AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા જશે પાકિસ્તાન ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં તેની તમામ મેચ દુબઈમાં રમશે. દરમિયાન, પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત એક કાર્યક્રમ માટે પડોશી દેશની મુલાકાત લઈ શકે છે.

| Updated on: Jan 14, 2025 | 6:36 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો મેચ દુબઈમાં જ યોજાશે. આ બધા વચ્ચે રોહિત શર્મા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રોહિતને પાકિસ્તાન જવું પડી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો મેચ દુબઈમાં જ યોજાશે. આ બધા વચ્ચે રોહિત શર્મા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રોહિતને પાકિસ્તાન જવું પડી શકે છે.

1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે, જે 9 માર્ચ સુધી રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20મીએ દુબઈમાં રમશે. દરેક ICC ટૂર્નામેન્ટ પહેલા, યજમાન દેશ સામાન્ય રીતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ કેપ્ટનોની હાજરીમાં એક મોટી ઈવેન્ટનું આયોજન કરે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે, જે 9 માર્ચ સુધી રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20મીએ દુબઈમાં રમશે. દરેક ICC ટૂર્નામેન્ટ પહેલા, યજમાન દેશ સામાન્ય રીતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ કેપ્ટનોની હાજરીમાં એક મોટી ઈવેન્ટનું આયોજન કરે છે.

2 / 5
આ દરમિયાન કેપ્ટન્સનું ફોટોશૂટ થશે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત આ ઈવેન્ટ માટે પાકિસ્તાન જઈ શકે છે. જો કે કેપ્ટન રોહિતના પાકિસ્તાન જવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ દરમિયાન કેપ્ટન્સનું ફોટોશૂટ થશે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત આ ઈવેન્ટ માટે પાકિસ્તાન જઈ શકે છે. જો કે કેપ્ટન રોહિતના પાકિસ્તાન જવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

3 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ ભારતીય ટીમ તેની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. આ પછી ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજ બાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચો રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ ભારતીય ટીમ તેની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. આ પછી ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજ બાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચો રમાશે.

4 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે 18 કે 19 જાન્યુઆરીએ પસંદગી સમિતિની બેઠક થશે અને ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 3 મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. (All Photo Credit : PTI)

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે 18 કે 19 જાન્યુઆરીએ પસંદગી સમિતિની બેઠક થશે અને ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 3 મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. (All Photo Credit : PTI)

5 / 5

રોહિત શર્માની ક્રિકેટ કરિયર, પર્સનલ લાઈફ, રેકોર્ડ સહિત ક્રિકેટને લગતા ન્યૂઝ જાણવા ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">