AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Session latest Updates: બૂસ્ટર ડોઝ ક્યારથી આપવામાં આવશે, આરોગ્ય પ્રધાન માંડવિયાએ લોકસભામાં માહિતી આપી

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીના નવા પ્રકાર પર અસરકારક હોવાના મુદ્દે જણાવ્યું હતું કે ઓમિક્રોન પર રસી કેટલી અસરકારક છે તે અંગે લેબમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પછી જ કહી શકાશે કે રસી કેટલી અસરકારક રહેશે.

Winter Session latest Updates: બૂસ્ટર ડોઝ ક્યારથી આપવામાં આવશે, આરોગ્ય પ્રધાન માંડવિયાએ લોકસભામાં માહિતી આપી
Parliament (File Picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 11:40 AM
Share

Winter Session latest Updates: સંસદ (Parliament)ના શિયાળુ સત્ર (Winter Session)નો આજે 10મો દિવસ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત 13 લોકોના મોત બાદ શ્રદ્ધાંજલિ આપવા માટે વિપક્ષ દ્વારા ગઈકાલે ગૃહમાં કોઈ પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું, પરંતુ આજે ઘણા મુદ્દાઓ પર ચર્ચા માટે વિપક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે. લોકસભામાં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતી વખતે આરોગ્ય મંત્રીએ બુસ્ટર ડોઝ (Booster Dose)ક્યારે આપવામાં આવશે તેની માહિતી પણ આપી હતી. 

સત્રના 10મા દિવસે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીના નવા પ્રકાર પર અસરકારક હોવાના મુદ્દે જણાવ્યું હતું કે ઓમિક્રોન પર રસી કેટલી અસરકારક છે તે અંગે લેબમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પછી જ કહી શકાશે કે રસી કેટલી અસરકારક રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં જીનોમ સિક્વન્સિંગ માટે દેશમાં 36 લેબ ઉપલબ્ધ છે અને તેમાંથી 30,000 જીનોમ સિક્વન્સિંગ કરી શકાય છે. ખાનગી લેબનો ઉપયોગ કરીને પણ આ ક્ષમતા વધારવામાં આવી રહી છે.માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ એક પોલીમોર્ફિક વાયરસ છે. સમયાંતરે ફોર્મમાં ફેરફાર થાય છે. નવા મ્યુટન્ટ્સ તરીકે અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. 

મ્યુટન્ટ્સના વર્તનનો સતત અભ્યાસ: માંડવિયા

દેશમાં રસીના ડોઝ અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 89% પ્રથમ ડોઝ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે લગભગ 7 કરોડ ડોઝ હજુ પણ રાજ્યો પાસે પડ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં બે નિષ્ણાત જૂથો છે. જ્યારે બંને જૂથો સંમતિ આપશે, ત્યારે અમે ત્રીજો અથવા બૂસ્ટર ડોઝ આપીશું. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેરળમાં નિષ્ણાત ટીમે અભ્યાસ કર્યો અને જઈને સલાહ આપી કે કોવિડ યોગ્ય વર્તન અપનાવવું એ શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે કહ્યું કે આજે દેશમાં ઓમિક્રોનના 23 કેસ છે. અમે દરરોજ સવારે વૈજ્ઞાનિકો સાથે આ અંગે ચર્ચા કરીએ છીએ. અમે સતત અભ્યાસ કરીએ છીએ કે મ્યુટન્ટ્સ કેવી રીતે વર્તે છે. 

કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ મોંઘવારી મુદ્દે ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત દરખાસ્તની સૂચના આપી છે, કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે “ભારતીય ક્ષેત્રમાં ચીની સેનાની ઘૂસણખોરી..”ના મુદ્દા પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્ત આપી છે.

માનવ અધિકારો પર ચર્ચા માટે નોટીસ

તેવી જ રીતે, રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ “ભારતભરમાં માનવાધિકાર ઉલ્લંઘનની ચર્ચા કરવા” ગૃહમાં સસ્પેન્શન નોટિસ આપી છે. આ પહેલા સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ગુરુવારે પહેલીવાર રાજ્યસભાનું કામકાજ સુચારૂ રીતે શરૂ થઈ શક્યું હતું. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સંરક્ષણ કર્મચારીઓ પ્રત્યે શોક વ્યક્ત કરતાં, વિરોધ પક્ષોએ રાજ્યસભાની અંદર અને બહાર એમનો વિરોધ કર્યો ન હતો. 

રાજ્યસભામાં ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પરનું બિલ પસાર થયું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે લોકસભામાં તમિલનાડુમાં એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થવાની જાણકારી આપી હતી. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. 

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુધારા) બિલ, 2021 પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભાએ ‘ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ 2021’ પસાર કર્યું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ બિલ પર બોલતા પહેલા હું 10 લાખ ફાર્માસિસ્ટ, કર્મચારીઓ, CEO, MD, ચેરપર્સનનો આભાર માનું છું. કોવિડ દરમિયાન ભારતને મદદ કરી અને 150 દેશોને દવા સપ્લાય કરી. 

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભાને ગેરમાર્ગે દોર્યું જ્યારે તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં નાગરિકો ભાગવાનો પ્રયાસ કર્યા પછી સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો. લોકસભા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટરોના કાર્યકાળને લંબાવવા સંબંધિત બિલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">