ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમાં
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

આ વખતે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. 14મી અને 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના તહેવારો માટે પતંગ ઉડાવા માટે પવન અનુકૂળ રહેશે.

હવામાન વિભાગ (IMD) દ્વારા આ તારીખો માટે અનુકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 14 જાન્યુઆરીની આગાહી સૂચવે છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ આવતા 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.

આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતના હવામાનમાં થતા ફેરફાર તેમજ દરરોજનું હવામાન જાણવા માટે અહીં ક્લિક કરો

































































