
કુંભ મેળો
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કુંભ મેળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે અને વ્યક્તિના પુનર્જન્મનું ચક્ર સમાપ્ત થઈ શકે છે.
કુંભ મેળાની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતના ઘડામાંથી ચાર જગ્યાએ, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના થોડા ટીપા પડ્યા. આ જ કારણે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકને પવિત્ર માનવામાં આવે છે અને અહીં મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ વિવિધ સંસ્કૃતિ, ભાષા અને સમાજના લોકોને એકસાથે લાવે છે. કુંભ મેળામાં દેશભરમાંથી સંતો, મહાત્માઓ, સાધુ અને સંન્યાસીઓ ભાગ લે છે. આમાં અખાડાઓનું વિશેષ મહત્વ હોય છે, જ્યાં લોકો સંતોના આશીર્વાદ અને તેમના ઉપદેશોનો લાભ લે છે.
કુંભ મેળો માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લાખો વિદેશી પ્રવાસીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું મહત્વ સમજે છે. કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે સામાજિક એકતા, પૌરાણિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે.
Breaking News : પ્રયાગરાજ મહાકુંભે નાવિક પિન્ટુ મહરા ના પરિવારની બદલી જિંદગી, 45 દિવસમાં કરી 30 કરોડની કમાણી
યોગી સરકાર ના 2019 ના કુંભ ના દિવ્ય અને ભવ્ય આયોજન થી કમાણી નો આઈડિયા નાવિક પિન્ટુ મહરાને મળ્યો . આ પરિવારે કુંભ દરમ્યાન 45 દિવસમાં 30 કરોડની કમાણી કરી. કમાણી ના પૈસા જોઈને નાવિક ની મા ની આંખો ભીની થઇ, કહ્યુ - હવે બાળકો ને સારા સ્કૂલ માં ભણાવી શકીશુ.
- Sagar Solanki
- Updated on: Mar 5, 2025
- 8:40 pm
એકતાનો મહાયજ્ઞ સંપન્ન, ધાર્યા કરતા પણ વધુ લોકો…, કુંભમેળાના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ
પ્રયાગરાજમાં ગત 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ ગઈકાલ 26મી ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થઈ ગયો છે. 45 દિવસ સુધી ચાલેલા આ કુંભમેળામાં 66 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ બ્લોગમાં લખ્યુ કે એકતાનો મહા યજ્ઞ પૂર્ણ થયો.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2025
- 8:42 pm
26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરીને, ખેડૂતોને કીડી જેટલું વળતર પણ આપતી નથી: કોંગ્રેસ કિસાન સેલ
આજે 26 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 9:55 pm
મહાકુંભ મેળાનો મહાશિવરાત્રીએ છેલ્લો દિવસ, ભક્તો-શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપૂર
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં છેલ્લું સ્નાન આવતીકાલ 26 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રી પણ આ જ દિવસે હોવાથી મહાસ્નાનનું મહત્વ અનેરુ છે. ઉત્તરપ્રદેશનું વહીવટીતંત્ર આ અવસર પર કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવવાની અપેક્ષા રાખે છે. જેને લઈને કુંભમેળા વિસ્તાર અને શહેરમાં આજે એટલે કે 25મી ફેબ્રુઆરીથી જ નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 6:22 pm
Mahakumbh 2025: યાત્રીઓ માટે સ્પાઈસ જેટની ફ્લાઈટ બની યાદગાર, કેપ્ટને વિમાનમાં બેઠા બેઠા જ કરાવ્યું કુંભ સ્નાન, જુઓ video
પાયલોટે બધા સંગમ આવતાની સાથે યાત્રીકોનું ધ્યાન દોર્યું, સલામતી સૂચનાઓ આપી અને મહા કુંભની પવિત્રતા પર પ્રકાશ પાડ્યો અને મહાકુંભના દર્શન કરાવ્યા.
