AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી

ચૂંટણી

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. ભારતમાં સ્થાનિક મંડળથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના પદ માટે ચૂંટણી યોજાય છે. ભારતમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી બંધારણ દ્વારા રચાયેલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. જ્યારે રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવામાં આવે છે.

ગુજરાતમાં કાયદા દ્વારા સ્થાપિત સંસ્થામાં પણ ચૂંટણી યોજવામાં આવે છે. જેના માટે સંસ્થા જ કોઈ એક વ્યક્તિને ચૂંટણી કરાવવા માટે નિમંણૂક કરે છે. જે તે સંસ્થાના સભ્યો કે નોંધાયેલા મતદારો તે ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતી ચૂંટણી બેલેટ પેપરને બદલે ઈવીએમ દ્વારા યોજવામાં આવે છે. જો કે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાની ચૂંટણી પ્રેફરન્સ મત દ્વારા યોજાતી હોવાથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે.

Read More

ગઈકાલ 12મી મે એ, BJPના હિંમતાએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા, આજે 13મી મે એ કોંગ્રેસના પવન ખેરા સામે કાર્યવાહી શરૂ

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પવન ખેરા આજે બુધવારને 13મી મેના રોજ, આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. ખેરાએ હિંમતા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા દ્વારા દાખલ કરાયેલા કેસ સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ : અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હી હાઈકમાન્ડનું તેડું

વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15માંથી એક પણ મહાનગરપાલિકા ન જીતી શકનાર ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ શરમજનક પરાજયની સમીક્ષા કરવા અને હારનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી બોલાવવામાં આવેલા પ્રદેશ નેતાઓના પત્તાં કપાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 ધારાસભ્યે પણ લીધા શપથ, 59 વર્ષમાં પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં

આજથી તમિલનાડુમાં 'વિજય' રાજનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટીવીકે ચીફ સી. જોસેફ વિજયે, તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 9 ધારાસભ્યોએ પણ પ્રધાન તરીકે શપથ લીધા. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-DMK અથવા AIADMK સરકાર રચાઈ છે.

બંગાળમાં અમિત શાહનું એલાન! ઘૂસણખોરી ભૂતકાળ બનશે અને ‘સોનાર બાંગ્લા’નું સપનું થશે ‘સાકાર’

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના વિકાસ અને સુરક્ષા માટે એક નવી આશા જગાવી છે. તેમણે જણાવ્યું કે, 'સોનાર બાંગ્લા' એટલે કે સુવર્ણ બંગાળનું જે સપનું આપણે જોયું છે, તે હવે ટૂંક સમયમાં સાકાર થશે.

દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો

રામાયણના કાળથી ચાલ્યુ આવે છે કે રાજનીતિમાં કોઈ વિભીષણના કારણે રાવણે સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદે હોય કે અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંતા બિસ્વા સરમા અને હવે બંગાળમાં મમતા બેનર્જી સાથે TMC માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી હોય. કહેવાય છે કે કોઈ મજબુત મજબુત કિલ્લાને તોડવા માટે બહારના શત્રુ કરતા અંદરનો હિતશત્રુ વધુ જોખમી હોય છે. અને ભાજપે મમતાની સત્તાનો કિલ્લો ધ્વસ્ત કર્યો તેમા સૌથી મોટો રોલ શુભેન્દુ અધિકારીનો રહ્યો છે.  મમતા સરકારમાં કેબિનેટ મંત્રી સુદ્ધા રહેલા, સૌથી વધુ વિભાગો જેમની પાસે હતા એ શુભેન્દુનો આખરે મમતાથી મોહભંગ શા માટે થયો. તેની પાછળ કયા કારણો રહ્યા હતા. વાંચો વિગતવાર..

Breaking News : ભૂતપૂર્વ ક્રિકેટરે મમતા બેનર્જીની પાર્ટી પર ખંડણીનો આરોપ લગાવ્યો, TMCને કહ્યું- ટાટા.. બાય બાય..

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ટીએમસી છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી લડવા માટે તેમની પાસે 5 કરોડ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. તેમજ અનેક ખુલાસા કર્યા છે.

