ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો

લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ફરી એકવાર પોતાની ધીમી ઈનિંગથી તમામ ટીકાકારોને તેની સામે બોલવાની તક આપી છે. કેએલ રાહુલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 રન બનાવ્યા હતા પરંતુ આ માટે તેણે 33 બોલ રમ્યા હતા. આ ઈનિંગ બાદ કેએલ રાહુલ સોશિયલ પર ટ્રોલ થયો હતો. કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ તેને વર્લ્ડ કપની ટીમમાં સિલેકટ ન કરવા બદલ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો હતો.

જે ખેલાડીને માત્ર એક મેચ બાદ RCBએ ટીમમાંથી બહાર કરી દીધો હતો, તે હવે ઈંગ્લેન્ડમાં રમશે

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલને IPL 2024માં કોઈએ ખરીદ્યો ન હતો, પરંતુ હવે આ ખેલાડી ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ નોર્થમ્પટનશાયર તરફથી રમશે. સિદ્ધાર્થને આ કાઉન્ટી ટીમે ત્રણ મેચ માટે કરારબદ્ધ કર્યો છે.

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

યશસ્વીની એક ખામીને કારણે થઈ રહ્યું છે મોટું નુકસાન, T20 વર્લ્ડ કપ પહેલા લાવવો પડશે ઉકેલ

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમ ભલે શાનદાર પ્રદર્શન કરી રહી હોય, પરંતુ યશસ્વી જયસ્વાલ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. આ ખેલાડીએ આ સિઝનમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે પરંતુ તેમ છતાં તેના આંકડા ખરાબ છે. હવે આ મુદ્દે આકાશ ચોપરાએ તેના પ્રદર્શન અને નબળાઈ વિશે મોટી વાત કહી છે.

T20 વર્લ્ડ કપમાં રિષભ પંત નહીં પણ સંજુ સેમસન નંબર-1 વિકેટકીપર હોવો જોઈએ?

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સંજુ સેમસન અને રિષભ પંતના રૂપમાં 2 વિકેટકીપર બેટ્સમેનોની પસંદગી કરી છે. રિષભ પંતનો આ ત્રીજો T20 વર્લ્ડ કપ હશે, જ્યારે સંજુ સેમસન પ્રથમ વખત ICC ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. સંજુ સેમસને આ IPL સિઝનમાં 11 ઈનિંગ્સમાં 471 રન બનાવ્યા છે જ્યારે પંતે 12 ઈનિંગ્સમાં 413 રન બનાવ્યા છે. બંને સારી કપ્તાની પણ કરી રહ્યા છે, છતાં વર્લ્ડ કપમાં પ્લેઈંગ 11માં કોઈ એકને જ સ્થાન મળશે.

વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી

T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.

IPL 2024: પંત અને સેમસનના આંકડાઓ જોઈ ચોક્કસથી ખુશ થશે રોહિત શર્મા, બંનેમાંથી કોને પ્લેઈંગ 11માં તક આપવી તે મોટો પ્રશ્ન

T20 વર્લ્ડ કપ 2024માં રિષભ પંત અને સંજુ સેમસન બંને હાથમાં લાડુ છે એમ કહીએ તો ખોટું નહીં હોય. કારણકે બંને પ્લેઈંગ 11માં સ્થાન મેળવવાના દાવેદાર છે. બંનેનું IPL 2024માં ફોર્મ અને આંકડાઓ પણ લગભગ સમાન છે. એવામાં જેને પણ તક મેળશે તે વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે. આ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારી બાબત છે.

લોકસભા 2024ની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા સહિત આ લોકોએ કર્યું મતદાન, જુઓ ફોટો

ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન શરુ છે. તમને જણાવી દઈએ કે, સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન ચાલુ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્રિકેટર નયન મોગિયા એ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતુ,

અખબાર-દૂધના પેકેટમાંથી બોલ અને નારિયેળના છાલમાંથી બેટ બનાવી ક્રિકેટ રમવાની કરી શરૂઆત, હવે 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી બનાવ્યો રેકોર્ડ

સામાન્ય રીતે કોઈપણ ક્રિકેટ ખેલાડી 20 થી 30 વર્ષની વય વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરે છે. પરંતુ આશા શોભનાએ 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. આશાની રાષ્ટીય ટીમ સુધીની સફર ખૂબ જ સંઘર્ષ અને તકલીફોથી ભરેલી રહી છે. તેની આ કહાની કરોડો ક્રિકેટરો માટે પ્રેરણારુપ છે.

T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં હતી પરંતુ હવે તેની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાળાની બરફીલા પહાડીઓમાં લોન્ચ કરવામાં આવી હતી. એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ 2028 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે 350 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

T20 World Cup 2024 : વિરાટ કોહલીને આઉટ કરવા ખાસ પ્લાન બનાવવામાં આવશે, બાબર આઝમે કહી મોટી વાત

બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલદી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

PCBએ પોતાના જ પગે મારી કુહાડી, IPLની સાથે જ PSLનું કરશે આયોજન

PCBએ હવે BCCI સાથે સીધી સ્પર્ધા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે PSL-7 એપ્રિલથી 20 મે વચ્ચે યોજાશે, જ્યારે અગાઉ તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવતું હતું. BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન માત્ર એપ્રિલ-મે વિન્ડોમાં કરે છે.

T20 World Cup 2024: હાર્દિક પંડ્યા-જસપ્રીત બુમરાહને છોડો, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને આપ્યું વાસ્તવિક ટેન્શન

રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફિલ્ડીંગ માટે બહાર આવ્યો ન હતો. આ મેચમાં ટીમે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી અને રોહિતે માત્ર બેટિંગ કરી. આ પછી શંકા હતી કે તેને કોઈ પ્રકારની ઈજા થઈ છે. પીયૂષ ચાવલે હવે પુષ્ટિ કરી છે કે રોહિતને પીઠમાં હળવો દુખાવો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે આ સમાચાર સાંભળી ચોક્કસથી તેના ફેન્સ ચિંતામાં હશે. પરંતુ સૌથી મોટી ચિંતા હવે ટીમ મેનેજમેન્ટને છે. કારણકે વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી છે અને કેપ્ટન તકલીફમાં છે.

રિંકુ સિંહે મોટી તક ગુમાવી, રોહિત-અગરકરને ‘યોગ્ય જવાબ’ આપી શક્યો નહીં

છેલ્લા એક વર્ષમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરવા છતાં, રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓમાં સ્થાન મળી શક્યું નથી. તેનો શુભમન ગિલ સહિત 4 રિઝર્વ ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે મુંબઈ સામે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સામે સારું પ્રદર્શન કરી પોતાનો દાવો મજબૂત કરવાની રિંકુ પાસે સારી તક હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ બંને ખેલાડીઓને IPLમાં તેમની ટીમની નિષ્ફળતા માટે સૌથી વધુ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. હવે 2007નો વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત આ બંનેના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે આ જોડીને ભારત માટે ગેમ ચેન્જર ગણાવી છે.

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">