Corona Omicron variant: શું ઓમિક્રોનથી બાળકોને છે વધુ જોખમ? જાણો એક્સ્પર્ટ શું કહે છે

અત્યાર સુધી આવેલા કોરોનાના તમામ પ્રકારોમાં બાળકો માટે અલગથી કોઈ ખતરો નથી. તેથી એવું ન કહી શકાય કે બાળકોને ઓમિક્રોનથી વધુ જોખમ છે. એવા કોઈ અહેવાલ પણ મળ્યા નથી કે આ નવા પ્રકારથી બાળકોને વધુ જોખમ હોય.

Corona Omicron variant: શું ઓમિક્રોનથી બાળકોને છે વધુ જોખમ? જાણો એક્સ્પર્ટ શું કહે છે
Corona testing (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:00 AM

કોરોના વાયરસની બીજા લહેર બાદ લાંબા સમયથી સ્થિતિ ઘણી સારી હતી, પરંતુ હવે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે લોકોમાં થોડો ડર છે. વાલીઓને સૌથી વધુ ચિંતા થઈ રહી છે. કારણકે કે અન્ય લોકોને કોરોનાની રસી મળી ગઈ છે, પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં તેમને ડર છે કે જો આ નવો વેરિઅન્ટ ફેલાશે તો બાળકો પર મોટું જોખમ થઈ શકે છે, જોકે નિષ્ણાતોનું કહેવું છે કે નવા વેરિઅન્ટને લઈને ગભરાવાની જરૂર નથી. જો આ પ્રકારના કિસ્સાઓ હોય તો પણ બાળકો પર તેની બહુ અસર થવાની શક્યતા નથી.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીના મેડીસીન વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલે જણાવ્યું હતું કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા વધુ મજબૂત હોય છે. તેઓ સંક્રમણ માટે ઓછી સંભાવના ધરાવે છે. કોરોનાની છેલ્લી બે લહેર દરમિયાન પણ બાળકોમાં કોરોના હતો, પરંતુ તેમનામાં લક્ષણો નહોતા. ફક્ત તે જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી જેમને પહેલેથી જ ગંભીર બીમારી હતી. જે થોડા સમય બાદ ઠીક થઈ જતા હતા.

ડોકટરે કહ્યું કે સિરોન સર્વેનો રિપોર્ટ એ પણ દર્શાવે છે કે કોરોના દરમિયાન બાળકો અને પુખ્ત વયના લોકોના ચેપના દરમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. અત્યાર સુધી આવેલા કોરોનાના તમામ પ્રકારોમાં બાળકો માટે અલગથી કોઈ ખતરો નથી. એવા કોઈ અહેવાલ પણ મળ્યા નથી કે આ નવા વેરિએન્ટથી બાળકો વધુ જોખમમાં હશે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

માતાપિતાને વેક્સિન અપાવો

ડો. નીરજ કહે છે કે જે વાલીઓએ હજુ સુધી વેક્સિન નથી લગાવી તેઓને વહેલી તકે વેક્સિન લઇ લેવી જોઈએ. આ સાથે એ પણ જરૂરી છે કે લોકો કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને બાળકોને પણ કરાવે. આ પ્રકારથી ગભરાશો નહીં અને પોતાને બચાવવા માટે કામ કરો.

અફવાઓને અવગણો

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી, ડૉ. જુગલ કિશોર કહે છે કે આ પ્રકારને લઈને એવી કોઈ માહિતી સામે આવી નથી કે તે ખૂબ જ ખતરનાક છે અથવા તેનાથી ઘણાં મૃત્યુ થઈ રહ્યાં છે. એટલા માટે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જરૂરી છે. અત્યાર સુધી જે અહેવાલો આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, હાલમાં ઓમિક્રોનના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.

બાળકોનું રસીકરણ હજુ શરૂ થયું નથી

દેશમાં હજુ બાળકોનું રસીકરણ શરૂ થયું નથી. Xycov-D રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ વેક્સિનનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. આવી સ્થિતિમાં માતા-પિતા ચિંતિત છે કે રસી વિના બાળકોને કોરોનાનું જોખમ તો નહીં રહે. કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એનકે અરોરા કહે છે કે કોમોર્બિડિટીઝવાળા બાળકો માટે રસીકરણ ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે અને તે પછી સ્વસ્થ બાળકો માટે રસીનો રોલઆઉટ થશે.

આ પણ વાંચો: કોરોનાના ડેલ્ટા-બીટા વાયરસની સરખામણીએ 500 ટકા ઝડપથી ફેલાય છે ઓમિક્રોન

આ પણ વાંચો: Winter Health: સ્વાસ્થ્ય માટે કાળા તલ છે આશીર્વાદરૂપ, જાણો તેના આશ્ચર્યજનક 6 ફાયદાઓ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">