ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
Breaking News: બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા ઓછી! ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ 28 જૂને બેલફાસ્ટમાં રમાશે. પ્રથમ મેચમાં મળેલી 34 રનની હાર બાદ ટીમ ઈન્ડિયા શ્રેણી બચાવવા માટે મેદાનમાં ઉતરશે. જોકે, યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને બીજી મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા ઓછી છે, જ્યારે બોલિંગ વિભાગમાં એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 9:46 pm
વૈભવ સૂર્યવંશીથી વધ્યું દબાણ, પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓને આપી ચેતવણી
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું છે કે વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર પર દબાણ વધારી રહ્યું છે. તેમણે ખાસ કરીને સંજૂ સેમસન અને અભિષેક શર્માને પોતાની જગ્યા જાળવી રાખવા માટે સતત સારું પ્રદર્શન કરવાની સલાહ આપી છે.
- Sachin Agrawal
- Updated on: Jun 27, 2026
- 9:45 pm
અભિષેક શર્માએ સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, T20Iમાં સૌથી ઝડપી 1000 રન બનાવી રચ્યો નવો ભારતીય રેકોર્ડ
આયરલેન્ડ સામે 49 રનની આક્રમક ઇનિંગ્સ દરમિયાન અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા. સાથે જ તેણે સૌથી ઓછી બોલમાં 1000 રન બનાવવાના મામલે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નવો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો.
- Sachin Agrawal
- Updated on: Jun 27, 2026
- 9:39 pm
Breaking News: અભિષેક શર્માએ બતાવી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ખામી, નહીં સુધરે તો હાથમાંથી જશે શ્રેણી
આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં 34 રનની હાર બાદ ટીમ ઈન્ડિયાની બોલિંગ અને વ્યૂહરચના સવાલોના ઘેરામાં આવી છે. ઓપનર અભિષેક શર્માએ મેચ બાદ સ્વીકાર્યું કે ભારતીય બોલરોએ યોગ્ય લાઇન-લેન્થ પર બોલિંગ કરી નહોતી. જો બીજી મેચમાં આ ભૂલો સુધરશે નહીં તો ભારત માટે શ્રેણી બચાવવી મુશ્કેલ બની શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 9:15 pm
Breaking News: અભિષેક શર્માની અડધી સદી મેચ બાદ થઈ ગઈ ગાયબ! જાણો કેમ કપાયો 1 રન
આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં, જ્યારે ટીમ ઈન્ડિયાના બાકીના બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે અભિષેક શર્માએ આયર્લેન્ડના બોલરો સામે સહેલાઈથી ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે અડધી સદી પણ ફટકારી, પરંતુ મેચ પછી કહાની જ બદલાઈ ગઈ. તેની ફિફ્ટીમાંથી એક રન ઓછો થઈ ગયો. જાણો આવું કેમ થયું.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 7:44 pm
Breaking News: વર્લ્ડ કપ જીત્યા બાદ ફરી પહેલી જ T20 માં હાર, આયર્લેન્ડ પહેલા આ ટીમે ભારતને આપ્યો હતો ઝટકો
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પહેલી જ T20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડે 34 રને હરાવીને ઈતિહાસ રચ્યો અને સાથે જ બે વર્ષ જૂની કડવી યાદો પણ તાજી કરી દીધી. 2024 માં પણ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત પોતાની પહેલી જ મેચમાં હાર્યું હતું.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 5:55 pm
Breaking News: આયર્લેન્ડમાં શ્રેણી બચાવવી હોય તો વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ જરૂરી! આંકડા આપી રહ્યા છે મોટો સંકેત
ભારત સામે શ્રેણી બચાવવાનો પડકાર છે અને બીજી T20 હવે કરો યા મરો જેવી બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળે તો તે ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેના નોકઆઉટ મેચોના આંકડા પણ આ જ તરફ ઈશારો કરે છે.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 4:15 pm
Breaking News: કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં હારનાર માત્ર ચોથો ભારતીય, શ્રેયસ અય્યરના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ
