કાનુની સવાલ : શું સુસાઇડ નોટમાં નામ આવવાથી સજા થઈ શકે? જાણો શું કહે છે કાનુન
કોઈ કેસમાં વ્યક્તિ સુસાઈડ નોટ પર કોઈ વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરી લે છે. તો આવા કેસમાં શું કહે છે કાનુન ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

જો કોઈ વ્યક્તિ દ્વારા સુસાઈડ નોટ પર કોઈ અન્ય વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરે છે. તે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શું સુસાઈડ નોટ પર નામ હોવાથી સજા મળી શકે. તો ચાલો આ વિશે આપણે આજે જાણીએ કે, કાનુન શું કહે છે.

કાયદો શું કહે છે? દિલ્હી હાઈકોર્ટે સુસાઇડ નોટમાં નામના ઉલ્લેખ અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણીના ગુના માટે ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ જ કાર્યવાહી અથવા સજા માટેનો એકમાત્ર આધાર ન હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામેના આરોપની તપાસ દરેક કેસના સંજોગોના સંદર્ભમાં થવી જોઈએ.

ન્યાયમૂર્તિ મનોજ કુમાર ઓહરીની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ, આરોપી અને આત્મહત્યા કરનાર મૃતકના કાર્યો વચ્ચે કારણભૂત સંબંધ અથવા નિકટતા સ્થાપિત કરવી જરૂરી છે.

ફક્ત સુસાઇડ નોટમાં નામ હોવાને કારણે સજા થઈ શકે નહી. ભારતીય અદાલતોએ ઘણા નિર્ણયોમાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત નામનો ઉલ્લેખ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો નિર્ણાયક પુરાવો નથી (IPC 306/BNS 108). દોષિત ઠેરવવા માટે, આરોપીના કૃત્યો અને આત્મહત્યા વચ્ચેનો નજીકનો સંબંધ અને ઉશ્કેરણીના નક્કર પુરાવા જરૂરી છે.

તપાસ જરુરી છે. પોલીસ અને કોર્ટેના આધાર પર જ નહી પરંતુ તેમાં લખેલા આરોપની પણ તપાસ જરુરી બને છે. ઉકસાવવાના પુરાવા સાબિત કરવા જરુરી છે. જો આરોપીએ કોઈ એવું વિશેષ કૃત્ય કર્યું હોય. જેનાથી મૃતકની પાસે આત્મહત્યા કરવા સિવાય રસ્તો ન વધ્યો હોય.

સુસાઈડ નોટમાં લખેલી અક્ષરો તેમજ શાહીની પણ તપાસ કરવામાં આવે છે. જેનાથી એ નક્કી થાય છે કે, આ સુસાઈડ નોટ મૃતક વ્યક્તિએ લખી છે કે, કોઈ અન્યએ.અદાલતો સુસાઇડ નોટની સામગ્રીને અન્ય સંજોગો અને પુરાવાઓ સાથે ધ્યાનમાં લે છે. જો નામ સિવાય અન્ય કોઈ પુરાવા ન હોય (જેમ કે માનસિક અથવા શારીરિક શોષણના નક્કર પુરાવા), તો આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
