AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પંચાયતના ‘પ્રહલાદ ચા’ની રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એન્ટ્રી, આ ખાસ રોલમાં જોવા મળશે

નિતેશ તિવારીની 4000 કરોડની રામાયણ ફિલ્મ હાલમાં ખુબ ચર્ચામાં છે. રણબીર કપૂર સ્ટાર આ ફિલ્મ આ વર્ષે સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. જે દિવાળી 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં હવે પંચાયત ફેમ અભિનેતાની એન્ટ્રીની પણ ચર્ચા થઈ રહી છે.

Breaking News : પંચાયતના ‘પ્રહલાદ ચા’ની રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એન્ટ્રી, આ ખાસ રોલમાં જોવા મળશે
| Updated on: Mar 16, 2026 | 11:20 AM
Share

નિતેશ તિવારીની રામાયણ જ્યારથી અનાઉન્સ થઈ છે. ચાહકો ખુબ જ ઉત્સાહિત થયા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બજેટથી લઈ કાસ્ટની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે. તો સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. રાવણની ભૂમિકામાં યશ અને હનુમાનની ભુમિકામાં સની દેઓલ જોવા મળશે.

ફિલ્મના અન્ય પાત્રની પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલમાં ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટે ખુલાસો કર્યો કે, તેને ફિલ્મમાં શૂર્પખા માટે ઓડિશન આપ્યું હતુ. પરંતુ હજુ સુધી તેના રોલ મળ્યો નથી. રાવણના નાના ભાઈ કુંભકર્ણનું પાત્ર અભિનેતાનાનું નામ સામે આવ્યું છે. જે નિતેશ તિવારીની રામાયણમાં કુંભકર્ણની ભૂમિકા નિભાવશે.

‘રામાયણ’ની કાસ્ટ

  • રણબીર કપૂર (રામ)
  • સાઈપલ્લવી (સીતા)
  • યશ (રામ)
  • સની દેઓલ (હનુમાન)
  • રવિ દુબે (લક્ષ્મણ)
  • લારા દત્તા (કૈકેયી)
  • અરુણ ગોવિલ (દશરથ)
  • રકુલ પ્રીત (સુર્પણખા)

કોણ નિભાવશે કુંભકર્ણનો રોલ?

નિતેશ તિવારીની રામાયણમાં દેશની સૌથી ચર્ચિત અને સફળ સીરિઝ પંચાયતના પ્રહલાદ ચા એટલે કે,ફેસલ મલિક રામાયણમાં તાકતવર યૌદ્ધા કુંભકર્ણની ભુમિકા નિભાવશે. તેમણે ફિલ્મના પહેલા શેડ્યુલ પણ કમ્પલીટ કર્યો છે. રામાયણનો પહેલો પાર્ટ દિવાળી 2026માં રિલીઝ થશે. જેને લઈ ચાહકો ખુબ ઉત્સાહ છે. જોકે, “રામાયણ” ટીમે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, કે ફૈઝલ મલિકે કોઈ પ્રતિક્રિયા આપી નથી. “રામાયણ” માટે રાઘવ જુયાલનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, રાઘવ જુયાલ ફિલ્મમાં રાવણના દીકરા મેધનાદની ભૂમિકા ભજવશે. પરંતુ આને લઈ હજુ પુષ્ટિ થઈ નથી.

આ ફિલ્મમાં પહેલાથી જ રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, કાજલ અગ્રવાલ, અરુણ ગોવિલ, રકુલ પ્રીત સિંહ અને લારા દત્તા છે.એવું જાણવા મળ્યું છે કે રણબીર કપૂર માર્ચ અને મે વચ્ચે રામાયણ 2 ના શૂટિંગનો મોટો ભાગ પૂર્ણ કરશે, ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે તેણે ટ્રાન્સફોર્મેશન કર્યું છે. હાલમાં તે ક્લીન-શેવન લુકમાં છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">