AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

ક્રિકેટના મેદાન બાદ હવે ગેમિંગની દુનિયામાં રોહિત શર્માની નવી ઇનિંગ, આ કંપનીમાં કર્યું રોકાણ

ભારતીય ક્રિકેટના સ્ટાર રોહિત શર્માએ હવે ગેમિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. રોહિત શર્મા એક ગેમિંગ કંપનીમાં રોકાણકાર બન્યો છે. ખાસ વાત એ છે કે આ ગેમના લોન્ચ પહેલાં જ લાખો લોકો તેમાં રસ દાખવી ચૂક્યા છે. હવે સપ્ટેમ્બરમાં શરૂ થનારા ટ્રાયલ બાદ તેની લોકપ્રિયતા કેટલી વધે છે તે જોવાનું રહેશે.

શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ

2023 ના મધ્યમાં મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યભાર સંભાળનારા અજિત અગરકરે તેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેના કાર્યકાળના વિસ્તરણ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. જોકે અજિત અગરકરના એક્સટેન્શન અંગે સસ્પેન્સ છવાયું છે અને તેની છુટ્ટી થઈ શકે છે, જેનું કારણ રોહિત શર્મા હોવાની વાતો થઈ રહી છે.

ક્રિકેટમાંથી બ્રેક કે નિવૃત્તિની તૈયારી? વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ છોડીને રિયાલિટી શોમાં એન્કરિંગ કરશે રોહિત શર્મા!

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન ODI ઓપનર રોહિત શર્માની નિવૃત્તિ અંગેની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. આ અટકળોનું કારણ ચાહકો માટે એક સારા સમાચાર પણ છે.

અજિત અગરકરની ખુરશી પર જોખમ! રોહિત-વિરાટના વિવાદ વચ્ચે BCCI ચીફ સિલેક્ટર તરીકે VVS લક્ષ્મણને સોંપી શકે છે કમાન ?

અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગી સમિતિએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણ ICC ટ્રોફી જીતી છે.

Guru Purnima : સચિનથી વિરાટ અને રોહિત સુધી, આ 5 કોચે ઘડ્યા ક્રિકેટના મહાન સિતારા, આ ગુરુઓને સલામ

ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર આજે એવા પાંચ ક્રિકેટ કોચને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતીય ક્રિકેટને અનેક મોટા ખેલાડીઓ આપ્યા. કોઈએ સચિન તેંડુલકરને ઘડ્યા, તો કોઈએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા સિતારાઓને નવી દિશા આપી. આ કોચોએ મેદાનની બહાર રહીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવ્યું.

Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!

શુભમન ગિલે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે, તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલનું નંબર 1 રેન્કિંગ હવે વિરાટ કોહલીથી ખતરામાં છે. ચાલો લેટેસ્ટ ODI રેન્કિંગ પર એક નજર કરીએ.

વૈભવ સૂર્યવંશીથી લઈને રોહિત-વિરાટ સુધી… સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ અને બાદમાં ઝીમ્બાબ્વે પ્રવાસ ખાસ રહ્યો. એકમાં જ્યાં હર મળી તો બીજામાં મોટી જીત મળી. જોકે આ બંને સિરીઝના છેલ્લા સાત દિવસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા હતા. વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને સચિન તેંડુલકરના સાત મોટા રેકોર્ડ તોડ્યા હતા.

શુભમન ગિલની જગ્યાએ વૈભવ સૂર્યવંશીએ રોહિત શર્મા સાથે વનડેમાં ઓપનિંગ કરવી જોઈએ, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર માને છે કે વૈભવ સૂર્યવંશી શુભમન ગિલ કરતાં વધુ સારો ઓપનર હશે. વૈભવ સૂર્યવંશીને ODI ફોર્મેટમાં સામેલ કરવો જોઈએ અને તેને રોહિત શર્માની સાથે ઓપનિંગમાં મોકલો જોઈએ. જ્યારે શુભમન ગિલે ચોથા સ્થાને બેટિંગ કરવી જોઈએ. ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું.

Rohit Sharma: લોર્ડ્સથી પર્થ સુધી… આ 5 મેદાન પર સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાની ODI કારકિર્દીમાં 34 સદી ફટકારી છે. આમાંથી પાંચ સદી એવા મેદાનો પર આવી છે જ્યાં રોહિત શર્મા સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીએ ODI સદી ફટકારી નથી. ચાલો જાણીએ આ મેદાનો કયા છે.

ZIM vs IND: રોહિત શર્માના નજીકના વ્યક્તિએ છોડી ટીમ ઈન્ડિયા, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી ગાયબ

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફારો શરૂ થઈ ગયા છે. ભારતીય ટીમના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સભ્યનો કરાર પૂર્ણ થઈ ગયો છે. આ સભ્ય હવે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય. તેના માર્ગદર્શન હેઠળ ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગમાં નવી ઓળખ બનાવી હતી અને એક ખાસ પરંપરા પણ શરૂ થઈ હતી.

વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આર અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ રમવા ઈચ્છશે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

શોર્ટ્સ, ટી-શર્ટ, ચપ્પલમાં પાછળના દરવાજેથી બહાર, સદી ફટકાર્યા પછી રોહિત શર્મા ટ્રેનમાં ક્યાં ગયો?

રોહિત શર્માએ લોર્ડ્સ વનડેમાં સદી ફટકારીને પોતાના ટીકાકારોને ચૂપ કરાવી દીધા હતા. જોકે, સદી ફટકાર્યા પછી રોહિત શર્મા શોર્ટ્સ, ટી-શર્ટ અને ચપ્પલમાં પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો અને ટ્રેનમાં બેસીને ક્યાંક ચાલ્યો ગયો. ચાલો જાણીએ રોહિતે આવું કેમ કર્યું.

ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ફરી ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે રોહિત શર્મા-વિરાટ કોહલી?

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસનો અંત દમદાર ઈનિંગ સાથે કર્યો. પરંતુ હવે ભારતીય ચાહકોએ બંનેને ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછા જોવા માટે લાંબી રાહ જોવી પડશે. ચાલો જણીએ હવે બંને દિગ્ગજો ફરી ક્યારે મેદાનમાં પાછા ફરશે.

IND vs ENG: રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, લોર્ડ્સમાં એક સદી સાથે તોડ્યા બે મોટા રેકોર્ડ

લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારીને માત્ર ભારત માટે જ નહીં, પરંતુ પોતાની કારકિર્દી માટે પણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. આ એક સદી સાથે તેણે બે મોટા રેકોર્ડ તોડ્યા હતા અને સચિન તેંડુલકર પણ પાછળ છોડી દીધો.

ટીમમાંથી બહાર કરવાના દાવા કરનારાઓને ‘હિટમેન’નો સણસણતો જવાબ! લોર્ડ્સમાં રોહિત શર્માની રેકોર્ડબ્રેક સદી

રોહિત શર્માનું બેટ અગાઉની બંને મેચોમાં શાંત રહ્યું હતું. તે ખરાબ રીતે ફ્લોપ ગયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયામાંથી તેની બહાર કરવામાં આવશે એવા અહેવાલો સામે આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો જોવા મળ્યો હતો. આ હોબાળા વચ્ચે, રોહિત શર્માએ આ શાનદાર સદી મારી.

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">