Breaking News: આ 5 ખેલાડીઓ KKR ને ચોથી વખત બનાવી શકે છે ચેમ્પિયન, આવી હશે બેસ્ટ પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2026 માં તેના મુખ્ય ફાસ્ટ બોલરોની ખોટ સાલશે, પરંતુ તેમની પાસે હજુ પણ પાંચ ખેલાડીઓ છે જે તેમને ચેમ્પિયન બનાવી શકે છે. કોલકાતા બે વાર IPL જીતી ચૂક્યું છે. જાણો ટીમની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન કેવી હશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે IPL 2026 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે, KKR ફરી એકવાર IPL ખિતાબ જીતવાની આશા રાખશે. KKR પાસે ખેલાડીઓની એક સંપૂર્ણ ટીમ છે જે તેમને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ચાલો તમને કોલકાતા નાઈટ રાઈડર્સ ના પાંચ ખેલાડીઓ વિશે જણાવીએ જે આ સિઝનમાં તેમના વિરોધીઓ પર વિનાશ વેરી શકે છે, અને ટીમની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન વિશે પણ જાણીએ.
ફિન એલન
KKR એ તેની IPL 2026 ટીમમાં એક વિસ્ફોટક ખેલાડીનો ઉમેરો કર્યો છે, જે જો ક્રીઝ પર રહેશે તો છગ્ગા અને ચોગ્ગાનો તોફાન મચાવશે. અમે ફિન એલન વિશે વાત કરી રહ્યા છીએ, જેણે T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. ફિન એલન એક T20 આક્રમક બેટ્સમેન છે જેણે 176 થી વધુના સ્ટ્રાઇક રેટથી 5259 રન બનાવ્યા છે. તેણે છ સદી પણ ફટકારી છે.
કેમરૂન ગ્રીન
કોલકાતા નાઈટ રાઈડર્સની સૌથી મોટો ગેમ ચેન્જર પ્લેયર છે કેમરૂન ગ્રીન, જે એક શાનદાર ઓલરાઉન્ડર છે. તે તાજેતરમાં સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ હવે ગ્રીને શેફિલ્ડ શીલ્ડમાં સદી ફટકારીને વાપસીનો સંકેત આપ્યો છે. ગ્રીન હાલમાં KKR માટે રમી રહ્યો છે, જેને ટીમે ₹25.20 કરોડમાં ખરીદ્યો છે. IPLમાં ગ્રીનનું પ્રદર્શન પણ પ્રભાવશાળી રહ્યું છે. તેણે 29 મેચોમાં 41.5 ની સરેરાશથી 707 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે.
સુનીલ નારાયણ
KKR નો ઓલટાઈમ ફેવરીટ સુનીલ નારાયણ ફરી એકવાર તેની ટીમ માટે ટ્રમ્પ કાર્ડ બનશે. આ ખેલાડીએ IPL માં બેટ અને બોલ બંનેથી સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વખતે પણ તેની પાસેથી એવી જ અપેક્ષા રાખવામાં આવશે. KKR એ નારાયણને ₹12 કરોડમાં રિટેન કર્યો છે. તેણે 189 IPL મેચોમાં 192 વિકેટ લીધી છે. તેણે IPL માં 1,780 રન પણ બનાવ્યા છે, અને તેની વિસ્ફોટક ઓપનિંગ બેટિંગ KKR માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.
વરુણ ચક્રવર્તી
KKRનો ચોથો મોટો મેચ વિનર ખેલાડી વરુણ ચક્રવર્તી છે. T20 વર્લ્ડ કપ 2026 જીતનાર આ બોલર તાજેતરની મેચોમાં મોંઘો સાબિત થયો છે, પરંતુ વરુણની મિસ્ટ્રી બોલિંગ IPLમાં અસરકારક સાબિત થઈ શકે છે. ચક્રવર્તીને KKR દ્વારા ₹12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો અને તેણે 84 IPL મેચોમાં 100 વિકેટ લીધી છે.
મથીશા પથિરાના
KKR નું પાંચમું અને નવું હથિયાર મથીશા પથિરાના હશે. આ જમણા હાથ ઝડપી બોલરને તેની ડેથ-ઓવર બોલિંગને કારણે ₹18 કરોડમાં ટીમમાં સામલે કરવામાં આવ્યો છે. પથિરાનાએ IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 32 મેચોમાં 47 વિકેટ લીધી હતી. હવે, તે KKR વતી રમશે. જોકે, અહીં મુશ્કેલી એ છે કે પથિરાના હજુ સંપૂર્ણપણે ફિટ નથી. જો કે, જ્યારે તે મેદાનમાં ઉતરશે, ત્યારે તેની પાસે ચોક્કસપણેથી KKR મોટી અપેક્ષા રાખશે.
KKRની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન
અજિંક્ય રહાણે, ફિન એલન, કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા, મતિશા પથિરાના, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી.

