![ક્રિકેટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/01/Cricket.jpeg)
ક્રિકેટ
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.
ત્રણેય ફોર્મેટની પોતપોતાની વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. આઈસીસીએ 2019થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરી હતી. આ અંતર્ગત, આઈસીસી રેન્કિંગની ટોપ-10 ટીમો બે વર્ષ સુધી અલગ-અલગ શ્રેણી રમે છે અને આ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમો ફાઈનલ રમશે.
ભારત અત્યાર સુધી બંને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યું છે. પરંતુ બંનેમાં હાર્યું છે. પ્રથમ ફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવ્યું હતું જ્યારે બીજી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. ઓડીઆઈ વર્લ્ડ કપ 1975 થી રમાઈ રહ્યો છે અને દર ચાર વર્ષે યોજાય છે.
તેની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા છ વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. ભારત 1983 અને 2011માં બે વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે. T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી.
આ ટુર્નામેન્ટ દર બે વર્ષે રમાય છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે-બે વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આ ટૂર્નામેન્ટ જીતી હતી.
પાકિસ્તાનની ફૂટી કિસ્મત, મોટો સ્કોર બનાવવા છતાં એશિયા કપમાંથી બહાર, હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ
મહિલા એશિયા કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 141 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં કરી લીધો હતો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે.
- Sagar Solanki
- Updated on: Jul 26, 2024
- 10:50 pm
પાકિસ્તાન ક્રિકેટની આવી બદનામી ક્યારેય નહીં થઈ હોય, મેચના રાઈટ્સ ખરીદવા કોઈ તૈયાર નથી
અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે. જો કે તેના યજમાન દેશ પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તૈયારીઓ માટે કેટલાક ફંડ પણ જાહેર કર્યા છે. આ દરમિયાન તેના માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Jul 26, 2024
- 9:56 pm
હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી તેના ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ચોંકી ગયા છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ આપવામાં આવી હતી, હવે જસપ્રીત બુમરાહ સાથે પણ કંઈક આવું જ થવાનું છે.
- Smit Chauhan
- Updated on: Jul 26, 2024
- 7:45 pm
VIDEO: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ રિંકુ સિંહની બહેનને ચોંકાવી દીધી, શ્રીલંકાથી આપ્યું ખાસ સરપ્રાઈઝ
ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. તે 27 જુલાઈથી T20 સિરીઝ રમવાની છે અને તેમાં રિંકુ સિંહ પણ જોવા મળશે. આ કારણે તે પોતાની બહેનના જન્મદિવસમાં હાજર રહી શક્યો ન હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીએ આ પ્રસંગે તેની બહેનને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Jul 26, 2024
- 5:35 pm
બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપની ફાઈનલમાં પહોંચી
ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે 27 જુલાઈએ યોજાનારી ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા-પાકિસ્તાન મેચની વિજેતા સાથે થશે.
- Smit Chauhan
- Updated on: Jul 26, 2024
- 4:50 pm
IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પલ્લેકેલેમાં જોરદાર તૈયારીઓ કરી રહી છે. સતત 2 દિવસ સુધી સંપૂર્ણ સ્ટ્રેન્થ પ્રેક્ટિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જબરદસ્ત ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી. જેમાં ટીમ મેનેજમેન્ટે ત્રણ કેપ્ટન બનાવ્યા હતા. જાણો એ ડ્રિલમાં શું થયું?
- Smit Chauhan
- Updated on: Jul 26, 2024
- 4:24 pm
Women Asia Cup Semi Final: 8મી વખત ચેમ્પિયન બનવાથી ભારતીય મહિલા ટીમ 1 ડગલું દુર, આજે બાંગ્લાદેશ સામે ટકકર
મહિલા એશિયા કપમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ મહિલ ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે. તો ચાલો જોઈએ આ બંન્નેમાંથી કઈ ટીમનું પલડું ભારે છે, અને તમે એશિયા કપની સેમિફાઈનલ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.
- Nirupa Duva
- Updated on: Jul 26, 2024
- 11:44 am
પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યુ, શું છે મામલો, જાણો
હરભજન સિંહ પર હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ગમે તેમ બોલવાનું શરુ કર્યું છે. સોશિયલ મીડિયા પર ભારતીય પૂર્વ ક્રિકેટર વિશે અયોગ્ય શબ્દોમાં લખ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યું છે. તો બીજી તરફ પાકિસ્તાનનો બીજો ક્રિકેટર BCCI ને વિનંતી કરે છે કે, ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવામાં આવે.
- Avnish Goswami
- Updated on: Jul 26, 2024
- 11:07 am
ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી, હવે આ ટીમે બનાવ્યો કેપ્ટન
ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આનાથી તેના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. CSK બાદ હવે તેને બીજી ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 10:21 pm
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સ્વીકારી લીધી હાર, આખરે લીધો આટલો મોટો નિર્ણય
ઓલરાઉન્ડર શોએબ મલિકે સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન ટીમ માટે ફરી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે. એક ઈન્ટરવ્યુમાં મલિકે એમ પણ કહ્યું હતું કે તે હજુ નિવૃત્ત થશે નહીં પરંતુ તે હવે પાકિસ્તાની ટીમ માટે રમવા માંગતો નથી.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 7:19 pm
IND vs SL: નવો કોચ, નવો કેપ્ટન, નવી ટીમ, નવી જર્સી, ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. સિરીઝની ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે. આ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ તે બદલાવ છે જેના માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાના લોહી અને પરસેવો વહાવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 6:50 pm
IND vs SL : 3 સિક્સર ફટકારતા જ વિરાટ કોહલી શ્રીલંકામાં તોડશે રિકી પોન્ટિંગનો રેકોર્ડ, બનશે ‘સિક્સર કિંગ’!
શ્રીલંકા પ્રવાસ પર વિરાટ કોહલી રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી શકે છે. શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની ODI શ્રેણી બીજી ઓગસ્ટથી શરૂ થશે અને સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન વિરાટ શ્રીલંકા સામે વનડે શ્રેણીમાં 1000 રન પણ પૂરા કરશે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 5:41 pm
IPL મેગા ઓક્શનને લઈ મોટા સમાચાર, 31 જુલાઈએ તમામ 10 ટીમોની BCCI સાથે થશે બેઠક
ભારત-શ્રીલંકા T20 સિરીઝની વચ્ચે ચાહકો IPLની મેગા ઓક્શન પર પણ નજર રાખી રહ્યા છે, જેના નિયમો ટૂંક સમયમાં બનવા જઈ રહ્યા છે. 31મી જુલાઈએ BCCI અને ફ્રેન્ચાઈઝી માલિકોની એક બેઠક યોજાશે, જેમાં નક્કી કરવામાં આવશે કે તમામ 10 ટીમો કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 4:16 pm
IND vs SL : ટીમ ઈન્ડિયામાં ‘સુનીલ નારાયણ’ની એન્ટ્રી! ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
શ્રીલંકા સામેની T20 શ્રેણી ગૌતમ ગંભીર માટે મુખ્ય કોચ તરીકેની પ્રથમ શ્રેણી હશે અને તેની શરૂઆત પહેલા જ તેણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો સુનીલ નારાયણ મળી ગયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 4:09 pm
IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી થયો બહાર
ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે અને બે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમથી જ નહીં પરંતુ આ આખી સિરીઝથી જ બહાર થઈ ગયા છે. સિરીઝ શરૂ થવા પહેલા જ બે ખેલાડીઓ બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 3:50 pm