ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
T20 WC Breaking : 5 કેચ છોડવા છતાં ભારત જીત્યું, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે જીતનો હીરો બન્યો
T20 વર્લ્ડ કપ 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ તેની ચારેય ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી છે. હવે ભારત સુપર 8 રાઉન્ડમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 11:06 pm
T20 WC Breaking : શિવમ દુબેએ 25 બોલમાં અડધી સદી ફટકારી, T20 વર્લ્ડ કપમાં પહેલીવાર કર્યો આ કમાલ
શિવમ દુબેએ નેધરલેન્ડ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી. ડાબા હાથના આ બેટ્સમેને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. T20 વર્લ્ડ કપમાં આ તેની પહેલી અડધી સદી હતી.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 9:37 pm
T20 WC Breaking : જર્સી બદલવાથી રન નથી બનતા… સિરાજની જર્સી પહેરીને બેટિંગ કરવા આવ્યો અભિષેક, કારણ જાણી ચોંકી જશો
અભિષેક શર્માએ મોહમ્મદ સિરાજની જર્સી પહેરી હતી, પરંતુ તેનું નસીબ બદલાયું નહીં. તે નેધરલેન્ડ્સ સામે પણ શૂન્ય પર જ આઉટ થયો હતો. તે T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ શૂન્ય આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 9:13 pm
T20 WC Breaking : અભિષેક શર્મા ફરી 0 રને આઉટ થયો, સૌથી શરમજનક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
અભિષેક શર્માનો ખરાબ સમય સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. યુએસએ અને પાકિસ્તાન સામે 0 પર આઉટ થયા બાદ, તે હવે નેધરલેન્ડ્સ સામે પણ એક પણ રન કર્યા વિના આઉટ થઈ ગયો હતો. આ સાથે જ તેણે શરમજનક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 8:42 pm
T20 WC Breaking : અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બહાર, આ ખેલાડીને પહેલીવાર તક મળી
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર ટોસ જીત્યો અને બે મુખ્ય ખેલાડીઓને બેન્ચ પર બેસાડ્યા છે. જ્યારે એક ખેલાડીને પહેલીવાર વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 7:11 pm
T20 WC Breaking : ICC રેન્કિંગમાં ઈશાન કિશનની મોટી છલાંગ, 17 બેટ્સમેનોને પાછળ છોડી ટોપ 10 માં એન્ટ્રી
ICC એ લેટેસ્ટ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ઈશાન કિશને જોરદાર છલાંગ લગાવી છે, તેણે 17 બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે અને તે ટોપ 10 માં પ્રવેશ કરી ગયો છે, જ્યારે અભિષેક શર્માએ તેનું નંબર 1 રેન્કિંગ જાળવી રાખ્યું છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 4:09 pm
Breaking News : IPL મેચની ટિકિટ થશે મોંઘી, IPL ટિકિટો પર 40 ટકા GSTનો બોજ, જાણો વિગત
IPL હવે માત્ર ક્રિકેટનો ઉત્સવ નહીં, પણ મોંઘું મનોરંજન બની રહ્યું છે. Indian Premier Leagueની ટિકિટ પર 40% GST લાગુ. Narendra Modi Stadium હોય કે Wankhede Stadium સ્ટેડિયમમાં લાઈવ મેચ જોવાનો શોખ હવે ખિસ્સા પર ભારે પડશે. શું આ વધેલા દરો છતાં સ્ટેડિયમ હાઉસફુલ રહેશે?
