Ahmedabad: મિલકતનો વિવાદ બન્યો લોહિયાળ, ભત્રીજાએ સગા કાકાની તલવારના ઘા ઝીંકી કરી હત્યા

Ahmedabad: પારિવારિક વિવાદે વધુ એક ઘરના મોભીનો ભોગ લીધો છે. મિલકતના વિવાદમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી નાખી. ભત્રીજાએ કાકાને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા ત્યારબાદ કાકાને હોસ્પિટલ પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો.

Ahmedabad: મિલકતનો વિવાદ બન્યો લોહિયાળ, ભત્રીજાએ સગા કાકાની તલવારના ઘા ઝીંકી કરી હત્યા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 18, 2023 | 10:49 PM

Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં મિલકતના વિવાદમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. મિલકતનો વિવાદમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

સમગ્ર ઘટનાની હકીકત મુજબ નિકોલ ગામમાં બળિયાદેવના ટેકરા પર રહેતા વજેસિંહ ઠાકોર અને તેમના ભત્રીજા વચ્ચે મિલકતને લઈને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. આ મિલકતના ભાડાની ઉઘરાણીના ઝઘડામાં કાકાભત્રીજા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલીમાં ભત્રીજાએ કાકા પર જીવલેણ હુમલો કરી દીધો.

કાકા પર ભત્રીજાએ તલવારના ઘા ઝીંક્યા. ત્યારબાદ ઈજાગ્રસ્ત કાકાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈને ત્યાંથી ફરાર થઈ ગયો. વજેસિંહને સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નિપજ્યુ. નિકોલ પોલીસે ભત્રીજા સામે હત્યાનો ગુનો નોંધી ફરાર ભત્રીજાને શોધવા તપાસ હાથ ધરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મિલકતના ભાડાને લઈને લાંબા સમયથી ચાલતી હતી તકરાર

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મૃતક વજેસિંહના ચાર ભાઈ છે. જેમા ભત્રીજા નરેન્દ્રના પિતા મૃત્યુ પામ્યા છે. આથી પરિવારની મિલકતની જવાબદારી વજેસિંહના હાથમાં હતી. આ મિલકતના ભાડાને લઈને છેલ્લા ઘણા સમયથી કાકા ભત્રીજા વચ્ચે તકરાર ચાલતી હતી. આરોપી નરેન્દ્ર રીક્ષા ચલાવે છે. આ ઘટના બાદ આરોપી ફરાર થઇ જતા નિકોલ પોલીસે ભત્રીજા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી.

મિલકતના વિવાદમાં સંબંધોની હત્યા

શહેરમાં સંબંધોની હત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. પુત્રએ માતાની હત્યા કરી તો પત્નીએ પતિની હત્યા કરી. જ્યારે હવે ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધો. પારિવારિક ઝઘડા અને અદાવતમાં હત્યાના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. હાલમાં નિકોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad : બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, એક આરોપી સામે 7 અને અન્ય એક આરોપી સામે 2 ગુના દાખલ, જુઓ Video

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">