AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી … IPL 2025 પહેલા શ્રેયસ અય્યરનું મોટું નિવેદન

તાજેતરમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનાવવામાં શ્રેયસ અય્યરે મોટી ભૂમિકા ભજવી હતી છે. ગયા વર્ષે તેણે પોતાની કેપ્ટનશીપમાં KKRને IPL ચેમ્પિયન પણ બનાવ્યું હતું. હવે ફરી શ્રેયસ અય્યર IPL 2025માં ધમાલ મચાવવા તૈયાર છે, જોકે આ વખતે તે કોલકાતા નહીં પણ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. જો કે IPL સિઝન શરૂ થતા પહેલા તેને મોટું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

| Updated on: Mar 18, 2025 | 6:09 PM
Share
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે IPL 2025 શરૂ થતા પહેલા કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કેટલીક વાતો ફેલાવવામાં આવી હતી જે ખોટી હતી. તેની ખરાબ છાપ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોતાની મહેનતના કારણે તે પુનરાગમન કરવામાં સફળ રહ્યો.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે IPL 2025 શરૂ થતા પહેલા કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કેટલીક વાતો ફેલાવવામાં આવી હતી જે ખોટી હતી. તેની ખરાબ છાપ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોતાની મહેનતના કારણે તે પુનરાગમન કરવામાં સફળ રહ્યો.

1 / 6
શ્રેયસ અય્યરે PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'કદાચ કોઈ છાપ ઉભી થઈ હતી અથવા કદાચ હું ટાઈપકાસ્ટ હતો. પણ મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની શોર્ટ બોલ રમવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાને ખોટા સાબિત કર્યા.

શ્રેયસ અય્યરે PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'કદાચ કોઈ છાપ ઉભી થઈ હતી અથવા કદાચ હું ટાઈપકાસ્ટ હતો. પણ મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની શોર્ટ બોલ રમવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાને ખોટા સાબિત કર્યા.

2 / 6
ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી સહિત તાજેતરની આઠ વનડેમાં શ્રેયસે ચોથા નંબરે બેટિંગ કરી અને 53ની સરેરાશથી રન બનાવ્યા. શ્રેયસ અય્યરે કહ્યું, 'રમતની ગતિશીલતા બદલાતી રહે છે તેમ એક ખેલાડીએ સતત વિકાસ કરવો પડે છે. મને ખુશી છે કે મેં સકારાત્મક વલણ રાખ્યું અને મારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો.'

ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી સહિત તાજેતરની આઠ વનડેમાં શ્રેયસે ચોથા નંબરે બેટિંગ કરી અને 53ની સરેરાશથી રન બનાવ્યા. શ્રેયસ અય્યરે કહ્યું, 'રમતની ગતિશીલતા બદલાતી રહે છે તેમ એક ખેલાડીએ સતત વિકાસ કરવો પડે છે. મને ખુશી છે કે મેં સકારાત્મક વલણ રાખ્યું અને મારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો.'

3 / 6
શ્રેયસ અય્યરે કહ્યું કે તેને નંબર 4 પર બેટિંગ કરવામાં સૌથી સારું લાગે છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં 530 રન બનાવ્યા હતા અને તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ટોપ સ્કોરર પણ હતો. તેણે કહ્યું, 'મને લાગે છે કે મને નંબર 4 પર બેટિંગ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે મને એવો અહેસાસ કરાવે છે કે આ તે જગ્યા છે જ્યાં હું મારું શ્રેષ્ઠ રમું છું.'

શ્રેયસ અય્યરે કહ્યું કે તેને નંબર 4 પર બેટિંગ કરવામાં સૌથી સારું લાગે છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં 530 રન બનાવ્યા હતા અને તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ટોપ સ્કોરર પણ હતો. તેણે કહ્યું, 'મને લાગે છે કે મને નંબર 4 પર બેટિંગ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે મને એવો અહેસાસ કરાવે છે કે આ તે જગ્યા છે જ્યાં હું મારું શ્રેષ્ઠ રમું છું.'

4 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શ્રેયસે સ્પિન બોલરો સામે સ્ટ્રાઈક રોટેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું, 'મુંબઈમાં ઘાસ વગરની વિકેટ પર રમવાનો અનુભવ મને કામ લાગ્યો. મેં શરૂઆતથી જ શીખ્યું હતું કે આવી પિચો પર રમવા માટે મજબૂત ફૂટવર્ક હોવું જરૂરી છે.'

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શ્રેયસે સ્પિન બોલરો સામે સ્ટ્રાઈક રોટેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું, 'મુંબઈમાં ઘાસ વગરની વિકેટ પર રમવાનો અનુભવ મને કામ લાગ્યો. મેં શરૂઆતથી જ શીખ્યું હતું કે આવી પિચો પર રમવા માટે મજબૂત ફૂટવર્ક હોવું જરૂરી છે.'

5 / 6
જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં રમવાની વિશે પૂછવામાં આવતા અય્યરે કહ્યું, 'હું આવનારી બાબતો વિશે વધુ વિચારવા માંગતો નથી. અત્યારે હું પંજાબ કિંગ્સ સાથે મારી ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. શ્રેયસે કહ્યું કે તેને ક્રિકેટ સિવાય પણ જીવનનો આનંદ છે. તેણે કહ્યું, 'ક્રિકેટની બહાર પણ જીવન છે - પરિવાર, મિત્રો, શોખ અને જાદુની ટ્રિક્સ. મને આવો વિરામ (આરામ) ગમે છે.' (All Photo Credit : PTI / Getty)

જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં રમવાની વિશે પૂછવામાં આવતા અય્યરે કહ્યું, 'હું આવનારી બાબતો વિશે વધુ વિચારવા માંગતો નથી. અત્યારે હું પંજાબ કિંગ્સ સાથે મારી ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. શ્રેયસે કહ્યું કે તેને ક્રિકેટ સિવાય પણ જીવનનો આનંદ છે. તેણે કહ્યું, 'ક્રિકેટની બહાર પણ જીવન છે - પરિવાર, મિત્રો, શોખ અને જાદુની ટ્રિક્સ. મને આવો વિરામ (આરામ) ગમે છે.' (All Photo Credit : PTI / Getty)

6 / 6

IPL 2025માં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સની કપ્તાની કરશે, ગત વર્ષે તેની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પંજાબને તે ચેમ્પિયન બનાવશે તેવી ફેન્સને આશા છે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">