રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
Breaking News: 16000 રન… રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બન્યો
અફઘાનિસ્તાન સામેની પહેલી ODI માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ બે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. મેદાનમાં પ્રવેશતા જ રોહિત શર્મા ભારત માટે ODI રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. સાથે જ તેણે એવો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો જે માત્ર એક જ ભારતીય આ પહેલા હાંસલ કરી શક્યો છે.
- Smit Chauhan
- Updated on: Jun 13, 2026
- 9:45 pm
Breaking News: રોહિત શર્મા અને શુભમન ગિલની મોટી ભૂલ, ટીમ ઈન્ડિયાને 91 રનનું નુકસાન
રહેમાનુલ્લાહ ગુરબાઝે ભારત સામેની વનડે શ્રેણીની પહેલી મેચમાં યાદગાર ઈનિંગ રમી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝે માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી. જો શુભમન ગિલ અને રોહિત શર્માએ એક મોટી ભૂલ ના કરી હોત તો ગુરબાઝ આ સદી ફટકારી જ ના શક્યો હોત. શર્મા-ગિલની એક ભૂલને ભારતને 91 રનનું નુકસાન થયું હતું.
- Smit Chauhan
- Updated on: Jun 13, 2026
- 8:24 pm
Breaking News: 39 વર્ષના રોહિત શર્માએ 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ધર્મશાલાના મેદાનમાં ઉતરતા જ બનાવી દીધો ઈતિહાસ
ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામેની પહેલી ODI મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો હતો. 39 વર્ષના રોહિત શર્માએ મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jun 13, 2026
- 7:42 pm
IND vs AFG ODI Match Breaking News : ભારત-અફઘાનિસ્તાન મેચ પહેલા વરસાદનું વિઘ્ન, શું ઓવરોમાં ઘટાડો થશે કે મેચ રદ કરવામાં આવશે? જાણો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ બાદ, બંને ટીમો હવે વન ડે માટે મેદાનમાં આવી છે. પરંતુ, શરૂઆતથી જ આ હાઇ-વોલ્ટેજ મેચ પર મુશ્કેલીના વાદળો છવાઈ ગયા છે.
- Dhruval Shah
- Updated on: Jun 13, 2026
- 2:17 pm
IND vs AFG : પ્લેઇંગ 11માં વિરાટની જગ્યા માટે 3 દાવેદાર, એક બોલરનું ડેબ્યુ લગભગ નક્કી !
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝનો પહેલો સામનો આજે 13જૂનના રોજ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jun 13, 2026
- 7:51 am
Breaking News: 6 રન બનાવતા જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, ‘વીરુ’ના સ્પેશિયલ ક્લબમાં સામેલ થશે ‘હિટમેન’
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણીની પહેલી મેચ સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે ખાસ રહેશે. તે આ મેચમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે માત્ર એક જ ભારતીય ખેલાડી હાંસલ કરી શક્યો છે. આ સિવાય ત્રણ મેચની સિરીઝમાં કુલ 126 રન બનાવી દિગ્ગજ ભારતીય ઓપનરને પણ પાછળ છોડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 12, 2026
- 3:50 pm
Breaking News : રોહિત 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ભારતનો સૌથી મોટી ઉંમરનો ODI ખેલાડી બનશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સીરિઝની શરુઆત શનિવાર 13 જૂનથી શરુ થશે. સીરિઝની પહેલી મેચ ધર્મશાળામાં રમાશે. આ મેચ દરમિયાન રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. તો ચાલો જાણીએ શું છે આ રેકોર્ડ
- Nirupa Duva
- Updated on: Jun 11, 2026
- 8:35 am
Breaking News: રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે વનડેમાં રમશે, ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, અફઘાનિસ્તાન સામે તેમના રમવા અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ટીમ દ્વારા રોહિત અને હાર્દિકને ફિટનેસ માટે ક્લીનચીટ આપી હતી. જે બાદ હવે બંને વનડેમાં રમી શકશે.
