રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
Read MoreGuru Purnima : સચિનથી વિરાટ અને રોહિત સુધી, આ 5 કોચે ઘડ્યા ક્રિકેટના મહાન સિતારા, આ ગુરુઓને સલામ
ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર આજે એવા પાંચ ક્રિકેટ કોચને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતીય ક્રિકેટને અનેક મોટા ખેલાડીઓ આપ્યા. કોઈએ સચિન તેંડુલકરને ઘડ્યા, તો કોઈએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા સિતારાઓને નવી દિશા આપી. આ કોચોએ મેદાનની બહાર રહીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવ્યું.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 7:45 pm
Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!
શુભમન ગિલે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે, તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલનું નંબર 1 રેન્કિંગ હવે વિરાટ કોહલીથી ખતરામાં છે. ચાલો લેટેસ્ટ ODI રેન્કિંગ પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 4:53 pm
વૈભવ સૂર્યવંશીથી લઈને રોહિત-વિરાટ સુધી… સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા
ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ અને બાદમાં ઝીમ્બાબ્વે પ્રવાસ ખાસ રહ્યો. એકમાં જ્યાં હર મળી તો બીજામાં મોટી જીત મળી. જોકે આ બંને સિરીઝના છેલ્લા સાત દિવસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા હતા. વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને સચિન તેંડુલકરના સાત મોટા રેકોર્ડ તોડ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jul 27, 2026
- 6:05 pm
શુભમન ગિલની જગ્યાએ વૈભવ સૂર્યવંશીએ રોહિત શર્મા સાથે વનડેમાં ઓપનિંગ કરવી જોઈએ, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર માને છે કે વૈભવ સૂર્યવંશી શુભમન ગિલ કરતાં વધુ સારો ઓપનર હશે. વૈભવ સૂર્યવંશીને ODI ફોર્મેટમાં સામેલ કરવો જોઈએ અને તેને રોહિત શર્માની સાથે ઓપનિંગમાં મોકલો જોઈએ. જ્યારે શુભમન ગિલે ચોથા સ્થાને બેટિંગ કરવી જોઈએ. ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું.
- Smit Chauhan
- Updated on: Jul 27, 2026
- 5:28 pm
Rohit Sharma: લોર્ડ્સથી પર્થ સુધી… આ 5 મેદાન પર સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાની ODI કારકિર્દીમાં 34 સદી ફટકારી છે. આમાંથી પાંચ સદી એવા મેદાનો પર આવી છે જ્યાં રોહિત શર્મા સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીએ ODI સદી ફટકારી નથી. ચાલો જાણીએ આ મેદાનો કયા છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2026
- 5:32 pm
ZIM vs IND: રોહિત શર્માના નજીકના વ્યક્તિએ છોડી ટીમ ઈન્ડિયા, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી ગાયબ
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફારો શરૂ થઈ ગયા છે. ભારતીય ટીમના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સભ્યનો કરાર પૂર્ણ થઈ ગયો છે. આ સભ્ય હવે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય. તેના માર્ગદર્શન હેઠળ ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગમાં નવી ઓળખ બનાવી હતી અને એક ખાસ પરંપરા પણ શરૂ થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Jul 21, 2026
- 5:34 pm
વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આર અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ રમવા ઈચ્છશે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2026
- 8:44 pm
શોર્ટ્સ, ટી-શર્ટ, ચપ્પલમાં પાછળના દરવાજેથી બહાર, સદી ફટકાર્યા પછી રોહિત શર્મા ટ્રેનમાં ક્યાં ગયો?
રોહિત શર્માએ લોર્ડ્સ વનડેમાં સદી ફટકારીને પોતાના ટીકાકારોને ચૂપ કરાવી દીધા હતા. જોકે, સદી ફટકાર્યા પછી રોહિત શર્મા શોર્ટ્સ, ટી-શર્ટ અને ચપ્પલમાં પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો અને ટ્રેનમાં બેસીને ક્યાંક ચાલ્યો ગયો. ચાલો જાણીએ રોહિતે આવું કેમ કર્યું.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2026
- 6:47 pm
ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ફરી ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે રોહિત શર્મા-વિરાટ કોહલી?
