AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

Viral Video: મીટર પર બસ આટલુ લખી દો, બિલ ઓછું આવશે..વીજળીનું બિલ ઓછું કરવાનો પાકિસ્તાનના મૌલાનાનો ફોર્મ્યુલા

એક પાકિસ્તાની ટીવી શોમાં, એક મહિલાએ મૌલાના સાહેબને પૂછ્યું કે વીજળીનું બિલ ખૂબ વધારે આવી રહ્યું છે, મને કોઈ એવી રીત જણાવો જેનાથી બિલ ઘટાડી શકાય. હવે અપેક્ષા હતી કે મૌલાના સાહેબ કોઈ દુઆ વગેરે કહેશે, પરંતુ તેમણે આપેલી સલાહથી ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું.

Breaking News : એશિયા કપ માટે પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, સરકારે લીધો નિર્ણય

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતમાં હોકી એશિયા કપ 2025 યોજાવાની છે. આ ટુર્નામેન્ટ બિહારના રાજગીરમાં રમાશે. પરંતુ તેમાં પાકિસ્તાન ભાગ નહીં લે. પાકિસ્તાન સરકારે હોકી ટીમને ભારત જવાની પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે.

પાકિસ્તાન એશિયા કપમાં ભાગ લેવા ભારત આવશે ! ટુર્નામેન્ટ પહેલા રચી રહ્યું છે મોટું નાટક

એશિયા કપ 2025 પર સંકટના વાદળો છવાયેલા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ મૂંઝવણમાં છે કે આ ટુર્નામેન્ટ થશે કે નહીં. આ દરમિયાન, પાકિસ્તાન ટીમને સરકાર તરફથી ભારત આવવાની પરવાનગી મળી ગઈ છે. આ પછી, તેમણે એક નવું નાટક શરૂ કર્યું છે.

ભારતમાં આતંકી હુમલો કરવા Amazonથી ખરીદી કરાઈ, PayPalથી પેમેન્ટ કરાયું, FATF એ કર્યો ચોંકાવનારો ખુલાસો

પુલવામા અને ગોરખનાથ ખાતેની આતંકી ઘટનાઓને કેવી રીતે અંજામ આપવામા કરતા આવ્યો છે તેનો FATF રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો થયો છે. આતંકવાદીઓ ઈ-કોમર્સ અને ઓનલાઈન પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરીને ફંડિંગ કરી રહ્યા છે. રિપોર્ટમાં સરકાર પ્રેરિત આતંકવાદ વિશે પણ વાત કરવામાં આવી છે. પુલવામા હુમલામાં એમેઝોનથી ખરીદેલા એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ગોરખનાથ આતંકી ઘટનામાં રૂપિયા ચૂકવવા માટે આરોપીઓએ પેપાલનો ઉપયોગ કર્યો હતો.

શું પાકિસ્તાનમાં ફરી થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ ઝરદારી અને PM શાહબાઝનું પત્તુ કાપી મુનીર બની જશે નાપાકિસ્તાનનો સર્વેસર્વા?- વાંચો

ઓપરેશન સિંદૂર બાદથી પાકિસ્તાનની રાજનીતિમાં સખળડખળ ચાલ્યા જ કરે છે. એવુ કહી શકાય કે પાકિસ્તાનમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યુ અને તેની સાબિતી તાજેતરમાં બિલાવલના ભુટ્ટોના નિવેદને આપી દીધી છે. જેમા બિલાવલે હાફિઝ અને મસૂદ જેવા ખૂંખાર આતંકીઓને ભારતને હવાલે કરવાની વાત કહી હતી. પાકિસ્તાનની સ્થિતિ હાલ એવી છે કે ત્યા ગમે ત્યારે તખ્તાપલટ થઈ શકે છે અને રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીન તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતા જાણકારી મુજબ જરદારીને હટાવવાની પણ શરૂ થઈ ગઈ છે.

Breaking News: પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આંતકી હાફિસ સઈદ અને મસુદ અઝહરને ભારતને સોંપવાની બતાવી તૈયારી

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે જો ભારત આ પ્રક્રિયામાં સહયોગ કરવા તૈયાર છે, તો મને ખાતરી છે કે તપાસ હેઠળના કોઈપણ વ્યક્તિને પ્રત્યાર્પણ કરવામાં કોઈ બાધા નહીં આવે. તેમણે આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ પર પણ ચિંતા વ્યક્ત કરી અને તેને 'ન્યૂ ઓબ્નોર્મલ' ગણાવ્યુ.

