AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી

ચૂંટણી

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. ભારતમાં સ્થાનિક મંડળથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના પદ માટે ચૂંટણી યોજાય છે. ભારતમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી બંધારણ દ્વારા રચાયેલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. જ્યારે રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવામાં આવે છે.

ગુજરાતમાં કાયદા દ્વારા સ્થાપિત સંસ્થામાં પણ ચૂંટણી યોજવામાં આવે છે. જેના માટે સંસ્થા જ કોઈ એક વ્યક્તિને ચૂંટણી કરાવવા માટે નિમંણૂક કરે છે. જે તે સંસ્થાના સભ્યો કે નોંધાયેલા મતદારો તે ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતી ચૂંટણી બેલેટ પેપરને બદલે ઈવીએમ દ્વારા યોજવામાં આવે છે. જો કે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાની ચૂંટણી પ્રેફરન્સ મત દ્વારા યોજાતી હોવાથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે.

Read More

સુરતમાં જીવતા મતદારોને ભાજપના કોર્પોરેટરે મારી નાખીને મતદારયાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ-7 ભર્યુ હોવાનો આક્ષેપ

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે.

AIMIMના મહિલા કાઉન્સિલર સહર શેખના, મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના નિવેદનથી રાજકીય વિવાદ, આખરે કરાઈ સ્પષ્ટતા

જો કે, સહર શેખના આ વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધતા, આખરે સહર શેખે સ્પષ્ટતા કરી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે, તેના નિવેદનને ફેરવી તોળવામાં આવ્યું છે. રાજકીય વિરોધીઓ તેને ધાર્મિક ઉન્માદ સાથે વિવાદને ચગાવી રહ્યા છે.

BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.

વહીવટીતંત્ર ભાજપ સરકારનુ વાજિંત્ર બન્યુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, SIR માં ગેરરીતિ સામે કલેકટર કચેરી ઘેરાવ કરાશે, સુપ્રીમ કોર્ટમાં પડકારાશે

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, આજે SIR કામગીરીમાં ફોર્મ 7 ના દુરુપયોગ અંગે વહીવટીતંત્રને આડે હાથે લેતા ચિંમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને ફોર્મ 7 અંગેના પુરાવાઓ પુરા પાડવામાં નહીં આવે તો, કોંગ્રેસ આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ધેરાવ કાર્યક્રમ યોજશે, તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમની કામગીરીને પણ પડકારવમાં આવશે.

લો બોલો, મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર, જાણો પ્રક્રિયા

ચૂંટણી પરિણામો જાહેર થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં, મેયર કોણ બનશે તે અંગેનો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી અને ટૂંક સમયમાં ઉકેલાશે પણ નહીં. કારણ કે મહારાષ્ટ્રમાં મેયરની ચૂંટણી એક અલગ કાનૂની પ્રક્રિયા દ્વારા સંચાલિત થાય છે.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી

Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.

Breaking News : BMC મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી- અઢી વર્ષની ફોર્મ્યુલા થશે લાગું ?

મુંબઈમાં 89 બેઠકો જીત્યા બાદ, ભાજપ મેયરની પસંદગી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બાબતે ભાજપ છાવણીમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને દરેકની નજર મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ દ્વારા મેયર માટેની અનામતની જાહેરાત પર છે. દરમિયાન શિંદે જૂથના અનેક પ્રધાનો અને નેતાઓ બીએમસીના મેયર પદ માટે દાવો કરી રહ્યાં છે.

BMC Election Results 2026 Breaking News : મહારાષ્ટ્રને મોદીમાં વિશ્વાસ, અમને બાળાસાહેબના પણ આશીર્વાદ… BMC જીત પર CM ફડણવીસ બોલ્યા

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહાયુતિ BMC ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પીએમ મોદીના નામ અને કાર્યનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમના વિકાસ એજન્ડાને આગળ ધપાવવામાં આવશે.

BMC Election Results 2026 Breaking News : મુંબઈમાં ઠાકરેનો પાવર બેઝ તૂટી ગયો, હવે પાર્ટી પણ ખતમ થઈ ગઈ ? વાંચો ઉદ્ધવ ઠાકરેને શું મળ્યું ને શું ગુમાવ્યું ?

ભાજપ અને એકનાથ શિંદેના ગઠબંધને મુંબઈ મહાનગરપાલિકામાં વિજયનો પતાકા લહેરાવ્યા છે. બીએમસીની ચૂંટણીના પરિણામ પછી રાજકીય વર્તુળોમાં પૂછવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં ઠાકરેને કેટલું નુકસાન થયું ? તેણે શું મેળવ્યું ?

BMC Election Results 2026 Breaking News : આમચી મુંબઈ-મરાઠી માણૂસના નામે ચાલતી ઠાકરેના રાજકારણની દુકાનને તાળુ મારી દેતા ફડણવીસ-એકનાથ શિંદે

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોના સામે આવી રહેલા વલણોમાં મરાઠી માણૂસ અને આમચી મુંબઈના નામે રાજકારણ રમનારા ઠાકરે બંધુઓને ભારે ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના અવારનવાર મરાઠી માણૂસ અને આમચી મુંબઈ, મરાઠી ભાષાના નામે રાજકારણ રમતા આવ્યા છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ દેવેનેદ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ, ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની દુકાનને તાળુ મારી દઈને ચાવી અરબી સમુદ્રમાં ફેકી દીધી છે.

BMC Election Results 2026 Breaking News : મુંબઈ ઠાકરે મુક્ત થતા, ભાજપની આવી પહેલી પ્રતિક્રિયા, ઠાકરે બંધુના મરાઠી રાજકારણની, દુકાન બંધ થઈ ગઈ ?

આખા દેશનું ધ્યાન ખેંચનારી, સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેનાએ, મુંબઈમાં ધારી સફળતા મેળવી છે. આ દરમિયાન, ભાજપના નેતા પ્રવિણ દરેકરે આપેલી પ્રતિક્રિયા સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.

BMC Election Results 2026 Breaking News : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામોના રૂઝાનમાં ભાજપ-શિંદે ગઠબંધન બહુમતી તરફ, ઠાકરે બંધુને કેટલી મળશે બેઠકો?

દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા, મુંબઈ મહાનગરપાલિકા માટે, ગઈકાલ 15મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાયું હતું. આજે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મુંબઈમાં ભાજપ-શિંદે જૂથનો દબદબો વધવા લાગ્યો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને શિવસેના શિંદે જૂથે, ચૂટણી પરિણામોના રૂઝાન અનુસાર સદીનો આંકડો પૂર્ણ કર્યો છે

BMC Election Breaking News: પુણેમાં દાદાનો ખેલ ખલાસ, અજીત પવાર જૂથની NCPને મોટો આંચકો !

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા છે તે જોતાં એવું લાગે છે કે અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. જાણો શું છે આંકડા...

Breaking News: Axis My Indiaના એક્ઝિટ પોલમાં BMC ચૂંટણીમાં આ પાર્ટી મારી રહી બાજી, તો UBT જૂથની શિવસેનાને ઝટકો- જુઓ સરવે

આજે રાજ્યમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થયું હતું. મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતુ. હવે મતદાન પૂર્ણ થયા પછી, એક્ઝિટ પોલ બહાર આવ્યો છે. એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે

Breaking News : રિઝલ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરે માની હાર ,ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપો

ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેના સાથી પક્ષોએ નકલી અને ડુપ્લિકેટ મતદારો માટે વ્યવસ્થા કરી છે જેથી EVMની રમત સફળ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ચૂંટણી પહેલા જ ચૂંટણી પરિણામો આવી ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">