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસનો અંત દમદાર ઈનિંગ સાથે કર્યો. પરંતુ હવે ભારતીય ચાહકોએ બંનેને ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછા જોવા માટે લાંબી રાહ જોવી પડશે. ચાલો જણીએ હવે બંને દિગ્ગજો ફરી ક્યારે મેદાનમાં પાછા ફરશે.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2026
- 5:16 pm
IND vs ENG: રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, લોર્ડ્સમાં એક સદી સાથે તોડ્યા બે મોટા રેકોર્ડ
લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારીને માત્ર ભારત માટે જ નહીં, પરંતુ પોતાની કારકિર્દી માટે પણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. આ એક સદી સાથે તેણે બે મોટા રેકોર્ડ તોડ્યા હતા અને સચિન તેંડુલકર પણ પાછળ છોડી દીધો.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2026
- 4:46 pm
ટીમમાંથી બહાર કરવાના દાવા કરનારાઓને ‘હિટમેન’નો સણસણતો જવાબ! લોર્ડ્સમાં રોહિત શર્માની રેકોર્ડબ્રેક સદી
રોહિત શર્માનું બેટ અગાઉની બંને મેચોમાં શાંત રહ્યું હતું. તે ખરાબ રીતે ફ્લોપ ગયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયામાંથી તેની બહાર કરવામાં આવશે એવા અહેવાલો સામે આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો જોવા મળ્યો હતો. આ હોબાળા વચ્ચે, રોહિત શર્માએ આ શાનદાર સદી મારી.
- Dhruval Shah
- Updated on: Jul 20, 2026
- 8:08 am
Breaking News: સચિન-દ્રવિડનો મોટો રેકોર્ડ તૂટ્યો, રોહિત-વિરાટની જોડીએ લોર્ડ્સના મેદાન પર રચ્યો ઇતિહાસ; આવો રેકોર્ડ બનાવનારી દેશની પ્રથમ જોડી બની
ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ ભારતીય જોડી નથી કરી શકી. સચિન અને દ્રવિડને પાછળ છોડી આ જોડીએ નવો ઇતિહાસ લખ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 19, 2026
- 6:05 pm
લોર્ડ્સમાં મેચ પહેલાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ VIDEO કેમ થયો વાયરલ ?
લોર્ડ્સ ખાતે ફાઇનલ મેચના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે 18 જુલાઈએ, ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 8:19 am
IND vs ENG: વિરાટ કોહલી, શુભમન ગિલ કે રોહિત શર્મા… લોર્ડ્સમાં 47 વર્ષના દુષ્કાળનો અંત કોણ લાવશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે અનેક યાદગાર મેચો રમી છે, પરંતુ એક અનોખી સિદ્ધિ હજુ પણ અધૂરી છે. છેલ્લા 47 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન અહીં વનડે સદી ફટકારી શક્યો નથી. હવે ફરી એકવાર આ દુષ્કાળ ખતમ કરવાની તક ટીમ ઈન્ડિયા સામે છે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2026
- 7:08 pm
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીતવી આસાન નથી, લોર્ડ્સમાં 22 વર્ષનો દુષ્કાળ ખતમ કરવો પડશે
ટીમ ઈન્ડિયા ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીની અંતિમ મેચ રમશે. આ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. ભારતીય ટીમ વર્ષોથી ત્યાં જીતી શકી નથી. ખરેખર, જો ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર આ ODI શ્રેણી જીતવી હોય, તો તેમણે લોર્ડ્સમાં 22 વર્ષના દુષ્કાળનો અંત લાવવો પડશે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2026
- 6:01 pm