AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

IND vs ENG : લીડ્સ ટેસ્ટના 6 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે મેચ?

જ્યારે છેલ્લીવાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ટેસ્ટ મેચ રમાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 76 રનથી પરાજય થયો હતો. હવે ફરી એકવાર લીડ્સમાં ટેસ્ટ મેચ રમાવાની છે. મોટી વાત એ છે કે છેલ્લી વખત લીડ્સમાં રમનારા ભારતના 6 સ્ટાર ખેલાડીઓ હવે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.

રન કે વિકેટ નહીં પણ ફિલ્ડિંગ માટે ઝગડતા હતા ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ, વર્ષ બાદ થયો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ એક કાર્યક્રમ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ રન કે વિકેટ માટે નહીં પણ ફિલ્ડિંગ માટે એકબીજા સાથે લડતા હતા. જાણો બંને દિગ્ગજોએ બીજા કયા ખુલાસા કર્યા.

IND vs ENG : વિરાટ કોહલી-રોહિત શર્મા વિના પણ જીતવાનો છે ‘દમ’, કેપ્ટન શુભમન ગિલે ભર્યો હુંકાર

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ શુભમન ગિલ પહેલીવાર મીડિયા સામે દેખાયો, જ્યાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હતો. આ દરમિયાન, ગિલે પોતાની કેપ્ટનશીપ અને ટીમની તૈયારીઓ વિશે વાત કરી, તો ગંભીરે પરિસ્થિતિ અને બેંગલુરુ ઘટના વિશે પણ જવાબ આપ્યો.

છેલ્લી વખત IPLમાં રમવા ઉતર્યો હતો રોહિત શર્મા ? મુંબઈની હાર સાથે તેની કારકિર્દીનો આવ્યો અંત !

ક્વોલિફાયર-2 ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને આ સિસીઝનમાંથી બહાર ફેંકી દીધું. પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી IPLની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન, રોહિત શર્માના IPLમાં ભવિષ્યમાં રમવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

27 દિવસમાં 5 સ્ટાર ખેલાડીઓ થયા નિવૃત્ત, IPL 2025 ફાઈનલ પહેલા બે મોટા આંચકા

છેલ્લા 27 દિવસથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પાંચ મોટા ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે IPL 2025ની ફાઈનલના એક દિવસ પહેલા વધુ બે સ્ટાર ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી મોટો આંચકો આપ્યો છે.

IPL 2025 : રોહિત શર્માના આ ‘હથિયારે’ IPL 2025માંથી 4 ટીમોને કરી બહાર, હવે પંજાબ કિંગ્સ નિશાન પર

રોહિત શર્માએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વોલિફાયર-2 માં રોહિત શર્માની શાનદાર ઈનિંગના દમ પર મુંબઈએ ગુજરાતને હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંક્યું. આ પહેલીવાર નથી જ્યારે રોહિત ટીમમાંથી બહાર થવાનું કારણ બન્યો હોય. આ બધું તેના એક 'હથિયાર'ને કારણે થયું છે, જેની મદદથી તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 ટીમોને બહાર કરી છે. હવે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ તેનો ટાર્ગેટ હશે. છેવટે, તે હથિયાર શું છે?

Rohit Sharma: રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, સદી ચૂકી ગયો પણ 81 રન બનાવીને તોડ્યો રેકોર્ડ

IPL 2025ના એલિમિનેટર મેચમાં રોહિત શર્માએ 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિતે પોતાની ઈનિંગમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ખેલાડી સદી ચૂકી ગયો પણ તેના નામે એક મોટો રેકોર્ડ બની ગયો.

GT vs MI : રોહિત શર્માએ IPLમાં 300 છગ્ગા ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. રોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં છગ્ગા ફટકારતાની સાથે જ સિક્સર ફટકારવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. અને આ કમાલ કરનાર તે IPL ઈતિહાસનો માત્ર બીજો ખેલાડી બન્યો હતો.

IPL 2025 બાદ રોહિત શર્મા કરાવશે સર્જરી, છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે

રોહિત શર્મા IPL 2025માં રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્મા IPL 2025 પછી સર્જરી કરાવવાનો છે, જાણો તે છેલ્લા પાંચ વર્ષથી કઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે?

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પહેલીવાર મેદાન પર આવ્યો રોહિત શર્મા, માત્ર 5 રન બનાવી થયો આઉટ

દિલ્હી કેપિટલ્સ સામેની એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર રોહિત શર્મા ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે પહેલીવાર મેદાન પર આવ્યો, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. રોહિત શર્માએ ફેન્સને નિરાશ કર્યા અને માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

રોહિત શર્મા સ્ટેન્ડના ઉદ્ઘાટન સમારોહમાં પત્ની રિતિકા થઈ ભાવુક, વીડિયો થયો વાયરલ

રોહિત શર્માનું નામ ભારતના સૌથી સફળ અને મહાન ક્રિકેટરોમાં ગણાશે. છેલ્લા એક વર્ષમાં, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. 'મુંબઈ ચા રાજા' તરીકે પ્રખ્યાત રોહિત શર્માને હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું થયું ઉદ્ઘાટન, આ 2 ખાસ લોકોએ દબાવ્યું બટન

મુંબઈ ક્રિકેટ એસોસિએશને બે વર્ષ પહેલા આ ઐતિહાસિક સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની એક ખાસ પ્રતિમા સ્થાપિત કરી હતી. પછી ગયા વર્ષે, તે સીટને એક ખાસ જગ્યા બનાવવામાં આવી હતી, જ્યાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીએ વિનિંગ છગ્ગો ફટકાર્યા પછી બોલ પડ્યો હતો. હવે MCAએ આ સ્ટેડિયમને વધુ ખાસ બનાવ્યું છે.

વિરાટ-રોહિતની નિવૃત્તિ બાદ હવે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં આ 15 ખેલાડીઓની થઈ શકે છે પસંદગી

રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ બાદ હવે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં કોણ આ બંને દિગ્ગજોનું સ્થાન લેશે તે એક મોટો સવાલ છે. કપ્તાની કોણ કરશે એ પણ સસ્પેન્સ છે. આ બધા વચ્ચે 15 એવા ખેલાડીઓ છે જેને BCCI ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરી શકે છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

Rohit Sharma : ‘ઈજ્જત કરો’… રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ આ લોકો પર સાધ્યું નિશાન

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. નિવૃત્તિ પછી, રોહિત શર્માએ ટીકાના નામે એજન્ડા ચલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. જાણો રોહિત શર્માએ શું કહ્યું.

શુભમન ગિલ, પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ… ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ ? આ ખેલાડીની ફેવરમાં છે આ 5 ફેક્ટર

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાંથી કોણ હશે, જે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું સ્થાન લેશે?તેના સ્થાને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રોહિત શર્માએ 7 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">