રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
Read MoreBreaking News: રોહિત શર્માની ટી-શર્ટ પર મચ્યો હંગામો! અજીત અગરકર અને BCCI પર કંઈ બોલ્યા વિના સાધ્યું નિશાન?
રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેનું બેટિંગ નહીં પરંતુ તેની ટી-શર્ટ છે. નવા શોના પ્રોમો દરમિયાન રોહિતના ટી-શર્ટ પર લખેલા બે શબ્દોએ સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકોએ આ લખાણને રોહિતના ક્રિકેટ ભવિષ્ય સાથે જોડીને અજીબોગરીબ ચર્ચા શરૂ કરી છે. આખરે ટી-શર્ટ પર એવું શું લખ્યું છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Sep 10, 2026
- 5:29 pm
ODI World Cup 2027 : શું વર્લ્ડકપ રમશે રોહિત-કોહલી? દિગ્ગજના નિવેદનથી હલચલ મચી
વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે વનડે ફોર્મેટ રમી રહ્યા છે. ત્યારે આવતા વર્ષે વનડે વર્લ્ડકપમાં આ બંને ખેલાડી ટીમનો ભાગ બનશે. આના પર બધાની નજર છે. બંને ખેલાડી અનેક વખત વર્લ્ડકપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
- Nirupa Duva
- Updated on: Sep 10, 2026
- 8:23 am
Breaking News: રોહિત શર્માના ભવિષ્ય પર BCCIએ લગાવી મહોર, જાણો બેઠકનું શું પરિણામ આવ્યું?
3 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં BCCI કાર્યાલયમાં એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્માના રિટાયરમેન્ટ અને ટીમ ઈન્ડિયામાં ભવિષ્યના પ્લાન પર બધાની ખાસ નજર હતી. ચાલો જાણીએ આ ગ્રાન્ડ મીટિંગમાં શું નિર્ણય લેવાયો.
- Smit Chauhan
- Updated on: Sep 3, 2026
- 7:10 pm
રોહિત-શમી-ભુવનેશ્વરના નિવૃત્તિ ન લેવા અંગે ચોંકાવનારો દાવો, કારણ જાણીને ચોંકી જશો
રોહિત શર્મા, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે સતત ચર્ચા થઈ રહી છે. ટીમમાં સ્થાન મળવામાં મુશ્કેલી હોવા છતાં આ ખેલાડીઓ હજુ મેદાન છોડવા તૈયાર નથી. હવે એક રિપોર્ટમાં તેમના નિવૃત્તિ ન લેવા પાછળનું કારણ જણાવાયું છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- Smit Chauhan
- Updated on: Sep 3, 2026
- 5:45 pm
Breaking News: રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ નહીં રમે? 24 કલાકમાં નિર્ણય લેવામાં આવશે!
શું રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ નહીં રમે? શું રોહિત શર્માની કારકિર્દીનો અંત આવી રહ્યો છે? આ પ્રશ્નોના જવાબ BCCIની બેઠકમાં લેવામાં આવી શકે છે. 24 કલાકમાં રોહિત શર્મા અંગે મોટો નિર્ણય લેવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Sep 2, 2026
- 6:01 pm
Breaking News : ક્રિકેટ પિચ પછી હવે ‘હિટમેન’ ટીવી પર ડેબ્યૂ કરશે, રોહિત શર્માનો એક બ્લોકબસ્ટર ફેમિલી શો આ તારીખથી શરુ થશે
રોહિત શર્મા હવે ટીવી પર ધમાકેદાર ડેબ્યુ કરશે. તેનો નવો રિયાલિટી શો ફેમિલી ફુલ હાઉસ આ મહિને આવી રહ્યો છે. જેની સાથે જોડાયેલી જાણકારી સામે આવી રહી છે. તો તમે જાણી લો ક્યારે શરુ થશે આ શો.
- Nirupa Duva
- Updated on: Sep 1, 2026
- 10:28 am
માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે
વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં 'સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા'... બસ આ ત્રણ જ એવા ભારતીય દિગ્ગજો છે કે, જેમણે એક જ ઈનિંગ્સમાં મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. ખાસ વાત એ છે કે, દુનિયાનો અન્ય કોઈ બેટ્સમેન આ રેકોર્ડને તોડી શક્યો નથી. વિશ્વ ક્રિકેટમાં જ્યારે પણ કોઈ ખાસ રેકોર્ડની વાત થાય છે, ત્યારે આ ત્રણેય ઈન્ડિયન લેજન્ડ્સનું નામ સૌથી ઉપર આવે છે.
