Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

ભારત કરતા ઘણી અલગ છે પાકિસ્તાનની સ્કુલ, અહીં છોકરીઓ માટેના ઘણા નિયમો

પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં. આવો જાણીએ જવાબ

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

Gold News : ગરીબ પાકિસ્તાનમાં રેકોર્ડ મોંઘુ થયું સોનું, જાણો કિંમત

પાકિસ્તાનમાં આર્થિક સંકટ અને ગરીબીના કારણે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. સોનાના ભાવમાં દરરોજ 1415-1650 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે.

Pakistan : પાકિસ્તાની ખેલાડીઓનો પગાર મજૂરો કરતા ઓછો થયો, હવે ફક્ત આટલા પૈસા મળશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કંઈક એવું કર્યું છે જેના પછી તેની ટીકા થઈ રહી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે PCBએ ઘરેલુ મહિલા ક્રિકેટરોનો પગાર મજૂરો કરતા પણ ઓછો કરી દીધો છે. એટલું જ નહીં, તેમની મેચ ફી પણ માત્ર 6 હજાર રૂપિયા થઈ ગઈ છે.

લાઈવ મેચમાં પાકિસ્તાની ક્રિકેટરનું મોત, ભારે ગરમીને કારણે જીવ ગુમાવ્યો

પાકિસ્તાની મૂળના એક ક્રિકેટરનું લાઈવ મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના અતિશય ગરમીને કારણે બની હતી. 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં રમાયેલી મેચમાં આ ખેલાડીએ 40 ઓવર ફિલ્ડિંગ કરી, ત્યારબાદ સાત ઓવર બેટિંગ કરી અને પછી તે જમીન પર પડી ગયો હતો.

પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના 123 સહીત કુલ 194 ભારતીય માછીમારો

ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાના દેશની જેલોમાં કેદ રહેલા એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી લૂંટાયું પાકિસ્તાન, 2383 કરોડનો લાગ્યો ચૂનો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડ્યું છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 2383 કરોડનું નુકસાન થયું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત કથળી ગઈ છે.

આ 5 સંકેતો દર્શાવે છે કે, આતંકવાદી હાફિઝ સઈદનું પણ કામ પૂરું !

પાકિસ્તાની પત્રકાર નઈમ મન્સૂરે સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે હાફિઝ સઈદ એક ઓપરેશનમાં માર્યો ગયો છે. આ દાવા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. મંસૂરના કહેવા પ્રમાણે, લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ અબુ કતલ પણ માર્યો ગયો છે. અન્ય એક પત્રકાર અરશદ યુસુફઝઈએ પણ કહ્યું છે કે, અજાણ્યા લોકોએ કરેલા હુમલામાં લશ્કર-એ-તૈયબાના બે લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં હાલાત બેકાબૂ, હુમલાઓ બાદ સૈનિકો ફરાર, અરબ દેશોમાં શોધી રહ્યા છે આશરો

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ અને વધતી જતી અસુરક્ષા વચ્ચે તેના સૈનિકો સેનાથી દૂર ભાગી રહ્યા છે. એક સપ્તાહની અંદર 2500 જવાનોએ સેના છોડી દીધી છે. સૈનિકોની સંખ્યામાં આ ઘટાડો માત્ર સૈન્યની કાર્યક્ષમતાને અસર કરે છે એટલું જ નહીં દેશની સ્થિરતા પર પણ સવાલો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, જાણો કેમ થાય છે નાસભાગ?

“મે એમને શપથ સમારોહમાં બોલાવ્યા, શાંતિના પ્રયાસો માટે હું પોતે લાહોર ગયો, પરંતુ… ” – PM મોદી

પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્તમાં જણાવ્યુ કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના ઘટે છે તો ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનું કનેક્શન સામે આવે જ છે. તેમણે કહ્યુ કે અમેરિકામાં 9/11નો મોટો હુમલો થયો. તેનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં આશ્રય લઈને બેઠો હતો. દુનિયા ઓળખી ગઈ છે કે પાકિસ્તાન પરેશાનીનું એપીસેન્ટર બની ચુક્યુ છે.

Breaking News : પાકિસ્તાનમાં સૈન્ય કાફલા પર હુમલો, 90 જવાનના મોતનો દાવો, BLA એ હુમલાની લીધી જવાબદારી

બલૂચિસ્તાનના નોશ્કીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા છે અને 13 ઘાયલ થયા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે અને દાવો કર્યો છે કે હુમલામાં લગભગ 90 સૈનિકો માર્યા ગયા છે. આ ઘટના જમ્મુ કાશ્મીરના પુલવામા 2019માં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા જેવી જ લાગે છે.

Breaking News : ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ હુમલામાં ઘાયલ, રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ

ભારતના દુશ્મન એવા હાફિઝ સઈદ પાકિસ્તાનના પંજાબના જેલમ ખાતે અજાણ્યા લોકોએ કરેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો છે. પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનોને કેટલાક અજાણ્યા લોકો મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. આ અજાણ્યા લોકોએ કરેલા ગોળીબારમાં હાફિઝ સઈદને ઈજા પહોચવાની સાથે તેના ખાસ સાથી એવા અબુ કતાલનુ મોત થયું છે.

Breaking News : ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સાથીદાર અબુ કાતલ સિંઘીની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હત્યા

Abu Katal Singhi Killed : ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. ભારતમાં તાજેતરમાં જમ્મુના રિયાસી વિસ્તારમાં યાત્રાળુઓની બસ પર કરાયેલા હુમલામાં અબુ કાતલ સિંધીનુ નામ સામે આવ્યું હતું. તે છેલ્લા ઘણા સમયથી લાપત્તા હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે.

પાકિસ્તાન સુપર લીગ કરતા ઘણી વધારે છે ભારતની મહિલા પ્રીમિયર લીગની પ્રાઈઝ મની, જાણો ચેમ્પિયનને કેટલા કરોડ મળશે?

મહિલા પ્રીમિયર લીગ 2025ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ ફાઈનલ જીતનાર ટીમને કરોડો રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. આ લીગની ઈનામી રકમ પાકિસ્તાન સુપર લીગ કરતા પણ વધુ છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો

ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર ખોટા હતા, પરંતુ ઝીણાએ પાકિસ્તાની સેનાને કલાત પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. બલૂચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર હુમલો કરી દીધો. કલાતના ખાનનું અપહરણ કરી તેને કરાચી લઈ જવામાં આવ્યા. કરાચીમાં તેની પાસે બળજબરીથી વિલય પત્ર પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે બલૂચિસ્તાન ભારતના હાથમાંથી નીકળી ગયુ.

g clip-path="url(#clip0_868_265)">