AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ દિવસે ખાસ ખીચડી તૈયાર કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14-15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 2014માં 15 જાન્યુઆરીએ રાત્રે 2:43 વાગ્યે, સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.

હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ભગવાન દર મહિને તેમની રાશિ બદલી નાખે છે. પરંતુ જ્યારે તેઓ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શુભ યોગને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

Read More

અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરી વેચનારની ધરપકડ કરી, સુરતથી લાવેલા 8 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ ચાઇનીઝ દોરીની કાળાબજારી શરૂ થઈ, અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીનું મોટું રેકેટ ઝડપ્યું આગળની કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ હાલ ફરાર

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ગૃહમંત્રી અમિત શાહે મન મુકીને માણી ઉત્તરાયણ, ચિકી અને લાડુની ઉડાવી જ્યાફત્ત – જુઓ Video

પતંગપ્રેમી અમિત શાહ અચૂક ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં અમદાવાદીઓ સાથે ઉજવે છે. આ વર્ષે પણ તેમની આ પરંપરા અકબંધ રહી અને શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ શહેરજનોની સાથે તેઓ પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા. સાથે લાડુ ચિકી અને ચાની ચુસ્કી તો ખરીજ.

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં દુકાનો બહાર લાગી લાંબી કતાર, જુઓ Video

ઊંધિયાના સ્વાદ વિના ઉત્તરાયણની ઉજવણી અધુરી જ કહેવાઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આજે સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા હતા. ઊંધિયા-જલેબીના સ્ટોલ પર રીતસરની લોકોની લાઈનો લાગી હતી. ઉત્તરાયણના દિવસે મસાલેદાર ઊંધિયું અને જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા ગુજરાતવાસીઓએ અકબંધ રાખી છે.

ગૃહ મંત્રી અમિત શાહની પતંગબાજી…મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉતરાયણની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Kite Festival : પતંગ ઉડાડવા માટે કેટલો પવન જરૂરી છે, શું હવાની તેજ ગતિએ પણ પતંગ ઉડાડી શકાય?

Kite Festival : મકરસંક્રાંતિના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો જોઈને દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે પતંગ ઉડાડવા માટે કેટલી હવાની જરૂર પડે છે?

પતંગના ધારદાર દોરાથી ઈજા પામેલા પક્ષી માટે રાજ્યમાં 1000 સારવાર કેન્દ્ર, 600થી વધુ વેટરનિટી તબીબો, 8000થી વધુ સ્વયંસેવકો ખડેપગે

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી.

Makar Sankranti 2025 : અહીં મકાન નહિ પરંતુ એક દિવસ માટે ભાડે મળે છે અગાશી, 1 દિવસનો ભાવ છે લાખોમાં

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ રહે છે. અને તેમાં પણ પોળની ઉત્તરાયણની તો મજા જ કંઈક ઓર હોય છે. ઉત્તરાયણની ઉજવણી માટે વિદેશથી પણ લોકો અહીં આવે છે. તો ચાલો જાણીએ અહિ લોકો એક દિવસ માટે અગાશી કેમ ભાડે રાખે છે.

Ahmedabad : અમિત શાહે મેમનગરના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની કરી ઉજવણી, જુઓ Video

ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. અમિત શાહે મેમનગર ખાતે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણી કરી છે.

Makar Sankranti 2025 : વિજય રુપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી ઉત્તરાયણની ઉજવણી, રાજકારણના પવન અંગે પણ આપ્યું નિવેદન, જુઓ Video

રાજકોટમાં પૂર્વ CM વિજય રુપાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પરિવારજનો સાથે પતંગોત્સવની મઝા માણી રહ્યાં છે. ઉત્તરાયણ અને પતંગોત્સવ ગુજરાતીની ઓળખાણ છે. ત્યારે પૂર્વ CM વિજય રુપાણી રાજકારણના પવન અંગે પણ બોલ્યા છે.

દિલ્હીના નારાયણા ગામના લોકો સાથે લોહરી ઉજવતા PM નરેન્દ્ર મોદી

13 જાન્યુઆરીને સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સાથી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી હતી. સાંજે, તેમણે દિલ્હીના નારાયણા ગામમાં લોહરી ઉત્સવમાં ભાગ લીધો અને ગ્રામ્યજનોને લોહરી ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી.

પતંગ ચગાવીને થાકી ગયા છો ? સવારે નાસ્તામાં બનાવો આ સાઉથ ઈન્ડીયન વાનગી

ઉત્તરાયણના દિવસે સવારથી સાંજ સુધી પતંગ ચગાવીને થાકી ગયા હોય ત્યારે રસોઈ કરવાનું ગમતુ નથી. તો આજે અમે તમારા માટે એકદમ ટેસ્ટી હેલ્ધી અને 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવી સાઉથ ઈન્ડીયન વાનગીની રેસિપી જણાવીશું.

આજનું હવામાન : પતંગ રસિયાએ માટે ખુશીના સમાચાર ! હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર :રાજ્યમાં HMP વાયરસે વધારી સરકારની ચિંતા, સૌથી વધુ ગુજરાતમાં 4 કેસ, તો દેશમાં HMPVના કેસની સંખ્યા વધીને 18 પર પહોંચી, પુડુચેરી-મહારાષ્ટ્રમાં નોંધાયા ત્રણ-ત્રણ કેસ

આજ 14 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમાં

14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

Stock Market Holidays : મકરસંક્રાંતિના દિવસે શેર બજાર ચાલુ રહેશે કે બંધ ? જાણો શું કહે છે હોલી ડે કલેન્ડર

Share Market on Sankranti: આ દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ રહેશે તે અંગે મૂંઝવણ છે. તો ચાલો જાણીએ કે બન્ને તેહવારના દિવસે શેર માર્કેટ ચાલું રહેશે કે બંધ.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">