Breaking News : મલ્ટીનેશનલ કંપનીએ પાકિસ્તાનમાથી ભરી લીધા ઉચાળા, ધંધો કર્યો બંધ

આઇટી જાયન્ટ કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે. કંપનીએ 25 વર્ષ પહેલાં અહીં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ધીમે ધીમે સમગ્ર દેશમાં ટેક ક્રાંતિ લાવી હતી. કંપનીએ પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં પણ ડિજિટલ લાવ્યું હતું. હવે, કામગીરી બંધ થવાથી આ દેશમાં કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

ભારતે ઓપરેશન સિંદૂરથી એક નહીં 3 દૂશ્મન દેશને હરાવ્યા: ડેપ્યુટી આર્મી ચીફ

ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે સીધી રીતે માત્ર પાકિસ્તાનને જ ઘૂળ ચાટતું કર્યું છે પરંતુ આપણે પાકિસ્તાન તેમજ ચીન સામે પણ લડાઈ લડી હતી. લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આ અભિયાનમાં વાયુ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભવિષ્ય માટે વધુ સારી તૈયારીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આપણા પડોશી દેશ પૈકી, ચીન ઉપર પાકિસ્તાનની નિર્ભરતા અને ચીન દ્વારા પાકિસ્તાનને લશ્કરી માહિતી પૂરી પાડવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનને કેવી રીતે મળી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા (UNSC)? શું તેનાથી ભારતને થશે કોઈ નુકસાન? -વાંચો

જ્યારથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) અધ્યક્ષતા સંભાળી છે. ત્યારથી દરેકના મનમાં એક જ સવાલ છે કે આખરે પાકિસ્તાનને આ પદ કેવી રીતે મળી ગયુ. શું તેનાથી આવનારા દિવસોમાં ભારતને કોઈ નુકસાન છે? આવો સમજીએ..

થર થર ધ્રૂજશે પાકિસ્તાન… ભારતીય સેનાએ માર્યો જેકપોટ, DAC એ આપી દીધી મોટી મંજૂરી

ભારતની ત્રણેય સેનાઓ માટે ખરીદવામાં આવનારા શસ્ત્રોની ખાસ વાત એ છે કે આ બધા ઉપકરણો મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં જ ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવશે. આ આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ પ્રોત્સાહન આપશે.

Breaking News : પાકિસ્તાની ટીમ ભારત આવશે, એશિયા કપમાં ભાગ લેવા માટે મંજૂરી મળી

એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલા કરતા વધુ વધી ગયો હતો. ત્યારથી, બંને દેશો વચ્ચે કોઈપણ રમતગમત કાર્યક્રમનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

આતંકી દેશ PAK પર મોટી આફત, ન ચાકુ કે ન બંદૂક… એક નાનું હથિયાર અને આખા પાકિસ્તાન પર ફરી વળ્યા સંકટના વાદળ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આ ક્વોડકોપ્ટર આતંકવાદીઓનું નવું હથિયાર બની ગયું છે. અહીં, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સહિત અન્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનો તેનો ઉપયોગ પાકિસ્તાની સેના અને લોકોને નિશાન બનાવવા માટે સતત કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફટકાર ચીનની વધી ચિંતા, પહેલગામ હુમલાને લઈને કવાડ દેશ ભારતની સાથે

ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરવામાં આવી હતી. મુસ્લિમ આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પુછીને 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકને ગોળીએ માર્યા હતા. ક્વાડ દેશોએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનાથી પાકિસ્તાન અને ચીનને આંતરરાષ્ટ્રીય મંચ પરથી મજબૂત સંદેશ મળ્યો છે.

વિઝા ન મળતા પાકિસ્તાની દંપતી ગેરકાયદેસર રીતે ભારત તરફ રવાના થયું, જેસલમેરમાં ડિહાઇડ્રેશનથી બંનેનું થયું મૃત્યુ

વિઝા ન મળતા પાકિસ્તાની દંપતીએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારે ગરમીને કારણે બંનેનું ડિહાઇડ્રેશનથી મૃત્યુ થયું હતું.

IMF લોન બાદ ‘નાપાક’ દેશની કાળી મુરાદને વધુ એક પ્રોત્સાહન ! આ એક મદદથી ચીને પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવી ..

ચીન હંમેશા પાકિસ્તાન માટે એક વિશ્વાસુ મિત્ર રહ્યું છે અને આ વખતે પણ તેણે તેની મિત્રતા પૂર્ણ કરી છે. અહેવાલ મુજબ, ચીને ફરીથી 2.1 અબજ ડોલરની લોન પાછી ખેંચી છે. આ ઉપરાંત, 1.3 અબજ ડોલરની બીજી વાણિજ્યિક લોન ફરીથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">