કુંભ મેળો
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કુંભ મેળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે અને વ્યક્તિના પુનર્જન્મનું ચક્ર સમાપ્ત થઈ શકે છે.
કુંભ મેળાની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતના ઘડામાંથી ચાર જગ્યાએ, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના થોડા ટીપા પડ્યા. આ જ કારણે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકને પવિત્ર માનવામાં આવે છે અને અહીં મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ વિવિધ સંસ્કૃતિ, ભાષા અને સમાજના લોકોને એકસાથે લાવે છે. કુંભ મેળામાં દેશભરમાંથી સંતો, મહાત્માઓ, સાધુ અને સંન્યાસીઓ ભાગ લે છે. આમાં અખાડાઓનું વિશેષ મહત્વ હોય છે, જ્યાં લોકો સંતોના આશીર્વાદ અને તેમના ઉપદેશોનો લાભ લે છે.
કુંભ મેળો માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લાખો વિદેશી પ્રવાસીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું મહત્વ સમજે છે. કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે સામાજિક એકતા, પૌરાણિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે.
નાસિકમાં કુંભમેળા સ્થળેથી હટાવાશે 1800 જેટલા વૃક્ષો, આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય ?
નાસિકમાં 2027ના કુંભમેળાની તૈયારીઓ દરમિયાન તપોવનમાં 1800 વૃક્ષો કાપવાના પ્રસ્તાવથી મોટો વિવાદ સર્જાયો છે. આ 'ઓક્સિજન હબ'ના વૃક્ષોના નિકંદન સામે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. મામલો બોમ્બે હાઈકોર્ટ અને NGT સુધી પહોંચ્યો છે, જ્યાં વૃક્ષ કાપણી પર રોક લગાવાઈ છે. આ મુદ્દે પર્યાવરણીય સંરક્ષણ સામે સવાલ ઉઠવાના શરૂ થયા છે. તો રાજ્ય સરકાર આ વિરોધને રાજનીતિથી પ્રેરિત ગણાવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય છે?
- Mina Pandya
- Updated on: Dec 26, 2025
- 4:50 pm
કિસ્મત આવી રીતે ચમકે… સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, જેણે 500 રૂપિયાથી બનાવી કરોડોની સંપત્તિ
તાન્યા મિત્તલ સોશિયલ મીડિયા પર એક જાણીતું નામ છે. જોકે, તેણીએ માત્ર એક ઈન્ફ્લુએન્સર તરીકે જ નહીં, પરંતુ એક પ્રેરક વક્તા, ઉદ્યોગસાહસિક, મોડેલ અને બીજી ઘણી રીતે પોતાનું નામ બનાવ્યું છે. એવું કહેવાય છે કે તેમણે માત્ર 500 રૂપિયાથી પોતાનો ધંધો શરૂ કર્યો હતો, જે હવે કરોડોમાં પહોંચી ગયો છે.
- Sagar Solanki
- Updated on: Apr 27, 2025
- 10:35 pm
Breaking News : પ્રયાગરાજ મહાકુંભે નાવિક પિન્ટુ મહરા ના પરિવારની બદલી જિંદગી, 45 દિવસમાં કરી 30 કરોડની કમાણી
યોગી સરકાર ના 2019 ના કુંભ ના દિવ્ય અને ભવ્ય આયોજન થી કમાણી નો આઈડિયા નાવિક પિન્ટુ મહરાને મળ્યો . આ પરિવારે કુંભ દરમ્યાન 45 દિવસમાં 30 કરોડની કમાણી કરી. કમાણી ના પૈસા જોઈને નાવિક ની મા ની આંખો ભીની થઇ, કહ્યુ - હવે બાળકો ને સારા સ્કૂલ માં ભણાવી શકીશુ.
- Sagar Solanki
- Updated on: Mar 5, 2025
- 8:40 pm