AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ દિવસે ખાસ ખીચડી તૈયાર કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14-15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 2014માં 15 જાન્યુઆરીએ રાત્રે 2:43 વાગ્યે, સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.

હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ભગવાન દર મહિને તેમની રાશિ બદલી નાખે છે. પરંતુ જ્યારે તેઓ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શુભ યોગને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

Read More

આ દેશમાં પતંગ ઉડાવવી ગણાય છે ગંભીર અપરાધ, ઉડાવવા પર થાય છે જેલ અને મોટો દંડ

આપણી પડોશમાં જ એક એવો દેશ આવેલો છે જ્યાં પતંગ ઉડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ત્યાં પતંગ ઉડાવવાને ગંભીર અપરાધની શ્રેણીમાં રખાયુ છે અને પતંગ ઉડાવનાર કોઈ પકડાય તો તે બિનજામીનપાત્ર ગુનો બને છે અને તેને જેલમાં જવુ પડે છે.

અમદાવાદના મૌલાનાનો મુસ્લિમોને પતંગ ન ચગાવવાની અપીલનો Video વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ, MLA ઇમરાન ખેડાવાલાએ કરી તપાસની માગ

અમદાવાદના બહેરામપુરામાં ઉત્તરાયણને લઈને મસ્જિદના લાઉડસ્પીકર પરથી કરાયેલી જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મુસ્લિમોને પતંગ ન ઉડાડવા અને “આપણો તહેવાર નથી” એવું કહેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. TV9ની તપાસમાં વીડિયો બહેરામપુરાના બેરલ માર્કેટ સ્થિત મસ્જિદનો હોવાનું સામે આવ્યું છે.

પતંગ દોરી છોડીને હાથમાં પકડ્યા દારુના ગ્લાસ, ધાબા પર ચાલતી પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 16 પકડાયા – જુઓ Video

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી 'સેન્ટેરીયન વિસ્ટા' બિલ્ડિંગના ધાબે ચાલી રહેલી દારૂની મહેફિલ પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ- જુઓ Video

સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સામે પોલીસ ફરિયાદ..પતંગ ખરીદવા આવેલા 3 લોકોને માર માર્યાનો આક્ષેપ..સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ અને તેના ભાઇ સહિત 3 સામે ફરિયાદ દાખલ..પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં થઇ હતી બબાલ..પતંગના ભાવને લઇને અલ્પેશના ભાઇ અને ગ્રાહક વચ્ચે થઇ હતી માથાકૂટ

કાયદાનો રક્ષક જ ભાન ભૂલ્યો ! દારૂના વેપારમાં પોલીસકર્મીએ હાથ મિલાવ્યો, કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા – જુઓ Video

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે દારૂના મોટા વેપલાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગેંગ પર કાર્યવાહી કરી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વાડીગામમાં ઉત્તરાયણ મનાવીને તાજી કરી જૂની યાદો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે સવારે ગાંધીનગર ખાતે અને બપોરના સમયે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદમાં દરિયાપુર વાડીગામ ખાતે મૂળજી પારેખની પોળના એક મકાનના ધાબા પરથી પતંગ ચગાવ્યો હતો.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર ખાઇ, પતંગ ચગાવી કરી ઉત્તરાયણની ઉજવણી, જુઓ Video

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે.પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહ છવાયો છે. ત્યારે આજે ઉતરાયણના પર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી માદરે વતન ગુજરાતમાં આવ્યા છે.

Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઊંધિયું અને જલેબી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરાયું હતું. પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે ઊંધિયા-પૂરીની ઝમાટવટ માનવ દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ મકરસંક્રાંતિની વિશેષ ઉજવણી હતી.

Undhiyu Franky Recipe : ઊંધિયૂથી સ્વાદિષ્ટ વેજ ફ્રેન્કી બનાવો, બાળકો પણ વારંવાર માંગશે

મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મોટાભાગના ઘરોમાં પરંપરાગત વાનગી, ઊંધીયુ બનાવવામાં આવે છે, જે વિવિધ શાકભાજીથી બને છે. જોકે, બાળકોને તે ઘણીવાર ગમતું નથી. આવા કિસ્સાઓમાં, તમે તેમના માટે સ્વાદિષ્ટ રેપ બનાવી શકો છો.

Breaking news : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, વહેલી સવારથી જ ધાબા પર ચઢ્યા લોકો, જુઓ VIDEO

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે. મણિનગર વિસ્તારમાં વહેલી સવારથી જ યુવાનો ધાબા પર ચઢી ગયા છે. સારા પવનને કારણે પતંગરસિકોમાં ઉત્સાહનો માહોલ છે. રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે, જ્યારે લોકો ઉંધિયું-જલેબી સહિતના વ્યંજનોની મજા માણી રહ્યા છે.

Makar Sankranti 2026: આજે આ વસ્તુઓનું દાન કરો અને શનિદેવને કરો પ્રસન્ન

મકરસંક્રાંતિ 2026 દાન: મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે માઘ મહિનામાં ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર એ સૂર્યદેવના પુત્ર શનિદેવની રાશિ છે. મકરસંક્રાંતિ દેશભરમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન કરીને આ દિવસે દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. માન્યતાઓ અનુસાર, ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અને પછી આ દિવસે દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે.

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત, મહિલાની હાલત ગંભીર

આજે 14 જાન્યુઆરીને બુધવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ, રસોડામાં ગંદકીના થર જામેલા મળ્યા જોવા

અમદાવાદમાં આવેલ દાસ ખમણની દુકાન સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન રસોડામાં અસ્વચ્છતા જોવા મળી હતી તેમજ ગંદકીના જમા થયેલા થર નજરે પડ્યા હતા. પાત્રાનો સંગ્રહ સ્વચ્છતા વિનાની પ્લાસ્ટિકની થેલીઓમાં કરાયેલો હોવાનું સામે આવ્યું. ઉપરાંત, ફ્રીજ અને સ્ટોર રૂમમાં યોગ્ય સફાઈ ન હોવાને કારણે આરોગ્ય ધોરણોના ઉલ્લંઘન બદલ એકમને સીલ કરવામાં આવ્યો છે.

Breaking News: ઉત્તરાયણમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં સઘન ચેકિંગ, જુઓ Video

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને ઊંધિયું અને જલેબી બનાવતા તથા વેચતા વેપારીઓના ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

IND vs NZ : રંગીલા રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs ન્યુઝીલેન્ડ મેચ પહેલા ઉડશે પતંગો!

ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. તો ચાલો જાણીએ તમે ક્યાં અને ક્યારે વનડે મેચ લાઈવ જોઈ શકશો.

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">