AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

Breaking News: હાર્દિક-રોહિતને BCCI નું અલ્ટીમેટમ, પહેલા ફિટનેસ સાબિત કરો, સિલેક્શન ની વાત પછી….

અફઘાનિસ્તાન સામેની વન ડે સિરિઝ પહેલા હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસને લઈને સસ્પેન્સ યથાવત્ છે. BCCI એ બંને ખેલાડીઓને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ (CoE) માં રિપોર્ટ કરવા કહ્યુ છે. હાર્દિક એક સપ્તાહથી વધુ સમયથી ફિટનેસ ડ્રિલ અને મેચ સિમુલેશનમાંથી પસાર થશે. RTP (રિટર્ન ટુ પ્લે) ક્લિયરેન્સ મળ્યા બાદ જ સિરિઝમાં તેના સિલેક્શનનું પિક્ચર ક્લિયર થશે.

Breaking News : IPL 2026 પછી જોઈ લો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ, એક સાથે રમતા જોવા મળશે વિરાટ-રોહિત

આઈપીએલ 2026ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. 2 મહિના સુધી ચાલેલી આ લાંબી ટૂર્નામેન્ટ બાદ ભારતીય ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર છે.તો ચાલો જોઈએ ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?

આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

Breaking News: પંડ્યાથી પાટીદાર… સૌથી ઓછી મેચોમાં ટીમને ફાઈનલમાં પહોંચાડનારા IPL ના ટોપ-6 દિગ્ગજ કેપ્ટનો

IPLમાં કેપ્ટન તરીકે ટીમને ફાઈનલ સુધી પહોંચાડવી એ મોટી સિદ્ધિ ગણાય છે. સામાન્ય રીતે આ માટે વર્ષોનો અનુભવ અને મજબૂત ટીમ કોમ્બિનેશન જરૂરી હોય છે. જોકે IPLના ઈતિહાસમાં કેટલાક એવા કેપ્ટનો પણ રહ્યા છે જેમણે ખૂબ ઓછી મેચોમાં જ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડીને અનોખા રેકોર્ડ બનાવ્યા છે. IPL 2026ની ફાઈનલ પહેલાં આવી જ કેટલીક યાદગાર કેપ્ટનશીપ સફર પર નજર કરીએ.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

હાર્દિક પંડ્યા 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, રોહિત શર્માના સ્થાને તેને આ જવાબદારી સોંપવામાં આવી ત્યારથી ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. ટીમમાં પણ તણાવ ચાલુ રહ્યો. જે બાદ સતત ત્રણ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકે MI ની કપ્તાની છોડી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ સવાલ એ છે કે હવે કોણ બનશે મુંબઈનો નવો કેપ્ટન.

Breaking News: IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ, જાણો કોણ છે નંબર-1

IPLમાં લીગ સ્ટેજ દરમિયાન ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે, પરંતુ પ્લેઓફમાં દબાણ વચ્ચે સતત સારું પ્રદર્શન કરવું દરેકના બસની વાત નથી. નોકઆઉટ મેચ માં જ સાચા મેચ વિનર્સ સામે આવે છે. IPL ઈતિહાસમાં કેટલાક બેટ્સમેનોએ પ્લેઓફમાં પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી છે અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે. આ યાદીમાં CSK અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળે છે.

Breaking News: પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા માટે રોહિત શર્મા કેમ હાજર ન રહ્યો? આ છે કારણ

આ વર્ષની શરૂઆતમાં 131 પદ્મ એવોર્ડ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ યાદીમાં રોહિત શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, 25 મેના રોજ યોજાયેલા કાર્યક્રમમાં તે જોવા મળ્યો ન હતો. જાણો કેમ.

Breaking News: જૂનમાં ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત શેડ્યૂલ, ટેસ્ટ-ODI-T20 ત્રણેય ફોર્મેટમાં રમશે 6 આંતરરાષ્ટ્રીય મેચ

IPL 2026 બાદ ટીમ ઈન્ડિયા જલ્દી મેદાનમાં પરત ફરશે. જૂન મહિનો ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યંત વ્યસ્ત રહેવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ, વનડે અને T20 સહિત ત્રણેય ફોર્મેટમાં કુલ છ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. ચાલો જાણીએ શેડ્યૂલ.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માનું ‘શું સપનું છે’? હિટમેને પોતે કર્યો ‘મોટો ખુલાસો’, આ વાત સાંભળીને કરોડો ક્રિકેટ ફેન્સ ઝૂમી ઉઠ્યા

ભારતીય ક્રિકેટ ટીમને સફળતાના શિખરે પહોંચાડ્યા પછી પણ કેપ્ટન રોહિત શર્માનું એક એવું સપનું છે કે, જે હજુ પૂરું થવાનું બાકી છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન હિટમેને પોતાના દિલની વાત શેર કરતા એક ‘મોટો ખુલાસો’ કર્યો છે કે, તે ટીમ ઇન્ડિયાને કયા મુકામ પર લઈ જવા માંગે છે.

Breaking News : BCCI ને નથી રોહિત શર્માની ફિટનેસ વિશે જાણકારી! MI ના કોચે કર્યો મોટો ખુલાસો

રોહિત શર્માની ફિટનેસ ફરી ચર્ચામાં છે. અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે BCCIએ રોહિતને સંપૂર્ણ ફિટ હોવા પર જ ટીમમાં સ્થાન આપવાની શરત મૂકી છે. IPL દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તેની મેચ ફિટનેસ પર સવાલો ઉઠ્યા હતા.

Rohit Sharma : શું રોહિત શર્માને વર્લ્ડ કપ 2027 માંથી બહાર રાખવામાં આવશે?

હવે BCCI સામે નવી ચિંતા ઉભી થઈ છે. 2027 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. ટીમ ઇન્ડિયાના બે મોટા પ્લેઅર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસે BCCIની ઊંઘ ઉડાવી છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે બંનેની પસંદગી થઈ છે પરંતુ તેઓ સંપૂર્ણ 50 ઓવરની મેચ પૂરી તાકાતથી રમી શકશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

MI vs KKR 2026 : ચોથી ઓવરમાં નાખવામાં આવેલા તે એક સ્લો બોલે મુંબઈની જીત છીનવી!

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ જ છે. KKRએ ગઈ કાલે (21મે) મુંબઈ સામે રમવામાં આવેલી મેચમાં 4 વિકેટથી જીત મેળવી.

Breaking News: રોહિત શર્માને છગ્ગો મારવો ભારે પડ્યો, બોલરે બીજા જ બોલે આઉટ કરી લીધો બદલો

કોલકાતા નાઈટ રાઈડર્સ ફાસ્ટ બોલર સૌરભ દુબેએ મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની વિકેટ લીધી હતી. આ તેની કારકિર્દીનો સૌથી મોટો દિવસ છે. ખાસ વાત એ છે કે વિકેટ લેતા પહેલા રોહિતે તેની બોલિંગમાં છગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં આ બોલરે તેને આઉટ કરી છગ્ગાનો બદલો લીધો હતો.

IPL 2026: KKR vs MIમાં આજે કોણ મારશે બાજી? જાણો મેચ પ્રિડિક્શન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 65મી મેચ આજે (20મે) ઇડન ગાર્ડન્સના સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે પહેલાથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે રમશે.

ODI World Cup 2027 : 2027 વર્લ્ડ કપ માટે BCCIની મોટી બેઠક, રોહિત-વિરાટના ફિટનેસ પર નજર!

2027માં ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા યોજવામાં આવશે. જોકે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂન 2026માં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">