AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંધાના દુખાવા અને સોજા માટે રામબાણ છે આ ‘કુદરતી વસ્તુ’, હાડકાંને અંદરથી બનાવશે ‘મજબૂત’

બદલાતી લાઈફસ્ટાઈલ અને 30ની ઉંમર વટાવ્યા પછી આપણા શરીરમાં એક એવું પરિવર્તન આવે છે કે, જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. હાડકાં અંદરથી પોલા થવા લાગે છે, સાંધામાં અસહ્ય દુખાવો અને સોજા ઘર કરી જાય છે. જો તમે પણ વારંવાર થતી આ અકડામણથી પરેશાન છો, તો તમારા રસોડાના મસાલાના ડબ્બામાં જ આનો 'રામબાણ' ઈલાજ છુપાયેલો છે.

| Updated on: Mar 18, 2026 | 7:17 PM
Share
આજકાલની બદલાતી જીવનશૈલીમાં ખરાબ ખાનપાન અને કસરતના અભાવને કારણે લોકોએ હાડકાં સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને, 30 વર્ષની ઉંમર પછી હાડકાંની ઘનતા (Density) ઘટવા લાગે છે અને તે નબળા પડવાની પ્રક્રિયા ઝડપી બને છે. આનાથી નબળાઈ, ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં, તમારા નબળા હાડકાંને મજબૂત કરવા માટે તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીનો સમાવેશ કરો. આ સાથે જ કેટલાક ઘરેલું નુસખાઓ પણ અજમાવી શકો છો.

આજકાલની બદલાતી જીવનશૈલીમાં ખરાબ ખાનપાન અને કસરતના અભાવને કારણે લોકોએ હાડકાં સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને, 30 વર્ષની ઉંમર પછી હાડકાંની ઘનતા (Density) ઘટવા લાગે છે અને તે નબળા પડવાની પ્રક્રિયા ઝડપી બને છે. આનાથી નબળાઈ, ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં, તમારા નબળા હાડકાંને મજબૂત કરવા માટે તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીનો સમાવેશ કરો. આ સાથે જ કેટલાક ઘરેલું નુસખાઓ પણ અજમાવી શકો છો.

1 / 5
હાડકાં માટે મેથીના દાણા પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવા, સાંધાના દુખાવાને ઘટાડવામાં અને સોજામાં રાહત આપવામાં મદદ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, મેથી હાડકાંના સ્વાસ્થ્ય માટે એક અસરકારક ઉપાય છે. તે હાડકાંના પુનઃનિર્માણમાં સુધારો કરીને ફ્રેક્ચર મટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

હાડકાં માટે મેથીના દાણા પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવા, સાંધાના દુખાવાને ઘટાડવામાં અને સોજામાં રાહત આપવામાં મદદ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, મેથી હાડકાંના સ્વાસ્થ્ય માટે એક અસરકારક ઉપાય છે. તે હાડકાંના પુનઃનિર્માણમાં સુધારો કરીને ફ્રેક્ચર મટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

2 / 5
મેથીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે, જે ઓસ્ટિયોપોરોસિસ (નબળા હાડકાં) ની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સાંધાને સ્વસ્થ રાખવામાં અને ફ્રેક્ચરમાંથી રિકવરી મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

મેથીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે, જે ઓસ્ટિયોપોરોસિસ (નબળા હાડકાં) ની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સાંધાને સ્વસ્થ રાખવામાં અને ફ્રેક્ચરમાંથી રિકવરી મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

3 / 5
મેથીના દાણા તેના શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોને કારણે ગઠિયા (Arthritis), સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આ દાણા સાંધામાં થતી બળતરા અને જકડાઈ જવાની સમસ્યાને ઓછી કરે છે તેમજ સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. આમાં રહેલા પોષક તત્વો હાડકાંની ઘનતા વધારવામાં મદદરૂપ થાય છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ ઘટે છે.

મેથીના દાણા તેના શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોને કારણે ગઠિયા (Arthritis), સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આ દાણા સાંધામાં થતી બળતરા અને જકડાઈ જવાની સમસ્યાને ઓછી કરે છે તેમજ સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. આમાં રહેલા પોષક તત્વો હાડકાંની ઘનતા વધારવામાં મદદરૂપ થાય છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ ઘટે છે.

4 / 5
રાત્રે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે પાણીની સાથે અથવા પાણી ગાળીને દાણાનું સેવન કરો. મેથીના દાણાને શેકીને અને પીસીને તેનો પાવડર બનાવી લો, તેને નવશેકા (હૂંફાળા) પાણી સાથે લઈ શકાય છે.

રાત્રે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે પાણીની સાથે અથવા પાણી ગાળીને દાણાનું સેવન કરો. મેથીના દાણાને શેકીને અને પીસીને તેનો પાવડર બનાવી લો, તેને નવશેકા (હૂંફાળા) પાણી સાથે લઈ શકાય છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો: સ્વાદમાં ખાટું-મીઠું અને સ્વાસ્થ્ય માટે વરદાન, ડાયાબિટીસથી લઈને હૃદયરોગ સુધીના તમામ ઈલાજ આ એક જ ફળમાં

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">