પાકિસ્તાન
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.
અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.
પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.
યુદ્ધ ઈરાન, ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે પરંતુ પ્રતિબંધો પાકિસ્તાનમાં, મોલ-બજાર 8 વાગે બંધ, લગ્ન સમારોહ રાત્રે 10 સુધી જ
પાકિસ્તાનની સરકારે ઈંધણ-ગેસના સંકટને પહોંચી વળવા માટે મોટા નિર્ણયો લીધા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફના નિર્દેશો પર આખા પાકિસ્તાનમાં બજારો, મોલ અને દુકાનો આગામી 7 એપ્રિલથી રાત્રે 8 વાગ્યે બંધ કરવા પડશે. હોટલો અને લગ્ન સમારોહ પણ રાત્રે 10 વાગ્યા સુધીમાં આટોપી લેવા પડશે.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2026
- 1:40 pm
Breaking News : પાકિસ્તાનની બોર્ડરથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ કરાઈ
ડ્રગ્સ, ગાંજોની વાત સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યો છે. જે વસ્તુઓ પર પ્રતિબંધ છે તેને મસમોટા પૈસા કમાવવાની લાલચમાં અનેક લોકોને ડ્રગ્સના વ્યસની બનાવવા માટે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2026
- 12:55 pm
Breaking News : પાકિસ્તાનને મોટો ઝટકો, IPL ને પછાડવાનું સપના જોઈ રહ્યું હતું, હવે PSL છોડી રહ્યા છે ખેલાડી
પાકિસ્તાન સુપર લીગ (PSL) ને મોટો ફટકો પડ્યો છે કારણ કે ઘણા પાકિસ્તાની ખેલાડીઓ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તરફ આકર્ષાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Apr 5, 2026
- 11:10 pm
પાકિસ્તાન પર આભ ફાટ્યું! UAE એ ગળું દબાવ્યું: ‘અત્યારે જ પાછા આપો 18,600 કરોડ’, શાહબાઝ સરકારના ઉડ્યા હોશ
મિત્ર દેશે જ મુક્યા મુશ્કેલીમાં! પશ્ચિમ એશિયાના યુદ્ધના માહોલ વચ્ચે UAE એ પાકિસ્તાન પાસે પોતાના 2 અબજ ડોલરની તાત્કાલિક ઉઘરાણી કરી છે. રોલઓવર કરવાની ના પાડતા હવે પાકિસ્તાનની તિજોરી ખાલી થવાના આરે છે. જાણો શું છે આ આખું 'ડિફોલ્ટ' કનેક્શન.
- Sachin Agrawal
- Updated on: Apr 4, 2026
- 6:48 pm
80% ગે અને 20% બાયસેક્સ્યુઅલ! પાકિસ્તાનનું એ ભયાનક સત્ય જે અત્યાર સુધી દબાયેલું હતું, વિશ્વાસ ના આવતો હોય તો આ Video જોઈ લો
પાકિસ્તાન જે 'ધર્મ અને સંસ્કૃતિ'નો નકાબ ઓઢીને ફરે છે, તેની પાછળનો અસલી ગંદવાડો હવે દુનિયા સામે આવી ગયો છે. દાવો એવો છે કે, ત્યાંની 80% વસ્તી 'ગે' છે અને બાકીના 20% સ્ત્રી-પુરુષ બંને સાથે સંબંધ રાખે છે.
- Ravi Prajapati
- Updated on: Apr 4, 2026
- 3:54 pm
Breaking News: પાકિસ્તાનની ઊંઘ ઉડી! એરપોર્ટ પર ફાઈટર જેટ્સની ગર્જના અને મોક ડ્રિલ પાછળનો અસલી સંકેત શું?
તાજેતરમાં દિલ્હીમાં વગાડવામાં આવેલા "સાયરન, દેશના મુખ્ય એરપોર્ટ્સ પર વધેલી સૈન્ય હલચલ અને તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા આતંકી મોડ્યુલ્સ" આ બધી ઘટનાઓ કોઈ સામાન્ય બાબત નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત હવે કોઈપણ પડકારનો જવાબ આપવા સજ્જ છે.
