ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
Breaking News: IPL 2026 પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે, આ દિવસે થશે ટીમની જાહેરાત
IPL 2026 પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ત્રણ વનડે ની શ્રેણી રમશે. 6 જૂનથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે, કોને આરામ આપવામાં આવશે અને કોણ ટીમની કમાન સંભાળશે તે અંગે ખુલાસો થયો છે.
- Smit Chauhan
- Updated on: May 16, 2026
- 9:00 pm
Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ
બિહાર સરકારે 2026ના T20 વર્લ્ડ કપમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઈશાન કિશનનું સન્માન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. ઈશાન કિશન હાલ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 15, 2026
- 4:41 pm
Sanju Samson’s love story : મેદાનમાં સિક્સર કિંગ… પ્રેમમાં ચારુલતા સામે ક્લીન બોલ્ડ થયો સંજુ !
ICC T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનની લવ સ્ટોરી પણ એટલી જ ખાસ છે. જાણો કેવી રીતે ચારુલતા રમેશ સાથેની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને બંને જીવનસાથી બન્યા.
- RajSingh Sisodiya
- Updated on: May 15, 2026
- 3:47 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે, તિલક વર્મા બન્યો કેપ્ટન, ODI ટીમની જાહેરાત
ઈન્ડિયા A ટીમ જૂનમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે જ્યાં તેઓ ODI ત્રિકોણીય શ્રેણી રમશે. BCCI એ આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. વૈભવ સૂર્યવંશીની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તિલક વર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 5:36 pm
Breaking News: પાકિસ્તાનની હારથી ભારતના ખેલાડીઓને ફાયદો, ICC રેન્કિંગમાં મોટો ફેરફાર
ICC Test Rankings: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ બાદ ICC એ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની હારથી ભારતીય ટીમના ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે. બુમરાહ-શુભમન સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓની રેન્કિંગમાં સુધારો થયો છે.
- Smit Chauhan
- Updated on: May 13, 2026
- 8:54 pm
Breaking News: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે મજબૂત ટીમ મેદાનમાં ઉતારશે BCCI, બુમરાહને મળી શકે આરામ
IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી ટેસ્ટ ક્રિકેટમાં એક્શનમાં જોવા મળશે. અફઘાનિસ્તાન સામે 6 થી 10 જૂન દરમિયાન મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા મજબૂત સ્ક્વોડ ઉતારવાની તૈયારીમાં છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 12, 2026
- 8:40 pm
Breaking News: ટીમ ઈન્ડિયાએ વનડે રેન્કિંગમાં નંબર-1 નું સ્થાન જાળવી રાખ્યું, પાકિસ્તાનને નુકસાન
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં T20 રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને નંબર વન 1 પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. હવે, ટીમ ઈન્ડિયાએ ODI માં પણ પોતાનું નંબર-1 નું સ્થાન જાળવી રાખ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વન ડે ઈન્ટરનેશનલ ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને નુકસાન થયું છે.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 5:31 pm
Breaking News: સંજુ સેમસન vs શ્રેયસ અય્યર… T20 ટીમની કેપ્ટનશિપના બે મુખ્ય દાવેદાર, જાણો કોણ કોનાથી આગળ?
સૂર્યકુમાર યાદવને T20 ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાની શંકા ચાલી રહી છે અને નવા કેપ્ટન તરીકે બે નામ સામે આવય છે. આ બંનેને IPL માં કપ્તાનીનો સારો અનુભવ છે અને બેટસમેન તરીકે પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ બે ધુરંધર છે- સંજુ સેમસન અને શ્રેયસ અય્યર. પણ સવાલ એ છે કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? આ સવાલનો જવાબ બંનેના કેપ્ટનશિપ રેકોર્ડથી મળશે.
- Smit Chauhan
- Updated on: May 9, 2026
- 5:22 pm
Breaking News : TV પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો Rohit Sharma, શોના ટીઝરે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ, જુઓ-Video
Sonylivએ રોહિત શર્માના શોનું ટીઝર રિલીઝ કર્યું છે. આ વીડિયોમાં, રોહિત પ્રભાવશાળી અભિનય કરતો જોવા મળે છે. ટીઝરમાં, રોહિત શર્માએ જણાવ્યું હતું કે જ્યારે તેમનો શો ટીવી પર પ્રસારિત થશે
- Devankashi rana
- Updated on: May 9, 2026
- 11:05 am
India Captaincy : સૂર્યા કે શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે T20 ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, જાણો કોનુ નામ ચર્ચામાં
સંજુ સેમસને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. એવા સમયે તેની કેપ્ટન માટેની દાવેદારી હવે વધુ મજબૂત દેખાઈ રહી છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 9:33 am
Breaking News : મહેન્દ્ર સિંહ ધોની ટેક્સમાં માર્યો હેલિકોપ્ટર શોર્ટ, બિહાર-ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો
MS Dhoni Highest Taxpayer : નાણાકીય વર્ષ 26માં ઝારખંડ-બિહારમાંથી 20,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઝારખંડ રાજ્યના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા વ્યક્તિ બન્યો છે.
- Nirupa Duva
- Updated on: May 8, 2026
- 12:56 pm
T20 Team : ટીમ ઈન્ડિયામાંથી સૂર્યકુમાર યાદવ થશે બહાર ! આ ખેલાડી બનશે નવો કેપ્ટન? સામે આવી મોટી અપડેટ
BCCI એ ભારતની T20 ટીમના કેપ્ટનને બદલવાની યોજના ઘડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવ લગભગ બે વર્ષથી T20 ટીમના કેપ્ટન છે; જો કે, એક મીડિયાના અહેવાલ મુજબ, હવે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. ભવિષ્ય પર નજર રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Devankashi rana
- Updated on: May 8, 2026
- 9:28 am
Breaking News: સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ભારતીય ક્રિકેટર ડિપ્રેશનનો શિકાર, મેન્ટલ હેલ્થ કેર સેન્ટરમાં થઈ રહી છે સારવાર
સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર હાલમાં ડિપ્રેશન સામે સંઘર્ષ કરી રહ્યા છે. પુણેમાં મેન્ટલ હેલ્થ કેર સેન્ટરમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. પરિવાર અને મિત્રો સતત તેમની સાથે ઉભા રહી તેમને ફરી સામાન્ય જીવન તરફ પાછા લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
- Smit Chauhan
- Updated on: May 7, 2026
- 4:55 pm
36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઈન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અંડર-19 અને પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વિરાટ કોહલીના ભૂતપૂર્વ અંડર-19 સાથી હતા અને 2008ની IPL સીઝન દરમિયાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વતી રમ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેમનો શોક સંદેશ પાઠવ્યો છે.
- Mina Pandya
- Updated on: May 7, 2026
- 4:41 pm
Breaking News: પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમવાની મંજૂરી, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવના કારણે માત્ર દ્વિપક્ષીય શ્રેણી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ મેચોનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ભારત સરકારે હવે આ મુદ્દા પર એક નવું નિવેદન બહાર પાડ્યું છે.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 5:57 pm