Vastu Tips : ઘરમાં શમીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુને લઈને નિયમો બનાવવામાં આવતા હોય છે. ત્યારે ઘરે શમીનો છોડ ઉગાડવું શુભ માનવામાં આવે છે કે નહીં તે અંગે પણ વાસ્તુશાસ્ત્રમાં નિયમ આપવામાં આવ્યો છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે શમીનો છોડ ઉગાડવાને લઈને કેટલાક નિયમો છે. શમીનો છોડ ઘરમાં ઉગાડવો શુભ માનવમાં આવે છે કે અશુભ તે અંગે પણ કેટલાક લોકો નથી જાણતા.

શમીનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શનિવારે આ છોડને ઉગાડવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શમીના છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક ઉગાડવું લાભકારક છે. પરંતુ ધ્યાન રાખો કે છોડ સુકાઈ ન જાય. દર શનિવારે ઘરમાં શમીના છોડ પાસે દીવો પ્રગટાવો જોઈએ.

ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































