Surat : બુલેટ ટ્રેન પર ભૂકંપ અને વાવાઝોડાની નહીં થશે અસર, 2026 સુધી પ્રથમ ટ્રાયલ રનનો લક્ષ્યાંક

સુરતનું (Surat )બુલેટ ટ્રેન સ્ટેશન 2024 સુધીમાં કાર્યરત હાલતમાં હશે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. 48,000 ચોરસ મીટરમાં કન્સ્ટ્રક્શનના કામમાં 20,000 થી વધુ કામદારો સંકળાયેલા છે.

Surat : બુલેટ ટ્રેન પર ભૂકંપ અને વાવાઝોડાની નહીં થશે અસર, 2026 સુધી પ્રથમ ટ્રાયલ રનનો લક્ષ્યાંક
Bullet Train Project in progress (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 9:55 AM

દેશમાં બુલેટ ટ્રેન(bullet train ) દોડાવવાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનના ટ્રેક (Track ) પછી હવે બુલેટ ટ્રેનના સ્ટેશન (Station )પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના રૂટ પર સુરત એ પહેલું સ્ટેશન હશે જે જાપાનની અદ્યતન અને મોર્ડન ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યું છે. સંભવિત ભૂકંપ અને વાવાઝોડાના ખતરાનો સામનો કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિઝલિંગ સ્ટોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આના કારણે 300 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતા ભૂકંપ અને તોફાનની પણ કોઈ અસર નહીં થાય. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર ચાર સ્ટેશન વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ પર કામ ચાલી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેન આખા રૂટ પર સુરત પ્રથમ સ્ટેશન બનવા જઈ રહ્યું છે જ્યાં એપ્રિલ 2024 સુધીમાં પહેલું કામ પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા જ મંત્રી દર્શના જરદોશ સાથે નિર્માણાધીન સ્ટેશન સ્થળની મુલાકાત લીધી હતી અને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન 2024 સુધીમાં કાર્યરત હાલતમાં હશે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. 48,000 ચોરસ મીટરમાં કન્સ્ટ્રક્શનના કામમાં 20,000 થી વધુ કામદારો સંકળાયેલા છે. બુલેટ ટ્રેન સ્ટેશન બીજા સામાન્ય રેલવે સ્ટેશનો કરતા અલગ હશે.

જો તેના નિર્માણ પછી હાઈ સ્પીડ ટ્રેન દોડશે તો કોઈ સમસ્યા નહીં રહે. બુલેટ ટ્રેનના રેલવે ટ્રેક પર સેન્સર પણ લગાવવામાં આવશે જે કોઈપણ ખામીની અગાઉથી જાણ કરશે. ભૂકંપ અને વાવાઝોડાને પણ ધ્યાનમાં રાખીને, પ્રોજેક્ટમાં થાંભલાની નીચે અને પાયાની વચ્ચે સિઝલિંગ સ્ટોપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આંચકાને શોષી લેશે. જેના લીધે મોટા ધરતીકંપના આંચકા અથવા 300 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની ગતિની પણ કોઈ અસર થશે નહીં.

જાપાનની બુલેટ ટ્રેન ટેક્નોલોજીથી બનેલ હાઈ-સ્પીડ સુરત રેલવે સ્ટેશનના પહેલા માળે કોન્સર્સ હશે. પ્લેટફોર્મ બીજા માળે બાંધવામાં આવશે. પ્લેટફોર્મની પહોળાઈ 11 મીટર અને લંબાઈ 450 મીટર રાખવામાં આવનાર છે. ફાઉન્ડેશન અને FFLનું કામ નવેમ્બર 2023 સુધીમાં કોન્કોર્સ અને ફ્લોર, સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્લેટફોર્મ અને ફ્લોર તેમજ એપ્રિલ 2024 સુધીમાં અન્ય બાકી કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. એટલું જ નહીં 15 ઓગસ્ટ, 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">