- Smit Chauhan
- Updated on: Jun 9, 2026
- 2:59 pm
Breaking News: હાર્દિક-રોહિતને BCCI નું અલ્ટીમેટમ, પહેલા ફિટનેસ સાબિત કરો, સિલેક્શન ની વાત પછી….
અફઘાનિસ્તાન સામેની વન ડે સિરિઝ પહેલા હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસને લઈને સસ્પેન્સ યથાવત્ છે. BCCI એ બંને ખેલાડીઓને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ (CoE) માં રિપોર્ટ કરવા કહ્યુ છે. હાર્દિક એક સપ્તાહથી વધુ સમયથી ફિટનેસ ડ્રિલ અને મેચ સિમુલેશનમાંથી પસાર થશે. RTP (રિટર્ન ટુ પ્લે) ક્લિયરેન્સ મળ્યા બાદ જ સિરિઝમાં તેના સિલેક્શનનું પિક્ચર ક્લિયર થશે.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 7:12 pm
Breaking News : IPL 2026 પછી જોઈ લો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ, એક સાથે રમતા જોવા મળશે વિરાટ-રોહિત
આઈપીએલ 2026ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. 2 મહિના સુધી ચાલેલી આ લાંબી ટૂર્નામેન્ટ બાદ ભારતીય ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર છે.તો ચાલો જોઈએ ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
- Nirupa Duva
- Updated on: Jun 1, 2026
- 9:47 am
IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?
આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: May 31, 2026
- 11:13 am
Breaking News: પંડ્યાથી પાટીદાર… સૌથી ઓછી મેચોમાં ટીમને ફાઈનલમાં પહોંચાડનારા IPL ના ટોપ-6 દિગ્ગજ કેપ્ટનો
IPLમાં કેપ્ટન તરીકે ટીમને ફાઈનલ સુધી પહોંચાડવી એ મોટી સિદ્ધિ ગણાય છે. સામાન્ય રીતે આ માટે વર્ષોનો અનુભવ અને મજબૂત ટીમ કોમ્બિનેશન જરૂરી હોય છે. જોકે IPLના ઈતિહાસમાં કેટલાક એવા કેપ્ટનો પણ રહ્યા છે જેમણે ખૂબ ઓછી મેચોમાં જ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડીને અનોખા રેકોર્ડ બનાવ્યા છે. IPL 2026ની ફાઈનલ પહેલાં આવી જ કેટલીક યાદગાર કેપ્ટનશીપ સફર પર નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: May 30, 2026
- 8:40 pm
Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?
હાર્દિક પંડ્યા 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, રોહિત શર્માના સ્થાને તેને આ જવાબદારી સોંપવામાં આવી ત્યારથી ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. ટીમમાં પણ તણાવ ચાલુ રહ્યો. જે બાદ સતત ત્રણ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકે MI ની કપ્તાની છોડી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ સવાલ એ છે કે હવે કોણ બનશે મુંબઈનો નવો કેપ્ટન.
- Smit Chauhan
- Updated on: May 29, 2026
- 6:40 pm
Breaking News: IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ, જાણો કોણ છે નંબર-1
IPLમાં લીગ સ્ટેજ દરમિયાન ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે, પરંતુ પ્લેઓફમાં દબાણ વચ્ચે સતત સારું પ્રદર્શન કરવું દરેકના બસની વાત નથી. નોકઆઉટ મેચ માં જ સાચા મેચ વિનર્સ સામે આવે છે. IPL ઈતિહાસમાં કેટલાક બેટ્સમેનોએ પ્લેઓફમાં પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી છે અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે. આ યાદીમાં CSK અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળે છે.
- Smit Chauhan
- Updated on: May 26, 2026
- 6:13 pm
Breaking News: પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા માટે રોહિત શર્મા કેમ હાજર ન રહ્યો? આ છે કારણ
આ વર્ષની શરૂઆતમાં 131 પદ્મ એવોર્ડ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ યાદીમાં રોહિત શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, 25 મેના રોજ યોજાયેલા કાર્યક્રમમાં તે જોવા મળ્યો ન હતો. જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: May 25, 2026
- 9:58 pm