સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નામના ધરાવે છે. આ પ્રતિમા બાદ બીજા ક્રમે 128 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 90 મીટર ઉંચી અમેરિકા સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ ન્યુયોર્કનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પાંચ વર્ષ એટલે કે 60 મહિના જેટલો સમય લાગ્યો હતો. વિશ્વની આ પહેલી ઊંચી પ્રતિમા છે, જે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની પણ તેના પર કોઈ અસર આવશે નહીં.
આ પ્રતિમા સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન કલાથી બનાવવામાં આવી છે. તેમાં ચાર ધાતુઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો સુધી તેને કાટ લાગશે નહીં. પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ હતી. ભાઈઓ માટે 100 કિમી અને બહેનો માટે 60 કિમીની સાઈકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Nov 17, 2025
- 6:37 pm
CM ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ બાળક સાથે કર્યો નિખાલસતા ભર્યો સંવાદ, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા. ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.તેમણે પોતાના પ્રવાસ દરમિયાન એક દિવ્યાંગ બાળકને પોતાન પાસે બોલાવીને બેસાડ્યો હતો, એટલુ જ નહીં તેની સાથે નિખાલસતાભર્યો સંવાદ પણ સાધ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 3, 2025
- 11:13 am
Sardar Patel Jayanti : એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર માટે સર્વોપરી હતો, કોંગ્રેસે સરદાર પટેલના વિઝનને ભૂલ્યુ – PM મોદી
સરદાર પટેલ અમર રહે…અમર રહે..ના નારાથી PM મોદીએ એકતાનગરમાં સંબોધનની શરુઆત કરી. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મૃતિ સિક્કા અને વિશેષ ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 10:39 am
Sardar Vallabhbhai Patel Jayanti : કેવડિયામાં એકતા પરેડનો શંખનાદ ! PM મોદીએ લોકોને અખંડિતતાની લેવડાવી શપથ
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 9:39 am
એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની માફક ટેબ્લો અને સશસ્ત્ર દળોની પરેડ યોજાશે
આ વર્ષે 31 ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે. આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર યોજાનારી સશસ્ત્ર દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવશે.
- TV9 Gujarati
- Updated on: Oct 30, 2025
- 7:36 pm
Travel Tips : બાળકોને લઈ Statue of Unity ફરવાનો પ્લાન બનાવો, જાણો કેવી રીતે પહોંચશો
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો તમે આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ વાત જાણી લો
- Nirupa Duva
- Updated on: Oct 31, 2025
- 10:24 am
PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે ! સરદાર પટેલની 150મી જન્મજ્યંતીની એકતા પરેડમાં રહેશે હાજર, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ, જુઓ Video
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એકતાનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ એકતા પરેડમાં હાજરી આપશે.
- TV9 Gujarati
- Updated on: Oct 30, 2025
- 12:52 pm
ગંગાસિહ રસાલા તરીકે ઓળખ પામેલ બીએસએફના 52 જેસલમેરી અને બિકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ
એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ, હવે કેવડિયા ખાતેની એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 9:38 pm
18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવાર
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Oct 31, 2025
- 9:22 am
સરદાર સરોવર નર્મદા ડેમ છઠ્ઠીવાર છલકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા, જુઓ વીડિયો
આજે નવમા નોરતાના દિવસે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરેથી છલકાયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નર્મદાના નીરના વધામણા કર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Oct 1, 2025
- 7:01 pm
Travel Tips : ઓછા બજેટમાં વીકએન્ડ માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, બનાવી લો ફરવાનો પ્લાન
સતત ઓફિસમાં બેસી કામ કરીને થાકી ગયા છે. તો આ સમયે સ્ટ્રેસ ફ્રી થવાની ખુબ જરુર પડે છે. તો આજે અમે તમને કેટલાક ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું. જ્યાં તમે પરિવાર સાથે કે પત્નીને લઈ વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Aug 18, 2025
- 3:27 pm
Travel Tips : ફ્રેન્ડશીપ ડે પર મિત્રોને ગુજરાતના આ સુંદર સ્થળ પર લઈ જાવ, ફ્રેન્ડ પણ સુંદર સ્થળ જોઈ કહેશે ‘Thank You’ મિત્ર
દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે.તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જેથી આ દિવસને વધુ ખાસ બનાવી શકાય. ચાલો જાણીએ કે મિત્રો સાથે ફરવા માટે ગુજરાતના કયા શ્રેષ્ઠ સ્થળો છે.
- Nirupa Duva
- Updated on: Jul 31, 2025
- 4:49 pm
Travel Tips : ગુજરાતમાં આવેલું આ સ્થળ તમને Jurassic Parkનો અનુભવ કરાવશે, બાળકોને જરુર લઈ જાવ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું ડીનો ટ્રેઈલ સ્થળ તમને જુરાસિકા પાર્કની ફિલ્મની યાદ અપાવશે. અહી ડાયનાસોરના અવશેષોના સંરક્ષણ વિશે પ્રવાસીઓને જણાવવામાં આવે છે. તો ચાલો બાળકોને લઈ બનાવી લો આ સુંદર સ્થળે ફરવાનો પ્લાન.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2025
- 12:58 pm
Travel Tips : ચોમાસામાં બાળકોને ફરવા લઈ જવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો
ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ અદ્ભુત છે. તમે ગુજરાતના આ ફરવા લાયક અદ્ભુત સ્થળો જોઈને તમે દિવાના થઈ શકો છો.ચોમાસામાં બાળકો માટે ફરવા માટે બેસ્ટ સ્થળો વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 13, 2025
- 12:03 pm
Narmada : SOU સામે ગેરકાયદેસર રીતે બનેલી 34 દુકાન તોડી પડાઈ, પોલીસે 10 લોકોની કરી અટકાયત, જુઓ Video
ગુજરાતના નર્મદામાં SOU સામે આવેલી ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા વાગડીયા ચેક પોસ્ટ ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો છે. ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. હોબાળો કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે.
- TV9 Gujarati
- Updated on: May 14, 2025
- 1:23 pm