ભારતીય કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડે પહેલી T20માં ભારતને 34 રનથી હરાવ્યું. આ હાર સાથે અય્યરના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો. સાથે જ કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં હાર મેળવનાર તે માત્ર ચોથો ભારતીય બન્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jun 27, 2026
- 3:59 pm
Breaking News: આયર્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકારી મોટી ભૂલ, આપ્યું મોટું નિવેદન
ભારતને આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકેની પહેલી મેચ બાદ શ્રેયસ અય્યરે હારના કારણો ખુલ્લેઆમ સ્વીકાર્યા અને કહ્યું કે ટીમે કેટલીક મહત્વની ભૂલો કરી હતી. સાથે જ તેણે આગામી મેચમાં મજબૂત વાપસીનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 11:12 pm
Breaking News: 63 મેચની રાહ બાદ શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર
આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચ શ્રેયસ અય્યર માટે અનેક રીતે ખાસ હતી. લગભગ ત્રણ વર્ષ બાદ તેણે T20 ટીમમાં વાપસી કરી અને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ સંભાળી. જોકે, બેટિંગમાં તે માત્ર ત્રણ રન જ બનાવી શક્યો, જ્યારે તેની કપ્તાનીમાં ભારત આયર્લેન્ડ સામે પહેલીવાર હાર્યું.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 10:52 pm
Breaking News: પહેલી મેચ, પહેલો બોલ, પહેલી વિકેટ… ભારતીય મૂળના આઈરિશ બોલરે રચ્યો ઈતિહાસ
ભારત સામેની ડેબ્યૂ મેચમાં ભારતીય મૂળના આઈરિશ ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ઈતિહાસ રચ્યો હતો. આયર્લેન્ડ તરફથી રમતા તેણે પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પહેલા જ બોલ પર સંજુ સેમસનની વિકેટ લઈને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો. રાજસ્થાનથી આયર્લેન્ડ સુધીની તેની સફર હવે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 9:52 pm
Breaking News: અભિષેક શર્માએ આયર્લેન્ડ સામે રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારી, ફક્ત આટલા બોલમાં ઈતિહાસ રચ્યો
અભિષેક શર્માએ આયર્લેન્ડ સામેની પહેલી T20Iમાં શાનદાર અડધી સદી ફટકારી. ડાબા હાથના આ બેટ્સમેને માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો. જોકે તેના સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહીં.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 9:15 pm
Breaking News: ભારત-આયર્લેન્ડ મેચમાં વરસાદ પડે તો વિજેતા કેવી રીતે નક્કી થશે? જાણો ICC નો નિયમ
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બેલફાસ્ટમાં વરસાદની આગાહી વચ્ચે ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો મેચ ધોવાઈ જાય તો પરિણામ કેવી રીતે જાહેર થશે? જાણો શું છે ICCના નિયમો.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 8:11 pm
Breaking News: ટીમ ઈન્ડિયાએ કેમ ન આપ્યું વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ ? કેપ્ટન શ્રેયસ અય્યરે કર્યો ખુલાસો
ભારતે આયર્લેન્ડ સામેની પહેલી T20 માં વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપી ન હતી. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. ચાલો સમજાવીએ કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો.
- Smit Chauhan
- Updated on: Jun 26, 2026
- 6:06 pm
Shreyas Iyer : શ્રેયસ અય્યર પહેલાં આ 14 ખેલાડીઓ બની ચૂક્યા છે ભારતના T20 કેપ્ટન !
શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનશે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો, ત્યારે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે હતી. પરંતુ કોઈને આશા નહોતી કે સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. ભારતીય ટીમનો પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ હતા. તેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તે મેચમાં જીત પણ મેળવી હતી.
- Dhruval Shah
- Updated on: Jun 26, 2026
- 2:46 pm