- Dhinal Chavda
- Updated on: Feb 25, 2025
- 5:24 pm
Maha Kumbh 2025 Video : કેટરીના કૈફ, અક્ષય કુમાર અને સોનાલી બેન્દ્રેએ પવિત્ર સંગમમાં લગાવી ડૂબકી
મહાકુંભ 2025 માં બોલિવૂડ સેલેબ્સની હાજરીનો સિલસિલો સતત ચાલુ છે. અક્ષય કુમાર અને સોનાલી બેન્દ્રેએ જ્યાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, ત્યાં કેટરીના કૈફે પણ સ્વામી ચિદાનંદના આશ્રમમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ મેળવી.
- Sagar Solanki
- Updated on: Feb 24, 2025
- 8:12 pm
IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની થશે હાર ! IIT બાબાએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી, જુઓ Video
આઈઆઈટી બાબા તરીકે જાણીતા અભય સિંહ દ્વારા ભારત-પાકિસ્તાન ICC મેચ પર મોટી આગાહી કરવામાં આવી છે. IIT બાબાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન મેચ જીતશે, જેનાથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છવાઈ ગઈ છે. જુઓ Video
- Sagar Solanki
- Updated on: Feb 21, 2025
- 3:12 pm
જેલના કેદીઓએ કુંભ સ્નાન કરી ધોયા પાપ
ઉન્નાવની જિલ્લા જેલમાં બંધ હજારો સ્ત્રી-પુરુષ કેદીઓએ પ્રયાગરાજ મહાકુંભના પાણીમાં સ્નાન કર્યું હતું.જેલ સુપ્રિટેન્ડેન્ટના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું.
- Dhinal Chavda
- Updated on: Feb 20, 2025
- 10:00 am
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો થવાની છે સંભાવના, અહીં જાણો
પ્રયાગરાજના સંગમમાં દરરોજ લાખો લોકો ડૂબકી લગાવી રહ્યા છે. ગંગા અને યમુનાના પાણીમાં મળ બેક્ટેરિયાનું લેવલ વધી ગયું છે. આ બેક્ટેરિયા સ્નાન કરતા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 2:54 pm
19 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ, 20મી ફેબ્રુઆરીએ ચોથીવાર ગુજરાતનું રજૂ કરશે બજેટ
આજે 19 ફેબુઆરી બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2025
- 9:57 pm
યોગી સરકારનો વિરોધ કરવામાં દીદી ભૂલ્યા ભાન, મહાકુંભને મમતાએ ગણાવ્યો ‘મૃત્યુ કુંભ’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભીડને કારણે સર્જાયેલી નાસભાગની ઘટનાઓને ટાંકીને મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે VIPsને વિશેષ સુવિધાઓ અપાઈ રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
- Mina Pandya
- Updated on: Feb 18, 2025
- 6:24 pm
શું ગંગામાં ડૂબકી લગાવવાથી પાપો ધોઈ શકાય છે? મહાકુંભ સ્નાન વિશે જયા કિશોરીએ શું કહ્યું?
Kumbh mela 2025: પ્રખ્યાત કથાકાર જયા કિશોરે લખનઉમાં એક સાહિત્ય, આધ્યાત્મિકતા અને કલા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે 'ભક્તિ, જીવન અને માયા' વિષય પર પોતાના વિચારો શેર કર્યા હતા.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 9:44 am
17 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સુરતમાં નવરાત્રિ દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમોને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, ગુનો સાબિત કરવા લેવાઈ 47 સાક્ષીઓની જુબાની, પીડિતાને 10 લાખની સહાય કરવા હુકમ
આજે 17 ફેબુઆરી શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 17, 2025
- 10:37 pm
Breaking News : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટના મોડી રાત સુધી રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે. હાલમાં આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Feb 16, 2025
- 7:42 am
13 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :વડોદરામાં ધાર્મિક દબાણો દૂર કરવાની રણનીતિ તૈયાર, મંદિરો અને મસ્જિદો મળીને કુલ 314 દબાણો કરાશે દૂર
આજે 13 ફેબુઆરી ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 13, 2025
- 9:53 pm