Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

MI vs SRH : મેચ પહેલા રોહિત શર્માનું કરવામાં આવ્યું સન્માન, પરંતુ પ્લેઈંગ 11માં ન મળ્યું સ્થાન

મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે આ સિઝન સારી રહી નથી. IPL 2025માં અત્યાર સુધી 5 ઈનિંગ્સ રમી ચૂકેલા રોહિતે ફક્ત 56 રન જ બનાવ્યા છે. આ કારણે તેમના પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે SRH સામેની મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં રોહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે મેચમાં હાર્દિક પંડયાએ તેને પ્લેઈંગ-11માંથી બહાર રાખ્યો હતો.

વિરાટ અને રોહિતના નામે ફક્ત પેવેલિયન, તેના જુનિયરના નામે આખું સ્ટેડિયમ, હજુ ડેબ્યૂ પણ નથી કર્યું

મુંબઈ ક્રિકેટ એસોસિએશને તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખ્યું છે. દિલ્હીમાં વિરાટ કોહલીના નામ પર એક પેવેલિયન પણ છે. પરંતુ આખા સ્ટેડિયમનું નામ એક ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે જે તે બંનેથી જુનિયર છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માને BCCI તરફથી મળતા રહેશે સૌથી વધુ પૈસા ? 6 મહિના બાદ લેવાશે નિર્ણય

BCCIએ ગયા મહિને મહિલા ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, પરંતુ પુરુષ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બોર્ડ તરફથી એવું માનવામાં આવે છે કે તેમાં થોડા વધુ મહિના લાગી શકે છે. એવામાં સવાલ એ ઊભો થયો છે કે શું વિરાટ અને રોહિતને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૌથી વધુ રૂપિયા મળતા રહેશે?

Breaking News : રોહિત શર્માના નામ પરથી રાખવામાં આવ્યું વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ, IPL 2025 વચ્ચે મોટું સન્માન

IPL 2025 દરમિયાન રોહિત શર્માને એક મોટું સન્માન મળ્યું છે. વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડના નામ બદલવામાં આવ્યા છે. જેમાં એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખવામાં આવ્યું હતું.

IND vs BAN : કોહલી-બુમરાહ બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાં નહીં રમે? રોહિતના રમવા પર પણ પ્રશ્નાર્થ

ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને એટલી જ T20 મેચ રમશે. BCCIએ આ પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. કેટલાક સિનિયર ખેલાડીઓ માટે ODI શ્રેણીમાં રમવું મુશ્કેલ લાગે છે.

MI vs RCB : જસપ્રીત બુમરાહની 92 દિવસ પછી મેદાનમાં વાપસી, રોહિત શર્મા ટીમમાં સામેલ

Mumbai Indians vs Royal Challengers Bengaluru : મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મોટા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા પ્લેઈંગ 11 માં પાછા ફર્યા છે. બુમરાહ આ સિઝનની પહેલી મેચ રમી રહ્યો છે.

IPL 2025 : હાર્દિક પંડયાએ રોહિત શર્માને ટીમમાંથી કર્યો બહાર, જાણો મુંબઈ ઈન્ડિયન્સે કેમ લીધો આ નિર્ણય

Kolkata Knight Riders vs Mumbai Indians : ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો હતો. ટોસ બાદ કેપ્ટન હાર્દિક પંડયાએ ટીમ જાહેર કરી ચોંકાવી દીધા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ નિર્ણય કેમ લીધો, જાણો આ આર્ટીકલમાં.

Cricket News : વિરાટ-રોહિત ફરી ઓસ્ટ્રેલિયા જશે, ટીમ ઈન્ડિયાનો આગામી પ્રવાસ શેડ્યૂલ જાહેર

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો બીજો પ્રવાસ નક્કી થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ તેનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમનો આ પ્રવાસ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થશે.

Breaking News : રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં રમવાનો કર્યો ઈનકાર, આ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું!

ભારતીય ક્રિકેટ ટીમે IPL 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે અને ત્યાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં રમવાનો ઈનકાર કરી દીધો છે.

IPL 2025 CSK vs MI ની પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ ! જાણો રોમાંચક મેચના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ

IPL 2025 ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું. નૂર અહેમદના 4 વિકેટ અને ખલીલ અહેમદના 3 વિકેટના પ્રદર્શનથી ચેન્નાઈનો બોલિંગ વિભાગ ચમક્યો.

Rohit Sharma IPL Duck : IPL ના ઇતિહાસમાં ખૂબ સૌથી ખરાબ રેકોર્ડમાં નંબર 1 પોઝિશન પર આવી ગયો રોહિત શર્મા

IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં રોહિત શર્મા ખાતું ખોલી શક્યો ન હતો. તેણે એક શરમજનક રેકોર્ડની બરાબરી કરી છે.

ધોની, વિરાટ, રોહિત સહિત આ સ્ટાર ખેલાડીઓ IPL 2025માં મોટા રેકોર્ડ તોડશે

IPL 2025માં મોટા રેકોર્ડ તૂટી શકે છે. દિગ્ગજ ખેલાડીઓ આ સિઝનમાં નવા માઈલસ્ટોન હાંસલ કરી શકે છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા નામો સામેલ છે. જાણો કોણ કયા રેકોર્ડ તોડશે?

વિદેશ પ્રવાસમાં પરિવારજનોને સાથે ન લઈ જવા અંગે ખેલાડીઓમાં બળવા જેવી સ્થિતિ સર્જાતા આખરે ઝૂક્યું BCCI !

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં એક નિયમ બનાવ્યો હતો કે ખેલાડીઓ લાંબા વિદેશી પ્રવાસ પર થોડા સમય માટે જ તેમના પરિવારને સાથે લઈ જઈ શકશે, પરંતુ હવે આ મામલે એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, BCCI એક નવો નિયમ બનાવવા જઈ રહ્યું છે, જાણો તે શું છે?

Team India Test Match Captain : ઇંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાને મળશે નવો કેન્ટન ? સામે આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ દરમિયાન, રોહિત શર્મા કેપ્ટન રહેશે કે નહીં, તે અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. BCCIના અધિકારીઓ અને સિલેક્ટરો નજીકના સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

ભારતીય ટીમ પાસે વર્ષ 2025માં વધુ એક ICC ટ્રોફી જીતવાનો મોકો, ભારત કરશે મિજબાની

ટીમ ઈન્ડિયા માટે 2025 માં બીજી ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે, કારણ કે ભારત આ ટુર્નામેન્ટની યજમાની કરશે.

g clip-path="url(#clip0_868_265)">