AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી

ચૂંટણી

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. ભારતમાં સ્થાનિક મંડળથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના પદ માટે ચૂંટણી યોજાય છે. ભારતમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી બંધારણ દ્વારા રચાયેલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. જ્યારે રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવામાં આવે છે.

ગુજરાતમાં કાયદા દ્વારા સ્થાપિત સંસ્થામાં પણ ચૂંટણી યોજવામાં આવે છે. જેના માટે સંસ્થા જ કોઈ એક વ્યક્તિને ચૂંટણી કરાવવા માટે નિમંણૂક કરે છે. જે તે સંસ્થાના સભ્યો કે નોંધાયેલા મતદારો તે ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતી ચૂંટણી બેલેટ પેપરને બદલે ઈવીએમ દ્વારા યોજવામાં આવે છે. જો કે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાની ચૂંટણી પ્રેફરન્સ મત દ્વારા યોજાતી હોવાથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે.

Read More

BMC Election Breaking News : મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીના મેદાને 21–22 વર્ષના Gen-Z યુવાન ઉમેદવારો

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં 21 અને 22 વર્ષના યુવા ઉમેદવારોને ટિકિટ આપીને રાજકીય પક્ષોએ યુવા રાજકારણને આગળ ધપાવ્યું છે. BMC અને વસઈ-વિરારમાં ઉતરેલા આ ઉમેદવારો ઇતિહાસ રચશે કે નહીં તે જનતાના નિર્ણય પર નિર્ભર રહેશે.

BMC Election Breaking News: રાજ ઠાકરેએ અન્નામલાઈને કહ્યું કે રસમલાઈ મુંબઈ આવ્યું, સંજય રાઉતે કીડો કહી સંબોધ્યું

ભાજપના નેતા કે. અન્નામલાઈ અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની છે. સંજય રાઉતે તેમને "કીડો" કહ્યા, જ્યારે રાજ ઠાકરેએ તેમને "રસમલાઈ" કહ્યા, મહારાષ્ટ્ર સંબંધિત બાબતો પર બોલવાના તેમના અધિકાર પર સવાલ ઉઠાવ્યા. જવાબમાં અન્નામલાઈએ શું કહ્યું?

BMC Election Breaking News: ભાજપ માટે ચિંતા! શિવસેના શિંદે જૂથ અને અજિતદાદા જૂથ લઈ શકે છે મોટું પગલું

મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા જ, મહારાષ્ટ્રના રાજકીય બેડામાંથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, અજિત પવાર જૂથ અને શિવસેનાના શિંદે જૂથે ભાજપને મોટો ફટકો આપ્યો છે. એક મોટો રાજકીય વળાંક આવી રહ્યો હોય તેવું લાગે છે.

BMC Election Breaking news : રાજ ઠાકરેએ ખેલ્યું ભાષા-પ્રાંતવાદનુ કાર્ડ, કહ્યું- મુંબઈને ગુજરાત સાથે જોડવાનું કાવતરું

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ( મનસે) સુપ્રીમો રાજ ઠાકરેએ, BMC ચૂંટણીમાં મતદારોનુ ધ્રુવીકરણ સર્જવા માટે, તેમના જૂના અને જાણીતા ભાષા-પ્રાંત વાદનુ કાર્ડ મતદારોની વચ્ચે ફેક્યું છે. મનસેના વડા રાજ ઠાકરેએ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર કરતા કહ્યું કે, ઘણાબધા રૂપિયા ફેંકવામાં આવી રહ્યાં છે. મુંબઈને ગુજરાત સાથે જોડવાનું ભાજપનું કાવતરુ છે. આના માટે પહેલા પાલઘરને કબજે કરવામાં આવશે તેવો સનસનાટી મચાવતો આક્ષેપ કર્યો હતો.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે એવો દાવો કર્યો – જુઓ Video

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, વર્ષ 2027 માં રાજ્યમાં સત્તા પરિવર્તન થશે અને તેમની સરકાર બનશે. ચૈતર વસાવાએ આકરા અંદાજમાં જણાવ્યું કે, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

Breaking News : ચૂંટણી કમિશનર સામે કેસ ના કરી શકવાના અધિકારને પડકારાયો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર- ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે, ચૂંટણી કમિશનર સામેની ન્યાયીક કાર્યવાહીથી આજીવન મુક્તિ આપતા કાયદાની માન્યતા ચકાસવા માટેની સંમતિ આપી છે. વર્ષ 2023 માં પસાર થયેલો આ કાયદો, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને તેમની સત્તાવાર કાર્યવાહી માટે ન્યાયીક કાર્યવાહી કાર્યવાહી સામે રક્ષણ આપે છે.

ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી

ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપને પશ્ચિમ બંગાળમાં મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયાં કયાં મુદ્દાઓ હાવી રહેશે તેનો પણ આછેરો ઉલ્લેખ કર્યો હતો.

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ, જાણો કોણે મારી બાજી, અહીં જુઓ પરિણામો

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતની ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે આજે આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર બધાની નજર છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ અને શિવસેના ઠાકરે, કોંગ્રેસ, શરદ પવારની એનસીપીથી બનેલ મહા વિકાસ આઘાડી વચ્ચે સીધી સ્પર્ધા છે, પરંતુ ગઠબંધનમાં મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓ અને અનોખા જોડાણોએ આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

SIRની કામગીરી બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદાર નોંધાયા, ડ્રાફ્ટ મતદારયાદીમાં 73.73 લાખ મતદારના નામ કમી કરાયા

ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ, ગુજરાત રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ગુજરાતની ડ્રાફ્ટ મતદારયાદી 19 ડિસેમ્બરે થશે જાહેર, નામ ના હોય તો કેવી રીતે મતદારયાદીમાં દાખલ કરાવશો ?

ગુજરાતના 18 લાખથી વધુ મતદારો મૃત્યુ પામેલા હતા છતા તેમના નામ મતદારયાદીમાં સામેલ જણાયા હતા. જ્યારે 40 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામેથી કાયમી સ્થળાંતર કર્યું હોવાનું સામે આવ્યું છે.

SIRની સમયમર્યાદા 7 દિવસ લંબાવી, હવે ભરેલા ફોર્મ 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે

ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. SIR ફોર્મ હવે 4 ડિસેમ્બરને બદલે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે. જો કે, અંતિમ મતદાર યાદી, આગામી 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

How To File SIR Online: BLO ન આવે તો પણ ચિંતા નહીં : ECI વેબસાઇટ પર ઘરે બેઠા ભરો SIR ગણતરી ફોર્મ, જાણો સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા!

જો તમારા વિસ્તારના BLO તમારું SIR ગણતરી ફોર્મ લેવા માટે ઘરે ન આવ્યા હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પગલું ભર્યું છે. જેમાં હવે તમારે લાઇનમાં ઊભા રહેવાની જરુર નથી. તો ચાલો જાણીએ કે તમારું ગણતરી ફોર્મ ઓનલાઈન કેવી રીતે સબમિટ કરવું અને આ પ્રક્રિયામાં કયા દસ્તાવેજોની જરૂર પડશે.

પહેલા પોતાની પાર્ટી બનાવી, હવે પત્નીને ચૂંટણીના મેદાનમાં ઉતારી, આવો છે ઉપેન્દ્ર કુશવાહનો પરિવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 122 બેઠકો પર 1,302 ઉમેદવારોનું ભાવિ દાવ પર હતુ. આ સિવાય એવા ચેહરા પણ છે જેઓ ચૂંટણીના મેદાનમાં ન હોવા છતાં, પરંતુ તેની સાચી પરિક્ષા તેની છે.

લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો ન ઘરનો રહ્યો ન ઘાટનો, જાણો કેમ ?

તેજ પ્રતાપને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને તેમના પરિવારમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે જનશક્તિ જનતા દળની સ્થાપના કરી હતી. તેમણે બિહારમાં 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી મોટાભાગે RJDના યાદવ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોને પડકારવા માટે હતા.

તેજસ્વી નિષ્ફળ સાબિત થયા, જયચંદને કારણે RJD હારી, મોદી વિશ્વના મોટા નેતા : તેજપ્રતાપ યાદવ

આરજેડીની શરમજનક હાર પર કટાક્ષ કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું, "આ જયચંદની કારમી હાર છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે, આ ચૂંટણી પછી બિહારમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે, અને આજે કહેવાની જરૂર નથી કે તે સ્પષ્ટ થઈ ગયું છે !

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">