પાકિસ્તાન
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.
અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.
પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.
છેલ્લા 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યાં
ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી સ્વદેશ પરત મોકલાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતના અંદાજિત 123 માછીમારો સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારે સ્પષ્ટતા કરી કે માછીમારોની સલામતી અને વહેલી મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત પાકિસ્તાન સમક્ષ માનવતાના ધોરણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.
- Manish Gangani
- Updated on: Dec 4, 2025
- 8:33 pm
પાકિસ્તાનમાં ગરીબી છાપરે ચડીને પોકારતી દેખાઈ… હવે એરલાઇન વેચવાની તૈયારી, હરાજીમાં પાકિસ્તાની સેના પણ દાવેદાર
પાકિસ્તાનની આર્થિક કટોકટી અને IMFના દબાણ હેઠળ તેની નુકસાનકારક સરકારી એરલાઇન PIAનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. 23 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં પાકિસ્તાની સેના સાથે સંકળાયેલી ફૌજી ફાઉન્ડેશન પણ દાવેદારીમાં છે.
- Sagar Solanki
- Updated on: Dec 4, 2025
- 3:30 pm
વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ ! ઇસ્લામાબાદમાં ડરનો માહોલ ?
વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. રશિયા અને ભારત વચ્ચેના શસ્ત્ર સોદાને લઈને પાકિસ્તાન ચિંતિત છે. બીજું, પાકિસ્તાનને એવો ડર પણ છે કે અફઘાનિસ્તાન જેવો ખેલ તેની સાથે પણ થઈ શકે છે. જો પુતિન ભારત મુલાકાત દરમિયાન આતંકવાદ પર પ્રહાર કરશે, તો પાકિસ્તાનની સમસ્યાઓમાં વધારો થશે.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 2:43 pm
મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?
મુંબઈના મલબાર હિલ પર આવેલું જિન્ના હાઉસ, એક એવું ઐતિહાસિક સ્થાપત્ય છે, જે ભારત-પાકિસ્તાનના ભાગલાની સમગ્ર પ્રક્રિયાનું સાક્ષી છે. આ બંગલો, જેનું મૂળ નામ સાઉથ કોર્ટ હતું, તે મોહમ્મદ અલી જિન્નાનું ડ્રીમ હાઉસ હતું. 1936માં નિર્મિત આ ઇમારત યુરોપિયન આર્કિટેક્ચરથી સજાવવામાં આવી હતી અને તેની ડિઝાઈન ક્લાઉડ બેટલીએ કરી હતી. અહીં જ 1944માં મહાત્મા ગાંધી અને જિન્ના વચ્ચે ભાગલા અંગેની મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.
- Mina Pandya
- Updated on: Dec 3, 2025
- 8:52 pm
પાકિસ્તાનમાં HIV ના કેસોનો વિસ્ફોટ! WHO એ ફેલાતા રોગચાળા અંગે ચિંતા વ્યક્ત કરી
પાકિસ્તાનમાં HIV ના કેસોમાં છેલ્લા 15 વર્ષમાં 200% થી વધુનો ભયજનક વધારો થયો છે, જેનાથી WHO અને UNAIDS ચિંતિત છે.
- Sagar Solanki
- Updated on: Dec 2, 2025
- 10:57 pm
“ઈતિહાસનો સૌથી વધુ ક્રુર તાનાશાહ છે આસિમ મુનીર,,, મને કંઈ થયુ તો મુનીર જ જવાબદાર”- ઈમરા ખાને લગાવ્યો ટોર્ચર કરવાનો આરોપ
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મળ્યા બાદ, તેમની બહેન ઉઝમા ખાને મીડિયાને જણાવ્યું હતું કે તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે પરંતુ તેમને માનસિક યાતના આપવામાં આવી રહી છે. ઉઝમાએ મંગળવારે પિંડીની અદિયાલા જેલમાં તેના ભાઈ સાથે મુલાકાત કરી. તેમણે જેલમાં 20 મિનિટ વિતાવી હતી.
- Mina Pandya
- Updated on: Dec 2, 2025
- 9:03 pm
Breaking News : સસ્પેન્સ ખતમ, ઈમરાનખાન જીવે છે, 28 દિવસ બાદ અદિયાલા જેલમાં ઈમરાનખાન સાથે બહેન ઉઝમાની થઈ મુલાકાત
ઈમરાન ખાનની બહેન છેલ્લે 4 નવેમ્બરે ઈમરાન ખાનને મળી હતી ત્યારથી, કોઈને પણ ઈમરાનખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકજૂવાળ ફાટી નીકળતા, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની બહેનને જેલની અંદર મળવાની પરવાનગી આપી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 2, 2025
- 6:54 pm
કંગાળ પાકિસ્તાનની થઈ ફજેતી, શ્રીલંકામાં પૂરપીડિતો માટે મોકલ્યુ સડેલુ અને એક્સપાયરી ડેટવાળુ અનાજ, સોશિયલ મીડિયા પર થઈ બબાલ?
પાકિસ્તાન નફ્ફટાઈ અને હલકટાઈની તમામ હદો પાકિસ્તાને પાર કરી લીધી છે. શહબાઝ શરીફે મદદના નામ પર શ્રીલંકામાં જે રાહત સામગ્રી મોકલી છે, તે એક્સપાયર થઈ ગયેલી છે. જો કે નવાઈની વાત એ છે કે આવી દગાબાજી પાકિસ્તાન તેના મિત્ર તૂર્કીય સાથે પણ કરી ચુક્યુ છે.
- Mina Pandya
- Updated on: Dec 2, 2025
- 5:23 pm
જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યા થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમરાનને ના તો કોઈ મળી શક્યુ છે કે ના તો તેનો કોઈ વીડિયો કે તસવીર જારી કરાઈ છે. તેના પરિવારજનો કે તેમના પુત્રને પણ ઈમરાનને મળવા દેવામાં આવતા નથી. આથી પાકિસ્તાનમાં ઈમરાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવાએ વેગ પકડ્યો છે.
- Mina Pandya
- Updated on: Dec 2, 2025
- 3:59 pm
KKR નો વધુ એક ખેલાડી બહાર, IPL ને બદલે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
લાંબા સમયથી IPLમાં રમી રહેલા ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડીએ IPL 2026માં ન રમવાનો નિર્ણય લીધો છે. KKR નો આ ખેલાડી IPL 2026 ઓક્શનમાં ભાગ નહીં લે. IPLના બદલે હવે આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Dec 1, 2025
- 9:05 pm
જેલમાં કઈ થયું ! ઇમરાન ખાન પર સસ્પેન્સ, 5 સંકેતો જેણે ઘટનાની શંકાને વધુ ઘેરી બનાવી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આસપાસની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ રહસ્યમય બની રહી છે. અફઘાન મીડિયાએ તેમની હત્યાનો દાવો કર્યો છે, જ્યારે તેમના પરિવારને ત્રણ અઠવાડિયાથી મુલાકાતની મંજૂરી આપવામાં આવી નથી. છેલ્લા બે અઠવાડિયાથી સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ કે ફોટો બહાર આવ્યો નથી. જોકે, TV9 તેમના મૃત્યુ અંગેના દાવાઓની પુષ્ટિ કરતું નથી.
- Sagar Solanki
- Updated on: Nov 26, 2025
- 4:46 pm
હાફિઝ સઈદને છોડો, પાકિસ્તાનમાં છે 10 મિલિયન ડોલરનો આ આતંકવાદી, અમેરિકા પણ તેને શોધે છે!
અમેરિકાએ અલ-કાયદાના ભારતીય ઉપખંડ (AQIS) ના વડા ઓસામા મહમૂદ પર $10 મિલિયનનું ઈનામ જાહેર કર્યું છે. પાકિસ્તાનમાં છુપાયેલો ઓસામા, એશિયામાં આતંકવાદી જૂથોને જોડવા અને અલ-કાયદાને મજબૂત કરવાની વ્યૂહરચના ઘડી રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Nov 26, 2025
- 2:48 pm
Breaking News : T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યુલ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ 8 માર્ચે અમદાવાદ અથવા કોલંબોમાં રમાશે.
- Smit Chauhan
- Updated on: Nov 25, 2025
- 7:55 pm
IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!
2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે. જેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, એક રિપોર્ટમાં કામચલાઉ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે.
- Smit Chauhan
- Updated on: Nov 21, 2025
- 7:30 pm
Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે કર્યો વધુ એક સનસનાટીભર્યો દાવો, કહ્યું- મોદીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ચર્ચા કરતી વખતે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ભારત તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
- Sagar Solanki
- Updated on: Nov 20, 2025
- 4:51 pm