Breaking News: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે ટેક્સના આ 7 નિયમ, સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?
નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2026 થી ભારતના ટેક્સ માળખામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગ, રોકાણકારો અને વેપારીઓના ખિસ્સા પર પડવાની છે.

જોકે, આ અભિગમ દરેક માટે કામ કરતો નથી. તમારા એમ્પ્લોયર શરૂઆતથી જ યોગ્ય સેલેરી સ્ટ્રક્ચર સ્થાપિત કરે તે જરૂરી છે. વધુમાં, બધા લાભોના યોગ્ય રેકોર્ડ જાળવવા જોઈએ, અને બધા નિયમોનું કડક પાલન કરવું જોઈએ. જો આ પ્રક્રિયામાં કોઈ વિસંગતતાઓ અથવા ખામીઓ હશે, તો તમે ટેક્સમાં લાભ નહીં મળે. નવી કર પ્રણાલીએ સ્પષ્ટ કર્યું છે કે - ફક્ત બચત પર આધાર રાખવાને બદલે - વ્યૂહાત્મક પગાર આયોજન હવે વધુ મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે. આવનારા સમયમાં, આ અભિગમને કર બચાવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ તરીકે ગણવામાં આવે તેવી અપેક્ષા છે.(ફોટો ક્રેડિટ- Google)

જો તમે પણ તમારું ટેક્સ પ્લાનિંગ સમયસર કરવા માંગો છો, તો આ 7 મુખ્ય ફેરફારને સમજવા ખૂબ જ જરૂરી છે. આ નિયમો માત્ર ટેક્સ ફાઇલ કરવાની રીત જ નહીં બદલે પરંતુ કેટલાક રોકાણોથી થતી તમારી કમાણીનું ગણિત પણ બદલી નાખશે.

કેટલીક કંપનીઓ ફુડ વાઉચર્સ અને અન્ય લાભો ઓફર કરે છે, જે તમારા કરના બોજને વધુ ઘટાડી શકે છે. જો, આ બધી કપાત અને લાભોને ભેગા કર્યા પછી, તમારી કરપાત્ર આવક ₹12 લાખથી ઓછી થઈ જાય, તો સરકારી છૂટ દ્વારા તમારી સંપૂર્ણ કર ટેક્સ માફ કરી શકાય છે. આ આ સમગ્ર વ્યૂહરચનાનો મૂળભૂત આધાર બનાવે છે.(ફોટો ક્રેડિટ- Google)

બીજો મહત્વનો ફેરફાર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ને લઈને છે. શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓ, ખાસ કરીને ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) માં સક્રિય રોકાણકારો માટે આ સમાચાર થોડા ચિંતાજનક હોઈ શકે છે. સરકારે ઓપ્શન્સના વેચાણ પર STT વધારીને 0.1% અને ફ્યુચર્સના વેચાણ પર 0.02% કરી દીધો છે. આનાથી ટ્રેડિંગનો ખર્ચ વધી જશે, જેની સીધી અસર નાના અને રિટેલ ટ્રેડર્સના નફા પર પડશે.

આ કરવાનો સૌથી સીધો રસ્તો એ છે કે તમારા પગારના વિવિધ ઘટકોને બુદ્ધિપૂર્વક ગોઠવો. પ્રથમ, ₹75,000 ની સ્ટાડન્ડર ડિડક્શન બાદ કરવામાં આવે છે. વધુમાં, તમારા એમ્પ્લોયર દ્વારા તમારા EPF (કર્મચારીઓના ભવિષ્ય નિધિ) અને NPS (રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ) માં આપવામાં આવેલ યોગદાન પણ તમારી કરપાત્ર આવક ઘટાડવામાં મદદ કરે છે. (ફોટો ક્રેડિટ- Google)

ચોથો મોટો ફેરફાર TDS (Tax Deducted at Source) ના સરળીકરણ (Simplification) ને લઈને છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બોન્ડ્સ પર મળતા વ્યાજ પર TDS કાપવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી રહી છે. આ સાથે જ, કેટલીક પસંદગીની પેમેન્ટ કેટેગરીમાં TDS ના દરો ઘટાડવામાં આવ્યા છે, જેથી લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ રોકડ (Cash flow) ઉપલબ્ધ રહે. ઇ-કોમર્સ ઓપરેટર્સ માટે TDS નો દર 1% થી ઘટાડીને 0.1% કરવો એ નાના ઓનલાઇન વિક્રેતાઓ માટે એક મોટું પ્રોત્સાહન સાબિત થશે.

પાંચમો ફેરફાર વિદેશી અસ્કયામતો (Foreign Assets) ના ખુલાસા સાથે જોડાયેલો છે. હવે વિદેશી સંપત્તિની જાણકારી ન આપવા પર લાગતા દંડના નિયમોને થોડા હળવા બનાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ પાસે ₹20 લાખ સુધીની વિદેશી સંપત્તિ હોય અને તે અજાણતા તેનો ખુલાસો કરવાનું ભૂલી જાય, તો તેના પર ભારે દંડ લાદવામાં આવશે નહીં. આ એવા લોકો માટે મોટી રાહત છે કે, જેઓ નાના રોકાણ અથવા ESOP (કર્મચારી સ્ટોક ઓપ્શન પ્લાન) દ્વારા વિદેશી શેર ધરાવે છે.

છઠ્ઠો ફેરફાર નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) ને વધુ આકર્ષક બનાવવાની દિશામાં છે. સરકારનું પૂરું ધ્યાન હવે લોકોને જૂના ટેક્સ માળખામાંથી બહાર કાઢીને નવા માળખામાં લાવવા પર છે. આ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) અને ટેક્સ સ્લેબમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે, જેથી મધ્યમ વર્ગને વધુ બચત કરવાની તક મળે.

અંતમાં, સાતમો ફેરફાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે છે કે, જેમના રજિસ્ટ્રેશન અને ટેક્સ ફ્રીના નિયમોને હવે સંપૂર્ણપણે ડિજિટલ તેમજ વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે, જેથી ટેક્સ ચોરી પર અંકુશ લાવી શકાય.
આ પણ વાંચો: રોકેટની માફક ઉડશે આ ’10 શેર’, તમારા પોર્ટફોલિયોમાં કયા કયા સ્ટોક છે?
