AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર, ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા રમશે વધુ 2 મેચ

IPL 2025 પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જે 20 જૂનથી શરૂ થવાની છે. આ ટેસ્ટ શ્રેણીમાં સફળતા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બે પ્રેક્ટિસ મેચ રમવા જઈ રહ્યા છે, જેના સંદર્ભમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Mar 18, 2025 | 5:34 PM
Share
જ્યારે આખો દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆતની રાહ જોઈ રહ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચ પહેલા વધુ બે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે, જે IPL સિઝન પછી તરત જ શરૂ થશે.

જ્યારે આખો દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆતની રાહ જોઈ રહ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચ પહેલા વધુ બે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે, જે IPL સિઝન પછી તરત જ શરૂ થશે.

1 / 6
આ શ્રેણી પહેલા, ભારતીય ખેલાડીઓને ઓછામાં ઓછી બે પ્રેક્ટિસ મેચ રમવાની તક મળશે. પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂને લીડ્સમાં શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત A ટીમનો પ્રવાસ જૂનના પહેલા અઠવાડિયામાં શરૂ થશે, જેમાં મુખ્ય ટીમના ખેલાડીઓ પણ સામેલ થશે. પ્રેક્ટિસ મેચોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હાજર રહેશે.

આ શ્રેણી પહેલા, ભારતીય ખેલાડીઓને ઓછામાં ઓછી બે પ્રેક્ટિસ મેચ રમવાની તક મળશે. પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂને લીડ્સમાં શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત A ટીમનો પ્રવાસ જૂનના પહેલા અઠવાડિયામાં શરૂ થશે, જેમાં મુખ્ય ટીમના ખેલાડીઓ પણ સામેલ થશે. પ્રેક્ટિસ મેચોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હાજર રહેશે.

2 / 6
IPL સિઝન પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં નવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) સર્કલની શરૂઆત થશે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે, જે ભારત માટે ઉનાળામાં શરૂ થનારી સૌથી પહેલી ટેસ્ટ શ્રેણી હશે. છેલ્લા બે ટેસ્ટ પ્રવાસોમાં, ભારતે ઓગસ્ટ મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. જોકે, આ વખતે ટીમ ઉનાળાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ પહોંચશે, જ્યારે પિચો તાજી હશે અને બોલને ગતિ મળશે. આવી સ્થિતિમાં, ભારત A ટીમની મેચો ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ માટે તૈયારીનો એકમાત્ર મોકો હશે.

IPL સિઝન પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં નવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) સર્કલની શરૂઆત થશે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે, જે ભારત માટે ઉનાળામાં શરૂ થનારી સૌથી પહેલી ટેસ્ટ શ્રેણી હશે. છેલ્લા બે ટેસ્ટ પ્રવાસોમાં, ભારતે ઓગસ્ટ મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. જોકે, આ વખતે ટીમ ઉનાળાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ પહોંચશે, જ્યારે પિચો તાજી હશે અને બોલને ગતિ મળશે. આવી સ્થિતિમાં, ભારત A ટીમની મેચો ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ માટે તૈયારીનો એકમાત્ર મોકો હશે.

3 / 6
એવું માનવામાં આવે છે કે ભારત A ટીમ 4 જૂને ઈંગ્લેન્ડ લાયન્સ સામે ચાર દિવસીય મેચ રમશે, ત્યારબાદ ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારત A ટીમની બીજી મેચ પણ ઈંગ્લેન્ડ લાયન્સ સામે હશે. પસંદગીકારો આ મેચોમાં એવા ખેલાડીઓને તક આપવા માંગે છે જેમણે સ્થાનિક સર્કિટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે જ સમયે ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડીઓ માટે રેડ-બોલ ક્રિકેટનો અભ્યાસ કરવો પણ મહત્વપૂર્ણ છે. તેથી એવી શક્યતા છે કે ટેસ્ટ ટીમના નિયમિત બેટ્સમેન પ્રથમ ઈન્ડિયા A મેચમાં રમશે.

એવું માનવામાં આવે છે કે ભારત A ટીમ 4 જૂને ઈંગ્લેન્ડ લાયન્સ સામે ચાર દિવસીય મેચ રમશે, ત્યારબાદ ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારત A ટીમની બીજી મેચ પણ ઈંગ્લેન્ડ લાયન્સ સામે હશે. પસંદગીકારો આ મેચોમાં એવા ખેલાડીઓને તક આપવા માંગે છે જેમણે સ્થાનિક સર્કિટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે જ સમયે ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડીઓ માટે રેડ-બોલ ક્રિકેટનો અભ્યાસ કરવો પણ મહત્વપૂર્ણ છે. તેથી એવી શક્યતા છે કે ટેસ્ટ ટીમના નિયમિત બેટ્સમેન પ્રથમ ઈન્ડિયા A મેચમાં રમશે.

4 / 6
ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ, ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી પહેલા ભારત A ટીમ સાથે થોડી મેચ રમી હતી. આ વખતે IPL પછી રેડ-બોલ ક્રિકેટમાં તાત્કાલિક પરિવર્તન અને ટેસ્ટ ટીમના તાજેતરના સંઘર્ષોને જોતા ભારત A ટીમની મેચો અને ટૂર મેચોનું મહત્વ વધુ વધી ગયું છે.

ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ, ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી પહેલા ભારત A ટીમ સાથે થોડી મેચ રમી હતી. આ વખતે IPL પછી રેડ-બોલ ક્રિકેટમાં તાત્કાલિક પરિવર્તન અને ટેસ્ટ ટીમના તાજેતરના સંઘર્ષોને જોતા ભારત A ટીમની મેચો અને ટૂર મેચોનું મહત્વ વધુ વધી ગયું છે.

5 / 6
ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચ 20 જૂનથી 4 ઓગસ્ટ દરમિયાન હેડિંગલી, એજબેસ્ટન, લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ અને ધ ઓવલ ખાતે રમાશે. આ શ્રેણીથી ભારતીય ટીમ માટે એક નવા WTC સર્કલની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનું ચૂકી ગઈ હતી. આ વખતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પ્રવેશ્યા છે. (All Photo Credit : PTI / Getty)

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચ 20 જૂનથી 4 ઓગસ્ટ દરમિયાન હેડિંગલી, એજબેસ્ટન, લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ અને ધ ઓવલ ખાતે રમાશે. આ શ્રેણીથી ભારતીય ટીમ માટે એક નવા WTC સર્કલની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનું ચૂકી ગઈ હતી. આ વખતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પ્રવેશ્યા છે. (All Photo Credit : PTI / Getty)

6 / 6

IPL 2025 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં રેડ બોલ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓની અસલી ટેસ્ટ થશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">