રામ મંદિર: અયોધ્યામાં 70 એકર જમીન પર બની રહેલા ભવ્ય રામ મંદિરના માલિક કોણ છે ?
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. રામલલા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રહેશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ ભૂમિ કરવામાં આવી રહી છે, જ્યા બાબરી મસ્જિદ પહેલા બનાવવામાં આવી હતી. જ્યાં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે, જેની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામ નવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સીધું રામલલાની મૂર્તિ પર પડશે. નાગર શૈલીમાં બનેલા 235 ફૂટ પહોળા, 360 ફૂટ લાંબા અને 161 ફૂટ ઊંચા રામ મંદિરની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે, જે હજારો વર્ષો સુધી ચાલશે.--Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનેલા મંદિરમાં 2100 કિલો વજનની 6 ફૂટ ઉંચી અને 5 ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે.Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે, જે ઘણી સદીઓથી કોઈપણ રીતે બગડતું નથી અને તેને ઉધઈની અસર પણ થતી નથી.

રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે. એક ભગવાન શ્રી રામની મૂર્તિ, જે 1949થી કેસના નિર્ણય સુધી પહેલા મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી, બીજી નવી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે તે.

શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલ્લા વિરાજમાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

રામ મંદિર સંકુલ લગભગ 70 એકર છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર અથવા લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે?--Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

અમે આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે. -Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે.
