ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા અમૂલની સ્થાપનાનો છે આવો રોચક ઇતિહાસ

વર્ષ 1945માં કોન્ટ્રાક્ટરો આણંદમાંથી દૂધ એકત્ર કરીને મુંબઇ મોકલતા હતા..જોકે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતા અસંતોષ સર્જાયો અને સરદાર પટેલે મોરારજી દેસાઇના પ્રમુખપદે 1946માં ખેડૂતોની સભા યોજી.

ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા અમૂલની સ્થાપનાનો છે આવો રોચક ઇતિહાસ
Such interesting history of founding of The Taste of India Amul (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:00 PM

અમૂલ (Amul)એક એવું નામ જેનાથી દેશ-વિદેશના કરોડો લોકો વાકેફ છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે અમૂલનો જન્મ કેવી રીતે થયો… આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા(Cooperative Society)અમૂલ અને સરદાર પટેલ(Sardar Patel)વચ્ચે સીધો સંબંધ છે.

જેમાં વર્ષ 1945માં કોન્ટ્રાક્ટરો આણંદમાંથી દૂધ એકત્ર કરીને મુંબઇ મોકલતા હતા..જોકે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતા અસંતોષ સર્જાયો અને સરદાર પટેલે મોરારજી દેસાઇના પ્રમુખપદે 1946માં ખેડૂતોની સભા યોજી.જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે નિર્ણય કરાયો અને ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપના સાથે તારીખ 14 ડિસેમ્બર 1946 ના રોજ “અમૂલ” નો જન્મ થયો.

હવે વાત કરીએ કેવી રીતે ગામડામાંથી દૂધ અમૂલ સુધી પહોંચે છે તો  અમૂલ રોજનું 10 હજાર 755 ગામડાઓમાંથી 60 લાખ લીટર દૂધ એકત્ર કરે છે.જેના માટે અમૂલ દ્વારા ત્રણ ટીયર મોડલનો ઉપયોગ કરાય છે.એટલે કે પહેલા ગામડામાંથી દૂધ એકત્ર કરાય છે…પછી આ જથ્થાને જિલ્લા કક્ષાએ એકત્ર કરાય છે અને યોગ્ય તાપમાન પર તેનો સંગ્રહ કરાય છે.અને ત્યારબાદ મુખ્ય એકમમાં દૂધને પ્રોસેસિંગ માટે મોકલી દેવાય છે. અમૂલે વચેટિયા પ્રથા દૂર કરીને સીધો દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તે માટે આ સિસ્ટમ ગોઠવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

સહયોગથી કામ કરવું અને સૌની સાથે કામ કરવું.આ સૂત્ર આપ્યું હતું શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.કુરિયને. ડૉ. કુરિયનની ક્રાંતિની વાત કરીએ તો એક નાના સહકારી માળખાને 1946માં ચકલાસી ગામની સામાન્ય સભામાં ડૉક્ટર વર્ગીસ કુરિયને પ્રસ્તાવ મુક્યો અને શરૂઆત થઇ શ્વેતક્રાંતિની વર્ગીસ કુરિયનના અથાક પ્રયાસોથી 1973માં અમૂલને મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડનું સ્વરૂપ મળ્યું.

રાજકીય પરવાનગીને લગતા કામ ત્રિભુવનદાસ પટેલ સંભાળતા તથા અમૂલ પેટર્નના પ્રચાર અને ટેકનોલોજીને લગતા કામ ડૉક્ટર વર્ગીસ કુરિયન સંભાળતા.કુરિયને વિશ્વસ્તરીય વિકસેલ ડેરી ક્ષેત્રોને લગતી ટેકનોલોજીને ભારત લાવ્યા અને ભારતના પશુપાલકોને આર્થિક તથા ટેક્નોલોજીની મદદથી મજબૂત બનાવ્યો.

આ  પણ વાંચો : Uttarakhand: ચારધામ યાત્રા 2021માં ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો ! 4 લાખ ભક્તોએ દર્શન કર્યા

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો  

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">