AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ઉપરકોટ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ઉપરકોટ કિલ્લો જુનાગઢની ઓળખ છે અને ગુજરાતના સૌથી પ્રાચીન કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ તેની ઊંચી સ્થિતિ પરથી થયું છે, જ્યારે તેનો ઇતિહાસ ભારતના પ્રાચીનથી મધ્યયુગીન સમય સુધી વિસ્તરેલો છે.

| Updated on: Dec 22, 2025 | 6:10 PM
Share
મૌર્ય સામ્રાજ્યના સમયમાં ગિરનાર પર્વતની તળેટીમાં એક સુવ્યવસ્થિત નગર અને રક્ષણાત્મક કિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. ગુપ્ત યુગ દરમિયાન પણ આ સ્થાનનું વહીવટી અને સૈન્ય મહત્વ યથાવત રહ્યું હતું. જોકે, જ્યારે મૈત્રક વંશે સૌરાષ્ટ્રની રાજધાની જૂનાગઢમાંથી બદલીને વલ્લભી ખાતે સ્થાનાંતરિત કરી, ત્યારે આ પ્રદેશનું રાજકીય મહત્વ ધીમે ધીમે ઘટતું ગયું. આ બાદ, ચાવડા શાસકો પાસેથી વામનસ્થલી (આજનું વંથલી) પ્રાપ્ત કર્યા પછી, ચુડાસમા વંશે ઈ.સ. 875 આસપાસ જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું અને અહીં સ્થાયી શાસન શરૂ કર્યું. (Credits: - Wikipedia)

મૌર્ય સામ્રાજ્યના સમયમાં ગિરનાર પર્વતની તળેટીમાં એક સુવ્યવસ્થિત નગર અને રક્ષણાત્મક કિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. ગુપ્ત યુગ દરમિયાન પણ આ સ્થાનનું વહીવટી અને સૈન્ય મહત્વ યથાવત રહ્યું હતું. જોકે, જ્યારે મૈત્રક વંશે સૌરાષ્ટ્રની રાજધાની જૂનાગઢમાંથી બદલીને વલ્લભી ખાતે સ્થાનાંતરિત કરી, ત્યારે આ પ્રદેશનું રાજકીય મહત્વ ધીમે ધીમે ઘટતું ગયું. આ બાદ, ચાવડા શાસકો પાસેથી વામનસ્થલી (આજનું વંથલી) પ્રાપ્ત કર્યા પછી, ચુડાસમા વંશે ઈ.સ. 875 આસપાસ જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું અને અહીં સ્થાયી શાસન શરૂ કર્યું. (Credits: - Wikipedia)

1 / 6
10મી સદી દરમિયાન ચુડાસમા વંશના રાજા ગ્રહરિપુએ જંગલોથી ઢંકાયેલા જૂના કિલ્લાને સાફ કરી તેને ફરી પ્રચલિત બનાવ્યો હતો. આચાર્ય હેમચંદ્રના દ્વ્યાશ્રયમાં મળતા સંદર્ભોના આધારે એવું માનવામાં આવે છે કે આજના સ્વરૂપમાં દેખાતો કિલ્લાનો મૂળ આધાર ગ્રહરિપુના સમયમાં નાખવામાં આવ્યો હતો. કિલ્લાની ફરી શોધ અને તેના પુનઃઉદ્ભવને લઈને વિવિધ દંતકથાઓ પણ પ્રચલિત છે, જે તેની ઐતિહાસિક મહત્વતા તરફ ઈશારો કરે છે. (Credits: - Wikipedia)

10મી સદી દરમિયાન ચુડાસમા વંશના રાજા ગ્રહરિપુએ જંગલોથી ઢંકાયેલા જૂના કિલ્લાને સાફ કરી તેને ફરી પ્રચલિત બનાવ્યો હતો. આચાર્ય હેમચંદ્રના દ્વ્યાશ્રયમાં મળતા સંદર્ભોના આધારે એવું માનવામાં આવે છે કે આજના સ્વરૂપમાં દેખાતો કિલ્લાનો મૂળ આધાર ગ્રહરિપુના સમયમાં નાખવામાં આવ્યો હતો. કિલ્લાની ફરી શોધ અને તેના પુનઃઉદ્ભવને લઈને વિવિધ દંતકથાઓ પણ પ્રચલિત છે, જે તેની ઐતિહાસિક મહત્વતા તરફ ઈશારો કરે છે. (Credits: - Wikipedia)

2 / 6
વામનસ્થળીમાં ચુડાસમા વંશના કેટલાક રાજાઓ શાસન કરતા હતા તે સમયમાં એક દિવસ એક કાઠિયારો જંગલમાં લાકડું કાપતા કાપતા એક અજાણી જગ્યા સુધી પહોંચી ગયો. ત્યાં તેને પથ્થરથી બનેલી દીવાલો અને વિશાળ દરવાજાઓના અવશેષો નજરે પડ્યા. તે સ્થળની નજીક એક તપસ્વી પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા. કાઠિયારાએ તેમની પાસે આ સ્થળના નામ અને તેના ઇતિહાસ વિશે જાણકારી માગી, ત્યારે તપસ્વીએ માત્ર એટલું કહ્યું કે આ જગ્યા “જુનું” નામે ઓળખાય છે. (Credits: - Wikipedia)

