પાકિસ્તાન
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.
અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.
પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.
ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ
ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી.
- Bipin Prajapati
- Updated on: Jun 26, 2026
- 6:58 pm
Vaibhav Suryavanshi: 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી વૈભવ બનશે ભારતનો સૌથી યુવા ક્રિકેટર, પરંતુ નહીં તોડી શકે આ વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ક્રિકેટનું ભાવિ ગણાતો વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂથી માત્ર એક પગલું દૂર છે. જો તેને આયર્લેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામે તક મળે તો તે ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચશે. જોકે, વિશ્વ ક્રિકેટનો એક એવો રેકોર્ડ છે, જે વૈભવ માટે પણ તોડવો અશક્ય છે.
- Smit Chauhan
- Updated on: Jun 25, 2026
- 10:37 pm
Breaking News : એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું, DGCA એ ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી
દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસી ગઈ. અમૃતસરમાં પક્ષી અથડાવાના કારણે ગોઅરાઉન્ડ દરમિયાન આ ઘટના બની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તાત્કાલિક જાણ ન કરવા બદલ અમૃતસર ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jun 25, 2026
- 8:22 am
પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી
ઈરાન અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી બનીને પાકિસ્તાને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર કેન્દ્રીત કર્યુ છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાનને આતંકીઓનો દેશ તરીકે વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડ્યુ હતુ. તે આતંકીઓના દેશ તરીકેની પોતાની છબી ભૂસીને હવે શાંતિદૂતની ભૂમિકામાં આવી ગયુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે પાકિસ્તાન ભારત સામે 'વોટર વોર' નું નેરેટિવ ઘડી રહ્યુ છે. સિંધુ નદીના પાણી મુદ્દે ભારતને દોષી બનાવી વિશ્વના દેશોની સહાનુભૂતિ મેળવવાની તૈયારી કરી રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Jun 24, 2026
- 8:57 pm
Pakistan : જરૂર પડી તો ભારત સાથે યુદ્ધ કરશું.. પાણી માટે તરસી રહેલા પાકિસ્તાનની ગીદડ ધમકી
પાક.ના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને ચેતવણી આપી છે કે જો સિંધુ નદીના પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરાશે તો પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરશે. તેમણે પાકિસ્તાનની જળ સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો ભાગ ગણાવી.
- Sagar Solanki
- Updated on: Jun 21, 2026
- 10:23 pm
ભારતે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું, સિંધુ જળસંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ઘરતી પાછી સોંપવાની વાત કરો, જુઓ Video
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં રોક્ડુ પરખાવ્યું કે, સિંધુ જળ સંધિ ભૂલી જાઓ અને ગેરકાયદે પચાવેલી ભારતની જમીન પાછી સોપો. 1960 સિંધુ સંધિને જૂની ગણાવતા, ભારતે કહ્યું કે, જે રાષ્ટ્ર આતંકવાદ ફેલાવે છે તેણે સહકારની અપેક્ષા ના રાખવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 2:14 pm
પાકિસ્તાનમાં મસાલા ડોસો બન્યો ‘લક્ઝરી’ ફૂડ? કિંમત સાંભળીને કહેશો- આપણું ભારત જ સારું!
પાકિસ્તાનમાં ભારતીય ખાવાનું હવે સરળતાથી મળવા લાગ્યું છે, પરંતુ તેની કિંમતો લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. કરાચીના એક ફૂડ સ્ટોલ પર મળતા મસાલા ડોસા, પાવભાજી અને વડા પાવના ભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 17, 2026
- 10:45 pm
તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો? ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીને એક જ દિવસમાં 4,700 કરોડનું નુકસાન
ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે સુરક્ષા મંજૂરી રદ કરતા તુર્કીની એવિએશન સર્વિસ કંપની સેલેબીને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ એક જ દિવસમાં તેની હજારો કરોડ રૂપિયાની મૂડી અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું.
- Sachin Agrawal
- Updated on: Jun 17, 2026
- 9:31 pm
Breaking News: ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે ઝઘડો થાય તો ICC કેવી સજા ફટકારે છે? જાણો ICC કોડ ઓફ કન્ડક્ટના નિયમો
ક્રિકેટના મેદાન પર ઘણી વખત ખેલાડીઓ વચ્ચે બોલાચાલી, ધક્કામુક્કી અથવા ગેરવર્તણૂકની ઘટનાઓ જોવા મળે છે. તાજેતરમાં વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડી વચ્ચે થયેલો વિવાદ પણ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ આવી પરિસ્થિતિમાં ICC શું કાર્યવાહી કરે છે અને ખેલાડીઓને કેવી સજા મળી શકે છે, તે જાણવું દરેક ક્રિકેટ ચાહક માટે રસપ્રદ છે.
- Smit Chauhan
- Updated on: Jun 16, 2026
- 9:33 pm
Womens T20 World Cup 2026: ભારત સામે હાર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ICC એ ફટકાર્યો દંડ
Womens T20 World Cup 2026: મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે હારનો સામનો કરનાર પાકિસ્તાન મહિલા ટીમને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એજબેસ્ટનમાં રમાયેલી મેચ દરમિયાન થયેલી એક મોટી ભૂલ માટે ICC એ પાકિસ્તાન મહિલા ટીમ સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાની ખેલાડીઓની મેચ ફીમાંથી પણ કાપવામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Jun 16, 2026
- 7:12 pm
Womens T20 World Cup: પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડશે ભારતની સ્મૃતિ મંધાના, બનશે નંબર-1
ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે હવે પાકિસ્તાનના બાબર આઝમથી બહુ દૂર નથી. ચાલુ ટુર્નામેન્ટમાં સ્મૃતિ પાસે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવાની મોટી તક છે.
- Smit Chauhan
- Updated on: Jun 15, 2026
- 9:06 pm
પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું… આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું.
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 5:21 pm
Big Breaking News: અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત… શાંતિ કરાર ફાઇનલ, જાણો ક્યારે અને ક્યાં થશે હસ્તાક્ષર
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 19 જૂનના રોજ કરાર પર હસ્તાક્ષર થયા પછી, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે અને ખાણકામ દૂર કરવાની પ્રક્રિયા સાથે પ્રદેશના બંને બાજુ તેલનો પુરવઠો ફરી શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે આનાથી માત્ર પ્રાદેશિક દેશો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થશે.
- Meera Kansagara
- Updated on: Jun 15, 2026
- 8:16 am
Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, વિમેન્સ T20 વર્લ્ડ કપની શાનદાર જીત સાથે શરૂઆત
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સફળતાનો સિલસિલો ચાલુ રાખીને ફરી એકવાર પાકિસ્તાન સામે જીત નોંધાવી છે. સ્મૃતિ મંધાનાની 68 રનની ઇનિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ 170 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં પાકિસ્તાનને 104 રનમાં ઓલઆઉટ થઇ ગયું. દીપ્તિ શર્માએ 5 વિકેટ લીઈ ધમાલ મચાવી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 14, 2026
- 11:02 pm
Breaking News : પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, બાલાકોટ સેક્ટરમાં LoC પર PAK આર્મીનો ગોળીબાર
જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર ફરી તણાવ વધ્યો છે. પૂંચના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી આઠ મિનિટ ગોળીબાર કરાયો.
- Sagar Solanki
- Updated on: Jun 14, 2026
- 10:35 pm