મિસ્ટર ઈન્ડિયા અને સ્વર્ગ જેવી અનેક ફિલ્મો દ્વારા લોકોને હસાવનાર બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતા સતીશ કૌશિકે દરેકની આંખોમાં આંસુ લાવી દીધા. 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તે જેટલા સારા કલાકાર હતા તેટલા જ સારા માણસ પણ હતા. તેમના જવાથી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ પણ શૌકમાં છે.આજે સવારે અનુપમ ખેરે તેમના મૃત્યુની જાણ કરી, તેમના ચાહકોએ તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર તેમના વિશે પોસ્ટ કરી હતી.
અજય દેવગને ટ્વીટ કરીને લખ્યું, “સતીશ કૌશિક જીના નિધનના દુઃખદ સમાચારથી હું ચૌંકી ગયો છું. મેં તેની સાથે સ્ક્રીન પર અને બહાર પણ કોમેડી શેર કરી હતી. તેમની હાજરી ફ્રેમને પૂર્ણ કરવા માટે વપરાય છે. અમે જ્યારે પણ મળતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું. RIP સતીશ જી.
Chanda Mama is gone. Deeply saddened to hear about Satish Kaushik ji’s demise. Will remember him for the spontaneous laughter he brought to the sets of Mr & Mrs Khiladi. Am sure he’s already making everyone smile in heaven. Om Shanti 🙏 pic.twitter.com/8OYsBmSjhd
— Akshay Kumar (@akshaykumar) March 9, 2023
Woke up to the sad news of Satishji’s (Kaushik) demise. I’ve shared laughs with him on & off screen. His presence filled a frame. In life too, whenever we met, he brought a smile to my face. Condolences to his family. RIP Satish Ji🙏 pic.twitter.com/GTO2kFAPr3
— Ajay Devgn (@ajaydevgn) March 9, 2023
સતીશ કૌશિકે પણ અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી ફિલ્મમાં પોતાના પાત્રને યાદ કરતાં અક્ષય કુમારે લખ્યું, “ચંદા મામા ચલે ગયે. તેમના જવાથી હું દુ:ખી છું. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડીના સેટ પર તેણે જે હાસ્ય લાવ્યું તે માટે હું તેને યાદ કરીશ. અને મને ખાતરી છે કે તે સ્વર્ગમાં પણ બધાને હસાવશે. ઓમ શાંતિ.”
સલમાન ખાને પણ સતીશ કૌશિકને યાદ કરીને ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “હંમેશા તેને પ્રેમ, સંભાળ અને આદર આપ્યો અને તે જે વ્યક્તિ હતા તેના માટે હંમેશા તેને યાદ રાખશે. RIP સતીશ જી.
Always loved cared n respected him n shall alway remember him for the man that he was . May his soul rest in peace n strength to family n loved ones. .. #RIP Satish Ji
— Salman Khan (@BeingSalmanKhan) March 9, 2023
સતીશ કૌશિકના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને યાદ કર્યા કહ્યું કે, “ફિલ્મ વ્યક્તિત્વ સતીશ કૌશિક જીના નિધનથી હું દુ:ખી છું. તે એક ક્રિએટિવ જીનિયસ હતા જેણે પોતાના શાનદાર અભિનય અને દિગ્દર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Pained by the untimely demise of noted film personality Shri Satish Kaushik Ji. He was a creative genius who won hearts thanks to his wonderful acting and direction. His works will continue to entertain audiences. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) March 9, 2023
દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને સતીશ કૌશિકને ભારતીય સિનેમામાં આપેલા યોગદાન માટે યાદ કર્યા હતા. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Deeply saddened by the sudden demise of actor, director and writer Satish Kaushik Ji. His contribution to Indian cinema, artistic creations and performances will always be remembered. My deepest condolences to his bereaved family and followers. Om Shanti Shanti
— Amit Shah (@AmitShah) March 9, 2023
પ્રિયંકા ચોપરાએ પણ સતીશ કૌશિકને યાદ કર્યા છે. તેણે કહ્યું, “ઓમ શાંતિ સતીશ સર. તમે અને પપ્પા હંમેશાની જેમ વાત કરશો અને હસશો. તમને ખૂબ જ યાદ કરવામાં આવશે.
આ સ્ટાર્સ સિવાય રાકેશ રોશન, અભિષેક બચ્ચન અને મનોજ બાજપેયી જેવા અન્ય ઘણા સ્ટાર્સે સતીશ કૌશિકને યાદ કર્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.