પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

સ્ટાર ખેલાડીએ T20 વર્લ્ડ કપ પહેલા લીધો સંન્યાસ, 18 વર્ષનું રહ્યું ક્રિકેટ કરિયર

આ વર્ષ ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે, આ પહેલા પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહ્યું છે. પોતાની દિકરી સાથેનો ફોટો પોસ્ટ કરી એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

ગુજરાતી સહિત ત્રણ વકીલોએ પાડ્યા હતા દેશના ભાગલા ?

સ્વતંત્રતાની લાંબી લડાઈ બાદ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આખરે દેશ સ્વતંત્ર થયો. દેશ આઝાદ તો થયો, પરંતુ બે ભાગલામાં વહેંચાઈ ગયો. હિંદુ બહુમતી વિસ્તાર ભારત બન્યો અને મુસ્લિમ બહુમતી વિસ્તાર પાકિસ્તાન બન્યો. ત્યારે આ લેખમાં એ ત્રણ વકીલો વિશે જણાવીશું કે જેમની વિભાજનમાં શું ભૂમિકા હતી અને કોણ હતા આ ત્રણેય વકીલ ?

કાશ્મીર મુદ્દે ચાલાકી કરવા ગયુ પાકિસ્તાન, પરંતુ ઈરાને આખો દાવ ઊંધો કરી નાખ્યો, જાણો

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉખાળવા માટ, તેની ગાઝા સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં પણ ભારતીયોના અત્યાચારોને કારણે મુસ્લિમોનું લોહી વહી રહ્યું છે. શાહબાઝ શરીફે વિશ્વના મુસ્લિમોમાં એકતાની અપીલ કરી હતી. પરંતુ પાકિસ્તાનની ચાલાકી સમજી ચૂકેલા ઈરાને આખો દાવ જ ઉંધો કરી નાખ્યો.

પાકિસ્તાનનો જમાઈ બનશે રેપર બાદશાહ ? એક્ટ્રેસ હાનિયા આમિર સાથે ફરી વાયરલ થયા ફોટા, જુઓ અહીં

રેપર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની ડેટિંગની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. જ્યારે પણ બંનેની એક સાથે તસવીરો વાયરલ થાય છે, ત્યારે ચાહકોને એક જ સવાલ થાય છે કે બાદશાહ અને હાનિયા આમિર ડેટિંગ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાદશાહ અને હાનિયા આમિરના લેટેસ્ટ દુબઈ વેકેશનનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે.

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

પરશોત્તમ રૂપાલાએ કરેલો બફાટ આજે તેમને જબરદસ્ત ભાજપને નડી રહ્યો છે. બે-ત્રણ વાર રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, બાદમાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે હાથ જોડ્યા પરંતુ રાજપૂતો પોતાની માગ પર અડગ છે. દેશમાં પણ અનેક નેતાઓએ સમાજ કે વ્યક્તિ કે ધર્મ પર ટિપ્પણી કરી અને લોકોએ તેમને વોટ ન આપીને ઘરે બેસાડી દીધા છે. એવા અનેક ઉદાહરણો છે, તો ચાલો જાણીએ તે નેતાઓ વિશે.

આતંકને જન્મ આપનાર આજે લોટ માટે તડપી રહ્યો છે, પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના દમોહમાં ચૂંટણી પ્રચાર કરતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આજે વિશ્વના ઘણા દેશોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણા દેશો નાદાર થઈ રહ્યા છે. આપણો એક પાડોશી દેશ, જે આતંકવાદનો સપ્લાયર હતો, તે હવે લોટ મેળવવા માટે તડપી રહ્યો છે.

પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ રમવા માંગે છે રોહિત શર્મા, કહ્યું ભારત-પાક મેચ કેવી રીતે થઈ શકે?

ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. 2008માં મુંબઈ હુમલા બાદ બંને ટીમોએ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તટસ્થ જગ્યાએ ટેસ્ટ સિરીઝ રમાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી.

