પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેનો હુમલો ભારે પડ્યો, તાલિબાની સેનાએ વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને લાવી દીધી ઘૂંટણીઓ- વાંચો
ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાને મોટો હુમલો કરતા પાકિસ્તાનની 15 ચોકીઓ પર કબજો કરવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના અભિયાનમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. આ સાથે જ સૈનિકોને બંધક બનાવવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આ તરફ પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરતા અફઘાનિસ્તાનના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો છે. આ સૈન્ય કાર્યવાહી દરમિયાન અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલેય પાકિસ્તાનના 50 સૈનિકોને ઠાર કરાયા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના 13 સૈનિકોની ડેડબોડી પાકિસ્તાનને સોંપવાની પુષ્ટિ થઈ છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે તણાવ ચાલી રહ્યો છે અને ગુરુવાર રાતથી આ તણાવ ઓપન વોરમાં પરિણમ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કંધાર સહિત અન્ય પ્રાંતોમાં ઍરસ્ટ્રાઈક કરી, જેના જવાબમાં અફઘાન સેનાએ પણ હુમલા કર્યા. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ ખ્વાજા આસિફે ખુલ્લા યુદ્ધની ધમકી આપી તણાવ વધારવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આ અમારી અને તેમની ખુલ્લી જંગ છે. કેવી રીતે થઈ યુદ્ધની શરૂઆત ? ગત 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પકતિકા, નંગરહાર અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા અને કહ્યુ કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ISKP) સંબંધિત સાત આતંકવાદી શિબિરોને નિશાન બનાવી છે. પાકિસ્તાને દાવો કર્યો કે, તેમની પાસે મજબુત પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ...
