ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય, ધારાસભ્ય જીતુ વાઘાણીએ X પર આપી માહિતી
ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે X પર માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની અવિરત રજૂઆત બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ટૂંકા ગાળામાં આ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
ભાવનગરના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી રહેલા જીતુ વાઘાણીએ X પર માહિતી આપતા જણાવ્યુ કે ભાવનગરના કેટલાક બાકી રહેલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની અનેક રજૂઆતો સામે આવી હતી અને આ રજૂઆતોને ધ્યાને લઈ તેના રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ ટૂંકાગાળામાં ત્વરીત ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની અશાંત ધારા નાગરિક સમિતિ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર તેમજ વિવિધ સંસ્થા તેમજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
Input Credit- Kinjal Mishra
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો