TV9 GUJARATI | Edited By: Devankashi rana
Mar 22, 2023 | 3:15 PM
મંગળવારની રાત ભારત સહિત વિશ્વના ઘણા દેશો માટે આતંકની રાત બની ગઈ. 6.6ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી-NCR સહિત ભારતના ઘણા રાજ્યોના લોકોને રસ્તા પર આવવાની ફરજ પડી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણપૂર્વમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
ભારત પર અવાર નવાર આવી રહેલ ભૂકંપના આચંકા મોટા ખતરાનો શંકેત છે કે કેમ? કારણ કે છેલ્લા 38 દિવસમાં ભારતની ધરતી 10 વખત ધ્રૂજી છે. ગઈ કાલે આવેલો ભૂકંપ આ 38 દિવસમાં સૌથી આવેલ ભૂંકપ કરતા વધુ ખતરનાક હતો. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
ભૂકંપ નિષ્ણાતોના મતે ભારતમાં ભૂકંપના ઘણા જોખમી ક્ષેત્રો છે. આ ડેન્જર ઝોન ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, આસામ, મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી પણ ભૂંકપી આચંકાના કારણે કાચા મકાનોની દિવાલો ધરાશયિ થઈ છે તેમજ લોકોના મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
ત્યારે આવેલ આ ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન પાકિસ્તાનમાં થયુ છે. જેમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જોરદાર આંચકા બાદ ખૈબર પખ્તુનખ્વામાં એક ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 11ના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
એશિયામાં તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી. આ દેશોમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )