Srilanka Crisis: શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રિકેટર અર્જુન રણતુંગાએ ભારતને ગણાવ્યું મોટો ભાઈ સમાન, કહ્યું- ઘણી મદદ મળી રહી છે

|

Apr 06, 2022 | 6:20 PM

Sri Lanka Crisis: દેશની આર્થિક સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સતત કથળી રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે અને લોકોની સામે ખાણીપીણીની મોટી સમસ્યા ઉભી થઈ છે.

Srilanka Crisis: શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રિકેટર અર્જુન રણતુંગાએ ભારતને ગણાવ્યું મોટો ભાઈ સમાન, કહ્યું- ઘણી મદદ મળી રહી છે
Srilanka Crisis (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

Sri Lanka Crisis: દેશની આર્થિક સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સતત કથળી રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે અને લોકોની સામે ખાણીપીણીની મોટી સમસ્યા ઉભી થઈ છે. શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ પર હવે શ્રીલંકાના વિશ્વવિજેતા કેપ્ટન અને પૂર્વ પ્રવાસન અને ઉડ્ડયન મંત્રી અર્જુન રણતુંગા (arjuna ranatunga)એ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આ સરકારે પોતાના ફાયદા માટે આખું બંધારણ બદલી નાખ્યું. ભારત અમારો મોટો ભાઈ રહ્યો છે. પેટ્રોલ અને દવાઓ જેવી અમારી જરૂરિયાતો માટે ભારત તરફથી મદદ ચાલુ છે. સંકટના સમયે ભારત આપણી ઘણી મદદ કરી રહ્યું છે.

અર્જુન રણતુંગાએ કહ્યું કે, સામાન્ય જનતા દૂધ, ચોખા અને પેટ્રોલ જેવી મૂળભૂત વસ્તુઓ માટે વિરોધ કરી રહી છે. શ્રીલંકામાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે અને જે રીતે હિંસા થઈ રહી છે તેનાથી હું સહમત નથી. છેલ્લા 2 વર્ષમાં દેશ એક મોટા સંકટમાં ગયો છે. સરકારે આ માટે કોવિડનું બહાનું આપ્યું છે પરંતુ આખી દુનિયા તેનાથી પસાર થઈ ગઈ છે. કમનસીબે સરકાર કોવિડને યોગ્ય રીતે હેન્ડલ કરી શકી નથી. સરકારમાં બેઠેલા તમામ મંત્રીઓ ઘમંડી અને વધુ પડતા આત્મવિશ્વાસવાળા હતા. જો રાષ્ટ્રપતિને લાગે છે કે, તેઓ આ સંકટને સંભાળી શકતા નથી, તો તેઓ પદ છોડી શકે છે. અમે આખી દુનિયામાં પૈસાની ભીખ માંગીએ છીએ. સદભાગ્યે એવા દેશો છે જે આપણને મદદ કરી રહ્યા છે. આ સંકટ સમયે ભારત અમારી ઘણી મદદ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સી હટાવી લીધી હતી. મંગળવારે રાત્રે જાહેર કરાયેલ ગેઝેટેડ નોટિફિકેશન નંબર 2274/10માં રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમણે ઈમરજન્સી રૂલ્સ ઓર્ડિનન્સ પાછો ખેંચી લીધો છે, જેના હેઠળ સુરક્ષા દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિ અટકાવવા માટે દળોને વ્યાપક સત્તા આપવામાં આવી હતી. દેશમાં કથળતી આર્થિક સ્થિતિને લઈને થયેલા વિરોધને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ 1 એપ્રિલના રોજ જાહેર કટોકટી જાહેર કરી હતી. 3 એપ્રિલે વ્યાપક વિરોધને પગલે ઇમરજન્સી લાદવામાં આવી હતી. આ પછી સરકારે આખા દેશમાં કર્ફ્યુ લગાવી દીધો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કર્ફ્યુ અને કટોકટી હોવા છતાં, વિરોધ ચાલુ છે. આ દરમિયાન ગુસ્સે થયેલા દેખાવકારોએ શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓના નિવાસસ્થાને ઘેરી લીધા હતા અને સરકારને આર્થિક સંકટ ઉકેલવા વિનંતી કરી હતી. વિરોધ હિંસક બનતા અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પાસેના બેરિકેડ્સ તોડી પાડવામાં આવ્યા બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. આ પછી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ અને રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે. હાલ દરરોજ 12 કલાક વીજ કાપ છે.

આ પણ વાંચો: UPSC Success Story: રિતિકાએ 22 વર્ષની ઉંમરે UPSC પાસ કરી, તેના બીમાર પિતાની સંભાળ રાખવા સાથે કરી તૈયારી

આ પણ વાંચો: FSSAI Answer Key 2021-22: ફૂડ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

Published On - 6:19 pm, Wed, 6 April 22

Next Article