Stock Market Holidays : મકરસંક્રાંતિના દિવસે શેર બજાર ચાલુ રહેશે કે બંધ ? જાણો શું કહે છે હોલી ડે કલેન્ડર
Share Market on Sankranti: આ દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ રહેશે તે અંગે મૂંઝવણ છે. તો ચાલો જાણીએ કે બન્ને તેહવારના દિવસે શેર માર્કેટ ચાલું રહેશે કે બંધ.

13 અને 14 જાન્યુઆરીએ દેશભરમાં લોહડી અને મકરસંક્રાંતિના તહેવારો ઉજવવામાં આવશે. આ દિવસે બેંકો સહિત ઘણી સંસ્થાઓ બંધ રહે છે. ત્યારે આ દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ રહેશે તે અંગે મૂંઝવણ છે. તો ચાલો જાણીએ કે બન્ને તેહવારના દિવસે શેર માર્કેટ ચાલું રહેશે કે બંધ.

લોહડી 13 જાન્યુઆરી, સોમવારના રોજ ઉજવવામાં આવશે, જ્યારે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવારના રોજ ઉજવવામાં આવશે અને પોંગલ 13 થી 16 જાન્યુઆરી દરમિયાન ઉજવવામાં આવશે. લોહડી એ પંજાબનો તહેવાર છે, જે ઉત્તર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો અગ્નિ દેવની પૂજા કરે છે અને સમૃદ્ધિ અને સુખ માટે પ્રાર્થના કરે છે.

14 તારીખે મકરસંક્રાંતિ, જેને ઉત્તરાયણ અથવા પોષ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પવિત્ર જળમાં સ્નાન કરે છે, સૂર્યદેવની પૂજા કરે છે અને જરૂરિયાતમંદોને અનાજ, મીઠાઈ વગેરેનું દાન કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. ત્યારે આ દિવસોએ શેર માર્કેટ ખુલ્લુ રહેશે કે કેમ ?

લોહડી અને મકરસંક્રાંતિ સોમવાર અને મંગળવારે હોવાથી, ઘણા લોકો મૂંઝવણમાં છે કે BSE અને NSE જેવા મુખ્ય સ્ટોક એક્સચેન્જો ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે કે બંધ રહેશે. તમને જણાવી દઈએ કે BSE અને NSE બંને દિવસે ખુલ્લા રહેશે અને આ દિવસો માટે કોઈ ટ્રેડિંગ રજા જાહેર કરવામાં આવી નથી. કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ પણ બંને દિવસે ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે.

2025 માટે NSE રજા કેલેન્ડર મુજબ, મકરસંક્રાંતિ અને લોહડી ટ્રેડિંગ રજાઓની યાદીમાં શામેલ નથી. તેથી, બંને દિવસે શેરબજારનો સમયસર ચાલુ રહેશે. પ્રી-ઓપન ટ્રેડિંગ સવારે 9 વાગ્યે શરૂ થશે અને 9:15 વાગ્યા સુધી ચાલુ રહેશે. શેરબજારનું ટ્રેડિંગ સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને સામાન્ય સમયે બપોરે 3:30 વાગ્યે બંધ થશે.

2025માં કુલ 14 શેરબજારની રજાઓ છે, બીએસઈ રજા કેલેન્ડર મુજબ, 2025ની પહેલી શેરબજારની રજા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે શેરબજારમાં રજા છે પરંતુ આ દિવસે રવિવાર છે તેથી કોઈ શેરબજારની રજા નહીં ગણાય જ્યારે બીજી રજા 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસર પર રહેશે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો