AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

Shreyas Iyer : શ્રેયસ અય્યર પહેલાં આ 14 ખેલાડીઓ બની ચૂક્યા છે ભારતના T20 કેપ્ટન !

શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનશે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો, ત્યારે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે હતી. પરંતુ કોઈને આશા નહોતી કે સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. ભારતીય ટીમનો પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ હતા. તેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તે મેચમાં જીત પણ મેળવી હતી.

Breaking News: આયર્લેન્ડમાં સંજુ સેમસન પાસે ઈતિહાસ રચવાની તક, રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી બનશે નંબર-1!

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણી સંજુ સેમસન માટે ખાસ બની શકે છે. વર્તમાન ભારતીય ટીમમાં તે આયર્લેન્ડ સામે સૌથી સફળ બેટ્સમેન છે અને હવે તેની નજર રોહિત શર્માના મોટા રેકોર્ડ પર છે. બે મેચની આ શ્રેણીમાં સેમસન પાસે ભારત-આયર્લેન્ડ T20 ઈતિહાસનો નંબર-1 બેટ્સમેન બનવાની તક છે.

IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મુકાબલામાં 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી તોડશે હાર્દિક-રોહિત-રાહુલના મોટા રેકોર્ડ?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણીમાં તમામની નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે. જો તેને ડેબ્યૂ કરવાની તક મળે, તો તે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને કેએલ રાહુલના કેટલાક મોટા T20 રેકોર્ડ તોડી શકે છે. તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે આ રેકોર્ડ તૂટવાણી પૂરી શક્યતા છે.

Breaking News: શુભમનના 238 રન રોહિત-વિરાટ પર ભારે પડ્યા, ICC રેન્કિંગમાં ગિલ બન્યો નંબર-2 બેટ્સમેન

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલને ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. વિરાટ-રોહિતને પાછળ છોડી ગિલ વિશ્વનો બીજા ક્રમનો ODI બેટ્સમેન બની ગયો છે. ગિલના માત્ર બે ઈનિંગમાં 238 રન કોહલી અને રોહિતને ભારે પડ્યા હતા.

Breaking News: પદ્મશ્રી એવોર્ડ સ્વીકારતા પહેલા રોહિત શર્માએ એવું શું કર્યું કે પત્નીએ તેને કારમાંથી બહાર ઉતારવો પડ્યો ? જુઓ Video

અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન જેવા એવોર્ડથી સન્માનિત રોહિત શર્માને હવે પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 23 જૂનના રોજ આ દિગ્ગજ ખેલાડીને આ સન્માન અર્પણ કર્યું હતું. જોકે એવોર્ડ સ્વીકારતા પહેલાનો રોહિત શર્માની પત્ની રીતિકાએ રોહિત શર્માને કારમાંથી બહાર કાઢ્યો હતો. જેનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

Breaking News: જે દિવસે ભારત માટે રમી પહેલી મેચ, 19 વર્ષ બાદ તે જ દિવસે મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રોહિત શર્મા સાથે બન્યો ગજબ સંયોગ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા માટે 23 જૂન 2026નો દિવસ ખાસ યાદગાર બની ગયો હતો. રમતગમત ક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાન બદલ તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે બરાબર 19 વર્ષ પહેલા આ જ તારીખે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે આ સન્માન વધુ વિશેષ બની ગયું છે.

Breaking News : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.

39 વર્ષ, 51 દિવસ………રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ, આવું કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી

ભારત- અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સીરિઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ એક શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટના 2 મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

Breaking News: યશસ્વીની સદી, રોહિતનો ધમાકો, ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી 3-0 થી શ્રેણી જીતી

ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણીની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 3-0 થી જીતી લીધી. ચેન્નાઈમાં રમાયેલી અંતિમ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી જ્યારે રોહિત શર્માએ 69 બોલમાં 79 રન બનાવ્યા હતા. બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ લીધી હતી.

Breaking News: રોહિત શર્માના 3 કેચ કેમ છે ખાસ? 13 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં જોવા મળ્યો આ કમાલ

અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં રોહિત શર્માએ ત્રણ કેચ પકડ્યા હતા. આ સાથે જ ફિલ્ડર તરીકે રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં 13 વર્ષ બાદ આવો કમાલ થયો હતો.

Breaking News: રોહિત શર્માનો મળ્યો સાથ, પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો કમાલ, ODIમાં પહેલીવાર કર્યું આ કારનામું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. નવા બોલ સાથે ઉતરેલા ભારતીય ઝડપી બોલરે પાવરપ્લેમાં જ અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. આ સફળતામાં કેપ્ટન રોહિત શર્માના શાનદાર કેચે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Breaking News : શું આજે 20 જૂને રોહિત શર્માની છેલ્લી વનડે છે ? જાણો વાયરલ દાવાઓ પાછળનું સત્ય

સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ રોહિત શર્માને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે કે તે 2027ના ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. જાણો શું છે સત્ય.

Breaking News: ગિલને છોડો, કોહલી-રોહિત પણ નથી તોડી શક્યા ભારતીય દિગ્ગજનો આ મહા-રેકોર્ડ, 15 વર્ષથી છે અતૂટ

શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં કેપ્ટન તરીકે પહેલીવાર 150 રનનો આંકડો પાર કર્યો. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ, તે પણ ભારતીય ક્રિકેટમાં 15 વર્ષથી ચાલી રહેલા એક મોટા રેકોર્ડને તોડવામાં નિષ્ફળ રહ્યો હતો.

Breaking News: 16000 રન… રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બન્યો

અફઘાનિસ્તાન સામેની પહેલી ODI માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ બે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. મેદાનમાં પ્રવેશતા જ રોહિત શર્મા ભારત માટે ODI રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. સાથે જ તેણે એવો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો જે માત્ર એક જ ભારતીય આ પહેલા હાંસલ કરી શક્યો છે.

Breaking News: રોહિત શર્મા અને શુભમન ગિલની મોટી ભૂલ, ટીમ ઈન્ડિયાને 91 રનનું નુકસાન

રહેમાનુલ્લાહ ગુરબાઝે ભારત સામેની વનડે શ્રેણીની પહેલી મેચમાં યાદગાર ઈનિંગ રમી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝે માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી. જો શુભમન ગિલ અને રોહિત શર્માએ એક મોટી ભૂલ ના કરી હોત તો ગુરબાઝ આ સદી ફટકારી જ ના શક્યો હોત. શર્મા-ગિલની એક ભૂલને ભારતને 91 રનનું નુકસાન થયું હતું.

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">