AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ કોહલીની મેચનું સ્થળ બદલાયું, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ નહીં યોજાય

વિજય હજારે ટ્રોફી 2025ની બેંગલુરુમાં રમાનારી તમામ મેચો, જેમાં વિરાટ કોહલીની દિલ્હી અને આંધ્રપ્રદેશ મેચનો સમાવેશ થાય છે, તે સુરક્ષા કારણોસર ચિન્નાસ્વામી સ્ટેડિયમથી બદલીને BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ખસેડવામાં આવી છે.

Breaking News : વિરાટ કોહલીની મેચનું સ્થળ બદલાયું, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ નહીં યોજાય
| Updated on: Dec 23, 2025 | 6:16 PM
Share

વિજય હજારે ટ્રોફી 2025માં વિરાટ કોહલીની હાજરીને કારણે ચર્ચા ગરમાઈ છે, પરંતુ હવે ટુર્નામેન્ટને લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી તમામ વિજય હજારે ટ્રોફી મેચો હવે ખસેડવામાં આવી છે. સુરક્ષા કારણોસર હવે આ તમામ મેચો બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. કર્ણાટક સરકારની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરાટ કોહલી અને તેની ટીમ દિલ્હી 24 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ સામે વિજય હજારે ટ્રોફીમાં પોતાનો પહેલો મુકાબલો રમવાના છે. આ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ સ્થળમાં ફેરફાર થતાં હવે તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે.

વિરાટ કોહલીની મેચ સહિત વિજય હજારે ટ્રોફીની તમામ મેચોના સ્થળમાં ફેરફારની પુષ્ટિ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના અધિકારીઓએ કરી છે. KSCAના અધિકારીઓએ ક્રિકબઝને જણાવ્યું હતું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી તમામ મેચો હવે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ખસેડવામાં આવી છે.

કર્ણાટક સરકારના ગૃહ મંત્રાલયે મંગળવારે સવારે KSCAને સ્થળ બદલવાની સૂચના આપી હતી. આ નિર્ણય બાદ દિલ્હી અને આંધ્રપ્રદેશ વચ્ચેની મેચો જ નહીં, પરંતુ મેચ પહેલાંના તમામ તાલીમ સત્રો પણ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું દર્શકોને નવા સ્થળે મેચ જોવા માટે પ્રવેશ મળશે કે નહીં. હાલ પરિસ્થિતિ સ્પષ્ટ નથી. મળતી માહિતી મુજબ, આ મેચો બંધ દરવાજા પાછળ રમાય તેવી શક્યતા છે. KSCA આ બાબતે કર્ણાટક સરકાર તરફથી મળેલી તમામ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરશે.

વિરાટ કોહલી લાંબા સમય બાદ વિજય હજારે ટ્રોફીમાં રમતો જોવા મળશે. દિલ્હી અને આંધ્રપ્રદેશ વચ્ચેની આ મેચ વિરાટની હાજરીને કારણે ખાસ બની ગઈ છે. વિરાટ કોહલીએ પોતાની છેલ્લી વિજય હજારે મેચ 2010-11ની સીઝનમાં રમી હતી. લાંબા વિરામ બાદ ઘરેલુ ODI ટુર્નામેન્ટમાં તેની વાપસી ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક રહેશે.

Follow Us
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
g clip-path="url(#clip0_868_265)">