AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

Breaking News: રોહિત શર્માને પાઠ ભણાવવા યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખાયો હોવાનો ચોંકાવનારો દાવો

યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા સાથે ODI શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ જવાનો હતો, પરંતુ તેને જાણી જોઈને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. જે બાદ સોશિયલ મીડિયામાં ફેન્સ વચ્ચે રોહિતની નિવૃત્તિ અને તેના સ્થાને યશસ્વીને સામેલ કરવાની માંગ થઈ રહી છે.

Rohit Sharma Retirement: રોહિત શર્માની કારકિર્દી કેમ પહોંચી અંતિમ પડાવ પર? આ રહ્યા 3 સૌથી મોટા કારણો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે બાદ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂર્ણ થવાની અટકળો તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, BCCI હવે 2027ના ODI વર્લ્ડ કપ માટે યુવા ખેલાડીઓ પર દાવ લગાવવા તૈયાર છે. જાણો એવા ત્રણ મુખ્ય કારણો, જેના કારણે હિટમેનનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.

Breaking News: રોહિત શર્માની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને મળશે તક? 24 વર્ષીય ખેલાડી સૌથી મોટો દાવેદાર

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન અનુભવી બેટ્સમેન રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થશે તેવા સમાચાર છે. અહેવાલો અનુસાર, BCCI હવે રોહિત શર્માની જગ્યાએ એક યુવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહ્યું છે. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી.

Breaking News: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ? ટીમ ઈન્ડિયાના કોચે તોડ્યું મૌન

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ વાતચીત સંપૂર્ણપણે બંધ કરી દીધી હોવાના દાવાઓ વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. શું ખરેખર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ છે? ચાલો જણીએ.

Breaking News: રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી કેમ થયો ભાવુક ? ચાહકોને અશ્વિનની નિવૃત્તિ આવી યાદ

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોને રોહિત શર્માના નિવૃત્તિના અહેવાલો સાથે જોડવામાં આવી રહ્યો છે. કોહલીના ચહેરા પરની નિરાશા રોહિતની નિવૃત્તિનો સંકેત છે, એવું કેટલાક ફેન્સનું માનવું છે. આ ઘટનાને ચાહકો અશ્વિનની નિવૃત્તિ સાથે પણ જોડી રહ્યા છે.

Breaking News: રોહિત શર્માના માતા-પિતા અચાનક લંડન પહોંચ્યા, IND vs ENG લોર્ડ્સ ODI પછી લેશે નિવૃત્તિ?

રોહિત શર્માની નિવૃત્તિને લઈ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે તેના માતા-પિતા લંડન પહોંચી ગયા છે. જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાનારી ODI મેચ રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે.

Breaking News : સંન્યાસની અટકળો વચ્ચે રોહિત શર્માના કોચે આપ્યું મોટું નિવેદન

India Batting coach Sitanshu Kotak on Rohit Sharma : ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સંન્યાસની અટકળો વચ્ચે રોહિત શર્મા પર મોટું નિવેદન આપ્યું છે. ખરાબ પ્રદર્શન વચ્ચે રોહિતના સમર્થનમાં ઉતર્યા છે.

Jasprit Bumrah : જસપ્રીત બુમરાહે એક જ ઓવરમાં મેળવી આ સિદ્ધિ, પોતાના કરિયરનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો

IND vs ENG : ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 233 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતની ખરાબ બેટિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

19 જુલાઈએ લોર્ડ્સમાં રોહિત શર્મા રમી શકે છે છેલ્લી મેચ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આવી રહ્યો છે અંત?

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે.

Breaking News: વિરાટ કોહલીએ તોડ્યો 2645 રનનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડની ધરતી પર રચ્યો નવો ઇતિહાસ; રિકી પોન્ટિંગને પણ પછાડ્યો

કાર્ડિફ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ કિંગ કોહલીએ રેકોર્ડ્સની ઝડી લગાવી દીધી છે. ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો રાહુલ દ્રવિડનો વર્ષો જૂનો રેકોર્ડ તોડવાની સાથે વિરાટે કયા કયા અદભુત કીર્તિમાન સ્થાપ્યા, તેની પૂરી વિગત અહીં જુઓ.

Breaking News: 0,0,0,0,0,0,0,0,0,0… રોહિત શર્માએ તોડી ખરાબ બેટિંગની તમામ હદો, આ રીતે રમશે વનડે વર્લ્ડ કપ?

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ છે. પ્રથમ મેચમાં 11 રન બનાવ્યા બાદ, બીજી વનડેમાં રોહિત 47 બોલમાં માત્ર 26 રન જ કરી શક્યો હતો. 2014 પછી પહેલીવાર રોહિતની બેટિંગમાં જોવા મળેલા આ નબળા રેકોર્ડની પૂરી વિગત અહીં જુઓ.

કેએલ રાહુલને એક જ મેચ રમાડ્યા બાદ ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો ? 3 વર્ષ પછી આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી

ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ કેએલ રાહુલને કાર્ડિફ વનડેમાંથી કેમ બહાર રાખવામાં આવ્યા અને તેમના સ્થાને કયા વિસ્ફોટક બેટ્સમેનને મોકો મળ્યો છે, તેની પૂરી વિગત અહીં જુઓ.

‘વૈભવ સૂર્યવંશી’ ક્યારે રમશે આગામી ‘ઇન્ટરનેશનલ મેચ’? શું T-20 સિરીઝમાં ઓપનિંગ કરતો જોવા મળશે આ ‘યુવા ઓપનર’?

ડેબ્યૂ મેચમાં ખાસ કમાલ ન કરી શકનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને ટૂંક સમયમાં મેદાન પર ફરી કમબેક કરવાની તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ રમાનારી આગામી T-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં આ યુવા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની પ્રથમ સિરીઝમાં નિષ્ફળ રહ્યા બાદ વૈભવ માટે આ નવી તક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Breaking News : વિરાટ કોહલી 50,100 નહી માત્ર 4 રનથી ઈંગ્લેન્ડમાં બનાવશે મોટો રેકોર્ડ

બર્મિંગહામમાં વિરાટ કોહલીની પહેલી મેચ સારી નહોતી, જેમાં તેણે ફક્ત 5 રન બનાવ્યા હતા. હવે, બીજી મેચ એ જ મેદાન પર છે જ્યાં ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી રમી રહી છે, અને કોહલી છેલ્લી વખત પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગયો હતો.

Breaking News : વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પર્સનલ બોડીગાર્ડ સાથે કેમ મુસાફરી કરી રહ્યો છે ? BCCIના નિયમો શું છે?

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાના બોડીગાર્ડને કારણે વિવાદમાં ફસાઈ ગયો છે. તેમના પર એક પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">