વામનસ્થળીમાં ચુડાસમા વંશના કેટલાક રાજાઓ શાસન કરતા હતા તે સમયમાં એક દિવસ એક કાઠિયારો જંગલમાં લાકડું કાપતા કાપતા એક અજાણી જગ્યા સુધી પહોંચી ગયો. ત્યાં તેને પથ્થરથી બનેલી દીવાલો અને વિશાળ દરવાજાઓના અવશેષો નજરે પડ્યા. તે સ્થળની નજીક એક તપસ્વી પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા. કાઠિયારાએ તેમની પાસે આ સ્થળના નામ અને તેના ઇતિહાસ વિશે જાણકારી માગી, ત્યારે તપસ્વીએ માત્ર એટલું કહ્યું કે આ જગ્યા “જુનું” નામે ઓળખાય છે. (Credits: - Wikipedia)

3 / 6
આ ઘટના પછી કાઠિયારો વંથલી પરત ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસકને માહિતગાર કર્યો. રાજાએ તરત જ જંગલ સાફ કરવાનો આદેશ આપ્યો. જ્યારે આખો વિસ્તાર જંગલમુક્ત થયો, ત્યારે એક વિશાળ અને પ્રાચીન કિલ્લો સ્પષ્ટ રીતે નજરે આવ્યો. જોકે, આ સ્થળના ભૂતકાળ વિશે તપસ્વી સિવાય કોઈ વિશેષ માહિતી આપી શકે એવું કોઈ ન મળ્યું. અંતે, તેના પ્રાચીન સ્વરૂપને દર્શાવતું યોગ્ય નામ આપી, આ સ્થળને “જુનાગઢ” તરીકે ઓળખવામાં આવ્યું. (Credits: - Wikipedia)

આ ઘટના પછી કાઠિયારો વંથલી પરત ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસકને માહિતગાર કર્યો. રાજાએ તરત જ જંગલ સાફ કરવાનો આદેશ આપ્યો. જ્યારે આખો વિસ્તાર જંગલમુક્ત થયો, ત્યારે એક વિશાળ અને પ્રાચીન કિલ્લો સ્પષ્ટ રીતે નજરે આવ્યો. જોકે, આ સ્થળના ભૂતકાળ વિશે તપસ્વી સિવાય કોઈ વિશેષ માહિતી આપી શકે એવું કોઈ ન મળ્યું. અંતે, તેના પ્રાચીન સ્વરૂપને દર્શાવતું યોગ્ય નામ આપી, આ સ્થળને “જુનાગઢ” તરીકે ઓળખવામાં આવ્યું. (Credits: - Wikipedia)

4 / 6
આ દંતકથાના આધાર પર એવું અનુમાન કરી શકાય છે કે રાજા ગ્રહરિપુએ આ કિલ્લાની પ્રથમ વખત ફરી ઓળખ કરી હશે અથવા તેનું પુનઃનિર્માણ કરાવ્યું હશે. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર આ કિલ્લો ફરી ઉપેક્ષિત બની ગયો. ગ્રહરિપુ પછી સત્તામાં આવેલા ચુડાસમા શાસક નવઘણએ આ સ્થળને ફરી શોધી બહાર કાઢ્યું હોવાનું માનવામાં આવે છે અને ત્યારપછી તેણે પોતાની રાજધાની ચુડાસમા રાજ્યની વંથલીમાંથી ખસેડીને જુનાગઢમાં સ્થાપિત કરી હશે. (Credits: - Wikipedia)

આ દંતકથાના આધાર પર એવું અનુમાન કરી શકાય છે કે રાજા ગ્રહરિપુએ આ કિલ્લાની પ્રથમ વખત ફરી ઓળખ કરી હશે અથવા તેનું પુનઃનિર્માણ કરાવ્યું હશે. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર આ કિલ્લો ફરી ઉપેક્ષિત બની ગયો. ગ્રહરિપુ પછી સત્તામાં આવેલા ચુડાસમા શાસક નવઘણએ આ સ્થળને ફરી શોધી બહાર કાઢ્યું હોવાનું માનવામાં આવે છે અને ત્યારપછી તેણે પોતાની રાજધાની ચુડાસમા રાજ્યની વંથલીમાંથી ખસેડીને જુનાગઢમાં સ્થાપિત કરી હશે. (Credits: - Wikipedia)

5 / 6
ઈ.સ. 1893–94 દરમિયાન જૂનાગઢ રાજ્યના દિવાન હરિદાસ વિહારીદાસના માર્ગદર્શન હેઠળ કિલ્લાનું સંરક્ષણ અને પુનઃસંગ્રહ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જુલાઈ 2020માં ગુજરાત સરકારે કિલ્લા તેમજ તેની અંદર આવેલી વિવિધ ઐતિહાસિક રચનાઓના પુનઃસ્થાપન માટે અંદાજે ₹44.46 કરોડના ખર્ચે વિશાળ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પુનઃસ્થાપન કાર્યને આશરે 18 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

ઈ.સ. 1893–94 દરમિયાન જૂનાગઢ રાજ્યના દિવાન હરિદાસ વિહારીદાસના માર્ગદર્શન હેઠળ કિલ્લાનું સંરક્ષણ અને પુનઃસંગ્રહ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જુલાઈ 2020માં ગુજરાત સરકારે કિલ્લા તેમજ તેની અંદર આવેલી વિવિધ ઐતિહાસિક રચનાઓના પુનઃસ્થાપન માટે અંદાજે ₹44.46 કરોડના ખર્ચે વિશાળ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પુનઃસ્થાપન કાર્યને આશરે 18 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">