21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ જવા થઇ રહ્યું છે, ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સત્ર દરમિયાન ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર હોય તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત વિધાનસભામાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં ફરજ પરના પોલીસ સ્ટાફ સહિત પરિસરમાં આવતા તમામ પત્રકારોના પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત છે. આ સત્ર દરમિયાન એક સમયે 25 પત્રકારોને પ્રવેશ આપવામાં આવશે. ધારાસભ્યોના પી.એ., ડ્રાઇવર કે અન્ય કોઇ પણ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
આ પણ વાંચો: હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસે રૂ.3 કરોડ 75 લાખનું હવાલા રેકેટ ઝડપ્યું, ગુજરાતના 4 શખ્સોની કરી ધરપકડ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો