Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2025 | 2:38 PM
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી અયોધ્યામાં ના માત્ર રોજગારીની તકો વધી છે, પરંતુ સરકારની આવક પણ વધી છે. તમે આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારને અંદાજે 400 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. ટ્રસ્ટના સચિવ સંપત રાયે રવિવારે આ માહિતી આપી હતી. અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે આ ચુકવણી કરવામાં આવી છે.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી અયોધ્યામાં ના માત્ર રોજગારીની તકો વધી છે, પરંતુ સરકારની આવક પણ વધી છે. તમે આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારને અંદાજે 400 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. ટ્રસ્ટના સચિવ સંપત રાયે રવિવારે આ માહિતી આપી હતી. અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે આ ચુકવણી કરવામાં આવી છે.

1 / 5
પીટીઆઈના અહેવાલ મુજબ, સંપત રાયે કહ્યું કે, આ રકમ 5 ફેબ્રુઆરી, 2020 અને 5 ફેબ્રુઆરી, 2025 વચ્ચે જમા કરવામાં આવી હતી. તેમાંથી રૂ. 270 કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 130 કરોડ અન્ય ટેક્સ કેટેગરીમાં જમા કરવામાં આવ્યા હતા.

પીટીઆઈના અહેવાલ મુજબ, સંપત રાયે કહ્યું કે, આ રકમ 5 ફેબ્રુઆરી, 2020 અને 5 ફેબ્રુઆરી, 2025 વચ્ચે જમા કરવામાં આવી હતી. તેમાંથી રૂ. 270 કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 130 કરોડ અન્ય ટેક્સ કેટેગરીમાં જમા કરવામાં આવ્યા હતા.

2 / 5
રામ મંદિરના નિર્માણ સાથે, અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે, જે તેને એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્ર બનાવે છે.

રામ મંદિરના નિર્માણ સાથે, અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે, જે તેને એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્ર બનાવે છે.

3 / 5
સંપત રાયનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે 16 કરોડથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી 5 કરોડે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.

સંપત રાયનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે 16 કરોડથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી 5 કરોડે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.

4 / 5
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ મોટાભાગના ભક્તો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવી આવ્યા હતા. આવી સ્થિતિમાં અયોધ્યામાં વધુ ભીડ જોવા મળી હતી. આ કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ સંપત રાયે સ્થાનિક શ્રદ્ધાળુઓને 15 દિવસ પછી અયોધ્યા આવવાની સલાહ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ મોટાભાગના ભક્તો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવી આવ્યા હતા. આવી સ્થિતિમાં અયોધ્યામાં વધુ ભીડ જોવા મળી હતી. આ કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ સંપત રાયે સ્થાનિક શ્રદ્ધાળુઓને 15 દિવસ પછી અયોધ્યા આવવાની સલાહ આપી હતી.

5 / 5

 

રામ મંદિરને લગતા અન્ય તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

Follow Us:
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">