પાકિસ્તાનમાં સરકારે ટ્વિટર લગાવ્યો પ્રતિબંધ, કોર્ટે કહ્યું- અઠવાડિયામાં નિર્ણય પાછો લો

Pakistan Ban Twitter : હવે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ Twitter તરીકે ઓળખાતુ) નો ઉપયોગ કરી શકશે નહીં. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે અગાઉ પણ તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પ્રતિબંધ અંગે આદેશ જાહેર કર્યો હતો. જાણો શા માટે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સરબજીત સિંહના હત્યારાનો પાકિસ્તાનમાં ખેલ ખતમ, ‘અજાણ્યા હુમલાખોરોએ’ કરી હત્યા

પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની રવિવારે હત્યા કરવામાં આવી હતી. સરફરાઝને 'અજાણ્યા હુમલાખોરો'એ ગોળી મારી હતી.

દુનિયામાં 195 દેશ પણ ભારત અને તેમાં પણ ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ, જાણો ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પાછળનું કારણ

ભારતના દરિયાકિનારાની લંબાઈ અંદાજે 7517 કિલોમીટર છે. આમાં બંગાળની ખાડીમાં હાજર અંદમાન અને નિકોબાર ટાપુઓની દરિયાકાંઠાની લંબાઈ અને અરબી સમુદ્રમાં હાજર લક્ષદ્વીપ ટાપુનો પણ સમાવેશ થાય છે. જો આ ટાપુના સમુહને દૂર કરીને ભારતના દરિયા કિનારાની લંબાઈ માપવામાં આવે તો લંબાઈ 6100 કિલોમીટર થાય છે. આ સમગ્ર લંબાઈ સાથે ઘણા દરિયાકિનારા અને ઘણા બંદરો પણ આવે છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાયાના અહેવાલો સતત કેમ આવે છે? તો ચાલો જાણીએ કે ગુજરાતના દરિયાકિનારામાં એવુ તો શું છે કે અહીં ડ્રગ્સ પકડાય છે.

પાકિસ્તાનના ફરીથી ભાગલા પડશે, ઈમરાન ખાને જેલમાંથી ભાખ્યું ભવિષ્ય !

જેલમાં કેદ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, ફરી એકવાર બાગ્લાદેશની માફક દેશના ભાગલા પડશે. ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. જેલમાંથી પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કહ્યું હતું કે, દેશની આવી સ્થિતિમાં ફરી એકવાર પાકિસ્તાનના ભાગલા પડે તો નવાઈ નહી.

શું પાકિસ્તાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની કરાવી રહ્યું છે હત્યા? જુઓ VIDEO

અમેરિકામાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય મૂળનો છે. ઓપન ડોર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 2.75 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ દર વર્ષે ફી અને અન્ય બાબતોમાં 9 બિલિયન ડોલર ખર્ચે છે.

‘આઝાદ પાકિસ્તાન’ નહીં પણ ‘POK’, NCERTએ આ પુસ્તકમાં કર્યા છે મોટા ફેરફારો

NCERT એ કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ પુસ્તકમાં કેટલાક ફેરફારો કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની સંપૂર્ણ વાત પેજ નંબર 132 પર લખેલી છે. આમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ પહેલા પણ ઈતિહાસ અને રાજનીતિના પુસ્તકોમાંથી ઘણી વસ્તુઓ હટાવીને ઉમેરવામાં આવી હતી.

અઝહર મહમૂદ બન્યા પાકિસ્તાનના મુખ્ય કોચ, PCBએ લીધા વધુ 3 મોટા નિર્ણય

અઝહર મહમૂદને પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વહાબ રિયાઝને ટીમના સિનિયર મેનેજરની જવાબદારી, મોહમ્મદ યુસુફને બેટિંગ કોચ અને સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવ્યું ત્યારે અઝહર મહેમૂદ પાકિસ્તાનના બોલિંગ કોચ હતા.

કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાએ કર્યુ ભારતનું સમર્થન, પાક PMના મનસુબા પર ફેરવાયું પાણી

ભારત અને પાકિસ્તાન બંને સાઉદી અરેબિયા સહિતના આરબ દેશો સાથે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી દિલ્હી અને રિયાધ વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાઉદી અરેબિયાએ જમ્મુ-કાશ્મીર પર સંતુલિત વલણ જાળવી રાખ્યું છે.

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">