- Hasmukh Ramani
- Updated on: Feb 18, 2026
- 2:39 pm
Breaking News: “ભારત 2023 વર્લ્ડ કપ જીતી ગયું હોત, જો…” ભારતીય ક્રિકેટરે અમદાવાદ ફાઈનલને લઈને આપ્યું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયાની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સુપર-8માં જવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Feb 18, 2026
- 12:23 pm
Gujarat Budget 2026-27 Live Updates : નવસારી ભાજપમાં ભડકો, જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના 8 હોદ્દેદારોએ રાજીનામા આપતા સોંપો પડી ગયો
Gujarat Budget Live Updates : આજે 18 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 9:20 pm
T20 WC Breaking : અભિષેક શર્માનો વિસ્ફોટક બેટિંગનો પ્લાન તૈયાર, બુમરાહના રમવા અંગે આવ્યા મોટા સમાચાર
પાકિસ્તાનને કચડી નાખ્યા પછી, ભારતનો આગામી મુકાબલો નેધરલેન્ડ્સ સામે છે. આ મેચ પહેલા, બેટિંગ કોચ સિતાંશુ કોટકે અભિષેક શર્મા અને જસપ્રીત બુમરાહ વિશે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 10:59 pm
T20 World Cup : વિરાટ-રોહિત નહીં, આ ખેલાડીએ ફટકારી છે ભારતની એકમાત્ર T20 વર્લ્ડ કપ સદી, જાણો કોણ છે આ ‘ધુરંધર’
T20 વર્લ્ડ કપના 19 વર્ષના ઇતિહાસમાં અનેક દિગ્ગજ બેટર્સે યાદગાર ઈનિંગ રમી છે, છતાં ભારત તરફથી માત્ર એક જ ખેલાડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. વર્ષ 2010માં આ ઐતિહાસિક સદી નોંધાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે ત્યારથી અત્યાર સુધી કોઈ ભારતીય બેટર આ સિદ્ધિ પુનરાવર્તિત કરી શક્યો નથી.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 10:40 pm
T20 WC Breaking : નેધરલેન્ડ્સ સામે પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર ! બુમરાહ-પંડ્યાને મળી શકે આરામ
T20 વર્લ્ડ કપ 2026 માં સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે નેધરલેન્ડ્સ સામેની અંતિમ ગ્રુપ મેચમાં ટીમમાં ફેરફાર કરી શકે છે. આ મેચનું પરિણામ ટૂર્નામેન્ટની સ્થિતિ પર કોઈ અસર નહીં કરે, તેથી મેનેજમેન્ટ બે મુખ્ય ખેલાડીઓને આરામ આપી બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 8:30 pm
T20 WC Breaking : સુપર-8 માં ટીમ ઈન્ડિયાની આ ત્રણ ટીમો સામે થશે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે રમશે મેચ
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ, ઝિમ્બાબ્વેએ સુપર 8 રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. વધુમાં, ઝિમ્બાબ્વેને ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં સ્થાન મેળવ્યું છે. એટલે ભારતની એક મેચ ઝિમ્બાબ્વે સામે થશે, પરંતુ અન્ય બે ટીમો કઈ છે જેની સામે સુપર 8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની ટક્કર થશે અને આ મેચો ક્યારે રમાશે? જાણો ટીમ ઈન્ડિયાનો સુપર 8 માં શેડ્યુલ.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 7:24 pm
Breaking News : ભારત પાસેથી આ ટુર્નામેન્ટની યજમાની છીનવી લેશે ICC? T20 વર્લ્ડ કપ વિવાદ બાદ ચોંકાવનારો દાવો
ભારત પર ICC ટુર્નામેન્ટના યજમાન અધિકાર ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન થયેલા રાજકીય વિવાદો, ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ અને બાંગ્લાદેશના મુદ્દે, ICC મોટો નિર્ણય લઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: Feb 17, 2026
- 5:06 pm
Breaking News: કપિલ દેવ-સુનીલ ગાવસ્કર સહિત 14 પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની મદદ માટે આગળ આવ્યા, પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગણીઓ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ટેકો આપવા માટે 14 ભૂતપૂર્વ કેપ્ટન આગળ આવ્યા છે. આમાં કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન હાલમાં જેલમાં છે અને તેમની તબિયત ખૂબ જ ખરાબ છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 4:51 pm