AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટના લૂંટારૂઓની ધરપકડ, આ મજબૂત કડી દ્વારા પોલીસને મળ્યુ આરોપીઓનુ પગેરુ

અમદાવાદના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટને અંજામ આપ્યા બાદ પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી અને આરોપીઓ કઈ પ્રકારે, ક્યાં નાસી ગયા હતા. જોઈએ લૂંટ પાછળની અસલી કહાની.

અમદાવાદમાં જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટના લૂંટારૂઓની ધરપકડ, આ મજબૂત કડી દ્વારા પોલીસને મળ્યુ આરોપીઓનુ પગેરુ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 17, 2025 | 2:01 PM

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 2જી જાન્યુઆરીના બપોરના સમયે કનકપુરા જ્વેલર્સમાં ચાર અજાણ્યા લોકો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ચારેય અજાણ્યા લોકો હેલ્મેટ તથા રૂમાલ બાંધીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને પિસ્તોલ બતાવી જવેલર્સમાં રહેલા બે વ્યક્તિઓને ઓફિસમાં બેસાડી દઈ તેમના હાથ પગ બાંધી દુકાનમાં રહેલા સોના ચાંદીના 73 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા બોપલ પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા જે વિસ્તારમાં આરોપીઓ લૂંટ કરીને ભાગ્યા હતા તે વિસ્તારના તમામ કન્સ્ટ્રક્શન સાઇડ પર મજૂરોની તપાસ શરૂ કરી હતી તેમજ બોપલ વિસ્તારમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડની પણ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે વિસ્તારમાં અવર-જવર કરતા 2000થી વધુ બાઈકની માહિતી મેળવી હતી અને આસપાસના 300 જેટલા સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા હતા. આ તમામ માહિતીઓને આધારે લૂંટમાં સંડાવાયેલા ચારેય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને આ તમામ આરોપી ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવતા પોલીસની અલગ અલગ ટીમો ઉત્તરપ્રદેશ ખાતે રવાના થઈ હતી.

જ્યાં ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદ, હાપુર, ફરૂખાબાદ, અલીગઢ, નોઈડા વગેરે અલગ અલગ વિસ્તારમાં લૂંટમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી જેમાંથી અમદાવાદની લૂંટમાં અંજામ આપનાર ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા હતા.

વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે જિયો હોમ, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?
ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?
આ સાઈન દેખાય તો સમજો કે તમારો મોબાઇલ હેક થઈ ગયો છે, તો આ સેટિંગ્સ પર ધ્યાન આપો

પોલીસ દ્વારા ચારે આરોપીઓની પૂછપરછ તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચારે આરોપીઓમાંથી બીરેન્દ્રકુમાર જે એરટેલ ટાવરમાં નોકરી કરતો હતો અને અમદાવાદ આવતો જતો હતો, તેથી તેને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. આરોપી બીરેન્દ્રકુમાર દ્વારા અન્ય આરોપી જાવેદ ઉર્ફે પતરીને સાથે રાખી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના ઓળખીતા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોને સાથે રાખી બોપલ તેમજ સરખેજ વિસ્તારમાં સોના ચાંદીની દુકાનોમાં રેકી કરાવવામાં આવી હતી.

અગાઉ બોપલબ્રિજ આસપાસ જ્વેલર્સની દુકાનની રેકી પણ કરી હતી પરંતુ ત્યાં ભીડભાળવાળો વિસ્તાર હોવાથી આખરે આરોપીઓએ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. કનકપુરા જ્વેલર્સની આસપાસ ખુલ્લી જગ્યા હતી અને તેની સામેથી એક રોડ પસાર થતો હતો, જેથી લૂંટ કર્યા બાદ સરળતાથી ભાગી શકાય એટલા માટે કનકપુરા જ્વેલર્સ લૂંટ કરવા માટે પસંદ કર્યું હતું.

કનકપુરા જ્વેલર્સને ટાર્ગેટ કરી સતત તેની રેકી કરવામાં આવતી હતી અને લૂંટનો પ્લાન બનાવી આરોપી બીરેન્દ્રકુમાર તથા જાવેદ ઉર્ફે પતરી ઉત્તરપ્રદેશથી બે તમંચા અને એક પિસ્ટન લઈ અમદાવાદ આવ્યા હતા. જોકે લૂંટમાં વધારે વ્યક્તિઓની જરૂર હોવાથી તેમના ઓળખીતાઓ અમરસિંહ અને જોતસિંગને લૂંટમાં સામેલ કર્યા હતા. અમરસિંહ અને જોતસિંગ બોપલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ચારે આરોપીઓએ મળી લૂંટને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાવેદ ઉર્ફે પત્રી ચારેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ધોલાના પોલીસ સ્ટેશનમાં અને અઢી વર્ષ પહેલા બુલંદશહેર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં આવેલો છે, તેમજ આરોપી બીરેન્દ્રકુમાર વર્ષ 2007 માં ઉત્તરપ્રદેશમાં કબીરનગર ખાતે લૂંટના ગુનામાં પકડાયેલો છે. આરોપી જાવેને લૂંટના ગુનામાં પગના ભાગે ગોળી પણ વાગી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ લૂંટને અંજામ આપવા ઉત્તરપ્રદેશથી બાઈક લઈને અમદાવાદ આવ્યા હતા તેમજ લૂંટ કર્યા બાદ ઉત્તર પ્રદેશ સુધી બાઈકમાં નાસી ગયા હતા. જોકે હાલ તો પોલીસ ચારેય આરોપીઓને પૂછપરછ શરૂ કરી છે અને લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા માટે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ જ્યાં જ્યાં રોકાયા હતા ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને બોપલ સિવાય અન્ય કોઈ લુટ ના કેસમાં આરોપીઓ સામેલ છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">