- Ravi Prajapati
- Updated on: Aug 30, 2026
- 7:38 pm
વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !
ટીમ ઈન્ડિયાએ ODI 2027 વર્લ્ડ કપ માટે બેકઅપ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. સૌથી મોટી ચિંતા મિડલ ઓર્ડરની છે. જ્યાં શ્રેયસ અય્યરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. TOI ના અહેવાલ મુજબ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માને છે કે હાલમાં મુખ્ય ટુર્નામેન્ટમાં કોઈ વિશ્વસનીય મિડલ ઓર્ડર બેકઅપ નથી.
- Dhruval Shah
- Updated on: Aug 30, 2026
- 2:49 pm
રોહિત-વિરાટ, વૈભવ સહિતના ખેલાડીઓ સપ્ટેમ્બરમાં મેદાનમાં જોવા મળશે, જાણો ક્યાં-ક્યારે રમાશે મેચો !
શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે સપ્ટેમ્બરમાં રમાનારી મહત્વની મેચો પર છે. અફઘાનિસ્તાન સામે T20 સિરીઝથી લઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ અને એશિયન ગેમ્સ સુધી ભારતીય ટીમનો વ્યસ્ત કાર્યક્રમ રહેશે. જાણો રોહિત-વિરાટ સહિતના ખેલાડીઓ ક્યારે અને ક્યાં મેદાનમાં ઉતરશે.
- Dhruval Shah
- Updated on: Aug 29, 2026
- 10:58 am
ક્રિકેટના મેદાન બાદ હવે ગેમિંગની દુનિયામાં રોહિત શર્માની નવી ઇનિંગ, આ કંપનીમાં કર્યું રોકાણ
ભારતીય ક્રિકેટના સ્ટાર રોહિત શર્માએ હવે ગેમિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. રોહિત શર્મા એક ગેમિંગ કંપનીમાં રોકાણકાર બન્યો છે. ખાસ વાત એ છે કે આ ગેમના લોન્ચ પહેલાં જ લાખો લોકો તેમાં રસ દાખવી ચૂક્યા છે. હવે સપ્ટેમ્બરમાં શરૂ થનારા ટ્રાયલ બાદ તેની લોકપ્રિયતા કેટલી વધે છે તે જોવાનું રહેશે.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2026
- 8:43 pm
શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ
2023 ના મધ્યમાં મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યભાર સંભાળનારા અજિત અગરકરે તેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેના કાર્યકાળના વિસ્તરણ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. જોકે અજિત અગરકરના એક્સટેન્શન અંગે સસ્પેન્સ છવાયું છે અને તેની છુટ્ટી થઈ શકે છે, જેનું કારણ રોહિત શર્મા હોવાની વાતો થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Aug 15, 2026
- 10:42 pm
ક્રિકેટમાંથી બ્રેક કે નિવૃત્તિની તૈયારી? વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ છોડીને રિયાલિટી શોમાં એન્કરિંગ કરશે રોહિત શર્મા!
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન ODI ઓપનર રોહિત શર્માની નિવૃત્તિ અંગેની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. આ અટકળોનું કારણ ચાહકો માટે એક સારા સમાચાર પણ છે.
- Dhruval Shah
- Updated on: Aug 11, 2026
- 3:28 pm
અજિત અગરકરની ખુરશી પર જોખમ! રોહિત-વિરાટના વિવાદ વચ્ચે BCCI ચીફ સિલેક્ટર તરીકે VVS લક્ષ્મણને સોંપી શકે છે કમાન ?
અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગી સમિતિએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણ ICC ટ્રોફી જીતી છે.
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 3:17 pm
Guru Purnima : સચિનથી વિરાટ અને રોહિત સુધી, આ 5 કોચે ઘડ્યા ક્રિકેટના મહાન સિતારા, આ ગુરુઓને સલામ
ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર આજે એવા પાંચ ક્રિકેટ કોચને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતીય ક્રિકેટને અનેક મોટા ખેલાડીઓ આપ્યા. કોઈએ સચિન તેંડુલકરને ઘડ્યા, તો કોઈએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા સિતારાઓને નવી દિશા આપી. આ કોચોએ મેદાનની બહાર રહીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવ્યું.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 7:45 pm
Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!
શુભમન ગિલે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે, તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલનું નંબર 1 રેન્કિંગ હવે વિરાટ કોહલીથી ખતરામાં છે. ચાલો લેટેસ્ટ ODI રેન્કિંગ પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 4:53 pm