AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપી પોલીસે કહ્યુ, યોગી સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાત ખોટી

ઉતરપ્રદેશ પોલીસે સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાતને નકારી કાઢી છે. એસએસપી અજય કુમારે જણાવ્યું કે, એક માથાભારે યુવક સલ્ફાનું પેકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવાનનો આરોપ છે કે સિદ્ધાર્થનાથ સિંહે તેમનું કામ કર્યું નથી.

યુપી પોલીસે કહ્યુ, યોગી સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાત ખોટી
Minister of the Government of Uttar Pradesh Siddharth Nath Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 2:44 PM
Share

ઉતરપ્રદેશની યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ (Siddharth Nath Singh) પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જો કે ઉતરપ્રદેશ પોલીસે, કહ્યુ છે કે, પ્રધાન  સિદ્ધાર્થનાથ સિંહ  ઉપર કોઈ હુમલો થયો નથી. વિધાનસભાની ચૂંટણી માટે સિદ્ધાર્થનાથ સિંહ ઉમેદવારી (UP Assembly Election Nomination) નોંધાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત પ્રસરી હતી.

જો કે કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથના કાફલામાં એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો, જેની પાસે બ્લેડ અને ઝેરનું પેકેટ છમળી આવ્યુ છે. પોલીસે શંકાના આધારે યુવકને કસ્ટડીમાં લીધો છે. સિદ્ધાર્થનાથે આરોપ લગાવ્યો છે કે યુવક હુમલો કરવાના ઈરાદાથી જ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે સિદ્ધાર્થ નાથ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સિદ્ધાર્થનાથના સમર્થકોએ યુવકને માર્યો માર

પોલીસની માહિતી અનુસાર, સિદ્ધાર્થ નાથ સિંહ તેમના નામાંકન માટે મુંડેરામાં તેમની ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને હિમાંશુ નામનો યુવક ધુમાનગંજ વિસ્તારમાં ભીડમાંથી બહાર આવીને તેની નજીક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે બ્લેડ વડે પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર કામદારોએ હુમલાખોરને સમયસર પકડી લીધો હતો અને માર માર્યો હતો. આ પછી કાર્યકરોએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ આરોપી હુમલાખોરની પૂછપરછ કરી રહી છે.

સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાનો પોલીસે કર્યો ઇનકાર

જો કે ઉતરપ્રદેશ પોલીસે સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાતને નકારી કાઢી છે. એસએસપી અજય કુમારે જણાવ્યું કે, એક માથાભારે યુવક સલ્ફાનું પેકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવાનનો આરોપ છે કે સિદ્ધાર્થનાથ સિંહે તેમનું કામ કર્યું નથી. તેણે બ્લેડ વડે સલ્ફાનું પેકેટ ફાડી નાખ્યું અને ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની ધમકી આપી. આ દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. હુમલાની વાત ખોટી છે. પોલીસ કથિત આરોપી હુમલાખોરની પૂછપરછ કરી રહી છે.

યુપી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે

યુપીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પાર્ટી સતત ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને માર્ચ 3 અને 7ના રોજ મતદાન થશે. મત ગણતરી 10 માર્ચે થશે.

આ પણ વાંચોઃ

UP Assembly Election: પશ્ચિમ યુપીમાં આજે રાજકીય જંગ, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, માયાવતી, અખિલેશ અને જયંત મેદાનમાં ઉતરશે

આ પણ વાંચોઃ

UP Election 2022: ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 5 જિલ્લાઓની જનતા સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">