ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
Read More55 વર્ષમાં વનડે ક્રિકેટનો મોટો રેકોર્ડ, 5000 મેચ સાથે ODI ફોર્મેટ પહોંચ્યું ઐતિહાસિક મુકામ પર
વનડે ક્રિકેટના 55 વર્ષના લાંબા ઇતિહાસમાં એક વધુ ઐતિહાસિક પાનું ઉમેરાયું છે. સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ માત્ર સામાન્ય મુકાબલો નહોતો, પરંતુ ODI ક્રિકેટની 5000મી મેચ બની હતી. 1971માં શરૂ થયેલા આ ફોર્મેટે અનેક ફેરફારો જોયા છે અને આજે પણ ક્રિકેટ ચાહકોમાં તેની ખાસ લોકપ્રિયતા યથાવત છે.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 9:32 pm
IND vs SL: પ્રેક્ટિસ મેચમાં જ ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ, બોલરો વિકેટ માટે તરસ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓની અસલી પરીક્ષા પ્રેક્ટિસ મેચમાં થઈ રહી છે. જોકે, પ્રથમ જ દિવસે ભારતીય ટીમની કેટલીક નબળાઈઓ સામે આવી ગઈ. શ્રીલંકા 11 ના બેટ્સમેનોએ ભારતીય બોલરોનો મજબૂતીથી સામનો કર્યો અને અનુભવી બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 8:54 pm
100 ટેસ્ટમાં માત્ર 10 જીતથી લઈને છેલ્લી 99 મેચમાં 56 જીત…આ રીતે ભારતીય ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બદલાયો
શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ભારતીય ક્રિકેટ ઇતિહાસની 600મી મેચ હશે. ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર ખૂબ જ યાદગાર રહી છે. 100 ટેસ્ટમાં માત્ર 10 જીતથી લઈને છેલ્લી 99 મેચમાં 56 જીત સુધીની આ સફરમાં ટીમ ઈન્ડિયાએ પોતાને ક્રિકેટમાં સુપરપાવર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 8:35 pm
Vaibhav Suryavanshi: ટીમ ઈન્ડિયાથી દૂર વૈભવ સૂર્યવંશીએ શરૂ કરી ખાસ પ્રેક્ટિસ, પોતાની નબળાઈ પર શરું કર્યું કામ
વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં જ ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. IPLથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પોતાની પ્રતિભા બતાવ્યા બાદ હવે તેની નજર નવા પડકાર પર છે. એક ફોર્મેટમાં સંઘર્ષ બાદ વૈભવે પોતાની રમત સુધારવા માટે ખાસ તૈયારી શરૂ કરી છે. જાણો ક્યાં અને કેવી રીતે કરી રહ્યો છે મહેનત.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 7:52 pm
IND vs SL: ભારત-શ્રીલંકા ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરોમાં ચાર ભારતીય, જાણો કોણ છે નંબર-1
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટમાં અનેક દિગ્ગજ બોલરોએ પોતાની છાપ છોડી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં કેટલાક બોલરોનો દબદબો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ વિકેટ લેનારા ટોચના પાંચ બોલરોમાં માત્ર એક શ્રીલંકન ખેલાડી છે, જ્યારે બાકીના ચાર ભારતીય દિગ્ગજ છે. જાણો આ યાદીમાં કોણ-કોણ સામેલ છે.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 7:28 pm
Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ જોવા નહીં આપવો પડે એક પણ રૂપિયો, સ્ટેડિયમમાં મફતમાં જોઈ શકશો મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. નવ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ રમવા જઈ રહેલી ટીમ ઈન્ડિયાને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દર્શકો માટે મોટી જાહેરાત કરી છે. હવે ચાહકો બંને ટેસ્ટ મેચનો સ્ટેડિયમમાં મફતમાં આનંદ માણી શકશે.