- Ravi Prajapati
- Updated on: Apr 3, 2026
- 9:20 pm
Breaking News: IPLમાં બે વર્ષ માટે બેન ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં રમવા પહોંચ્યો
પાકિસ્તાન સુપર લીગ 2026 માટે ઈસ્લામાબાદ યુનાઈટેડ ટીમમાં એક નવો ખેલાડી જોડાયો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે IPLમાંથી પ્રતિબંધિત ખેલાડીને પોતાની ટીમમાં ઉમેર્યો છે. આ ખેલાડી ઘણા વર્ષો પછી લીગમાં પરત ફરી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 6:51 pm
Breaking News પાકિસ્તાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની મૂર્તિને કરાઈ ખંડિત, હિંદુઓની આસ્થા પર કરાયો વધુ એક હુમલો
પાકિસ્તાનના કરાચીમાં આવેલી ઐતિહાસિક 'સાગન મેન્શન' ઈમારતમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. આ મૂર્તિઓ ઈમારતની દિવાલોમાં કોતરવામાં આવી હતી. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી. આ પહેલા પણ પાકિસ્તાનભરમાં હિન્દુ મંદિરો પર અનેક હુમલાઓ થયા છે.
- Mina Pandya
- Updated on: Apr 2, 2026
- 6:22 pm
Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈરાન યુદ્ધ વચ્ચે પાડોશી દેશને કડક ચેતવણી આપી છે. ભારતની સુરક્ષા અને નૌસેનાની સતર્કતા પર ભાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું દેશમાં તેલની કોઈ ઉણપ નથી.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2026
- 4:57 pm
દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની હતી ભારતીય નૌસેના, ‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો
એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "હવે એ રહસ્ય નથી રહ્યું કે આપણે દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાથી માત્ર થોડી મિનિટો દૂર હતા; જોકે, તે જ સમયે, તેમના તરફથી લશ્કરી કાર્યવાહી બંધ કરવાની રિકવેસ્ટ મળી હતી."
- Devankashi rana
- Updated on: Apr 2, 2026
- 11:53 am
Breaking News : ઈંધણ અને ગેસની ચોરીથી પાકિસ્તાન ત્રસ્ત, સરકારે ઠરાવી 14 વર્ષની સજા, આતંકવાદની ધારા પણ લગાવાશે, 3 કરોડ સુધીનો કરી શકાશે દંડ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશમાં ઈંધણ અને ગેસની કટોકટી સર્જાઈ છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો હવે ઈંધણ અને ગેસની ચોરી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઈંધણ અને ગેસની ચોરીથી ત્રસ્ત થઈ ઉઠેલ પાકિસ્તાનની સરકારે આકારામાં આકરા આતંકવાદના કાયદાઓ લાગુ કરવાની જાહેરાત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2026
- 2:06 pm
Breaking News: બૈસાખીના અવસરે 3000 ભારતીય શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનની જશે, જાણો આ યાત્રા શા માટે છે ખાસ
બૈસાખીના અવસરે ભારતમાંથી લગભગ 3000 શીખ શ્રદ્ધાળુઓ 10 એપ્રિલથી પાકિસ્તાન જશે અને નનકાના સાહિબ સહિતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.
- Nishat
- Updated on: Mar 31, 2026
- 11:25 am
લાલ જાજમ પરથી પગ લપસ્યો અને પાકિસ્તાનના વિદેશ મંત્રી થયા ભોંયભેગા.. તૂટી ગયો ખભો, ઈરાન યુદ્ધની કરી રહ્યા હતા મધ્યસ્થી
પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડાર રવિવારે ઈસ્લામાબાદમાં મિસરના વિદેશ મંત્રીનું સ્વાગત કરી રહ્યા હતા એ સમયે જ પગ લપસ્યો અને જમીન પર ચત્તાપાટ પડ્યા. આ ઘટના બાદ તેઓ તુરંત ઉભા તો થઈ ગયા પરંતુ પાછળથી કરાવેલા એક્સરેમાં સામે આવ્યુ કે તેમના ખભાના હાડકામાં ફ્રેક્ચર છે.
- Mina Pandya
- Updated on: Mar 30, 2026
- 5:14 pm
Fact Check: પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનું થયું મૃત્યું? જાણો શું છે સત્ય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 65 વર્ષીય ભૂતપૂર્વ જનરલને આ વર્ષની શરૂઆતમાં રાવલપિંડીની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, તેઓ લપસીને બાથરૂમમાં પડી ગયા હતા. ફેબ્રુઆરી 2026 માં બનેલી આ ઘટનાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી.
- Devankashi rana
- Updated on: Mar 30, 2026
- 3:24 pm
Breaking News : લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શબ્બીરની ધરપકડ, ISIના ઈશારે ઘડી રહ્યો હતો કાવતરું
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આંતકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદીની ઓળખ શબીર અહમદ લોનના રુપમાં થઈ છે.
- Nirupa Duva
- Updated on: Mar 30, 2026
- 11:21 am