![રોહિત શર્મા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/Rohit-Sharma-.jpg)
રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
વિરાટ કોહલી-હાર્દિક પંડ્યાનો પગાર વધશે ! IPL 2025માં BCCIના એક નિર્ણયથી થશે વધુ કમાણી
IPLની આગામી સિઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેમાં અત્યાર સુધીના નિયમો મુજબ દરેક ફ્રેન્ચાઈઝીને માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ વખતે ટીમો તેને વધારવાની માંગ કરી રહી છે અને BCCIના ફ્રેન્ચાઈઝી માલિકો. સાથે આ મહત્વની બેઠક યોજાવાની છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2024
- 11:10 pm
IPL 2025: રોહિત શર્મા બનશે LSGનો કેપ્ટન, સૂર્યકુમાર-પંત પણ બદલશે ટીમ? ઓક્શન પહેલા ચર્ચા શરૂ
IPL 2025ની સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે અને હંમેશની જેમ તમામ ટીમોમાં ઘણા પરિવર્તનો થશે, પરંતુ પાછલી સિઝનની જેમ આ વખતે ટીમોમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન પણ બદલાય તેવી શક્યતા છે. એક સાથે અનેક ટીમોના ખેલાડીઓ અને કેપ્ટનશીપમાં મોટા ફેરફાર થઈ શકે છે, જેમાં સૌથી વધુ ચર્ચા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને લઈ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2024
- 6:27 pm
હાર્દિક પંડ્યાને કેપ્ટન્સીથી હટાવવા પાછળ ગૌતમ ગંભીર નહીં રોહિત શર્માનો છે હાથ?
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓ ભાગ્યશાળી રહ્યા છે જ્યારે કેટલાક સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની આ પ્રથમ પસંદગીની બેઠક હતી અને તે પછી ઘણી અફરાતફરી જોવા મળી હતી, સાથે જ ODI કેપ્ટન રોહિત શર્મા પર પણ આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. જાણો કેમ?
- Smit Chauhan
- Updated on: Jul 19, 2024
- 3:19 pm
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો T20 કેપ્ટન
શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ માત્ર બે વનડે શ્રેણી રમવાની છે, જેમાં પ્રથમ શ્રેણી શ્રીલંકા પ્રવાસ પર રમાશે. જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2024
- 8:23 pm
IND vs SL : રોહિત શર્મા બાદ વિરાટ કોહલીની પણ છુટ્ટી રદ્દ, બંને ગૌતમ ગંભીર સામે ઝૂક્યા, ODI સિરીઝ રમશે!
શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલી પણ શ્રીલંકા સામેની ODI સિરીઝમાં રમવાના હોવાના અહેવાલ છે. બંનેએ નવા હેડ કોચ ગૌતમ ગંભીરની વાત માની લીધી છે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2024
- 5:12 pm
ગૌતમ ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરી, શ્રીલંકામાં રમવું પડશે! વિરાટ-બુમરાહને આરામ
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમવાના સમાચાર સામે આવ્યા છે. રોહિત હાલ છુટ્ટી પર છે. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેને 2 ઓગસ્ટથી શરૂ થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીમાં પુનરાગમન કરવું પડી શકે છે. કોચ ગંભીરે તેની છુટ્ટી રદ્દ કરી દીધી છે.
- Smit Chauhan
- Updated on: Jul 17, 2024
- 10:10 pm
રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 17, 2024
- 9:42 pm
IND vs SL: વિરાટ-રોહિત-બુમરાહને નહીં મળે લાંબી રજા, ગંભીર શ્રીલંકામાં ODIમાં રમાડવાના મૂડમાં
શ્રીલંકા પ્રવાસને લઈને નવા કોચ ગૌતમ ગંભીરની નવી વિચારસરણી છે. ગંભીર એ નથી વિચારી રહ્યો કે બીજા બધા શું વિચારી રહ્યા છે. એવા સમાચાર છે કે તે રોહિત, વિરાટ અને બુમરાહને શ્રીલંકા પ્રવાસ પર રમાનાર વનડે શ્રેણીમાં મેદાનમાં ઉતારવા માંગે છે. તો શું આ ખેલાડીઓના લાંબા વિરામને ગ્રહણ લાગશે?
- Smit Chauhan
- Updated on: Jul 16, 2024
- 4:10 pm
રોહિત શર્માએ ચાહકોને આપ્યા મોટા સમાચાર, અમેરિકામાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કરી જાહેરાત
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારથી, તેના ચાહકોને ચિંતા છે કે તે બાકીના બે ફોર્મેટમાં કેટલો સમય રમવાનું ચાલુ રાખશે અને રોહિતે આ અંગે એક ખાસ જાહેરાત કરી છે.
- Sagar Solanki
- Updated on: Jul 15, 2024
- 6:10 am
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ફટકારી હતી સતત 5 બાઉન્ડ્રી, હવે છલકાયું મિચેલ સ્ટાર્કનું દર્દ
T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ સુપર 8 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. તેનું સૌથી મોટું કારણ ટીમ ઈન્ડિયા સામે તેની હાર હતી. આ હારનું સૌથી મોટું કારણ રોહિત શર્મા હતો જેણે ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈનઅપનો નાશ કર્યો હતો. હવે મિચેલ સ્ટાર્કે રોહિતની આ તોફાની ઈનિંગ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2024
- 10:05 pm
સ્કોટલેન્ડના બેટ્સમેને રોહિત શર્માની જેમ તબાહી મચાવી, ODIમાં ફટકાર્યા 255 રન
વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવી એ પોતાનામાં મોટી વાત છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ODI ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. હવે સ્કોટિશ બેટ્સમેન ઓલિવર હેયસે પણ આવું જ કર્યું છે. ઓમાન વિરૂદ્ધ આ ખેલાડીએ 130 બોલમાં 255 રન બનાવ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2024
- 9:26 pm
રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ઈનામી રકમ વહેંચતી વખતે 5 કરોડનું બોનસ છોડવા તૈયાર હતો, જાણો કારણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમાંથી રોહિત શર્માને 5 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ ઈનામની રકમ વહેંચતી વખતે રોહિત પોતાનું બોનસ છોડવા માંગતો હતો.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2024
- 3:34 pm
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને મળેલા 125 કરોડ રૂપિયા પર કેટલો લાગશે ટેક્સ અને કોને મળશે કેટલી રકમ ?
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયા ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત ICCએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. હવે આ રકમ ટીમના ખેલાડીઓ ઉપરાંત સ્ટાફમાં વહેંચવામાં આવી છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો હશે કે શું આ ઈનામની રકમ પર ટેક્સ લાગશે ?
- Dilip Chaudhary
- Updated on: Jul 10, 2024
- 5:34 pm
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી હતી એક ભૂલ, તિરંગાનું અપમાન કર્યાનો લાગ્યો આરોપ
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો અને આખો દેશ તેને સલામ કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેના એક ફોટોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે રોહિત શર્માએ તિરંગાનું અપમાન કર્યું છે.
- Smit Chauhan
- Updated on: Jul 9, 2024
- 6:03 pm
રોહિત શર્માની બીજી ‘પત્ની’ અંગે થયો રસપ્રદ ખુલાસો, જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એક ખાસ ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં ભારતીય કેપ્ટને ખુલાસો કર્યો હતો કે તેની પત્ની રિતિકા આ વ્યક્તિને તેની વર્ક વાઈફ માને છે. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને રોહિતના ફેન્સમાં આ બીજી પત્ની અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Jul 9, 2024
- 5:36 pm