રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

‘રોહિત અમારો કેપ્ટન છે’… કરોડોની કિંમતની કારમાંથી નીચે ઉતરતાની સાથે જ હાર્દિક પંડ્યા સાથે મોટી રમત થઈ

IPL 2024ની શરૂઆતથી જ ફેન્સ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપને લઈને ટ્રોલ કરી રહ્યા છે. તે હજુ પણ તેને પોતાના કેપ્ટન તરીકે સ્વીકારી શક્યો નથી. ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર આવું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે ચાહકોએ 'રોહિત અમારો કેપ્ટન છે' ના નારા લગાવવાનું શરૂ કર્યું. કરોડોની કિંમતની લક્ઝરી મર્સિડીઝ કારમાંથી હાર્દિક પંડયા નીચે ઉતરતા જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ફેન્સની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

IPL 2024: પંત અને સેમસનના આંકડાઓ જોઈ ચોક્કસથી ખુશ થશે રોહિત શર્મા, બંનેમાંથી કોને પ્લેઈંગ 11માં તક આપવી તે મોટો પ્રશ્ન

T20 વર્લ્ડ કપ 2024માં રિષભ પંત અને સંજુ સેમસન બંને હાથમાં લાડુ છે એમ કહીએ તો ખોટું નહીં હોય. કારણકે બંને પ્લેઈંગ 11માં સ્થાન મેળવવાના દાવેદાર છે. બંનેનું IPL 2024માં ફોર્મ અને આંકડાઓ પણ લગભગ સમાન છે. એવામાં જેને પણ તક મેળશે તે વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે. આ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારી બાબત છે.

IPL 2024 : રોહિત શર્મા કેમ રડ્યો ? SRH સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાંથી વીડિયો વાયરલ થયો

રોહિત શર્માના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાં બેસીને રડતો જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 6 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચનો હતો.

T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં હતી પરંતુ હવે તેની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાળાની બરફીલા પહાડીઓમાં લોન્ચ કરવામાં આવી હતી. એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ 2028 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે 350 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

T20 World Cup 2024: હાર્દિક પંડ્યા-જસપ્રીત બુમરાહને છોડો, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને આપ્યું વાસ્તવિક ટેન્શન

રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફિલ્ડીંગ માટે બહાર આવ્યો ન હતો. આ મેચમાં ટીમે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી અને રોહિતે માત્ર બેટિંગ કરી. આ પછી શંકા હતી કે તેને કોઈ પ્રકારની ઈજા થઈ છે. પીયૂષ ચાવલે હવે પુષ્ટિ કરી છે કે રોહિતને પીઠમાં હળવો દુખાવો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે આ સમાચાર સાંભળી ચોક્કસથી તેના ફેન્સ ચિંતામાં હશે. પરંતુ સૌથી મોટી ચિંતા હવે ટીમ મેનેજમેન્ટને છે. કારણકે વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી છે અને કેપ્ટન તકલીફમાં છે.

રિંકુ સિંહે મોટી તક ગુમાવી, રોહિત-અગરકરને ‘યોગ્ય જવાબ’ આપી શક્યો નહીં

છેલ્લા એક વર્ષમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરવા છતાં, રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓમાં સ્થાન મળી શક્યું નથી. તેનો શુભમન ગિલ સહિત 4 રિઝર્વ ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે મુંબઈ સામે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સામે સારું પ્રદર્શન કરી પોતાનો દાવો મજબૂત કરવાની રિંકુ પાસે સારી તક હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માએ જે પગલું ભર્યું, શું વિરાટ કોહલી પણ આવું જ કરશે?

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની 11મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેના બદલે રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર્સમાં રાખવામાં આવ્યો હતો, તેની પાછળ એક ખાસ કારણ હતું. હવે સવાલ એ ઊભો થયો છે કે શું વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા અન્ય ખેલાડીઓ કે જેમની ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકતી તેઓ પણ આવો બ્રેક લેશે.

