મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ દિવસે ખાસ ખીચડી તૈયાર કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14-15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 2014માં 15 જાન્યુઆરીએ રાત્રે 2:43 વાગ્યે, સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ભગવાન દર મહિને તેમની રાશિ બદલી નાખે છે. પરંતુ જ્યારે તેઓ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શુભ યોગને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.
ગજબનો ધનલાભ થશે ! વિદેશમાં નોકરીથી લઈને વ્યવસાયમાં પ્રગતિ સુધી… મકરસંક્રાંતિનો તહેવાર આ 3 રાશિના જાતકોને ફળશે
મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય અને શનિના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે.
- Ravi Prajapati
- Updated on: Jan 12, 2026
- 8:51 pm
Makar Sankranti 2026 : સૂર્ય દોષથી મુક્તિ મેળવવા માટે આ ખાસ ઉપાયો અપનાવો
વર્ષ 2026માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે. આ પવિત્ર દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. કુંડળીમાં સૂર્ય દોષની નકારાત્મક અસરોને દૂર કરવા માટે આ શ્રેષ્ઠ અવસર છે.
- Sagar Solanki
- Updated on: Jan 12, 2026
- 6:19 pm
Makar Sankranti 2026 : પિતૃદોષથી મુક્તિ મળશે ! મકરસંક્રાંતિ પર બસ આ એક ‘અમૃત મુહૂર્ત’ માં ભગવાન શિવનો અભિષેક કરો
'મકરસંક્રાંતિ' પિતૃદોષ નિવારણ માટે ખાસ દિવસ માનવામાં આવે છે. માન્યતા મુજબ મકરસંક્રાંતિના અમૃત મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
- Ravi Prajapati
- Updated on: Jan 12, 2026
- 6:06 pm
પતંગની સાથે સાથે પવન અને આકાશ પણ તૈયાર ! હવામાન વિભાગની આગાહી બાદ પતંગપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ – જુઓ Video
આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 3:50 pm
Makar Sankranti 2026: શ્રીરામ અને પતંગ વચ્ચે શું છે સંબંધ, મકરસંક્રાંતિ પર શા માટે ઉડાવવામાં આવે છે, જાણો વૈજ્ઞાનિક કારણ
Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનો ઇતિહાસ ખૂબ જૂનો છે, તેનું વર્ણન શાસ્ત્રોમાં પણ છે તો જાણી લો કે મકરસંક્રાંતિ પર પતંગ અને શ્રી રામ વચ્ચે પણ એક સંબંધ છે.
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 12:39 pm
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ- Video
આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે અમદાવાદના આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 11:34 am
Breaking News : પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
ઉત્તરાયણને લઈ પતંગરસિકો માટે ખુશખબર સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે રાજ્યભરમાં પતંગરસિકો આનંદ માણી શકશે.
- TV9 Gujarati
- Updated on: Jan 11, 2026
- 1:08 pm
Makar Sankranti 2026 : મકરસંક્રાંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો દાન, સૂર્યદેવ તમારું ભાગ્ય ચમકાવશે !
Makar Sankranti 2026 Daan: મકરસંક્રાંતિ પર લોકો ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરે છે. આ દિવસે દાન પણ કરવામાં આવે છે. આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવાથી ભગવાન સૂર્યના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિ પર તમારી રાશિના આધારે શું દાન કરવું.
- Meera Kansagara
- Updated on: Jan 8, 2026
- 8:54 am
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ચાઈનીઝ દોરી વિરુદ્ધ જાગૃતિ, વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા
ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીથી થતા અકસ્માતો અને પક્ષીઓના નુકસાનને અટકાવવા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ સુરક્ષિત પતંગોત્સવ માટે પ્રતિજ્ઞા લીધી.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2026
- 5:12 pm
Makar Sankranti 2026 : ગુજરાતના આ શહેરમાં 1,2 નહી પરંતુ 4 વખત થાય છે ઉત્તરાયણની ઉજવણી, જુઓ ફોટો
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે.ખંભાતમાં મહિનામાં ચાર વખત ઉતરાયણની ઉજવણી થાય છે.
- Nirupa Duva
- Updated on: Jan 7, 2026
- 2:39 pm
Makar Sankranti 2026 Rashifal: આ 3 રાશિઓ માટે મકરસંક્રાંતિ શુભ રહેશે! શુક્ર દેવતા કરશે ગોચર
Makar Sankranti 2026 Rashifal: મકર સંક્રાંતિના બરાબર એક દિવસ પહેલા દેવતા શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે શુક્રનું આ ગોચર ખૂબ જ પ્રભાવશાળી અને લાભદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શુક્રના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે.
- Meera Kansagara
- Updated on: Jan 7, 2026
- 9:37 am
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, દેશી ગોળની માગમાં વધારો, જુઓ Video
શિયાળો જામતા અને મકરસંક્રાંતિ નજીક આવતા જ નર્મદા જિલ્લામાં ગોળના કોલા ફરી એકવાર ધમધમી ઉઠ્યા છે. ઉત્તરાયણના તહેવારમાં ચીકી, કચરિયું (સાની) જેવી વાનગીઓ બનાવવામાં ગોળનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી દેશી અને કેમિકલ વગરના ગોળની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 6, 2026
- 3:21 pm
Makar Sankranti 2026 : મકરસંક્રાંતિ પર સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાની સાચી રીત જાણો, ભૂલથી પણ આ ભૂલો ન કરો!
Makar Sankranti Mistakes: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર વિશેષ આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ ધરાવે છે. આ દિવસે સૂર્ય દેવ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે સૂર્યના ઉત્તરાયણ (ઉત્તર દિશા) ને દર્શાવે છે. આ પવિત્ર પ્રસંગે સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, ધાર્મિક વિધિમાં નાની ભૂલ પણ પુણ્યને બદલે પાપનું કારણ બની શકે છે. ચાલો અર્ઘ્ય અર્પણ કરવાની સાચી પદ્ધતિ અને આપણે કઈ ભૂલો ટાળવી જોઈએ તે આજે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Jan 6, 2026
- 8:51 am
સૂર્યનું મકર રાશિમાં ગોચર, મકરસંક્રાંતિ પર આ રાશિઓ બનશે ભાગ્યશાળી, જાણો
સૂર્ય ભગવાન જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે માનવામાં આવે છે. સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ થવાથી જ મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવાય છે. જ્યોતિષ મુજબ આ ગોચર ઘણા રાશિઓ માટે શુભ પરિણામ લાવે છે. આ દિવસે પવિત્ર સ્નાન અને દાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હવે જાણીએ કે કઈ રાશિઓને સૂર્યના મકર ગોચરથી લાભ મળી શકે છે.
- Ashvin Patel
- Updated on: Jan 3, 2026
- 5:48 pm
Travel Tips : પતંગ રસિકો થઈ જાવ તૈયાર, આ શહેરોમાં યોજાશે International Kite Festival
ઉતરાયણના દિવસે રાજ્યના મોટાભાગના શહેરોનું આકાશ સવારથી લઈને સાંજ સુધી પતંગોથી ભરેલું રહે છે. તો ચાલો જાણી લો ક્યા ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Dec 22, 2025
- 4:46 pm