ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

પાકિસ્તાનની ફૂટી કિસ્મત, મોટો સ્કોર બનાવવા છતાં એશિયા કપમાંથી બહાર, હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ

મહિલા એશિયા કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 141 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં કરી લીધો હતો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે.

હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી તેના ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ચોંકી ગયા છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ આપવામાં આવી હતી, હવે જસપ્રીત બુમરાહ સાથે પણ કંઈક આવું જ થવાનું છે.

VIDEO: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ રિંકુ સિંહની બહેનને ચોંકાવી દીધી, શ્રીલંકાથી આપ્યું ખાસ સરપ્રાઈઝ

ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. તે 27 જુલાઈથી T20 સિરીઝ રમવાની છે અને તેમાં રિંકુ સિંહ પણ જોવા મળશે. આ કારણે તે પોતાની બહેનના જન્મદિવસમાં હાજર રહી શક્યો ન હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીએ આ પ્રસંગે તેની બહેનને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું.

બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપની ફાઈનલમાં પહોંચી

ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે 27 જુલાઈએ યોજાનારી ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા-પાકિસ્તાન મેચની વિજેતા સાથે થશે.

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પલ્લેકેલેમાં જોરદાર તૈયારીઓ કરી રહી છે. સતત 2 દિવસ સુધી સંપૂર્ણ સ્ટ્રેન્થ પ્રેક્ટિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જબરદસ્ત ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી. જેમાં ટીમ મેનેજમેન્ટે ત્રણ કેપ્ટન બનાવ્યા હતા. જાણો એ ડ્રિલમાં શું થયું?

Women Asia Cup Semi Final: 8મી વખત ચેમ્પિયન બનવાથી ભારતીય મહિલા ટીમ 1 ડગલું દુર, આજે બાંગ્લાદેશ સામે ટકકર

મહિલા એશિયા કપમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ મહિલ ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે. તો ચાલો જોઈએ આ બંન્નેમાંથી કઈ ટીમનું પલડું ભારે છે, અને તમે એશિયા કપની સેમિફાઈનલ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યુ, શું છે મામલો, જાણો

હરભજન સિંહ પર હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ગમે તેમ બોલવાનું શરુ કર્યું છે. સોશિયલ મીડિયા પર ભારતીય પૂર્વ ક્રિકેટર વિશે અયોગ્ય શબ્દોમાં લખ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યું છે. તો બીજી તરફ પાકિસ્તાનનો બીજો ક્રિકેટર BCCI ને વિનંતી કરે છે કે, ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવામાં આવે.

ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી, હવે આ ટીમે બનાવ્યો કેપ્ટન

ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આનાથી તેના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. CSK બાદ હવે તેને બીજી ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.

IND vs SL: નવો કોચ, નવો કેપ્ટન, નવી ટીમ, નવી જર્સી, ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. સિરીઝની ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે. આ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ તે બદલાવ છે જેના માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાના લોહી અને પરસેવો વહાવ્યો હતો.

IND vs SL : 3 સિક્સર ફટકારતા જ વિરાટ કોહલી શ્રીલંકામાં તોડશે રિકી પોન્ટિંગનો રેકોર્ડ, બનશે ‘સિક્સર કિંગ’!

શ્રીલંકા પ્રવાસ પર વિરાટ કોહલી રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી શકે છે. શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની ODI શ્રેણી બીજી ઓગસ્ટથી શરૂ થશે અને સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન વિરાટ શ્રીલંકા સામે વનડે શ્રેણીમાં 1000 રન પણ પૂરા કરશે.

IND vs SL : ટીમ ઈન્ડિયામાં ‘સુનીલ નારાયણ’ની એન્ટ્રી! ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

શ્રીલંકા સામેની T20 શ્રેણી ગૌતમ ગંભીર માટે મુખ્ય કોચ તરીકેની પ્રથમ શ્રેણી હશે અને તેની શરૂઆત પહેલા જ તેણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો સુનીલ નારાયણ મળી ગયો છે.

IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી થયો બહાર

ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે અને બે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમથી જ નહીં પરંતુ આ આખી સિરીઝથી જ બહાર થઈ ગયા છે. સિરીઝ શરૂ થવા પહેલા જ બે ખેલાડીઓ બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે.

અજિંક્ય રહાણેએ તેને ટીમમાંથી બહાર કરનારાઓને તોફાની ઈનિંગ રમી આપ્યો જોરદાર જવાબ

અજિંક્ય રહાણે હાલમાં લેસ્ટરશાયર તરફથી ઈંગ્લેન્ડમાં વન ડે કપ રમી રહ્યો છે. પોતાની પહેલી જ મેચમાં આ જમણા હાથના બેટ્સમેને તોફાની બેટિંગ કરી અને 60 બોલમાં 71 રન બનાવ્યા. રહાણેની અડધી સદીના આધારે લેસ્ટરશાયરએ 369 રન ફટકાર્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન દ્વારા ‘છેતરપિંડી’ થતાં જય શાહ ગુસ્સે થયા?

ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. દરરોજ પાકિસ્તાની મીડિયા આ મુદ્દે નિવેદનો આપી રહ્યું છે. હવે પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાનનું સમર્થન કર્યું, જેનાથી BCCI સેક્રેટરી જય શાહ નારાજ છે. ચાલો જાણીએ કે આ દાવો કેટલો સાચો છે.

IND vs SL : શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાની નવી રણનીતિ, સંજુ સેમસનના નજીકના વ્યક્તિનો કર્યો ટીમમાં સમાવેશ

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી જીતવા માટે શ્રીલંકાની ટીમે શાનદાર રણનીતિ અપનાવી છે. શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ પોતાની ટીમમાં સંજુ સેમસનના પડછાયા સમાન એક વ્યક્તિનો ટીમ મેનેજમેન્ટમાં સમાવેશ કર્યો છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">