AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો ? દારૂ પીધા પછી મગજની અંદર એવું તો શું થાય છે કે માણસ પોતાનો કાબૂ ખોઈ બેસે છે?

વધારે પડતો દારૂ પીધા પછી માણસ સરખું ચાલી નથી શકતો કે સ્પષ્ટ બોલી નથી શકતો. પણ શું આ માત્ર નશો છે કે મગજમાં થતી કોઈ ગંભીર હલચલ? જાણો કેવી રીતે આ આદત તમારા નર્વસ સિસ્ટમને કાયમી નુકસાન પહોંચાડી શકે છે...

શું તમે જાણો છો ? દારૂ પીધા પછી મગજની અંદર એવું તો શું થાય છે કે માણસ પોતાનો કાબૂ ખોઈ બેસે છે?
Image Credit source: AI
| Updated on: Mar 18, 2026 | 4:54 PM
Share

દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં લોકો તેનું સેવન કરે છે, પણ જ્યારે નશો હદ વટાવે ત્યારે શરીર અને મગજ પોતાનું સંતુલન ગુમાવી દે છે. લોકો લથડિયાં ખાવા લાગે છે અને ગમે તેમ બડબડવા લાગે છે. આ બધું કેમ થાય છે? તેની પાછળનું અસલી કારણ મગજની અંદર છુપાયેલું છે.

મગજનું ‘કોમ્યુનિકેશન’ થઈ જાય છે જામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના રિપોર્ટ મુજબ, દારૂ સીધો મગજના સંદેશા વ્યવહાર પર હુમલો કરે છે:

  • ધીમી ગતિ: જ્યારે આલ્કોહોલ લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે, ત્યારે તે ‘ન્યુરોન્સ’ (સંદેશ મોકલતી કોશિકાઓ) વચ્ચેની વાતચીતને અત્યંત ધીમી કરી દે છે.
  • બેલેન્સ ગુમાવવું: આ અવરોધને કારણે વ્યક્તિ સ્પષ્ટ વિચારી શકતી નથી અને શારીરિક પ્રવૃત્તિઓનું તાલમેલ બગડી જાય છે, પરિણામે લથડિયાં આવે છે.

નર્વસ સિસ્ટમ પર કાયમી આફત

દારૂ માત્ર મગજ જ નહીં, પણ આખા નર્વસ સિસ્ટમને ખોખલું કરી દે છે:

  • પેરિફેરલ ન્યુરોપેથી: જે લોકો વધુ દારૂ પીવે છે તેમને હાથ-પગમાં સુન્નતા અથવા બળતરા થવા લાગે છે. આ નસોમાં થતું નુકસાન હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે.
  • સેન્સ ગુમાવવો: જ્યારે નસોનું નેટવર્ક નબળું પડે છે, ત્યારે શરીર પોતાની આસપાસના વાતાવરણ પ્રત્યેની સંવેદના ગુમાવી દે છે.

હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે

દારૂ શરીરના એન્ડોક્રાઈન સિસ્ટમને પણ તહેસ-નહેસ કરી નાખે છે. તે એવા હોર્મોન્સને અટકાવે છે જે શરીરની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. તેને કારણે થાઈરોઈડ, અસામાન્ય કોલેસ્ટ્રોલ લેવલ અને માનસિક તણાવ સહન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સંશોધન એમ પણ કહે છે કે દારૂ યુવાનોમાં શારીરિક વિકાસની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

દારૂની એક ચુસ્કી પણ મગજની કાર્યક્ષમતાને અસર કરે છે. લાંબા ગાળે આ આદત મગજની બનાવટમાં કાયમી ફેરફાર કરી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

શું તમે પણ સવારે ખાલી પેટે પપૈયું ખાઓ છો? જાણો શરીર પર કેવી અસર થાય છે!

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">