Satish Kaushikના મૃત્યુથી બોલિવૂડમાં શોકનો માહોલ , સલમાનથી અક્ષય સુધી જાણો કોણે શું કહ્યું

|

Mar 09, 2023 | 5:22 PM

Bollywood Celebs On Satish Kaushik Death: અભિનેતા સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી દીધું. જેને લઈ બોલિવૂડમાં શોકનો માહોલ છે. અનેક સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા પર તેમને યાદ કર્યા છે.

Satish Kaushikના મૃત્યુથી બોલિવૂડમાં શોકનો માહોલ , સલમાનથી અક્ષય સુધી જાણો કોણે શું કહ્યું

Follow us on

મિસ્ટર ઈન્ડિયા અને સ્વર્ગ જેવી અનેક ફિલ્મો દ્વારા લોકોને હસાવનાર બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતા સતીશ કૌશિકે દરેકની આંખોમાં આંસુ લાવી દીધા. 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તે જેટલા સારા કલાકાર હતા તેટલા જ સારા માણસ પણ હતા. તેમના જવાથી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ પણ શૌકમાં છે.આજે સવારે અનુપમ ખેરે તેમના મૃત્યુની જાણ કરી, તેમના ચાહકોએ તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર તેમના વિશે પોસ્ટ કરી હતી.

અજય દેવગને ટ્વીટ કરીને લખ્યું, “સતીશ કૌશિક જીના નિધનના દુઃખદ સમાચારથી હું ચૌંકી ગયો છું. મેં તેની સાથે સ્ક્રીન પર અને બહાર પણ કોમેડી શેર કરી હતી. તેમની હાજરી ફ્રેમને પૂર્ણ કરવા માટે વપરાય છે. અમે જ્યારે પણ મળતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું. RIP સતીશ જી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

સતીશ કૌશિકે પણ અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી ફિલ્મમાં પોતાના પાત્રને યાદ કરતાં અક્ષય કુમારે લખ્યું, “ચંદા મામા ચલે ગયે. તેમના જવાથી હું દુ:ખી છું. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડીના સેટ પર તેણે જે હાસ્ય લાવ્યું તે માટે હું તેને યાદ કરીશ. અને મને ખાતરી છે કે તે સ્વર્ગમાં પણ બધાને હસાવશે. ઓમ શાંતિ.”

 

સલમાન ખાને પણ ટ્વિટ કર્યું હતું

સલમાન ખાને પણ સતીશ કૌશિકને યાદ કરીને ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “હંમેશા તેને પ્રેમ, સંભાળ અને આદર આપ્યો અને તે જે વ્યક્તિ હતા તેના માટે હંમેશા તેને યાદ રાખશે. RIP સતીશ જી.

 

 

પીએમ મોદી અને અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી

સતીશ કૌશિકના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને યાદ કર્યા કહ્યું કે, “ફિલ્મ વ્યક્તિત્વ સતીશ કૌશિક જીના નિધનથી હું દુ:ખી છું. તે એક ક્રિએટિવ જીનિયસ હતા જેણે પોતાના શાનદાર અભિનય અને દિગ્દર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

 

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને સતીશ કૌશિકને ભારતીય સિનેમામાં આપેલા યોગદાન માટે યાદ કર્યા હતા. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

 

 

પ્રિયંકા ચોપરાએ પણ ટ્વિટ કર્યું

પ્રિયંકા ચોપરાએ પણ સતીશ કૌશિકને યાદ કર્યા છે. તેણે કહ્યું, “ઓમ શાંતિ સતીશ સર. તમે અને પપ્પા હંમેશાની જેમ વાત કરશો અને હસશો. તમને ખૂબ જ યાદ કરવામાં આવશે.

આ સ્ટાર્સ સિવાય રાકેશ રોશન, અભિષેક બચ્ચન અને મનોજ બાજપેયી જેવા અન્ય ઘણા સ્ટાર્સે સતીશ કૌશિકને યાદ કર્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

Next Article