પ્રીમિયર?

સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમની યાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બનાવ્યું છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. હવે ડાયરેક્ટર આનંદ એલ રાય આ અંગે એક ડોક્યુમેન્ટ્રી લઈને આવી રહ્યા છે જે અક્ષય કુમાર પ્રેઝેન્ટ કરશે.

બિલ ગેટ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, એકતાનગર હેલિપેડ ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત

બિલ ગેટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એકતાનગર હેલિપેડ ખાતે પહોંચતા તેમનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ બિલ ગેટ્સે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઇન્જીનીયરિંગ વર્ક અદ્ભૂત છે.

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">