રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
યુવરાજ સિંહને નહીં, આ સ્ટાર બેટ્સમેનને ફોલો કરે છે ‘અભિષેક શર્મા’; નામ જાણીને તમે પણ ચોંકી જશો
ભારતીય ઓપનર અભિષેક શર્માએ જણાવ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે ભારતના દિગ્ગજ બેટ્સમેનને ફોલો કરે છે. નોંધનીય છે કે, અભિષેકે આ વખતે યુવરાજ સિંહનું નામ લીધું નથી.
- Ravi Prajapati
- Updated on: Jan 23, 2026
- 8:50 pm
Breaking News : સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે BCCI બનાવી રહ્યું છે ખાસ પ્લાન, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગશે મોટો ઝટકો
Team India Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાકેટમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસની કેટેગરી દુર થવાની છે. વિરાટ-રોહિત તેમજ બુમરાહ જેવા ખેલાડીઓને પગાર ઓછો મળશે.
- Nirupa Duva
- Updated on: Jan 20, 2026
- 5:01 pm
રોહિત શર્માનું સપનું અધૂરું રહી જશે! આવું કામ કરશે તો, વર્લ્ડ કપ 2027 ની ટીમમાં જ જોવા નહીં મળે
વનડે વર્લ્ડ કપ 2027 રમવાનું સપનું જોઈ રહેલ રોહિત શર્મા હવે મુશ્કેલીમાં મુકાયો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝે ઘણા સવાલ ઊભા કર્યા છે, જેમાંથી એક સવાલ એ છે કે, શું રોહિત શર્મા વર્લ્ડ કપ 2027 માં રમશે?
- Ravi Prajapati
- Updated on: Jan 18, 2026
- 8:55 pm
IND vs NZ : રોહિત અને વિરાટ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે
IND vs NZ : ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ ફરી એક વખત બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંન્ને ખેલાડીઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે.આવી સ્થિતિમાં, હિટમેન અને કિંગ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે નહીં.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 2:30 pm
કોહલીએ રોહિતનો ખેલ કર્યો ! 1403 દિવસ પછી… ODI માં એકવાર ફરી વગાડ્યો ‘ડંકો’, હિટમેનને થયું નુકસાન પરંતુ સિરાજ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમીને લાંબી છલાંગ મારી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 14, 2026
- 8:56 pm
IND vs NZ, 2nd ODI : રાજકોટમાં રોહિત શર્માની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, ઈતિહાસ રચશે
IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝી બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમે પહેલી વનડે મેચ 4 વિકેટથી જીતી હતી.
- Nirupa Duva
- Updated on: Jan 14, 2026
- 11:10 am
Breaking News: ‘રોહિત શર્મા’ આવું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો, ગેઇલ અને સચિન જેવા દિગ્ગજો પણ પાછળ રહી ગયા
રોહિત શર્માએ ક્રિકેટની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. તે આવું કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. હિટમેને ગેઇલ અને સચિન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.
- Ravi Prajapati
- Updated on: Jan 11, 2026
- 9:02 pm
BCCI એ રોહિત અને વિરાટની સદીનો વીડિયો શેર કર્યો, ચાહકો સૌથી પૈસાદાર બોર્ડ પર ગુસ્સે થયા
Vijay Hazare Trophy : વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ મેચ લાઈવ ચાહકો જોઈ શક્યા ન હતા. જેના કારણે બીસીસીઆઈ ટ્રોલ થયું હતુ. તા ચાલો ચાહકોનું ગુસ્સાનું કારણ જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 25, 2025
- 5:07 pm
Virat – Rohit Match, Vijay Hazare Trophy 2025: વિરાટ-રોહિત શર્માની મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો? જાણો
Virat Kohli- Rohit Sharma Match : વિજય હજારે ટ્રોફી 2025-26માં રોહિત શર્મા અને વિરાટ કોહલીની મેચ જો તમે ટીવી પર લાઈવ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો. તેના વિશે આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 24, 2025
- 10:39 am
VIDEO: આરામ બાદ ફરી મેદાનમાં RO-KO, વિરાટ કોહલી અને રોહિત શર્માએ તૈયારીઓ શરૂ કરી
વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી દરમિયાન પોતાની બેટિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. હવે, બંને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. તે પહેલા બંને વિજય હજારે ટ્રોફીમાં રમશે, જેના માટે વિરાટ અને રોહિતે તૈયારીઓ શરુ કરી દીધી છે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 9:17 pm
સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે લિયોનેલ મેસ્સીની નેટવર્થ
ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીની દુનિયાના સૌથી સફળ અને સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. તેની કમાણી પણ કરોડોમાં છે. જો તેની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો તે સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર સ્ટાર્સ ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 4:17 pm
ટીમ ઈન્ડિયાના ધુરંધર, બાહુબલી, સૈયારા, દબંગ અને દિલદાર કોણ છે? યશસ્વી જયસ્વાલે કર્યો ખુલાસો
"ધુરંધર" ફિલ્મ વિશે તો બધાએ સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાનો ધુરંધર કોણ છે? સૈયારા, દબંગ કે બાહુબલી કોણ છે? યશસ્વી જયસ્વાલે એક પછી એક તેમના નામ જાહેર કર્યા છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 4:59 pm
વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે! શુભમન ગિલને થશે ફાયદો
એવા અહેવાલો છે કે BCCI રોહિત અને વિરાટના ગ્રેડમાં સુધારો કરી શકે છે. જો આવું થાય, તો ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બંને ખેલાડીઓના પગારમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. અહેવાલ અનુસાર રોહિત અને વિરાટને તેમના ગ્રેડમાં ડિમોટ કરવામાં આવે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 3:55 pm
Virat Kohli Ranking: રોહિત શર્મા માટે ખતરો બની ગયો વિરાટ કોહલી, ICC રેન્કિંગમાં આ નંબરે પહોંચ્યો
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં 302 રન બનાવનાર વિરાટ કોહલીને લેટેસ્ટ ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. કોહલી હવે ટોપ 2 વનડે બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે અને હવે નંબર 1 બેટ્સમેન રોહિત શર્મા માટે ખતરો બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Dec 10, 2025
- 6:22 pm
IND vs SA: મજાક મજાકમાં રોહિત શર્માએ યશસ્વીને આડે હાથ લીધો! સદીની નજીક પહોંચતા જ…. જુઓ Video
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટના માર્જિનથી જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી. ત્રીજી મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર અણનમ સદી ફટકારીને ભારતને 271 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ કરી.
- Ravi Prajapati
- Updated on: Dec 7, 2025
- 9:10 pm