પહલગામના હુમલા બાદ મનોજ મુન્તશિરે હિન્દુઓ માટે શેર કર્યો વીડિયો, સાંભળી લો તો…, જુઓ Video
રાજકીય નેતાઓથી લઈ બોલીવૂડ સેલિબ્રિટીઓ અને ક્રિકેટરોએ સોશિયલ મિડીયા પર પોતાની વેદના વ્યક્ત કરી છે. એવામાં આ બધાની વચ્ચે પ્રખ્યાત લેખક મનોજ મુન્તાશિરે પણ એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે.
જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરનમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓ પર આતંકીઓએ ફાયરીંગ કર્યુ હતું. 6 થી 7 આતંકીઓએ 2-2 ની ટૂકડી બનાવી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે.
રાજકીય નેતાઓથી લઈ બોલીવૂડ સેલિબ્રિટીઓ અને ક્રિકેટરોએ સોશિયલ મિડીયા પર પોતાની વેદના વ્યક્ત કરી છે. એવામાં આ બધાની વચ્ચે પ્રખ્યાત લેખક મનોજ મુન્તશિરે પણ એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આતંક સામે ગુસ્સો, દુઃખ અને હિન્દુ સમાજ પ્રત્યેની પોતાની લાગણી ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે.
મનોજ મુન્તશિરના શબ્દો માત્ર આક્રોશ નહીં પણ આખા દેશના દિલની લાગણી કહી આવે છે. આ પ્રકારના હુમલાઓ સામે હવે માત્ર શોક નહીં પરંતુ સંકલ્પ પણ જરૂરી છે. જ્યારે આતંકવાદીઓ આવીને નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડે ત્યારે તેમને કડક જવાબ આપવો જરૂરી બને છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