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આનું કારણ બહાર આવ્યું નથી. કેપ્ટન હાર્દિક પંડયાના ચોંકાવનારો નિર્ણયથી ફેન્સ ચોંકી ગયા હતા. હવે જોવાનું એ છે કે શું રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં મુંબઈ તરફથી બેટિંગ કરશે? શું હાર્દિક પંડયા રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરશે?

T20 World Cup 2024 : રોહિત શર્માએ કરી એવી માંગ, T20 WCમાં ફસાઈ જશે વિરાટ કોહલી

IPL 2024માં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેણે 10 મેચમાં 147ના સ્ટ્રાઈક રેટથી 500 રન બનાવ્યા છે. પરંતુ તે વચ્ચેની ઓવરોમાં ધીમી રમતા જોવા મળે છે. હવે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે એવી માંગ કરી છે, જે તેના માટે પડકાર બની શકે છે.

IPL 2024માં કેએલ રાહુલને આ ભૂલનો ભોગ બનવું પડ્યું, જેના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી. કેએલ રાહુલ વિકેટકીપરની યાદીમાં સૌથી મોટા દાવેદારોમાંનો એક હતો, પરંતુ તેની એક ભૂલને કારણે તે ટીમનો ભાગ બની શક્યો નહીં. પસંદગી સમિતિના વડા અજીત અગરકરે જણાવ્યું કે શા માટે રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

T20 World Cup 2024: KL રાહુલ કેમ બહાર, કોણ કરશે ઓપનિંગ, રોહિત શર્માએ આપ્યા જવાબ

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા લોકો આ ટીમથી ખુશ છે તો કેટલાક નારાજ પણ છે કારણ કે રિંકુ સિંહ, શુભમન ગિલ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખવામાં આવ્યા છે. આ મુદ્દે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે પ્રતિક્રિયા આપી હતી.

IPL 2024: શું આ ભારતીય ખેલાડી પોતાની ઉંમર ઘટાડીને IPL 2024 રમી રહ્યો છે? રોહિત શર્માનો પર્દાફાશ

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. મુંબઈ પણ લખનૌ સામે 4 વિકેટે હારી ગયું હતું. જો કે આ હાર બાદ રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને ચાહકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાને સિલેક્શન બાદ જ મળ્યો ‘રિયાલિટી ચેક’, T20 વર્લ્ડ કપ પહેલા ભારે ટેન્શન

T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવેલ ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા અને નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ થયો છે અને આ ત્રણેય જ નિષ્ફળ રહ્યા છે. વર્લ્ડ કપ માટે ટીમ પસંદ થયાના થોડા જ સમયમાં આવા ખરાબ પ્રદર્શન બાદ ત્રણેય ખેલાડીઓના ખરાબ પ્રદર્શને મેનેજમેન્ટની ચિંતા વધારી છે.

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ 15 ખેલાડીઓની પસંદગી કરી, હવે સૌથી મોટા સવાલનો જવાબ શોધવાની જરૂર

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી બાદ હવે ટીમ ઈન્ડિયાને યોગ્ય અને સંતુલિત પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાના પડકારનો સામનો કરવો પડશે, કારણ કે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેની કેટલીક મર્યાદાઓ છે. એવામાં ટીમ મેનેજમેન્ટની સાથે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે એક મોટો પ્રશ્ન છે, જેનો જલ્દી જવાબ મેળવવો ખૂબ જ જરૂરી છે.

T20 World Cup 2024 : આ હશે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, 4 ખેલાડીઓને ભાગ્યે જ મળશે તક

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પસંદગી સમિતિએ મોટો નિર્ણય લેતા કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા છે. જો કે, અહીં મોટી વાત એ છે કે જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 4 ખેલાડી એવા છે જેમને ભાગ્યે જ કોઈ મેચ રમવાની તક મળશે.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">