AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Auction : શું કોઈ ખેલાડી ઓક્શનમાં વેચાયા પછી રમવાની ના પાડી શકે? નિયમો જાણો

IPL 2026ના ઓક્શનમાં આજે 369 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. સીઝન શરૂ થાય તે પહેલાં તમામ 10 ટીમો પોતાની ટીમોને મજબૂત બનાવવા માટે ઓક્શનમાં ઉતરશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

IPL 2026 Auction : શું કોઈ ખેલાડી ઓક્શનમાં વેચાયા પછી રમવાની ના પાડી શકે? નિયમો જાણો
| Updated on: Dec 16, 2025 | 9:12 AM
Share

આઈપીએલમાં રમવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને વિદેશી ખેલાડીઓ માટે કોઈ જેક્પોટથી ઓછું નથી. કારણ કે, તેના માટે સ્લૉટ ઓછા હોય છે. દરેક ખેલાડી ઈચ્છે કે, તેના પર બોલી મોટી લાગે. કેટલાક ખેલાડીઓની આ ઈચ્છા ઓક્શનમાં પુરી પણ થાય છે. પરંતુ કેટલીક વખત ઈન્ટરનેશનલ ડ્યુટી કે કોઈ અંગતકારણોસર ઓક્શનમાં વેચાયા બાદ પણ આઈપીએલ સીઝનમાંથી પોતાનું નામ પરત લેવું પડે છે

શું કોઈ વેચાયા પછી IPL છોડી શકે છે?

સરળ ભાષામાં કહીએ તો, જવાબ હા છે. ઓક્શનમાં વેચાયા પછી પણ ક્રિકેટરો સિઝનમાંથી ખસી શકે છે. જોકે, સિઝન શરૂ થાય તે પહેલાં ખેલાડીઓનું રજિસ્ટર, પસંદગી અને નામ પરત લેવાના વારંવારના કિસ્સાઓને કારણે, વિદેશી ખેલાડીઓ માટેના નિયમો હવે ઘણા કડક બની ગયા છે.

વિદેશી ખેલાડીઓ માટે કડક નિયમ

આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ માટે એક નવો નિયમ સામે આવ્યો છે. જો કોઈ ખેલાડી ઓક્શનમાં ખરીદાયા પછી સીઝનમાંથી પોતાનું નામ પરત લે છે. તો તેના પર 2 વર્ષનો પ્રતિંબધ લાગશે.છૂટ ફક્ત ત્યારે જ મળશે જો ખેલાડીના ઘરના બોર્ડ દ્વારા તબીબી રીતે ચકાસાયેલ ઈજા અથવા સ્વાસ્થ્ય સ્થિતિ હોય. આ સિવાય જો વિદેશી ખેલાડીઓ મેગા ઓક્શનમાંથી દુર થાય છે. તો તેમણે આગામી મિની ઓક્શનમાં ભાગ લેવાથી રોકી શકાય છે.

ફેરફારો શા માટે જરૂરી હતા?

આ ફેરફાર ફ્રેન્ચાઇઝીઓના પ્રતિસાદ બાદ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝીઓને ખેલાડીઓ નામ પરત લેવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરના કિસ્સાઓમાં હેરી બ્રુકનો વ્યક્તિગત કારણોસર દિલ્હી કેપિટલ્સમાંથી ખસી જવાનો સમાવેશ થાય છે. તે સ્પષ્ટ છે કે ટીમો ઇચ્છતી નથી કે જે ખેલાડીને ખરીદવા માટે તેમણે ખૂબ મહેનત અને પૈસા ખર્ચ્યા છે તે સિઝન શરૂ થાય તે પહેલાં અચાનક અનુપલબ્ધ થઈ જાય. ટીમોની યોજનાઓમાં સુસંગતતા સુનિશ્ચિત કરવા અને વિદેશી ખેલાડીઓની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે આ નવો નિયમ રજૂ કરવામાં આવ્યો હતો.IPL 2026ના ઓક્શનમાં આજે 369 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લકિ કરો

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">