Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

IPL 2025 CSK vs MI ની પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ ! જાણો રોમાંચક મેચના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ

IPL 2025 ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું. નૂર અહેમદના 4 વિકેટ અને ખલીલ અહેમદના 3 વિકેટના પ્રદર્શનથી ચેન્નાઈનો બોલિંગ વિભાગ ચમક્યો.

Rohit Sharma IPL Duck : IPL ના ઇતિહાસમાં ખૂબ સૌથી ખરાબ રેકોર્ડમાં નંબર 1 પોઝિશન પર આવી ગયો રોહિત શર્મા

IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં રોહિત શર્મા ખાતું ખોલી શક્યો ન હતો. તેણે એક શરમજનક રેકોર્ડની બરાબરી કરી છે.

ધોની, વિરાટ, રોહિત સહિત આ સ્ટાર ખેલાડીઓ IPL 2025માં મોટા રેકોર્ડ તોડશે

IPL 2025માં મોટા રેકોર્ડ તૂટી શકે છે. દિગ્ગજ ખેલાડીઓ આ સિઝનમાં નવા માઈલસ્ટોન હાંસલ કરી શકે છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા નામો સામેલ છે. જાણો કોણ કયા રેકોર્ડ તોડશે?

વિદેશ પ્રવાસમાં પરિવારજનોને સાથે ન લઈ જવા અંગે ખેલાડીઓમાં બળવા જેવી સ્થિતિ સર્જાતા આખરે ઝૂક્યું BCCI !

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં એક નિયમ બનાવ્યો હતો કે ખેલાડીઓ લાંબા વિદેશી પ્રવાસ પર થોડા સમય માટે જ તેમના પરિવારને સાથે લઈ જઈ શકશે, પરંતુ હવે આ મામલે એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, BCCI એક નવો નિયમ બનાવવા જઈ રહ્યું છે, જાણો તે શું છે?

Team India Test Match Captain : ઇંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાને મળશે નવો કેન્ટન ? સામે આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ દરમિયાન, રોહિત શર્મા કેપ્ટન રહેશે કે નહીં, તે અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. BCCIના અધિકારીઓ અને સિલેક્ટરો નજીકના સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

ભારતીય ટીમ પાસે વર્ષ 2025માં વધુ એક ICC ટ્રોફી જીતવાનો મોકો, ભારત કરશે મિજબાની

ટીમ ઈન્ડિયા માટે 2025 માં બીજી ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે, કારણ કે ભારત આ ટુર્નામેન્ટની યજમાની કરશે.

ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી કોને થશે કરોડોનું નુકસાન? જાણો

BCCI ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી શકે છે. હવે આનો ફાયદો કોને થશે અને કોને નુકસાન થશે. તો હવે ખબર પડશે. BCCI આ ખેલાડીઓને બહાર કરીને કેટલાક નવા ચેહરાને તક આપી શકે છે.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં રોહિત શર્માને ICC શ્રેષ્ઠ ટીમમાં ન મળ્યું સ્થાન

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ ટાઈટલ મેચમાં રોહિતે સૌથી વધુ 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. છતાં ICCએ તેને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન જ ન આપ્યું.

પાકિસ્તાની ખેલાડીઓએ BCCIને કર્યા સલામ, જણાવ્યું કે ભારત સામે પાકિસ્તાન કેમ નિષ્ફળ જાય છે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજય બાદ ચાહકો ખૂબ ખુશ છે. ટીમ ઈન્ડિયા વિશે માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટરો શોએબ અખ્તર અને શોએબ મલિકે BCCI અને ટીમ ઈન્ડિયાની સિસ્ટમને સલામ કરી છે અને સાથે જ પાકિસ્તાન કેમ ભારત સામે નિષ્ફળ જાય છે એ પણ જણાવ્યું.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ ભર્યો હુંકાર, હવે નિશાના પર છે ધોનીનો મહાન રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટી જાહેરાત કરી કહી દીધું કે તે રિટાયરમેન્ટ નથી લઈ રહ્યો. રોહિતે જે અંદાજમાં કોઈ સવાલ પૂછે તે પહેલા જ જવાબ આપ્યો તે જોઈ એ તો ચોક્કસથી કહી શકાય કે તે નજીકના ભવિષ્યમાં પણ રોહિત નિવૃત નથી થવાનો. એવામાં હવે રોહિતની નજર એમએસ ધોનીના મહાન રેકોર્ડ પર છે અમે કહી શકાય. ધોનીનો કયો રેકોર્ડ રોહિતના નિશાના પર છે? જાણો આ આર્ટીકલમાં.

IND vs NZ Champions Trophy Final : જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સફેદ બ્લેઝર કેમ પહેર્યા ? જાણો કારણ

ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે. આ જીત બાદ આખી ટીમ ખાસ સફેદ બ્લેઝરમાં સજ્જ જોવા મળી હતી. ત્યારે એક ચર્ચા થઈ રહી છે કે, આખરે ટીમ સફેદ બ્લેઝરમાં કેમ જોવા મળી હતી. તો ચાલો જાણીએ

ટીમ ઈન્ડિયાને મળી અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ, ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને થઈ માલામાલ

ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ ભારતીય ટીમને નામ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી છે. તેમજ ટ્રોફી પોતાને નામ કરી છે. ટ્રોફીની સાથે -સાથે ભારતીય ટીમને પ્રાઈઝ મની તરીકે કરોડો રુપિયા મળ્યા છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આ પાંચ ક્ષણ, જેને દુનિયા વર્ષો સુધી નહીં ભૂલી શકે….

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પૂર્ણ થઈ ગઈ છે. પાકિસ્તાનની યજમાની હેઠળ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ટીમે ફાઇનલ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ ટુર્નામેન્ટની આ 5 ખાસ ક્ષણો.

Rohit Sharma Retirement : ODI માંથી નિવૃત્તિની ચર્ચા પર રોહિત શર્માનું મોટું નિવેદન, લાગ્યો પૂર્ણવિરામ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. અફવાઓ પર ધ્યાન ન આપવા માટે તેમણે જણાવ્યું હતું. નિવૃતિની વાત પર તેમણે પૂર્ણ વિરામ આપ્યો હતો.

IND vs NZ Turning Point : આ 8 બોલમાં કુલદીપ યાદવે પૂરી કરી નાખી હતી મેચ, ન્યુઝીલેન્ડને વિચારવાનો પણ મોકો ન મળ્યો

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી.

g clip-path="url(#clip0_868_265)">