AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

Year ender 2025 : ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી, મહિલા ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચ્યો

Indian Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ માટે 2025નું વર્ષ નોંધપાત્ર રહ્યું છે. આ વર્ષે કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ જોવા મળી જે ક્યારે પણ ભુલાશે નહી. તો ચાલો જોઈએ આ કઈ કઈ સિદ્ધિઓ છે.

શું ભારતીય ટીમમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે? જાહેર કરાયેલ T20 વર્લ્ડ કપમાં સ્કવોડમાં બદલાવ થશે કે નહીં? ICC નો આ નિયમ જાણી લેજો

ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ ICC ટુર્નામેન્ટમાં આ તેની પહેલી તક છે. એવામાં સવાલ એ છે કે, શું જાહેર કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરી શકાય છે?

Breaking News : IPL સેન્સેશન કૃષ્ણપ્પા ગૌથમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ, આવી રહી તેમની કારકિર્દી, જાણો

કર્ણાટકના દિગ્ગજ ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌથમે 14 વર્ષની ઘરેલુ ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું છે. તેમની ઓફ-સ્પિન બોલિંગ અને આક્રમક બેટિંગથી તેઓ રણજી, લિસ્ટ A અને IPLમાં છવાયા હતા.

શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં ટી20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો

ટી20 વર્લ્ડકપ 2026 માટે સિલેક્ટર્સે સંજુ સેમસન ઉપર વિશ્વાસ મુક્યો છે. તે પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. તે એશિયા કપનો ખિતાબ જીતનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે.

આખે આખા 2 વર્લ્ડ કપ દાવ પર ! ટીમ ઈન્ડિયાના કેપ્ટન જ બની રહ્યા છે સમસ્યા ? જાણો કારણ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનો, સૂર્યકુમાર યાદવ અને આયુષ મ્હાત્રે, બંને વર્લ્ડ કપ પહેલાં નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. અંડર-19 અને સિનિયર ટી20 વર્લ્ડ કપમાં ભારત ટાઇટલ દાવેદાર હોવા છતાં, કેપ્ટનોનું બેટ શાંત રહેવું ચિંતાજનક છે.

ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

T20 World Cup 2026 : બધાની નજર આ ખેલાડી પર રહેશે, આ 5 ભારતીય ખેલાડીઓ પહેલી વખત T20 વર્લ્ડ કપ રમશે

ભારતીય ટીમની ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં 5 ખેલાડીઓ એવા છે. જેને આ મેગા ઈવેન્ટમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. તો ચાલો જોઈએ ક્યા 5 ખેલાડી છે જે પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમતા જોવા મળશે.

Breaking News : ભારત પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, આજ સુધી વિશ્વની કોઈ પણ ટીમ આ કામ કરી શકી નથી

ટી20 વર્લ્ડકપ 2026ની યજમાની ભારત અને શ્રીલંકાને મળી છે. આ વખતે કુલ 20 ટીમ આ વર્લ્ડકપમાં ભાગ લેશે. આ માટે આ ક્રિકેટના મહાકુંભને લઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. તેમજ ભારત પાસે ઐતિહાસિરક રેકોર્ડ બનાવવાની પણ સુવર્ણ તક છે. તો ચાલો જાણીએ આ સુવર્ણ તક શું છે.

દોઢ વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ટીમ ઈન્ડિયા, 7 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ થયા બહાર

T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ ટાઈટલ ડીફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે. દોઢ વર્ષ પહેલા ટાઈટલ જીતનાર લગભગ અડધી ટીમ બદલાઈ ગઈ છે, અને કેટલાક ખેલાડીઓ પહેલીવાર વર્લ્ડ કપમાં રમશે.

VIDEO: આરામ બાદ ફરી મેદાનમાં RO-KO, વિરાટ કોહલી અને રોહિત શર્માએ તૈયારીઓ શરૂ કરી

વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી દરમિયાન પોતાની બેટિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. હવે, બંને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. તે પહેલા બંને વિજય હજારે ટ્રોફીમાં રમશે, જેના માટે વિરાટ અને રોહિતે તૈયારીઓ શરુ કરી દીધી છે.

શું T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? જાણો શું છે ICC નો ખાસ નિયમ

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. BCCI એ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. જો કે, આ ટીમમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. જાણો કેવી રીતે.

બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી પર ઈશાન કિશને શું કહ્યું? વર્લ્ડ કપમાં પસંદગી પછીનો વીડિયો વાયરલ

ઈશાન કિશન ડિસેમ્બર 2023 થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. BCCI ના વારંવાર કહેવા છતાં તે થોડા સમય માટે ઘરેલુ ક્રિકેટથી પણ દૂર રહ્યો. જોકે, મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમને વિજય અપાવ્યા બાદ અને ઘણા રન બનાવ્યા બાદ તે હવે ટીમમાં પાછો ફર્યો છે અને તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ છે. ટીમમાં પસંદગી અંગે ઈશાને ખુશી વ્યક્ત કરી હતી.

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ગૌતમ ગંભીરે લીધો યુ-ટર્ન? સૂર્યકુમાર યાદવે ખોલ્યું રહસ્ય

BCCI એ ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. તેણે ટુર્નામેન્ટ પહેલા એક મોટી જાહેરાત કરી હતી, જે બાદ એવું લાગી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2026 પહેલા કોચ ગૌતમ ગંભીરે મોટો યુ-ટર્ન લીધો છે.

T20 World Cup 2026: શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો? અજિત અગરકરે કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું.

બે વર્ષથી ભારત માટે એક પણ મેચ ન રમનાર ખેલાડીની T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી, BCCI નો મોટો નિર્ણય

છેલ્લા બે વર્ષમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. આ ખેલાડીનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. તે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ પણ નથી.

g clip-path="url(#clip0_868_265)">