અક્ષય કુમારની ફિલ્મના સેટ પર થયો અકસ્માત, શૂટિંગ દરમિયાન કિલ્લાથી 100 ફૂટ નીચે પડ્યો એક યુવક

|

Mar 19, 2023 | 1:57 PM

Accident On Akshay Kumar's Film Set : અક્ષય કુમારની આગામી ફિલ્મ 'વેડાત મરાઠે વીર દૌડલે સાત' ચર્ચામાં છે. ફિલ્મના સેટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે.

અક્ષય કુમારની ફિલ્મના સેટ પર થયો અકસ્માત, શૂટિંગ દરમિયાન કિલ્લાથી 100 ફૂટ નીચે પડ્યો એક યુવક

Follow us on

Accident On Vedat Marathe Veer Doudale Saat : ફેમસ એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકર આ દિવસોમાં તેમની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર છત્રપતિ શિવજી મહારાજના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. એક 19 વર્ષનો છોકરો કિલ્લાની કિલ્લેબંધીથી 100 ફૂટ નીચે પડ્યો છે. સૂત્રોનું માનીએ તો આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતનો ભોગ બનનારનું નામ નાગેશ ખોબરે છે.

આ પણ વાંચો : મલાઈકા કાર એક્સિડેન્ટ : કાર એક્સિડન્ટ બાદ મલાઈકા અરોરાને લાગ્યો આઘાત, કહી આ વાત

100 ફૂટ નીચે પડ્યો

નાગેશનો અકસ્માત શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. મહેશ માંજરેકર છેલ્લા કેટલાક દિવસોથી પન્હાલગઢમાં પોતાની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે પન્હાલગઢની કિલ્લેબંધી પર શૂટિંગ કરતી વખતે નાગેશે પોતાનું સંતુલન ગુમાવ્યું અને 100 ફૂટ નીચે પડી ગયો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાગેશ પન્હાલગઢમાં ચાલી રહેલા શૂટિંગ માટે લાવવામાં આવેલા ઘોડાઓની સંભાળ રાખવાનો હતો. આ દરમિયાન ફોન પર વાતચીત પૂરી કર્યા બાદ નાગેશ સજ્જા કોટીની ઉત્તર બાજુએ કિલ્લેબંધી પરથી નીચે જઈ રહ્યો હતો ત્યારે તેણે સંતુલન ગુમાવ્યું હતું. જ્યારે ત્યાં હાજર લોકોએ આ જોયું તો તેઓએ તરત જ તેની મદદ માટે દોરડું છોડી દીધું અને તેની મદદથી નીચે ઉતર્યા.

પન્હાલા પોલીસ પહોંચી ઘટનાસ્થળે

નીચે ઉતરેલા લોકોની મદદથી નાગેશને બાંધીને ઉપર લાવવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ નાગેશને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તે પછી તરત જ નાગેશને મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત C.P.R. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ નાગેશની હાલત નાજુક હોવાથી તેને હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. નાગેશના અકસ્માતની માહિતી મળતાં જ પન્હાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે પરંતુ હજુ સુધી પોલીસ કે મહેશ માંજરેકરની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Next Article