AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

Breaking News: 0,0,0,0,0,0,0,0,0,0… રોહિત શર્માએ તોડી ખરાબ બેટિંગની તમામ હદો, આ રીતે રમશે વનડે વર્લ્ડ કપ?

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ છે. પ્રથમ મેચમાં 11 રન બનાવ્યા બાદ, બીજી વનડેમાં રોહિત 47 બોલમાં માત્ર 26 રન જ કરી શક્યો હતો. 2014 પછી પહેલીવાર રોહિતની બેટિંગમાં જોવા મળેલા આ નબળા રેકોર્ડની પૂરી વિગત અહીં જુઓ.

એક જ ખેલાડી તોડશે ’11 રેકોર્ડ’… અંગ્રેજોના ગઢમાં ઘૂસીને રોહિત શર્મા રચશે ‘નવી ગાથા’, ઇંગ્લેન્ડ ટીમમાં ‘ડરનો માહોલ’

ટી-20 સિરીઝની હાર બાદ હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં શાનદાર વાપસી કરી છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી. ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની આ છેલ્લી વન-ડે સિરીઝમાં રોહિત શર્મા પાસે બેટિંગથી ધમાકો કરવાની સાથે એક-બે નહીં પણ પૂરા 11 રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે.

રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? IND vs ENG વનડે પહેલા જાણો આખો મામલો

Rohit Sharma : રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? આ સમગ્ર ઘટનાના તાર 7 વર્ષ જુની ઘટના સાથે જોડાયેલા છે. જ્યારે રોહિત શર્મા દુખી થયો હતો. ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે તેમના પ્રયત્નો પૂરતા ન હતા.

IND vs ENG: 967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે આ ખાસ નજારો, 2023 વર્લ્ડ કપ પછી પહેલીવાર બનશે આવું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામમાં રમાશે. આ વનડે મેચમાં એવું કંઈક જોવા મળી શકે છે જે છેલ્લે 967 દિવસ પહેલા જોવા મળ્યું હતું. 32 મહિના પછી ફરી એકવાર વનડેમાં આવું થશે.

Breaking News: IND vs ENG ODI શ્રેણી પહેલા બર્મિંગહામમાં ફરવા નીકળ્યા ભારતીય ખેલાડીઓ, રોહિત સાથે સેલ્ફી લેવા પડાપડી

14 જુલાઈના રોજ પહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બર્મિંગહામની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા. ભારતીય ખેલાડીઓના આઉટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ફેન્સ રોહિત સહિત સ્ટાર ખેલાડીઓ સાથે ફોટા અને સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા હતા.

સૂર્યકુમાર યાદવને જ્યાં પહોંચતા 750 દિવસ લાગ્યા, શ્રેયસ અય્યરે માત્ર 16 દિવસમાં જ મેળવી લીધો એ શરમજનક રેકોર્ડ !

ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. સૂર્યકુમાર યાદવ પછી ટીમની કમાન સંભાળનાર અય્યરે કપ્તાનીના શરૂઆતના દિવસોમાં જ એક એવો નકારાત્મક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેને સૂર્યાએ લાંબા સમય સુધી ટાળી રાખ્યો હતો.

માત્ર એક સદી અને રોહિત શર્મા કરશે 3 મોટા કમાલ! IND vs ENG વનડે સિરીઝમાં રચી શકે છે રેકોર્ડ્સની વણઝાર

ઇંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આ સિરીઝમાં માત્ર એક સદી ફટકારીને હિટમેન સચિન તેંડુલકર અને સર ડોન બ્રેડમેન જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ શકે છે.

Breaking News : વિરાટ કોહલી અને રોહિત શર્મા આ દિવસે T20I હારનો બદલો લેવા ટીમ સાથે મેદાનમાં ઉતરશે

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સુપડા સાફ થયા છે. હવે ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝ રમશે. તો ચાલો જાણીએ આ હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયા ક્યારે મેદાનમાં ઉતરશે.

હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !

ભારતીય ટીમને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20માં સતત હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ભારતીય ટીમે સિરીઝ ગુમાવી છે અને હવે આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનું નંબર-1નું સ્થાન પણ જોખમમાં આવી ગયું છે.

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો, પરંતુ વિરાટ-રોહિતની પણ વિદેશમાં શરૂઆત કંઈ ખાસ નહોતી

ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયા બાદ વૈભવ સૂર્યવંશીની ટીકા થઈ રહી છે. જોકે, ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદેશમાં પ્રથમ ત્રણ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ પણ ખાસ રહી નહોતી. આંકડા દર્શાવે છે કે દરેક મહાન ખેલાડીને પોતાની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

Breaking News: શ્રેયસ અય્યર નહીં… સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટનનું નામ જાણીને ચોંકી જશો

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ જ્યારથી તેણે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તે ચાહકોના નિશાના પર છે, કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ બધા વચ્ચે શ્રેયસની બહેનના વિરાટ અને રોહિતની કપ્તાનીમાં હાર અંગેના નિવેદનથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.

Breaking News: IND vs ENG T20 સિરીઝ વચ્ચે અચાનક ઈંગ્લેન્ડ પહોંચ્યો રોહિત શર્મા, નેટમાં કરી જોરદાર પ્રેક્ટિસ

દિગ્ગજ ભારતીય બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની વચ્ચે રોહિત શર્મા અચાનક ઈંગ્લેન્ડ કેમ પહોંચ્યો? ચાલો જાણીએ.

Breaking News : વિરાટ-રોહિતથી આગળ નીકળ્યો કેપ્ટન શ્રેયસ અય્યર, રચ્યો ઈતિહાસ

આયરલેન્ડ વિરુદ્ધ 2-0થી હાર બાદ શ્રેયસ અય્યર પર ચાહકોની નજર હતી. ત્યારે ઈંગ્લેન્ડ સામે મેચમાં શ્રેયસ અય્યરે ફીફટી ફટકારી જવાબ આપી દીધો છે. કેપ્ટન શ્રેયસ અય્યર વિરાટ કોહલીથી આગળ નીકળ્યો છે.

Shreyas Iyer : શ્રેયસ અય્યર પહેલાં આ 14 ખેલાડીઓ બની ચૂક્યા છે ભારતના T20 કેપ્ટન !

શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનશે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો, ત્યારે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે હતી. પરંતુ કોઈને આશા નહોતી કે સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. ભારતીય ટીમનો પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ હતા. તેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તે મેચમાં જીત પણ મેળવી હતી.

Breaking News: આયર્લેન્ડમાં સંજુ સેમસન પાસે ઈતિહાસ રચવાની તક, રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી બનશે નંબર-1!

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણી સંજુ સેમસન માટે ખાસ બની શકે છે. વર્તમાન ભારતીય ટીમમાં તે આયર્લેન્ડ સામે સૌથી સફળ બેટ્સમેન છે અને હવે તેની નજર રોહિત શર્માના મોટા રેકોર્ડ પર છે. બે મેચની આ શ્રેણીમાં સેમસન પાસે ભારત-આયર્લેન્ડ T20 ઈતિહાસનો નંબર-1 બેટ્સમેન બનવાની તક છે.

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
g clip-path="url(#clip0_868_265)">