પાકિસ્તાન
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.
અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.
પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.
Breaking News : પાકિસ્તાને બલુચિસ્તાનના 40% ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું, ખ્વાજા આસિફે કહ્યું- સેના વિકલાંગ થઈ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બીએલએના હુમલા બાદ મોટી કબુલાત કરી છે. તેમણે સ્વીકાર્યું છે કે, પાકિસ્તાની સેના BLAઓના અત્યાધુનિક શસ્ત્રો સામે યુદ્ધ લડવા સક્ષમ નથી.
- Nirupa Duva
- Updated on: Feb 4, 2026
- 1:26 pm
પાકિસ્તાન ક્રિકેટમાં જેટલુ 7 વર્ષમાં કમાય છે એટલો વકરો માત્ર IND vs PAKની એક મેચમાં થઈ જાય છે, જો ભારત સામેની મેચ નથી રમતુ તો…
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ ICC ટુર્નામેન્ટની સૌથી મોટી કમાણી કરાવતી મેચ હોય છે. જેની કિંમત 250 મિલિયન સુધી પહોંચી જાય છે. પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણયથી ICC, બ્રૉડકાસ્ટર્સ અને PCB ને ભારે મોટુ આર્થિક નુકસાન થઈ શકે છે.
- Mina Pandya
- Updated on: Feb 3, 2026
- 6:53 pm
Breaking News : IND vs PAK મેચમાં મોબાઈલ વિવાદ, પાકિસ્તાનના કોચે તોડ્યો ICCનો નિયમ
Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપ 2026 વચ્ચે પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદ એક મોટા વિવાદમાં ફસાયો છે. તેમનો એક ફોટો, જે ભારત-પાકિસ્તાન મેચનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Nirupa Duva
- Updated on: Feb 3, 2026
- 9:49 am
IND vs PAK Breaking News : હિન્દુસ્તાન સામે હારના ડરથી મેચ પહેલા જ મેદાન છોડનાર પાકિસ્તાન ભોગવશે ગંભીર પરિણામ, PCB સામે આ 5 પગલાં લેશે ICC
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે, ગઈકાલ 1 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવા મેદાનમાં નહીં ઉતરે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 8:59 am
Breaking News : T20 વર્લ્ડ કપને લઈ સૌથી મોટા સમાચાર, નહીં રમાય ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ, જાણો કારણ
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ નહીં રમાય તેવી સત્તાવાર જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી છે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે આ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2026
- 8:42 pm
IND vs PAK : 5 વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પાકિસ્તાન સામે બદલો લેવા માટે ઉત્સુક
પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ રવિવાર આજે પોતાની બીજી સુપર સિક્સ મેચમાં પાકિસ્તાન સાથે ટકરાશે. ભારત પાસે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે.
- Nirupa Duva
- Updated on: Feb 1, 2026
- 10:02 am
Breaking News: પાકિસ્તાનમાં અચાનક જ 3,00,000 HIV કેસો સામે આવ્યા જાણો શું છે સમગ્ર મામલો
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દેશની આરોગ્ય વ્યવસ્થાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. HIVના અંદાજે 3 લાખ કેસ છે, જેમાંથી માત્ર 87,000 કેસનું નિદાન થયું છે અને તેમાંથી પણ માત્ર 34,000 દર્દીઓ જ હાલમાં સારવાર હેઠળ છે.
- Sachin Agrawal
- Updated on: Jan 31, 2026
- 9:28 pm
Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો
બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં બલૂચ લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓએ શહેરના અનેક બજારો પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે.
- Ravi Prajapati
- Updated on: Jan 31, 2026
- 5:36 pm
લો બોલો પાકિસ્તાનએ પણ સ્વીકાર્યું ગુજરાતના ઠાકોર સમાજનું નવું બંઘારણ – જુઓ Video
બનાસકાંઠાના ઠાકોર સમાજે તાજેતરમાં અમલમાં મૂકેલા સામાજિક બંધારણની અસર હવે સીમા પાર પાકિસ્તાનમાં પણ જોવા મળી છે. વાવ અને ભાભર સાથે લોહીના સંબંધો ધરાવતા પાકિસ્તાની ઠાકોર સમાજે ખર્ચ ઘટાડવા અને કુરિવાજો નાબૂદ કરવા આ બંધારણ સ્વીકાર્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jan 28, 2026
- 9:10 pm
આવો છે પાકિસ્તાનના ટી20 વર્લ્ડકપ 2026ના ટીમના કેપ્ટનનો પરિવાર
સલમાન અલી આગા એક જમણા હાથનો મધ્યમ ક્રમનો બેટ્સમેન અને ઓફ-બ્રેક સ્પિન બોલર છે. તે પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમ માટે રમે છે અને હાલમાં પાકિસ્તાનની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ટીમનો કેપ્ટન છે.
- Nirupa Duva
- Updated on: Jan 28, 2026
- 7:13 am
Breaking News : IND vs PAK મેચ બાયકોટ કરવાથી પાકિસ્તાન પોતાના પગ પર જ મારશે કુહાડી, આ દેશને પણ થશે નુકસાન
બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપમાંથી બહાર કર્યા બાદ પાકિસ્તાન બોર્ડના બોસ મોહસિન નકવી સમર્થનનું નાટક કરી રહ્યા છે. તે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાની વાત પણ કરી રહ્યા છે. જો આવું કરશે તો પોતાના પગ પર જ કુહાડી મારશે.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2026
- 10:14 am
Breaking News : પાકિસ્તાનમાં થયો સત્તા પલટો ? નવાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી 26 જાન્યુઆરીએ T20 વર્લ્ડ કપ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. જોકે, જ્યારે તેમણે પાછળથી તેમને આ બાબતની જાણ કરી, ત્યારે તેમણે વડા પ્રધાનના નામ અંગે મોટી ભૂલ કરી.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 8:41 pm
T20 Cricket World Cup : પાકિસ્તાનનુ હવે નવુ નાટક, ભારત જ નહીં, T20 વર્લ્ડ કપમાં રમવુ કે નહીં તે 2 ફેબ્રુઆરી સુધીમાં નક્કી કરીશું
બાંગ્લાદેશને 2026ના T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખ્યા બાદ, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ, ભારત સામે મેદાનમાં બહિષ્કાર કરવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, દેશની સરકાર જે કહેશે તે પ્રમાણે કરશે. નકવીએ આ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પરંતુ મગનુ નામ મરી પાડ્યું નહોતું.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 7:37 pm
Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન ? શાહબાઝ શરીફને PCB ચેરમેન મળ્યાં
ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં, આગામી 15 ફેબ્રુઆરીએ ટકરાશે. પરંતુ એક એવા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, ભારત સામેની મેચ રદ કરવાની યોજના બનાવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 6:56 pm
Breaking News: પાકિસ્તાનની હવા નીકળી ગઈ… આઈસીસી સામે હવે નજર નહીં મિલાવી શકે, ચુપચાપ T20 વર્લ્ડ કપમાં લેશે ભાગ
ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા નાટકો પર આઈસીસીએ (ICC) પૂર્ણવિરામ મૂકી દીધું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે, તેવી ધમકી આપી હતી. જો કે, આઈસીસીની કડક ચેતવણી બાદ હવે પાકિસ્તાન ચુપચાપ T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.
- Ravi Prajapati
- Updated on: Jan 25, 2026
- 8:24 pm