પાકિસ્તાન
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.
અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.
પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.
Pakistan Stock Market Crash: 3,000 પોઈન્ટ તૂટ્યું કંગાળ પાકિસ્તાનનું શેરબજાર, 30,000 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યાં !
પાકિસ્તાનના શેરબજારમાં 11 નવેમ્બર 2025ના રોજ KSE-100 ઇન્ડેક્સ 3,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને રૂ. 30,000 કરોડથી વધુનું નુકસાન થયું.
- Sagar Solanki
- Updated on: Nov 11, 2025
- 7:29 pm
દિલ્હી કાર બ્લાસ્ટમાં ભારતના સમર્થનમાં આવ્યા અફઘાનીઓ, પાકિસ્તાનને ખુલ્લુ પાડી સુણાવી ખરીખટી- વાંચો
દિલ્હીમાં થયેલા પ્રચંડ કાર બ્લાસ્ટ અંગે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા પ્રોપેગેન્ડા સામે ભારતના સમર્થનાં અફઘાનીઓ આવ્યા છે. તાલિબાન સમર્થકોએ ઈસ્લામાબાદને એક્સપોઝ કરીને તેમને અરીસો બતાવવાનું કામ કર્યુ છે.
- Mina Pandya
- Updated on: Nov 11, 2025
- 4:58 pm
Delhi Blast : દિલ્હીમાં ચાલતા ધમધમાટથી પાકિસ્તાનમાં ભય, મુલ્લા મુનીરે સેનાની ત્રણેય પાંખને કરી એલર્ટ, શાહબાઝે રાતોરાત બોલાવી બેઠક
દિલ્હી બ્લાસ્ટ પછી પાકિસ્તાન સરકાર સત્તાવાર રીતે ચૂપ છે, પરંતુ આંતરિક રીતે બધું ખોટું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેય પાકિસ્તાની સશસ્ત્ર દળો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે સોમવારે મોડી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. પાકિસ્તાનના ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Manish Gangani
- Updated on: Nov 11, 2025
- 4:56 pm
Breaking News : પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ નજીક બ્લાસ્ટ, કાર આગના ગોળામાં ફેરવાઈ, વિસ્ફોટમાં 12 લોકોના મોત
મંગળવારે બપોરે ઇસ્લામાબાદ કોર્ટની બહાર એક મોટો આત્મઘાતી હુમલો થયો. આ વિસ્ફોટ દૂર દૂર સુધી સંભળાયો અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આ હુમલા માટે કાબુલને જવાબદાર ઠેરવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Nov 11, 2025
- 4:42 pm
Delhi Blast : દિલ્હી બ્લાસ્ટ એ પાકિસ્તાનનું ષડયંત્ર? ઘટનામાં ટેરર એંગલ પર થશે તપાસ, આતંકવાદી હુમલો હશે તો ફરી થશે યુદ્ધ ?
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના બની હતી. લાલ કિલ્લા વિસ્તારમાં સોમવારે સાંજે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટના બાદ, સરકાર સક્રિય થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે જાતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી હતી. એજન્સીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. જો કે સંપૂર્ણ ઘટનાને આતંકવાદી હુમલાના દ્રષ્ટિકોણથી પણ તપાસ કરવામાં આવશે?
- Disha Thakar
- Updated on: Nov 11, 2025
- 11:45 am
ગુજરાત ATS એ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તેઓ પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા અને નાણાં તથા ઝેર બનાવવાની સામગ્રીની આપ-લે કરતા હતા. અમદાવાદમાં રેકી પણ કરી હતી.
- Mihir Soni
- Updated on: Nov 10, 2025
- 7:50 pm
મુલ્લા મુનીરની તાકાતમાં થશે વધારો, પાકિસ્તાનના બંધારણમાં થવા જઈ રહ્યો છે 27મો બંધારણીય સંશોધન
પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બંધારણીય સંશોધન પર મતદાન થવાનું છે. તેનો ઉદ્દેશ્ય સેનાના નેતૃત્વના માળખાને નવુ રૂપ દેવાનો અને ન્યાયપાલિકામાં સુધાર બતાવવામાં આવ્યો છે. વિપક્ષી દળ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે.
