AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 માર્ચના મહત્વના સમાચાર : વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆન સાથે કરી વાતચીત, ભારત શાંતિ અને સંવાદના પક્ષમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2026 | 8:45 AM
Share

આજે 13 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે  તમામ અપડેટ્સ તેમજ  આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 માર્ચના મહત્વના સમાચાર : વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆન સાથે કરી વાતચીત, ભારત શાંતિ અને સંવાદના પક્ષમાં

LIVE NEWS & UPDATES

  • 13 Mar 2026 07:37 AM (IST)

    ગિરનાર અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ

    જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન મહિપાલસિંહ બસિયાએ આ વીડિયો વાયરલ કરી..આક્ષેપ કર્યો છે કે મંદિર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી ન લેવાઈ. સીસીટીવી માં દેખાતા કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના પૂજારી હોવાનું ઉલ્લેખ કરાયો છે..અને પ્રાંત અધિકારી અને વહીવટદારને પૂજારી સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે

  • 13 Mar 2026 07:25 AM (IST)

    વડોદરા શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના

    વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. કાકા સાહેબ ટેકરા નજીક જીઆઈએસએફના એક કર્મચારીએ હવામાં ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન આરોપી પાસેથી બંદૂક તથા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો એવી માહિતી મળી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Mar 2026 07:24 AM (IST)

    વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆન સાથે કરી વાતચીત

     વડાપ્રધાન મોદી એ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે તાજેતરની યુદ્ધ જેવી સ્થિતિ અંગે ફોન પર વાતચીત કરી. બન્ને નેતાઓએ વિસ્તારમાં વધતા તણાવ અને તેની અસર અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે યુદ્ધમાં થયેલા જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા શાંતિ અને સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમર્થન આપે છે. 

આજે 13 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે  તમામ અપડેટ્સ તેમજ  આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Mar 13,2026 7:22 AM

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">