AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Song : શું આ હિન્દી ગીતનો મૃત્યુ સાથે કોઈ સંબંધ છે ? કેમ કેટલાક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી દરમિયાન આ ગીત વાગે છે ?

આજકાલ લગ્ન પ્રસંગે એક હિન્દી સોંગ ખૂબ જ વાગે છે. આ ગીત દુલ્હા-દુલ્હનની એન્ટ્રી પર વગાડવામાં આવે છે પરંતુ ગીતનો અર્થ શું? આ વાત મોટાભાગના લોકોને ખબર નથી.

Wedding Song : શું આ હિન્દી ગીતનો મૃત્યુ સાથે કોઈ સંબંધ છે ? કેમ કેટલાક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી દરમિયાન આ ગીત વાગે છે ?
| Updated on: Dec 06, 2025 | 8:02 PM
Share

કૈલાશ ખેરના ગીતોમાં એવો જાદુ છે કે, તેમના શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. “તેરી દીવાની,” “સૈયાં,” “બમ લહરી,” અને “જય જયકારા” જેવા ગીતોએ તેમને એક ખાસ ઓળખ આપી છે. આજકાલ તેમનું એક ગીત, “હે રી સખી મંગલ ગાઓ રી” લગ્નમાં ખૂબ વગાડવામાં આવી રહ્યું છે. આ ગીતનો ઉપયોગ લગ્નમાં કન્યા અને વરરાજાની એન્ટ્રીથી લઈને બીજા ઘણા સમારંભમાં થાય છે. જો કે, આ ગીત મૂળ લગ્ન માટે લખાયું છે જ નહીં.

પિતાના મૃત્યુ પછી લખાયું આ ગીત

કૈલાશ ખેરે ખુલાસો કર્યો કે, તેમણે તેમના પિતાના મૃત્યુ પછી “હે રી સખી મંગલ ગાઓ રી” લખ્યું હતું. હવે આનાથી પણ વધુ ભાવનાત્મક વાત એ છે કે, તેમણે આ ગીત તેમની મમ્મીના દ્રષ્ટિકોણથી ગાયું હતું, જે તેમના પપ્પા પહેલાં મૃત્યુ પામ્યા હતા.

આ ગીતમાં, તે તેની માતાની કલ્પના કરે છે. ટૂંકમાં જ્યારે તેમના પિતા સ્વર્ગમાં આવશે, ત્યારે તેમની માતા તેમનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી હશે. આમ, આ ગીત સ્વર્ગમાં બે આત્માઓના પુનઃમિલનને દર્શાવે છે. વર્ષ 2009 માં તેમના પિતાના અવસાન પછી કૈલાશ ખેરે આ ગીતમાં પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. ઘણા લોકો તેને લગ્નનું ગીત સમજી લે છે પરંતુ તેનો અર્થ ઘણો ઊંડો અને ભાવનાત્મક છે.

શું આ ગીત લગ્નમાં વગાડવું જોઈએ?

આ પ્રશ્નનો સરળ જવાબ એ છે કે, તે સંપૂર્ણપણે તમારા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. ગીતનું “મિલન” બે આત્માઓના પુનઃમિલનનું સૂચન કરે છે. તેનો આધ્યાત્મિક અર્થ પણ છે, જેમ કે કોઈ ભક્ત પોતાના ભગવાનને મળે છે.

આ ગીતમાં કંઈ જ નકારાત્મકતા કે અશુભ વાત નથી. આ જ કારણ છે કે, ઘણા લોકો તેને લગ્નમાં શુભ સંકેત માને છે અને દૂલ્હા-દૂલ્હનની એકતાનું પ્રતિક માનીને વગાડે છે. ગીતનો મૂળ અર્થ થોડો અલગ છે પરંતુ પ્રેમ, મિલન અને આધ્યાત્મિક જોડાણની લાગણીઓના કારણે તે લગ્નમાં વાગે તો ખોટું પણ નથી. આ બધું તમારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.

આ લેખ પબ્લિક ડોમેનમાંથી મળતી માહિતી મુજબ લખવામાં આવ્યો છે. ઉપલબ્ધ માહિતીની પુષ્ટિ TV9 Gujarati સંપૂર્ણપણે કરતું નથી.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">