AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 માર્ચના મહત્વના સમાચાર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે થઈ શકે ચર્ચા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 8:33 AM
Share

આજે 18 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 માર્ચના મહત્વના સમાચાર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે થઈ શકે ચર્ચા

LIVE NEWS & UPDATES

  • 18 Mar 2026 08:17 AM (IST)

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં મુખ્યપ્રધાન Bhupendra Patelની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ રહી છે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને UCC વિધેયક અંગે કેબિનેટમાં વિચારવિમર્શ થઈ શકે છે. ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણી, ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી શકે છે. રાજ્યના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 07:24 AM (IST)

    જૂનાગઢઃ અંબાજી મંદિરમાં ગેરરીતિ મામલે કુલ 11 લોકો સામે ફરિયાદ

    જૂનાગઢના અંબાજી મંદિરમાં ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મંદિરમાં દારૂ પાર્ટી અને નાણાકીય ગેરરીતિ સંબંધિત બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરે આદેશ આપ્યો છે. ગત 22 ઓક્ટોબરે મંદિર પરિસરમાં સીડી મારફતે દારૂ અને નોનવેજ લઈ જઈ ચાર દિવસ સુધી પાર્ટી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે અભિષેક ચૌહાણ, છગન ડાભી, નીખીલ મેઘનાથી અને જીગ્નેશ ડાભી સહિત બે સગીર આરોપીઓ સામે ગુનો નોંધાશે. તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 07:23 AM (IST)

    રાજકોટમાં ઠલવાશે નર્મદાના નીર

    રાજકોટવાસીઓ માટે ઉનાળામાં રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નર્મદા નદીના પાણીની આવક સુનિશ્ચિત કરવા માટે સૌની યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આજી અને ન્યારી ડેમને લગભગ 80 ટકા સુધી ભરવાની તૈયારી ચાલી રહી છે, જેથી માર્ચ, એપ્રિલ અને મે જેવા ગરમીના મહિનાઓ દરમિયાન પાણી વિતરણમાં કોઈ ખલેલ ન પડે. શહેરને ઉનાળામાં પૂરતું અને નિયમિત પાણી મળી રહે તે માટે પ્રશાસન સક્રિય બની કામગીરી કરી રહ્યું છે.

આજે 18 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Mar 18,2026 7:22 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">