પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

IND vs PAK : ભારતે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું, અંશુલની ઘાતક બોલિંગથી રોમાંચક મેચ જીતી

ભારત અને પાકિસ્તાનની એ ટીમ વચ્ચે ઈમર્જિંગ એશિયા કપ રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડિયાએના કેપ્ટન તિલક વર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી 6 વિકેટ ગુમાવી 183 રન બનાવ્યા હતા.

BCCIએ પાકિસ્તાનની ઓફર ફગાવી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે PCBની યુક્તિ કામ ન આવી

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ માટે PCBએ આ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેને ICC દ્વારા મંજૂરી મળવાની બાકી છે. જેમાં ટીમ ઈન્ડિયાને લાહોરમાં રહેવા અને રમવાની ઓફર કરવામાં આવી હતી. હવે PCBએ ભારતને ચંદીગઢ, મોહાલી અથવા દિલ્હી પરત ફરવાની ઓફર કરી છે. જોકે આ ઓફર કરવાની પાકિસ્તાનની યુક્તિ પણ નિષ્ફળ ગઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની નવી ટ્રીક, ટીમ ઈન્ડિયાને આપી આ ખાસ ઓફર

આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેના માટે 3 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. PCBએ થોડા મહિના પહેલા તેનું ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટીમ ઈન્ડિયાની તમામ મેચો લાહોરમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ હતો. હવે તેમણે BCCIને એક નવી ખાસ ઓફર કરી છે.

PAK vs ENG: બાબર આઝમ વિનાની પાકિસ્તાનની ટીમ જીતી, ઈંગ્લેન્ડને ઘરઆંગણે હરાવીને 1348 દિવસે મેળવી જીત

પાકિસ્તાને મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 152 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનને લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં આ જીત મળી છે. પાકિસ્તાની સ્પિનરોએ બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની તમામ વિકેટો ઝડપી હતી.

કેનાડાની કથની અને કરણીમાં ફેર, ક્રિકેટ બાબતે પાકિસ્તાનમાં કોઈ ચર્ચા નહીં

ભારત-કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા સરકારે ગત સપ્ટેમ્બર 2023થી આપણી સાથે કોઈ જ માહિતી શેર કરી નથી. તેમની કથની અને કરણીમાં બહુ ફરક છે. કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ હજુ સુધી તેને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ક્રિકેટ ડિપ્લોમસી વિશે વાત કરી છે. પરંતુ ભારતીય મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને આવી વાતોને નકારી કાઢી છે. આતંકવાદી ઘટનાઓ અને ખરાબ સંબંધોને કારણે ભારત સરકારે લગભગ 17 વર્ષથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી.

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં ક્રિકેટ પર વાત કરી, શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 12 વર્ષથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમાઈ નથી. બંને ટીમો માત્ર ICC અથવા ACC ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. એટલું જ નહીં, આ દરમિયાન પાકિસ્તાની ટીમ 2-3 વખત ભારત પણ આવી છે પરંતુ ટીમ ઈન્ડિયા 2008થી પાકિસ્તાન ગઈ નથી. હાલ ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનના પ્રવાસે છે અને ત્યાં તેમણે ક્રિકેટ વિશે ચર્ચા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે?

પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સામે ઊભા રહીને એસ જયશંકરે કહ્યું- આતંકવાદ સાથે વેપાર શક્ય નથી, જાણો SCO સમિટનો અહેવાલ

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં યોજાયેલ SCO સમિટના મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીનને રાજદ્વારી શૈલીમાં આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. એસ જયશંકરે ચાલાકીપૂર્વક પાકિસ્તાનને તેની ભૂલો, ખોટી નીતિઓ અને ખોટા ઈરાદાનો અહેસાસ કરાવ્યો.

Pakistan : પાકિસ્તાનના કેપ્ટનનો મોટો ખુલાસો, ટીમ ઈન્ડિયા વિશે વાત કરવા પર છે પ્રતિબંધ

18 ઓક્ટોબરથી ઓમાનના મસ્કટમાં ઈમર્જિંગ એશિયા કપની શરુઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન એના કેપ્ટન મોહમ્મદ હારિસે કહ્યું કે, તેની ટીમના કોઈ ખેલાડી ટીમ ઈન્ડિયા વિશે વાત કરી શકતું નથી.તેણે આ માટે આશ્ચર્યજનક કારણ આપ્યું છે.

પોતાના જમાઈને પાકિસ્તાન ટીમમાંથી બહાર કરાયો છતાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પસંદગીકારોના વખાણ કર્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચો માટે બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓની પસંદગી કરી નથી. પસંદગીકારોના આ નિર્ણય પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં વધુ એક ટક્કર, આ દિવસે થશે મહામુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. આ વખતે મુકાબલો UAEના મેદાન પર નહીં પરંતુ ઓમાનમાં થશે. આ મેચ ઈમર્જિંગ એશિયા કપમાં બંને દેશોની પુરુષ ટીમો વચ્ચે થશે.

Pakistan News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પેસેન્જર વાહન પર ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલ

અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના કુર્રમ જિલ્લાના કાંજ અલીઝાઈ વિસ્તારમાં બંદૂકધારીઓએ પેસેન્જર વાહન પર હુમલો કર્યો. હુમલાખોરોએ વાહન પર ગોળીબાર કર્યો, જેમાં 11 મુસાફરો માર્યા ગયા અને એક મહિલા સહિત છ અન્ય ઘાયલ થયા.

વિશ્વભરમાં મંદી વચ્ચે પાકિસ્તાનના શેરબજારમાં કેમ આવી રહી છે તોફાની તેજી? જાણો કારણ

બધા દેશોના શેરબજારમાં મંદીનો માહોલ છે છત્તા પાકિસ્તાનનું માર્કેટ ગ્રો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનને એવુ તો શું કર્યું કે એવુ તો શું મલી ગયુ તેને કે ત્યાનું માર્કેટ ઉઠવા લાગ્યું ? ચાલો સમજીએ

PAK vs ENG: મુલતાન ટેસ્ટમાં છત્રીને લઈ થયો મોટો હંગામો, એન્કર-કોમેન્ટેટર થયા ભારે ટ્રોલ

મુલતાનમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બ્રોડકાસ્ટર ઝૈનબ અબ્બાસ, પૂર્વ ક્રિકેટર નાસિર હુસૈન અને આમિર સોહેલ એક શો દરમિયાન મેદાન પર બેઠા હતા. આ શોનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ચાહકોએ છત્રી પર હંગામો મચાવ્યો હતો.

પહેલા પાકિસ્તાની બોલરોને ફટકાર્યા, પછી મેદાન પર જર્સી, ટ્રાઉઝર અને અંડરવેર સુકવ્યા

જો રૂટે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં 262 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી જો રૂટે પ્રથમ વખત બેવડી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે હેરી બ્રુક સાથે 400થી વધુ રનની ભાગીદારી કરી હતી. 262ના સ્કોર પર આઉટ થયા બાદ જો રૂટે પોતાના ભીના કપડા મેદાનમાં જ સુકવ્યા હતા. જેનો ફોટો ખૂબ વાયરલ થયો છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">