AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh ને સપનુ ચકનાચૂર થયાનુ દર્દ છલકાયું, કેપ્ટન બનવાની આશા વચ્ચે જ ધોનીનુ નામ એલાન થયુ હતુ

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) છ બોલ માં છ છગ્ગા લગાવવાને લઇને આજે પણ દુનિયાભરમાં યાદ કરાય છે. જોકે યુવરાજ સિંહનુ હવે દર્દ છલકાયુ છે, કે તેને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માં સપનાનુ સ્થાન ના મળી શક્યુ.

Yuvraj Singh ને સપનુ ચકનાચૂર થયાનુ દર્દ છલકાયું, કેપ્ટન બનવાની આશા વચ્ચે જ ધોનીનુ નામ એલાન થયુ હતુ
Yuvraj Singh-MS Dhoni
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 11, 2021 | 8:32 AM
Share

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) છ બોલ માં છ છગ્ગા લગાવવાને લઇને આજે પણ દુનિયાભરમાં યાદ કરાય છે. જોકે યુવરાજ સિંહનુ હવે દર્દ છલકાયુ છે, કે તેને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માં સપનાનુ સ્થાન ના મળી શક્યુ. યુવરાજ ને 2007 માં રમાયેલા T20 વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન બનવાની આશા હતી. પરંતુ તેનુ આ સપનુ ત્યારે ચુર ચુર થઇ ગયુ, જ્યારે તેના બદલે એમએસ ધોની (MS Dhoni) ને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

એમએસ ધોની અને તેની ટીમે T20 વિશ્વકપની પ્રથમ સિઝનને શાનદાર રીતે જીતી લીધી હતી. યુવરાજ સિંહ માટે, તે વિશ્વકપ યાદગાર નિવડ્યો હતો. તેણે ઇંગ્લેંડ સામેની મેચમાં બોલર સ્ટુઅર્ટ બ્રોડ ની એક ઓવરમાં છ છગ્ગા લગાવી દીધા હતા. તેની આ ઉપલબ્ધીએ વિશ્વભરના ક્રિકેટ રસિયાઓને માટે રોમાંચક યાદ સ્વરુપ દૃષ્ય બનાવી દીધુ હતુ.

મીડિયા રિપોર્ટસ મુજબ એક યુવરાજ સિંહે એક વાતચીતમાં તેણે ખુલીને કેટલીક વાતોને કરી હતી. તેણે કહ્યુ, તો ભારતે 50 ઓવર વિશ્વકપને ગુમાવી દીધો હતો. બરાબર ? મારો મતલબ એ છે કે, તે સમયે ભારતીય ક્રિકેટમાં ખૂબ ઉથલ પાથલ મચી હતી. બરાબર તેના બે મહિના બાદ જ ઇંગ્લેંડ પ્રવાસ હતો, સાથે જ સાઉથ આફ્રિકા અને આયરલેન્ડની એક મહિનાની ટૂર હતી. જ્યારે એક મહિનો T20 વિશ્વકપ હતો. આમ કુલ મળીને ચાર મહીના માટે ઘર થી દૂર રહીને ક્રિકેટ રમવાની હતી.

આગળ કહ્યુ, તો સિનીયર ખેલાડીઓએ બ્રેક લેવાનુ વિચાર્યુ હતુ. સ્વાભાવિક રીતે તે સમયે T20 વિશ્વકપને કોઇએ આટલા ગંભીરતા પૂર્વક કોઇએ નહોતો લીધો. હું આશા કરી રહ્યો હતો કે, T20 વિશ્વકપમાં મને ભારતનો કેપ્ટન બનાવવામાં આવશે. ત્યાર બાદ એલાન કરવામાં આવ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની ટીમના કેપ્ટન હશે.

કેપ્ટન જે પણ બને સપોર્ટ જરુરી, યુવી

વાત કરતા, ધોની સાથેના સંબંધોને લઇને યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, પૂર્વ કેપ્ટન સાથે તેને કોઇ જ મતભેદ નહોતો. તેણે કહ્યુ કે, હા સ્વાભાવિક રીતે જે પણ કેપ્ટન બને તેને સપોર્ટ કરવો પડશે. ચાહે તે રાહુલ હોય, સૌરવ ગાંગુલી હોય કે ભવિષ્યમાં કોઇ અન્ય. દિવસના અંતમાં આપ એક ટીમ મેન બનવા ઇચ્છો છો અને હું એવો જ હતો.

સિનીયર ખેલાડીઓએ બ્રેક લેતા, ઝાહિર ખાને મને પણ કહ્યુ, કે મારે પણ આરામ કરવો જોઇએ. તે એક લાંબો પ્રવાસ છે. મને યાદ છે કે, પ્રથમ મેચ વેસ્ટઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે હતી. જે મેચમાં ગેઇલ એ 50 બોલમાં 55 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઝાહિર એ મને મેસેજ કરી ને કહ્યુ હતુ કે, આભારી છુ કે, હું ટૂર્નામેન્ટ નથી રમી રહ્યો. પરંતુ જ્યારે અમે ટૂર્નામેન્ટ જીતવામાં સફળ થયા તો, તેણે કહ્યુ, ઓહ નો ! મારે રેસ્ટ નહોતો કરવો જોઇતો.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">