IPL 2025 : આઈપીએલમાં પણ હોય છે મોટો વીમો, આ વખતે IPL પર 2590 કરોડનો વીમો
IPLના આયોજકો અને ફ્રેન્ચાઈઝીને આ વખતે વીમા માટે લગભગ બમણી રકમ ચૂકવવી પડી શકે છે. આનું કારણ વીમા કંપનીઓ પર દાવાનો વધતો ક્લેમ છે. પ્રીમિયમમાં વધારાને કારણે IPL ટિકિટો મોંઘી થશે કે નહીં તે અંગે હાલમાં કંઈ કહી શકાય નહીં.

IPL માટે એક મોટું વીમા કવચ હોય છે, જે મેચ રદ થવાથી, ખેલાડીઓને ઈજા થવાથી અથવા અન્ય જોખમોને કારણે થતા નુકસાનને આવરી લે છે. 2024માં આ કવર 10,000 કરોડ રૂપિયાથી વધુ હતું.

આઈપીએલની નવી સીઝન શરુ થઈ રહી છે. જેમાં ખુબ પૈસા ખર્ચ થાય છે. હજારો-લાખો ટિકિટ વેંચાય છે. સ્ટેડિયમ ભાડા પર હોય છે. સ્ટાફ,લૉજિસ્ટિકસ, ટીવી રાઈટ મોટી જાહેરાતો અને અન્ય ઘણું બધુ. હવે તમે વિચારો કાંઈ એવું થાય જેમ કે વરસાદ આવે અને મેચ રોકી દેવામાં આવે તો ઈન્ડિયન પ્રીમિયર લીગ આયોજિત કરનાર બીસીસીઆઈ ફ્રેન્ચાઈઝીને કેટલું નુકસાન થશે.

આ નુકસાનથી બચવા માટે આયોજકો વીમો લે છે. પ્રીમિયમ ભરે છે જેનાથી નુકસાન કવર કરી શકાય. પરંતુ આ વખતે આઈપીએલના આયોજકો અને ફ્રેન્ચાઈઝીને વીમા માટે વધુ પૈસા આપવા પડી શકે છે. અંદાજે બે ગણા હવે આની અસર આઈપીએલની ટિકિટ પર પડી શકે છે.

તો હવે આપણે જાણીએ કે, પ્રીમિયમ કેમ વધી શકે છે? ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ગત્ત સીઝનમાં એક મેચ રદ્દ થવા પર 16 કરોડ થી 17 કરોડ સુધીનો ક્લેમ થયો હતો. આટલું જ નહી ગત્ત વખતની સીઝનમાં 3 મેચ રદ્દ કરવામાં આવી હતી કે પછી ટુંકી રમાડવામાં આવી હતી. જેનાથી આઈપીએલ આયોજકો અને ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું હતુ. આ માટે કરોડો રુપિયાનો ક્લેમ આપનાર વીમા કંપનીઓએ તેમના પ્રીમિયમ દરો પર પુનર્વિચાર કરવો પડ્યો છે અને ફરીથી નક્કી કરવા પડ્યા છે.

રિપોર્ટ મુજબ જે પહેલા 2 કરોડના પ્રીમિયર લેતી હતી. તે હવે 4 કરોડ થી 5 કરોડનો ખર્ચ કરવો પડે છે. આખી ટૂર્નામેન્ટના આયોજન કરનાર બીસીસીઆઈ હવે પ્રતિ મેચ 5 કરોડથી 6 કરોડ રૂપિયાનો વીમો ચૂકવવો પડી શકે છે.

રિપોર્ટ મુજબ એક્સપર્ટ માને છે કે, પ્રીમિયમ વધારવું જરુરી છે કારણ કે, જો ક્લેમ હોય છે, તો તે 35 કરોડથી વધુ હોય શકે છે. જેના હિસાબે આઈપીએલમાં 74 મેચ રમાશે. તેથી, 2590 કરોડ રૂપિયાના દાવ લાગી શકે છે.શું છે વીમા કંપનીનો પ્લાન, તો વીમા કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે રી-ઈશ્યોરન્સનો સહારો લઈ રહી છે.બજાર મર્યાદાઓને કારણે માત્ર 20-30% જોખમનો ફરીથી વીમો લઈ શકાય છે.

રિપોર્ટ મુજબ નિયમ અનુસાર વીમા કવર ટૂર્નામેન્ટ શરુ થવાથી અંદાજે 10 દિવસ પહેલા લેવા જરુરી છે. પરંતુ હજુ સુધી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, જ્યારે IPL 22 માર્ચથી શરૂ થવાનું છે, જેના કારણે ફરીથી વીમો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