Breaking News: હાઇકોર્ટમાં વિવાદ વચ્ચે સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈના પ્રથમ સપ્તાહમાં જામશે રસાકસીનો જંગ! Watch Video

SUMUL Dairyમાં લાંબા સમયથી ચાલી રહેલા ચૂંટણી વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરતની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેના કારણે હવે ચૂંટણીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે.

કાનુની સવાલ : જો મમતા બેનર્જી રાજીનામું ના આપે તો ? કાયદો શું કહે છે તે જાણો

મમતા બેનર્જીએ કહ્યું, "આગામી દિવસોમાં (I.N.D.I.A.Indian National Developmental Inclusive Alliance) વધુ મજબૂત બનશે. બધા નેતાઓ એક પછી એક મળશે અને અમે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવીશું."મમતા બેનર્જી રાજીનામું ન આપે તો? કાયદો શું કહે છે જાણો

Breaking News : ‘ઝાલમુરી પછી, મક્કે કી રોટી સરસો દા સાગ’, બંગાળ પછી મિશન પંજાબ

'ઝાલમુરી પછી, મકાઈની રોટલી અને સરસવના સાગ' પશ્ચિમ બંગાળની મોટી જીત પછી ભાજપની નજર પંજાબ પર છે. ઝાલમુરીને ભાજપને રાષ્ટ્રીય ઓળખ અપાવી છે.

MLA Accommodation : ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને કેટલા દિવસ પછી ઘર મળે છે?

4 મે 2026ના દિવસે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવેલા. તેમાં સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો પર જીતી મેળવી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી છે.

Breaking News : તમિલનાડુમાં ‘વિજય’ તિલક પહેલા, TVKએ 108 ધારાસભ્યોને હોટલમાં રાખ્યા

તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી બનેલી TVK બની છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં TVK 108 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બની છે. પરંતુ બહુમતના આંકડાથી 118 દુર છે. આ પહેલા તમિલનાડુમાં રિસોર્ટ રાજકારણ શરુ થયું છે.

Vijay Breaking News: તમિલનાડુમાં TVKને કોંગ્રેસનો ટેકો મળવાથી વિજય CM બની જશે? જાણો શું છે સમગ્ર રાજકીય સમીકરણ

તમિલનાડુમાં વિજયની TVK સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ બહુમતીથી દૂર છે. હવે કોંગ્રેસનો નિર્ણય સરકાર રચનામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

  • Nishat
  • Updated on: May 6, 2026
  • 8:38 am

Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’

પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો જીતી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો પર જીત મેળવી છે. બંગાળ ચૂંટણી પરિણામો બાદ હિંસાના બનાવો નોંધાયા છે. મંગળવારે, 5મી મે 2026ના રોજ કોલકાતાના હોગ માર્કેટમાં TMCનું ઓફિસને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

હિમંતા બિસ્વા સરમાએ હિંમતથી કહ્યું- બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય

આસામ વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું, વિજયની હેટ્રિક હાંસલ કરી. હિમંતા બિસ્વા શર્માએ આ જીત માટે પવન ખેરાને શ્રેય આપ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ બાંગ્લાદેશી મુસ્લિમોના મત માંગતા નથી. વધુમાં, સરમાએ કહ્યું બંગાળમાં ભાજપની શાનદાર જીત એ "રાષ્ટ્રનો વિજય" છે.

કારમી હાર બાદ મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો કર્યો ઈનકાર- જાણો હવે રાજ્યપાલ પાસે શું રહેશે વિકલ્પ?

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કરારી હાર બાદ નૈતિક રીતે હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. જેના રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે મમતાએ કહ્યુ કે રાજીનામુ આપવાનો સવાલ જ નથી ઉદ્દભવતો, તેમણે કહ્યુ કે તેઓ હવે રાજભવન નહીં જાય. તો આવો જાણીએ કે હાર બાદ કોઈ CM રાજીનામુ આપવાનો ઈનકાર કરે તો રાજ્યપાલ પાસે શું વિકલ્પ રહે છે.

ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">