AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

Breaking News : કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ, જુઓ Video

કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

Breaking News : PoKમાં મોટો હોબાળો, પાકિસ્તાની શાસન સામે ઉગ્ર વિરોધ સાથે ‘અલગ વતન’ની માંગ, જાણો કારણ

PoK માં પાકિસ્તાની શાસન સામે વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે, જેમાં JAAC ના નેતૃત્વ હેઠળ હજારો લોકો રાજકીય અધિકારો અને સ્વતંત્ર વતનની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે.

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત…, કેનેડામાં કેબ ડ્રાઈવરની મહિલા પ્રવાસીને ખુલ્લી ધમકી ! જુઓ Video

કેનેડામાં એક મહિલા મુસાફરીનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાતા કેબ ડ્રાઇવર વચ્ચે થયેલી વાતચીતનો આ વીડિયો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Breaking News: ભારત આવીને ડ્રગ્સની તસ્કરી કરતા હતા ‘પાકિસ્તાની ક્રિકેટરો’, પૂર્વ અધિકારીએ ખોલી ‘આખી પોલ’

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત પ્રવાસને લઈને કેટલીક ચોંકાવનારી વાતો કહી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટરો ભારત પ્રવાસ દરમિયાન ડ્રગ્સની તસ્કરી કરતા હતા અને આ કમાણીનો ઉપયોગ ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓમાં થતો હતો. આ સિવાય તેમણે મુંબઈ હુમલા અને ક્રિકેટર બોબ વૂલ્મરના રહસ્યમય મોતને લઈને પણ ઘણા ખુલાસા કર્યા છે.

Breaking News : પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો કશ્મીરી, ‘પાકિસ્તાન આર્મી, પાછા જાઓ’ના લગાવ્યા નારા, જાણો એવું તો શું થયું

પ્રદર્શનકારીઓએ પાર્લામેન્ટ સ્ક્વેરથી પાકિસ્તાન હાઇ કમિશન સુધી કૂચ કરી. કૂચ દરમિયાન, તેમણે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો અને અટકાયતમાં લેવાયેલા રાજકીય કાર્યકરોની મુક્તિની માંગ કરી.

Hindu in Pakistan : અપહરણ, ધર્માંતરણ અને મંદિરોનું અપમાન, પાકિસ્તાનમાં હિન્દુઓનું અસ્તિત્વ જોખમમાં, સાંભળો ત્યાંનાં સ્થાનિક લોકોની જુબાની

પાકિસ્તાનમાં હિન્દુઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મંદિરોનું અપમાન, સિક્યુરિટીનો અભાવ અને સગીર હિન્દુ બાલિકાઓના અપહરણ, જબરદસ્તી ધર્માંતરણ અને લગ્ન સામાન્ય બની ગયા છે.

India vs Pakistan Kids: બાળકોની વિચારધારાનો અનોખો તફાવત, જોવા મળ્યા સંસ્કાર અને આક્રમકતા, જુઓ Video

આ આર્ટિકલમાં એક યુટ્યુબ વીડિયોના આધારે છે, જે પાકિસ્તાની અને ભારતીય બાળકો દ્વારા રજૂ કરાયેલા બે વિરોધાભાસી મેસેજને દર્શાવે છે. આ વીડિયો બંને દેશોની ભાવિ પેઢીની વિચારસરણીનો અરીસો છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓકતી એક જાહેરખબર બનાવી છે. જેમાં ભારતીય સંસ્કૃતિ ઉપર ધાર્મિક ઝનુનથી પ્રહાર કરવામાં દર્શાવ્યું છે. રાષ્ટ્રવાદી સંસ્થા આરએસએસને આતંકી સંસ્થા ગણાવાઈ છે.

Breaking News : પાકની નાપાક હરકત ! પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું ગુરુદ્વારા તોડી પાડતા ભારત ભડક્યું, લગાવી ફટકાર

125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શેખુપુરા જિલ્લાના ફરુખાબાદમાં સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબના એક ભાગને તોડી પાડવાની સખત નિંદા કરી છે.

Breaking News : પાકિસ્તાનના કોચે કહ્યું-ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબુત ટીમ

પાકિસ્તાનના કોચ માઈક હેસને સ્વીકાર્યું છે કે, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ છે અને તેને હરાવવી એ દરેક ટીમ માટે એક મોટો પડકાર છે. દુનિયાની દરેક ટીમ તેની સામે સંધર્ષ કરી રહી છે.

“અમે પાકિસ્તાનનો હિસ્સો નથી, અમે બીજો રસ્તો શોધીશું” – PoKના લોકોએ પાકિસ્તાન સરકારને આપ્યું અંતિમ અલ્ટીમેટમ

PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) માં લોટ, વીજળી અને મૂળભૂત જરૂરિયાતો માટે ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. JAACના નેતૃત્વ હેઠળ લોકો પોતાને પાકિસ્તાનનો ભાગ માનવાનો ઇનકાર કરી રહ્યા છે.

ફ્રાંસની એક મહિલા સાથે, પાકિસ્તાની મુસ્લિમ વ્યક્તિએ કર્યો ‘The Kerala Story’ જેવો ખેલ, જુઓ Video

ઓસ્ટ્રેલિયામાં પ્રેમ લગ્ન બાદ એક ફ્રેન્ચ મહિલા, સિલ્વિયા યસ્મીના, પોતાના પતિ સાથે પાકિસ્તાન ગઈ. ત્યાં તેને 12 વર્ષ સુધી ખૈબર જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં કેદ રાખવામાં આવી. ત્રણ બાળકો સાથે બંધિની રહેલી સિલ્વિયાને તેના સૌથી મોટા દીકરાની હિંમતભરી મદદથી મુક્તિ મળી. આ ચોંકાવનારી ઘટના જાણી તમારી રૂહ કાપી જશે.

અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ

અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.

સજા પુરી કરી ચૂકેલા 188 ભારતીયોને જેલ મુક્ત કરવા પાકિસ્તાનને સોંપાઈ યાદી, મોટાભાગના ગુજરાતી માછીમારો

કાશ્મીરના પહેલગામના બૈસરન ઘાટીમાં ગયા વર્ષે પાકિસ્તાનના મુસ્લિમ આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હિચકારા હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સાવ વણસ્યા છે. ભારતે કેટલાક પગલાંઓ લઈને પાકિસ્તાનને પાઠ ભણાવવાનુ શરૂ કર્યું છે. હવે ભારતે, પાકિસ્તાનમાં સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તાકીદે જેલ મુક્ત કરવા માટે એક યાદી સોંપી છે.

Breaking News : કરાચીમાં ભારે વિસ્ફોટથી ધ્રૂજયું પાકિસ્તાન ! PAK રેન્જર્સ હેડક્વાર્ટર પાસે થયો ગોળીબાર, આત્મઘાતી હમલાની આશંકા

કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર થયો. પ્રાથમિક અહેવાલ મુજબ આત્મઘાતી હુમલાની આશંકા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ

ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી.

g clip-path="url(#clip0_868_265)">