- Smit Chauhan
- Updated on: Aug 7, 2026
- 6:58 pm
Breaking News : શ્રીલંકામાં અચાનક બદલ્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, શુભમન ગિલ પર BCCIએ આપ્યું મોટું અપડેટ
Ind vs SL Warm Up Match : ભારત અને શ્રીલંકા ક્રિકેટ વચ્ચે પ્રેક્ટિસ મેચની શરુઆત થઈ ચૂકી છે. પરંતુ આ મેચમાં શુભમન ગિલના સ્થાને કે.એલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Aug 7, 2026
- 11:14 am
IND vs SL: ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી, ગાલેમાં ફટકારી ચૂક્યો છે અનેક સદી
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ શરૂ થાય તે પહેલા જ સ્ટાર ખેલાડીની ફિટનેસે ચિંતા વધારી છે. ઈજાના કારણે આ અનુભવી ખેલાડી પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહે તેવી શક્યતા છે. જો આવું થાય તો ટીમને મોટો ફટકો પડશે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 9:21 pm
IND vs PAK: 2026માં ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર? જાણો ક્યારે યોજાશે મહામુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા ચાહકો માટે ખાસ હોય છે. 2026માં બંને ટીમો ફરી એક વખત મેદાન પર ટકરાઈ શકે છે. જોકે, આ વખતે એક મોટો ફેરફાર જોવા મળશે. ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેચમાં રમતા જોવા નહીં મળે. જાણો સમગ્ર સમીકરણ.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 8:59 pm
અજીત અગરકર પહેલા આ સિલેક્ટરની થશે છુટ્ટી, BCCI સિલેકશન કમિટીમાં કરશે મોટો ફેરફાર
તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને રોહિત શર્માની નિવૃત્તિને લઈને ચાલી રહેલા વિવાદને કારણે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે પસંદગી સમિતિ અને BCCI વચ્ચે અંતર વધતું જણાઈ રહ્યું છે. એવામાં ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પદ જોખમમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે અગરકર પહેલા અન્ય એક સિલેક્ટરની છુટ્ટી થશે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 8:04 pm
Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટ શ્રેણી પહેલા વધ્યું ટેન્શન
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે. સતત ઈજાઓથી પરેશાન ભારતીય ટીમને હવે કેપ્ટન શુભમન ગિલની ઈજાનો પણ સામનો કરવો પડ્યો છે. કોલંબોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલના અંગૂઠામાં બોલ વાગતા તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. તેની ઈજા કેટલી ગંભીર છે તેના પર હવે બધાની નજર છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 7:07 pm
IND vs SL: ભારતને હરાવવા માટે શ્રીલંકાએ રચ્યું આવું ષડયંત્ર? ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા નારાજ
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા જ પિચને લઈને વિવાદ ઉભો થયો છે. કોલંબોમાં યોજાનારી પ્રેક્ટિસ મેચ માટે તૈયાર કરાયેલી પિચથી ભારતીય ટીમ ખુશ નથી. અહેવાલો મુજબ પિચ પર વધુ પડતું ઘાસ રાખવામાં આવ્યું છે, જેને લઈને ટીમ ઈન્ડિયાએ સવાલો ઉઠાવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 5:56 pm
IND vs SL: 15 ઓગસ્ટની સવારે… શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને આપ્યો પડકાર
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. ઘરઆંગણે સતત ટેસ્ટ શ્રેણી હાર બાદ ગંભીર હવે નવી શરૂઆત કરવા માંગે છે. તેણે ખેલાડીઓને પડકારોનો સામનો કરવા અને પોતાની મર્યાદાઓને આગળ વધારવા માટે તૈયાર રહેવા કહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 5:33 pm
પાકિસ્તાનની જીત બાદ ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જાણો સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે. પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે હજુ પણ ફાઈનલના દરવાજા ખુલ્લા છે. જોકે, હવે શુભમન ગિલની ટીમ પાસે ભૂલ કરવાની બહુ ઓછી તક છે. જાણો ભારત કયા સમીકરણથી ટોપ-2માં પહોંચી શકે છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 4:17 pm
અજિત અગરકરની ખુરશી પર જોખમ! રોહિત-વિરાટના વિવાદ વચ્ચે BCCI ચીફ સિલેક્ટર તરીકે VVS લક્ષ્મણને સોંપી શકે છે કમાન ?
અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગી સમિતિએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણ ICC ટ્રોફી જીતી છે.
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 3:17 pm