AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પંચાયતના ‘પ્રહલાદ ચા’ની રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એન્ટ્રી, આ ખાસ રોલમાં જોવા મળશે

નિતેશ તિવારીની 4000 કરોડની રામાયણ ફિલ્મ હાલમાં ખુબ ચર્ચામાં છે. રણબીર કપૂર સ્ટાર આ ફિલ્મ આ વર્ષે સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. જે દિવાળી 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં હવે પંચાયત ફેમ અભિનેતાની એન્ટ્રીની પણ ચર્ચા થઈ રહી છે.

Breaking News : પંચાયતના ‘પ્રહલાદ ચા’ની રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એન્ટ્રી, આ ખાસ રોલમાં જોવા મળશે
| Updated on: Mar 16, 2026 | 11:20 AM
Share

નિતેશ તિવારીની રામાયણ જ્યારથી અનાઉન્સ થઈ છે. ચાહકો ખુબ જ ઉત્સાહિત થયા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બજેટથી લઈ કાસ્ટની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે. તો સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. રાવણની ભૂમિકામાં યશ અને હનુમાનની ભુમિકામાં સની દેઓલ જોવા મળશે.

ફિલ્મના અન્ય પાત્રની પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલમાં ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટે ખુલાસો કર્યો કે, તેને ફિલ્મમાં શૂર્પખા માટે ઓડિશન આપ્યું હતુ. પરંતુ હજુ સુધી તેના રોલ મળ્યો નથી. રાવણના નાના ભાઈ કુંભકર્ણનું પાત્ર અભિનેતાનાનું નામ સામે આવ્યું છે. જે નિતેશ તિવારીની રામાયણમાં કુંભકર્ણની ભૂમિકા નિભાવશે.

‘રામાયણ’ની કાસ્ટ

  • રણબીર કપૂર (રામ)
  • સાઈપલ્લવી (સીતા)
  • યશ (રામ)
  • સની દેઓલ (હનુમાન)
  • રવિ દુબે (લક્ષ્મણ)
  • લારા દત્તા (કૈકેયી)
  • અરુણ ગોવિલ (દશરથ)
  • રકુલ પ્રીત (સુર્પણખા)

કોણ નિભાવશે કુંભકર્ણનો રોલ?

નિતેશ તિવારીની રામાયણમાં દેશની સૌથી ચર્ચિત અને સફળ સીરિઝ પંચાયતના પ્રહલાદ ચા એટલે કે,ફેસલ મલિક રામાયણમાં તાકતવર યૌદ્ધા કુંભકર્ણની ભુમિકા નિભાવશે. તેમણે ફિલ્મના પહેલા શેડ્યુલ પણ કમ્પલીટ કર્યો છે. રામાયણનો પહેલો પાર્ટ દિવાળી 2026માં રિલીઝ થશે. જેને લઈ ચાહકો ખુબ ઉત્સાહ છે. જોકે, “રામાયણ” ટીમે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, કે ફૈઝલ મલિકે કોઈ પ્રતિક્રિયા આપી નથી. “રામાયણ” માટે રાઘવ જુયાલનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, રાઘવ જુયાલ ફિલ્મમાં રાવણના દીકરા મેધનાદની ભૂમિકા ભજવશે. પરંતુ આને લઈ હજુ પુષ્ટિ થઈ નથી.

આ ફિલ્મમાં પહેલાથી જ રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, કાજલ અગ્રવાલ, અરુણ ગોવિલ, રકુલ પ્રીત સિંહ અને લારા દત્તા છે.એવું જાણવા મળ્યું છે કે રણબીર કપૂર માર્ચ અને મે વચ્ચે રામાયણ 2 ના શૂટિંગનો મોટો ભાગ પૂર્ણ કરશે, ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે તેણે ટ્રાન્સફોર્મેશન કર્યું છે. હાલમાં તે ક્લીન-શેવન લુકમાં છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">