Women’s Health : ગર્ભાશયમાં ગાંઠ હોય ત્યારે દેખાય છે આ લક્ષણો, સમયસર સારવાર કરાવો
આજના સમયમાં કેટલીક સ્ત્રીઓ માટે ગર્ભધારણ કરવું સમસ્યા બની ગઈ છે. કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં સ્ત્રીઓને થતી ઘણી સમસ્યાઓ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આનું એક કારણ ગર્ભાશયમાં ગાંઠ છે. કેટલીક સ્ત્રીઓ આ સમસ્યાથી પીડાય છે.

ગર્ભાશય કોથળી મહિલાઓના શરીરનું સૌથી મહત્વના અંગમાંથી એક છે. જેનું મુખ્ય કાર્ય ગર્ભ ધારણ કરવું તેમજ ભ્રૂણનો વિકાસ થાય છે.

જેના માટે ગર્ભ ધારણ કરવા માટે ગર્ભાશયનું સ્વસ્થ રહેવું ખુબ જરુરી છે. પરંતુ આજ કાલ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને અન્ય કારણોને કારણે આ સમસ્યા સામાન્ય બની રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ગાંઠોની સમસ્યા વધી રહી છે. ગર્ભાશયમાં ગાંઠ હોવાને કારણે સ્ત્રીઓને પ્રજનન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે અંડાશયના સિસ્ટના લક્ષણો શું છે અને તેને કેવી રીતે બચી શકાય.તેના શરૂઆતના લક્ષણો ઓળખવા અને ડૉક્ટરની સલાહ અને જરૂરી સારવાર લેવી જરૂરી છે.

અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ખરાબ ખાણી-પીણીના કારણે અનેક ગંભીર બીમારીઓની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. બાળકો , પુરુષ અને મહિલાઓમાં લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. મહિલાઓમાં પીસીઓડી બાદ ગર્ભાશયમાં ગાંઠ બનવાની સમસ્યા ખુબ વધી રહી છે.

અંડાશયના કોથળીઓના કારણો વિશે વાત કરીએ તો પીરિયડસનો સમય પૂર્ણ થયા બાદ પણ ફોલિકલનું કદ વધતું રહે છે અને તેને અંડાશયના સિસ્ટ (ovarian cysts) કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે હાનિકારક હોય છે અને મોટાભાગે પોતાની મેળે જ ઠીક થઈ જાય છે. પરંતુ ક્યારેક, જો (સિસ્ટ)કોથળીઓનો ઉપચાર ન થાય, તો તે સ્ત્રીઓને ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

દરરોજ પ્રાણાયામ અને યોગ કરો. તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરો. રેસાવાળા ફળોનું સેવન કરો. લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. પુષ્કળ પાણી પીઓ. રાત્રે વહેલા સૂવો તમેજ સવારે વહેલા ઉઠો. ઘરે બનાવેલી વસ્તુઓનું જ સેવન કરો.

જ્યારે અંડાશય અથવા ગર્ભાશયમાં ગાંઠ બને છે, ત્યારે શરીરના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આના કારણે સોજો પણ આવી શકે છે. ખાસ કરીને પેટની નજીક સોજો અને દુખાવાની ફરિયાદો રહે છે. પેલ્વિસમાં અતિશય દુખાવો પણ અંડાશયના ગાંનું કારણે થઈ શકે છે.ઉલટી, ઉબકા અને પેટનું ફૂલવું એ પણ અંડાશયના ગાંઠના લક્ષણો છે.જો તમને પણ અંડાશયના કોથળીઓના લક્ષણો દેખાવા લાગે અથવા અનુભવાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