- Mina Pandya
- Updated on: Nov 10, 2025
- 3:04 pm
નહી સુધરે કંગાળ પાકિસ્તાન, ભારતીય ક્રિકેટરના ફોટોની કોપી કરી તો લોકોએ કહ્યું-નકલ કરવા માટે પણ અક્કલ જોઈએ ભાઈ
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટ્રોફી જીત્યા બાદ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કરે છે. તે આપણે સૌએ જોયું છે. ત્યારે હવે આ કંગાળ પાકિસ્તાન ફોટોની પણ કોપી પેસ્ટ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાની ખેલાડીએ હાર્દિક પંડ્યાના ફોટોની કોપી કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે.
- Nirupa Duva
- Updated on: Nov 10, 2025
- 10:11 am
પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..
મોહન ભાગવતે ભારત-પાક સંબંધો પર ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનનું શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રહેશે તો યોગ્ય જવાબ અપાશે.
- Sagar Solanki
- Updated on: Nov 9, 2025
- 9:05 pm
મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો
ભારતીય સેના દ્વારા ઓપરેશન પિમ્પલના ભાગ રૂપે, સેના અને સુરક્ષા દળોએ કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટ અને ડ્રગ્સઓ મળી આવ્યા હતા. વધુમાં, આતંકવાદીઓ પાસેથી ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર અંગે આસીમ મુનીર અને પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Nov 8, 2025
- 6:41 pm
Asia Cup 2025 : ટ્રોફી વિવાદ પર સૌથી મોટું અપડેટ, BCCI-નકવીની બેઠકમાં આ અંગે સર્વસંમતિ સધાઈ
ટીમ ઈન્ડિયાને હજુ સુધી એશિયા કપ 2025 ની ટ્રોફી મળી નથી, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ શરૂ ચાલી રહ્યો છે. જોકે, હવે થોડી રાહત મળી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા અને PCB ચેરમેન મોહસીન નકવી વચ્ચે સમજૂતી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Nov 8, 2025
- 5:58 pm
Porbandar : પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ ! અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટ પર ફાયરિંગ કરી, 7 ખલાસીનું કર્યું અપહરણ, જુઓ Video
પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે IMBL નજીક ભારતીય બોટ બળજબરીપૂર્વક કબજે કરાઇ છે.
- TV9 Gujarati
- Updated on: Nov 8, 2025
- 2:23 pm
અરબી સમુદ્રમાંથી 7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી, પાકિસ્તાને બળજબરી પૂર્વક ભારતના 7 માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. હાલમાં આ સાતેય માછીમારો પાકિસ્તાનના કબજામા હોવાનું સૂત્રોએ કહ્યું છે. જો કે, આ ઘટના અંગે ભારતની કોઈ પણ એજન્સી સત્તાવાર રીતે કાંઈ પણ કહેવા તૈયાર નથી.
- TV9 Gujarati
- Updated on: Nov 7, 2025
- 5:30 pm
IND vs PAK : ભારતે પાકિસ્તાનને 2 રનથી હરાવ્યું, ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની કરી જબરદસ્ત ધુલાઈ
હોંગકોંગ સિક્સેસ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 2 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે 86 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 3 ઓવરમાં 41 રન બનાવ્યા, પરંતુ વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી, અને ભારત ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર મેચ જીત્યું.
- Smit Chauhan
- Updated on: Nov 7, 2025
- 5:03 pm
નહીં સુધરે પાકિસ્તાન : ISI ની મદદથી જૈશ-એ-મોહમ્મદ એ રચી નવી મહિલા પાંખ, અઝહર મસુદની બહનને સોંપી કમાન
જૈશ-એ-મોહમ્મદ દ્વારા પાકિસ્તાનમાં મહિલા શાખાની રચનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ ઊભી કરી છે. મસૂદ અઝહરની બહેનના નેતૃત્વ હેઠળના આ એકમને ISIનો ટેકો હોવાનું માનવામાં આવે છે.
- Sachin Agrawal
- Updated on: Nov 6, 2025
- 6:38 pm