AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

Pakistan Cricket: આ ક્રિકેટર પાકિસ્તાની હોવાની કિંમત ચૂકવી રહ્યો છે, નોકરી મળી રહી નથી

Pakistan, Azhar Mahmood : પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરનું દુખ સામે આવ્યું છે. આ દુખનું કારણ એ છે કે, તે પાકિસ્તાની છે. પાકિસ્તાની હોવાના કારણે તેને કોઈ નોકરી પર રાખતું નથી. તો ચાલો સમગ્ર વાત વિસ્તારથી જાણીએ.

T20 WC Breaking : ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાય, પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર?

સુપર 8 મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. પલ્લેકેલેમાં રમાયેલી રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે અંતિમ ઓવરમાં જીત મેળવી. આ જીતથી ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, પરંતુ પાકિસ્તાનની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ.

T20 WC Breaking : શાહીન આફ્રિદીએ 3 ઓવરમાં 3 વિકેટ લઈને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની રમત બગાડી

પાકિસ્તાનનો સ્ટાર બોલર તેના ખરાબ ફોર્મમાંથી બહાર આવી ગયો હોય તેવું લાગે છે. તેણે ઇંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને એક નવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. આ સાથે જ તેણે પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની રમત બગાડી દીધી હતી.

T20 WC Breaking : પાકિસ્તાન 17 વર્ષથી જેની સામે નથી જીત્યું T20 વર્લ્ડ કપમાં એકપણ મેચ, તેની સામે સુપર 8 માં મુકાબલો

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 માં મુશ્કેલ સ્થિતિમાં છે. આગામી રાઉન્ડમાં પહોંચવાની રેસમાં ટકી રહેવા માટે પાકિસ્તાને એવી ટીમને હરાવવી પડશે જેને તેઓ 17 વર્ષથી હરાવી શક્યા નથી. સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે.

Breaking News IND vs PAK : આ તારીખે ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર

ICC એ 12 જૂનથી શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે . પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે એજબેસ્ટન ખાતે રમાશે. 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાન મહિલા ટીમ એક જ ગ્રુપમાં છે, એટલે ફરી એકવાર વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે.

T20 WC Breaking : પાકિસ્તાન ફક્ત એક મેચનું મહેમાન, T20 વર્લ્ડ કપમાંથી થશે બહાર?

દક્ષિણ આફ્રિકા સામે મેચ હારીને ભારતીય ટીમે પોતાના માટે મુશ્કેલી ઉભી કરી છે, જ્યારે પાકિસ્તાન પણ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે ICC એ ઈંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ અંગે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે પાકિસ્તાનને નુકસાન પહોંચાડશે અને વર્લ્ડ કપમાં તેમની સફરનો અંત પણ લાવી શકે છે.

Breaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન,નેપાળમાં ગુપ્ત બેઠક મળી

કેન્દ્રિય ખુફિયા એજન્સીને સતત મળી રહેલા ઈનપુટના આધાર પર આ વાતના નક્કર પુરાવા મળી ચૂક્યા છે કે, ભારત વિરુદ્ધ કાવતરુ રચવા માટે ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના 7 પ્રમુખ અધિકારીઓ સામેલ હતા.

Breaking News: ધૂળેટીના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે મહામુકાબલો, જાણી લો T20 વર્લ્ડ કપના સેમિફાઈનલનું પુરુ ગણિત

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં અલગ અલગ ગ્રુપમાં છે. જો બંને ટીમો ટોપ-2માં સ્થાન મેળવે છે, તો તેઓ સેમિફાઇનલમાં સામસામી ટકરાઈ શકે છે. જો કે, જો આ સેમિફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય છે, તો હાઇબ્રિડ કરારના ભાગ રૂપે, મેચ મુંબઈને બદલે કોલંબોમાં રમાશે.

અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ખુલ્લેઆમ ધમકી, એર સ્ટ્રાઈકનો સમયસર બદલો લઈશું

પાકિસ્તાનના સૈન્યના હુમલા બાદ, તાલિબાને પાકિસ્તાન સામે બદલો લેવાની ધમકી ઉચ્ચારી છે. પાકિસ્તાને કરેલ એર સ્ટ્રાઈક હુમલાઓમાં ઘરો અને મદરેસાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 19 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તાલિબાને જણાવ્યું છે કે, યોગ્ય સમયે પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈકનો બદલો લેવામાં આવશે.

Breaking News : પાકિસ્તાને રમઝાન મહિનામાં એર સ્ટ્રાઈકથી અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો કર્યો દાવો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની માંગણી છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે ના થાય. અમારી આ સંપૂર્ણપણે વાજબી માંગણી છે. તેથી, જ્યાં સુધી આ માંગણી પૂર્ણ ના થાય ત્યાં સુધી, અમારા બધા વિકલ્પો ખુલ્લા રહેશે.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

ક્રિકેટરોને આપણે તેમના રેકોર્ડ અને પ્રદર્શનથી ઓળખીએ છીએ, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ રહ્યા છે જેમણે કારકિર્દી દરમિયાન પોતાની ઓળખ જ બદલવાનો મોટો નિર્ણય લીધો. કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ વ્યક્તિગત કારણોસર નામમાં ફેરફાર કર્યો. જાણો એવા પાંચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની રસપ્રદ કહાની, જેમણે જીવનમાં નવી ઓળખ અપનાવી.

T20 WC Breaking : વિવાદની અસર કે મુકાબલાનો રોમાંચ… ભારત-પાકિસ્તાન મેચમાં T20 વર્લ્ડ કપ ફાઈનલનો તૂટી ગયો રેકોર્ડ

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચે નવો ઈતિહાસ રચ્યો છે. આ મુકાબલાને ડિજિટલ પ્લેટફોર્મ પર 163 મિલિયન વ્યૂ મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. આ આંકડાએ T20 વર્લ્ડ કપ ફાઈનલના અગાઉના તમામ રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

T20 વર્લ્ડ કપમાં હિન્દુસ્તાન સામે 61 રને હાર્યા બાદ, પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર તુટી પડ્યા, હવે જાહેરમાં કાઢી રહ્યાં છે ભડાસ

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની કારમી હાર બાદ, પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં આંતરિક શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ, ટીમના સિનિયર ખેલાડીઓને હાંકી કાઢવા કરેલ નિવેદન બાદ વાત વણસી ગઈ છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને ભૂતપૂર્વ ખેલાડીઓની ટીકા કરતા કહ્યું કે, જે લોકોએ પણ ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી તેઓ આજે અમારે શું કરવું તે શિખવે છે, કમસેકમ અમારી ટીમે 2021માં ભારતને હરાવ્યું તો હતું.

Asia Cup Rising Stars : ભારત સતત બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું, પાકિસ્તાન સામે થઈ શકે ટક્કર

મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 6 વિકેટથી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતની હીરો કેપ્ટન રાધા યાદવ રહી હતી.

The Hundred 2026: 4 ટીમો પાકિસ્તાની ખેલાડીઓને નહીં કરે ટીમમાં સામેલ, ઓક્શન પહેલા લેવાયો મોટો નિર્ણય

2026 માં ધ હંડ્રેડ માટે હરાજી પહેલા પાકિસ્તાની ખેલાડીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતીયોની માલિકીની ચાર ટીમો પાકિસ્તાની ખેલાડીઓ પર બોલી લગાવશે નહીં. જાણો શું છે આખો મામલો.

g clip-path="url(#clip0_868_265)">